1. Home
  2. ગુજરાતી
  3. રાજ્યમાં કોરોનાના કેસ 4021 નોંધાયાઃ 35ના મોત
રાજ્યમાં કોરોનાના કેસ 4021 નોંધાયાઃ 35ના મોત

રાજ્યમાં કોરોનાના કેસ 4021 નોંધાયાઃ 35ના મોત

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ ભયજનક રીતે વધી રહ્યા છે. રાજ્યમાં કોવિડ-19ના 24 કલાકમાં 4021 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આ મહામારીને કારણે વધુ 35 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે, આજે 2197 દર્દીઓ સાજા થઈ પોતોના ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 3,07,346 દર્દીઓ કોરોનાને મહાત્  આપી ચુક્યા છે.  આજે 35 લોકોના કોરોનાથી મોત થયા જેમાં સૌથી વધુ સુરતમાં 14 લોકો અને અમદાવાદમાં 8 લોકોના મોત થયા હતા. રાજ્યનો રિકવરી રેટ  પણ ઘટ્યો છે.જે 92.44 ટકાએ પહોંચ્યો છે. વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને તાપી ,વલસાડ ,કડી ,જામનગર ,આણંદ-ખેડા, મોરબી ,દાહોદ ના વિવિધ બજારો ધરાવતા નગરો સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે.

રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસ અમદાવાદ શહેરમાં 951, સુરત શહેરમાં 723, વડોદરામાં 379 રાજકોટમાં 427, જામનગરમાં 99 ભાવનગરમાં 61,ગાંધીનગરમાં 39, પાટણમાં 99, મહેસાણામાં 74, દાહોદમાં 26 પંચમહાલમાં 29, બનાસકાંઠા 27, ભરુચમાં 26, ખેડામાં 29, મોરબીમાં 37, કચ્છમાં 41, આણંદમાં 20, મહીસાગરમાં 38 સહિત કુલ 4021 કેસ નોંધાયા છે. રાજયમાં અત્યાર સુધીમાં કુલ 2,71,550 લોકોને રસીનો ડોઝ અપાયો છે. રાજ્યમાં કોવિડ કેર સેન્ટરોમાં  12000 જેટલી બેડનો વધારો કરવોમાં આવ્યો છે. જેમાં વેન્ટિલેટર બેડ અને આઈસીયુ બેડનો પણ સમાવેશ થાય છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code