1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગર-અમદાવાદ વાયા ધંધુકા ઈન્ટરસિટી ટ્રેન 28મી સુધી ગાંધીગ્રામ સુધી જ દોડશે
ભાવનગર-અમદાવાદ વાયા ધંધુકા ઈન્ટરસિટી ટ્રેન 28મી સુધી ગાંધીગ્રામ સુધી જ દોડશે

ભાવનગર-અમદાવાદ વાયા ધંધુકા ઈન્ટરસિટી ટ્રેન 28મી સુધી ગાંધીગ્રામ સુધી જ દોડશે

0
Social Share

અમદાવાદઃ ભાવનગર-સાબરમતી ઇન્ટરસિટી ટ્રેન આગામી તા. 28મી  એપ્રિલ સુધી ગાંધીગ્રામ સ્ટેશન સુધી દોડશે, સાબરમતી રેલવે સ્ટેશન સુધી જશે નહી. અમદાવાદ ડિવિઝનમાં સાબરમતી સ્ટેશન પર એન્જિનિયરિંગ કામ માટેના બ્લોકને કારણે ભાવનગર-સાબરમતી-ભાવનગર ઇન્ટરસિટી ટ્રેન આંશિક રીતે રદ રહેશે. ભાવનગર રેલ્વે મંડલના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર, આ ટ્રેન 22.04.2023 થી 28.04.2023 સુધી ભાવનગર ટર્મિનસથી ગાંધીગ્રામ સ્ટેશન સુધી ચાલશે અને ગાંધીગ્રામ-સાબરમતી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ભાવનગર રેલવે ડિવિઝનના સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર-અમદાવાદ વચ્ચે વાયા બોટાદ, ધંધુકાથી ઈન્ટરસિટી ટ્રેન શરૂ કરવામાં આવ્યા બાદ આ ટ્રેનને સારોએવો ટ્રાફિક મળી રહ્યો છે. સાબરમતી રેલવે સ્ટેશન પર એન્જિનિયરિંગ બ્લેકને કારણે આ ટ્રેન ગઈ કાલ તા.22મીથી ગાંઘીગ્રામ રેલવે સ્ટેશન સુધી દોડાવવામાં આવી રહી છે. જે તા.28મી એપ્રિલ સુધી ગાંધીગ્રામ સ્ટેશન સુધી દોડશે. આ ટ્રેન ગાંધીગ્રામથી ભાવનગર પરત ફરશે અને સાબરમતીથી ગાંધીગ્રામ સુધી આંશિક રીતે રદ રહેશે .રેલવે મુસાફરોને આ સુચનાને ધ્યાનમાં લઈને મુસાફરી કરવા રેલવે તેંત્ર દ્વારા વિનંતિ કરવામાં આવી છે.  ટ્રેનની નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવા અપિલ કરવામાં આવી છે. જેથી કરીને કોઈ અસુવિધા ન થાય તેમ ભાવનગર રેલવે ડિવિઝનના વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક માશૂક અહમદે જણાવ્યું હતું.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ભાવનગર-અમદાવાદ વચ્ચે વાયા બોટાદ-ધંધુકાનો શોર્ટ રૂટ્સ હોવા છતાં મોટાભાગની ટ્રેનો વાયા સુરેન્દ્રનગર, વિરમગામથી દોડાવવામાં આવે છે. આ રૂટ્સ પર વધુ સમય  લાગતો હોવાથી પુરતો ટ્રાફિક મળતો નથી. તેમજ ભાવનગર-બોટાદ-ધંધુકા શોર્ટ રૂટ પર લાંબા અંતરની ટ્રેનો પણ શરૂ કરવામાં આવતી હોય છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code