
પાકિસ્તાનના પૂર્વ પીએમ પર હુમલા બાદ હવે ઈસ્લાબાદમાં લોકડાઉન લાગૂ – સરકારે જારી કર્યુ હાઈએલર્ટ
- પાકિસ્તાનમાં હાઈએલર્ટ જારીટ
- ઈસ્લામાબાદમાં લોકડાઉન લાગુ કરાયું
- પૂર્વ પીએમ પર હુમલા બાદ અફડાતફડીનો માહોલ
દિલ્હીઃ- વિતેલા દિવસને ગુરુવારના રોજ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી અને પીટીઆઈ પ્રમુખ ઈમરાન ખાન પર હુમલાની ઘટના બાદ દેશમાં એલર્ટ જારી કરાયું છે સાથે જ આ હુમલા બાદ હવે ઈસ્લામાબાદમાં લોકડાઉન લાદવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે વિતેલા દિવસે થયેલા હુમલામાં આ હુમલામાં ઈમરાન ખાનને પગમાં ગોળી વાગી હતી જો કે તાત્કાલિક સારવાર મળતા તેઓની જાનને જોખમ નથી ,જો કે આ ઘટના બાદ ઈમરાનના સમર્થકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પાકિસ્તાન પીએમ પર થયેલા હુમલાને લઈને લોકોમાં જે રોષ હતો તેને ધ્યાનમાં લેતા શહેબાઝ શરીફ સરકારે રાજ્યમાં લોકડાઉનનો આદેશ આપ્યો છે.જો કે આ સમયગાળઆ દરમિયાન માત્ર આવશ્યક સેવાઓ જેમ કે પાણી પુરવઠો, રાશન પુરવઠો અને તબીબી સેવાઓને ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે, આ સાથે જ આગામી આદેશો સુધી ઈસ્લામાબાદમાં લોકડાઉન રહેશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાનવાલામાં પીટીઆઈની માર્ચ દરમિયાન ઈમરાન ખાન અને અન્ય પીટીઆઈ નેતાઓ પર ગોળીબાર કર્યા પછી, દેશભરના ઘણા શહેરોમાં વિરોધ શરૂ થયો.પીટીઆઈ કાર્યકર્તાઓએ કરાચીના 17 વિસ્તારોમાં દેખાવો શરૂ કર્યા છે. ઉત્તર કરાચીમાં પાવર હાઉસ ચૌરંઘી ખાતે આતંકવાદી કાર્યકરોએ રસ્તો રોક્યો હતો, જ્યારે મોટી સંખ્યામાં પીટીઆઈ સમર્થકોએ કોરંગી રોડ પર વિરોધ કર્યો હતો આ હુમલામાં ઈમરાન ખાન સહિત પાર્ટીના ઘણા નેતાઓને ગોળી વાગી છે. હુમલા બાદ દેશભરના અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા છે, જેને લઈને તાત્કાલિન સરકારે એલર્ટ જારી કરીને ઈસ્લામાહાદમાં લોકડાઉન લગાવ્યું છે