1. Home
  2. Revoi

Revoi

હિમાલયના શિખરો પરથી ચીનને આંખ દેખાડશે ભારત, અરુણાચલમાં કરશે મોટો યુદ્ધાભ્યાસ

જિનપિંગ આવશે ભારતની મુલાકાતે જિનપિંગની મુલાકાત વખતે અરુણાચલમાં યુદ્ધાભ્યાસ ભારતીય સેના દ્વારા અરુણાચલમાં થશે યુદ્ધાભ્યાસ નવી દિલ્હી: ભારતીય સેના ચીન સાથેની લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલથી લગભગ 100 કિલોમીટરના અંતરે 14 હજાર ફૂટની ઊંચાઈ પર અત્યાર સુધીનો સૌથી વધુ સુનિયોજીત યુદ્ધાભ્યાસ શરૂ કરવા જઈ રહી છે. તેને હિમવિજય નામ આપવામાં આવ્યું છે. યુદ્ધાભ્યાસ 24 ઓક્ટોબર સુધી […]

પાકિસ્તાનમાં તખ્તાપલટની આશંકા, જનરલ બાજવાએ રદ્દ કરી 111મી બ્રિગેડની રજાઓ

ઈમરાનખાનની સરકારનું કાઉન્ટડાઉન શરૂ પાકિસ્તાની સેનાની 111મી બ્રિગેડની રજાઓ રદ્દ જનરલ બાજવાએ રજાઓ રદ્દ કરવાના આપ્યા આદેશ પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકારના તખ્તાપલટની આશંકા છે. સૂત્રોને ટાંકીને અહેવાલ છે કે પાકિસ્તાની સેનાના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાના આદેશ પર અહીંની 111મી બ્રિગેડની રજાઓ રદ્દ કરવામાં આવી છે. જાણકારો માને છે કે પાકિસ્તાનમાં 111 બ્રિગેડનો જ ઉપયોગ […]

દિલ્હીમાં આતંકી હુમલાનું એલર્ટ, જૈશ-એ-મોહમ્મદના 4 આતંકી ઘૂસ્યા, 9 સ્થાનો પર દરોડા

દિલ્હીમાં 3થી4 આતંકીઓની ઘૂસણખોરી દિલ્હીમાં ઘણાં સ્થાનો પર સુરક્ષા વધારવામાં આવી દિલ્હીમાં 9 સ્થાનો પર દરોડાની કાર્યવાહી કરાઈ ભારતની રાજધાની નવી દિલ્હીમાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ત્રણથી ચાર આતંકવાદીઓએ ઘૂસણખોરી કરી છે. સુરક્ષા એજન્સીઓને ઈનપુટ મળ્યા છે કે તહેવારોના મોસમમાં આતંકવાદી મોટો હુમલો કરે તેવી શક્યતા છે. આ એલર્ટ બાદ દિલ્હીમાં સુરક્ષા વધારવામાં આવી છે. તેને […]

કાશ્મીરના ઉધમપુરમાં દેખાયા શકમંદ, હાઈએલર્ટ પર સુરક્ષાદળ

કુડ વિસ્તારમાં શકમંદો દેખાયાની જાણકારી ઉધમપુર રિયાસીના ડીઆઈજીનું નિવેદન સુરક્ષાદળો હાઈએલર્ટ પર જમ્મુ-કાશ્મીર પોલીસે કેટલાક શકમંદ વ્યક્તિઓને જોયા બાદ એલર્ટ જાહેર કર્યું છે. ઉધમપુર રિયાસીના ડીઆઈજી સુજીત સિંહે કહ્યુ છે કે કુડ વિસ્તારમાં કેટલાક શંકાસ્પદ લોકોને જોવામાં આવ્યા હોવાની જાણકારી મળી છે. તેમણે કહ્યુ છે કે અમે શંકાસ્પદોની તલાશ કરી રહ્યા છીએ. સુરક્ષાદળોને હાઈએલર્ટ પર […]

રશિયામાં દારૂના સેવનમાં 40 ટકાનો ઘટાડો

રશિયામાં દારૂ નિયંત્રણ નીતિ સફળ પુતિનનું ખેલપ્રેમી હોવું પણ એક કારણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટ પ્રમાણે, રશિયામાં 2004થી 2019 વચ્ચે દારૂના સેવનમાં 43 ટકાનો ઘટાડો થયો છે. રિપોર્ટ પ્રમાણે, લાંબા સમય સુધી રશિયા દુનિયામાં સૌથી વધુ દારૂ પીનારા લોકોના દેશોમાં સામેલ હતું. 1990માં થનારા આકસ્મિક મોતોમાં દારૂ પણ એક મોટું કારણ ગણાતું હતું. જો કે […]

જુઓ પુલ તૂટવાનો આ દર્દનાક વીડિયો ,વીડિયો જોઈને તમારુ દિલ હચમચી જશે

મંગળવારના રોજ દિલ હચમચાવી મુકનારો એક વીડિયો સામે આવ્યો છે,તાઈવાનમાં એક બંદર પર આવેલો પુલ અચાનક સડસડાટ પડી ભાંગ્યો હતો,આ ઘટનામાં માછીમારોની બૉટો તબાહ થઈ ચૂકી હતી તો સાથે સાથે 4 લોકોના મોત પણ થયા હતા,એક રિપોર્ટ પ્રમાણે આ ઘટનામાં 10 લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા.સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં  એકદમ સાફ રીતે […]

જાપાનના એક વૈજ્ઞાનિકે લેબમાં કૃત્રિમ ‘બ્લડ’ બનાવવાનો દાવો કર્યો-જે કોઈ પણ દર્દીને ચઢાવી શકાશે

જાપાનના એક સાઈન્ટિસે બનાવ્યું કૃત્રિમ બ્લડ જે કોઈ પણ બ્લડ ગ્રૃપ વાળા વ્યક્તિને આપી શકાશે એક વર્ષ સુઘી આ બ્લડને સામાન્ય તાપમાન પર રાખી શકાશે જેનું એક્સપ્રિમેન્ટ સસંલાઓ પર કરવામાં આવ્યું લોહીની કમી વાળા સસલાને આ લોહી ચઢાવતા સસલાઓ બચી ગયા જાપાનના ટોકોરોઝાવા સ્થિત નેશનલ ડિફેન્સ મેડિકલ કોલેજમાં એક સાઈન્ટિસે લેબોરેટરીમાં એક એવું કૃત્રિમ બ્લડ […]

5 હજારથી વધારે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરનાર કિડની હોસ્પિટલના સ્થાપક ડૉ. એચ. એલ. ત્રિવેદીનું નિધન

અમદાવાદ સિવિલ હૉસ્પિટલના કિડની વિભાગના સ્થાપક અને વિશ્વભરમાં 5000 જેટલી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરનાર ડૉ.એચ.એલ ત્રિવેદીનું 90 વર્ષની વયે નિધન થયું છે. બપોરે અઢી (2:35) વાગ્યે તેમનું અવસાન થયું હતું. આવતી કાલે તેમના પાર્થીવ દેહને દર્શનાર્થે ઈન્સ્ટિટ્યુટના પ્રમાઈસિસમાં સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી રાખવામાં આવશે. ડૉ.ત્રિવેદી છેલ્લા કેટલાક સમયથી બિમાર હતા અને તેમને અમદાવાદની કિડની […]

ભારત-પાકિસ્તાનના તણાવ વચ્ચે બંધ છે થાર એક્સપ્રેસ, હિંગળાજ શક્તિપીઠની યાત્રા અટકી

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવને કારણે થાર એક્સપ્રેસ બંધ નવરાત્રિમાં હિંગળાજ માતાના દર્શને જનારા ભક્તો નિરાશ ભારત અને પાકિસ્તાનમાં તણાવને કારણે બંધ થયેલી થાર એક્સપ્રેસને કારણે હિંગળાજના ભક્ત આ વખતે નવરાત્રિમાં પાકિસ્તાન જઈ શક્યા નથી. નવરાત્રિમાં રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, કેરળ સહીત અન્ય રાજ્યોના હિંગળાજ માતાના ઉપાસક પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં શક્તિપીઠના દર્શન કરવા માટે ગત 13 વર્ષોથી […]

અમેરિકાની ચેતવણી, કાશ્મીર વિવાદ બાદ ભારતમાં પાકિસ્તાની આતંકી હુમલાની શક્યતા

અમેરિકાનું જમ્મુ-કાશ્મીરને લઈને એલર્ટ પાકિસ્તાની આતંકીઓ દ્વારા હુમલાની શક્યતા જમ્મુ-કાશ્મીર મામલા પર વિવાદની શક્યતા જમ્મુ-કાશ્મીર મામલા પર ભારતની તરફથી દુનિયાને એકજૂટ કરાઈ ચુકી છે અને પાકિસ્તાનનો અવાજ ક્યાંક દબાય ગયો છે. પાકિસ્તાન સતત પોતાના બદઈરાદા દુનિયાની સામે રજૂ કરી ચુક્યું છે અને હવે અમેરિકાએ પણ ચેતવણી આપી છે કે પાકિસ્તાનમાં બેઠેલા આતંકી સંગઠન જમ્મુ-કાશ્મીરમાં હુમલો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code