
બોલિવૂડ અભિનેતા અર્જુન કપુરે કોરોનામાંથી સાજા થયેલા લોકોને આપી કંઈક ખાસ સલાહ,જાણો સ્વાસ્થ્યને લઈને અભિનેતા એ શુ કહ્યું
- અભિનેતા અર્જુન કપુરે આપી ફ્રેન્સને સલાહ
- કોરોના બાદ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરુરી
- પોતાને કોરોના થયોને એક વર્ષ પુરુ થવા પર આપવીતી જણાવી
- કઈ રીતે તે ફિટનેસ પર ધ્યાન આપે છે તે વાત ફેન્સ સાથે શેર કરી
મુંબઈઃ- વિતેલા વર્ષથી જ દેશભરમાં કોરોના મહામારીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે ત્યારે અનેક લોકોએ કોરોનાને માત આપી છે અને સામાન્ય જીવન જીવી રહ્યા છે,આ સમયમાં કોરોનાની પ્રથમ અને બીજી લહેર દરમિયાન, તમામ મોટા સ્ટાર્સ પણ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે જેમાં અભિનેતા અર્જુન કપુરનો પણ સમાવેશ થાય છે.
કોરોના બાદ સાજા થયેલા લોકો માટે આ દિવસોમાં ઘણા ડોકટરો સલાહ આપી રહ્યા છે કે જે લોકોને કોરોના થયો છે, તેઓએ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડી વધુ સાવચેતી રાખવાની જરૂર છે.ત્યારે અભિનેતા અર્જુન કપૂરને જોઈને એવું લાગતું નથી કે તે કોઈ ગંભીર બીમારીમાંથી પસાર થયો છે. તેને કોરોનાની ઝપેટમાં આવ્યાને એક વર્ષનો સમય થયો ત્યાર બાદ પણ તે સતત તેની ફિટનેસ પણ ધ્યાન આપી રહ્યો છે. ફિટનેસના અર્જુને ખૂબ જ મહેનત કરી રહ્યો છે. આ રહસ્ય વિશે પૂછતાં અર્જુન કહે છે, “મેં મારી જાતને કહ્યું હતું કે હું મારી જાતને ટ્રેક પર રાખવા માટે બમણી મહેનત કરીશ.”
ફિલ્મ જગતના થોડા જ સ્ટાર્સ હશે કે જે અર્જુન સાથે ફિટનેસ વર્કની બાબતે ટક્કર આપી શકે, અર્જુન કપૂર તેના પિતા બોની કપૂર સાથે ફિલ્મો બનાવવા માટે અનેક કલા શીખ્યા બાદ હીરો બન્યા છે. અર્જુન કપૂરની પહેલા અને પછીના ફોટો ઘણીવાર સોશિયલ મીડિયા પર જોવા મળે છે અને ફિટનેસ જાળવવાના તેના પ્રયાસોની સોશિયલ મીડિયા પર પ્રશંસા થઇ રહી છે. અર્જુને યાદ કર્યું કે કોરોનાવાયરસ માટે સકારાત્મક પરીક્ષણ કર્યાને એક વર્ષ થઈ ગયું છે અને હવે તેણે કહ્યું કે તેનાથી તેના પર કેવી કેવી અસર થઈ છે.
અર્જુન કહે છે, “આ કોઈ ખુશી વાળી એનિવર્સરી નથી. મને કોરોના થયોને એક વર્ષ વીતી ગયું છે. તેણે મહિનાઓ સુધી મારી ફિટનેસ પાછી પાડી દીધી હતી. લોકડાઉનમાં મારું રૂટિન હતું અને પછી મને કોવિડ થયો. મારા જેવા વ્યક્તિ માટે આ સંઘર્ષ સતત ચાલતો હતો. દરેક દિવસનું મહત્વ હતું. ફઇટનેસ માટે દરેક સત્ર મહત્વનું હતું. મને નિરાશા મળી, હું ભાવનાત્મક, માનસિક પરિવર્તનના માર્ગ પર હતો અને હું તે પરિવર્તન લાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ”
તેમણે કહ્યું, “મારી જાતને સમજાવવામાં મને થોડા દિવસો લાગ્યા કે બધી સાવચેતીઓ લીધા પછી પણ મારી સાથે આવું થયું. પણ મેં મારી જાતને પણ સમજાવ્યું કે હું બમણી મહેનત કરીશ જેથી હું ટ્રેક પર રહી શકું. મેં સારા ભોજનને અને મારા મન અને શરીરને આરામ આપવાને ખૂબ મહત્વ આપ્યું જ્યારે સ્વાસ્થ્ય લાભો મળ્યા જેણે મને ફરીથી સ્વસ્થ બનાવ્યો. ”
અર્જુન કપુરે કોરોના બાદ જે રીતે પોતાની કાળજી લીધી છે તેની નાની નાની બાબતોનો ઉલ્લેખ કર્યો છે, કે તે કઈ રીતે કોરોનામાંથી ઊભરી આવ્યો અને પોતાની જાતને સતત બિઝી રાખીને વર્કઆઉટ કર્યું,તેણે આવી સ્થિતિમાં પણ પોતાના ઉત્સાહ વધારી રાખ્યો જે ખરેખર અઘરી સ્થિતિ છે,તેણ ખૂબ મહેનત કર્યા બાદ ફરી તેની ફિટનેસ પહેલા જેવી થઈ, આજે તેને કોરોના થયાને એક વર્ષ પુરુ થવાના સમયે તેણે પોતાની આપવીતી બયા કરી છે,તેણે કોરોનામાંથી સાજા થયેલા લોકોને ખાસ ફિટનેસ પર ધ્યાન કેન્દ્રીત કરવાની સલાહ આપી છે.