1. Home
  2. ગુજરાતી
  3. કોવિડ-19 ઇફેક્ટ: વર્ષ 2020-21માં પેસેન્જર વાહનોની નિકાસ 39 % ઘટી
કોવિડ-19 ઇફેક્ટ: વર્ષ 2020-21માં પેસેન્જર વાહનોની નિકાસ 39 % ઘટી

કોવિડ-19 ઇફેક્ટ: વર્ષ 2020-21માં પેસેન્જર વાહનોની નિકાસ 39 % ઘટી

0
Social Share
  • કોરોના મહામારીને કારણે ઑટો ઉદ્યોગને પણ પડ્યો માર
  • વર્ષ 2020-21 દરમિયાન દેશમાંથી પેસેન્જર વાહનોની નિકાસ 39 ટકા ઘટી
  • અગાઉ વર્ષ 2019-20માં 6,62,118 વાહનોની નિકાસ કરવામાં આવી હતી

નવી દિલ્હી: કોરોના મહામારીની વિપરિત અસર દેશના મોટા ભાગના ઉદ્યોગો પર પડી છે અને દેશનો ઓટો ઉદ્યોગ પણ તેમાંથી બાકાત નથી. કોરોના મહામારીની પ્રતિકૂળ અસરને કારણે, વર્ષ 2020-21માં દેશમાંથી પેસેન્જર વાહનોની નિકાસમાં 39 ટકાનો ઘટાડો નોંધાયો છે.

સિયામ અનુસાર નિકાસમાં સૌથી મોટો ઘટાડો આ વર્ષના પ્રથમ 6 મહિનામાં થયો છે. સિયામના ડેટા અનુસાર વર્ષ 2020-21માં પેસેન્જર વાહનોની નિકાસ 38.92 ટકા ઘટીને 4,04,400 વાહનો થઇ ગઇ છે. વર્ષ 2019-20માં 6,62,118 વાહનોની નિકાસ કરવામાં આવી હતી.

વર્ષ 2020-21માં પેસેન્જર કારની નિકાસ 44.32% ઘટીને 2,64,927 યુનિટ રહી છે. 2019-20માં 4,75,801 વાહનોની નિકાસ કરવામાં આવી હતી. યુટિલિટી વાહનો વિશે વાત કરીએ તો તેમની નિકાસમાં 24.88% ઘટાડો થયો છે. 2020-21માં 4,75,801 વાહનોની નિકાસ કરવામાં આવી હતી.

નોંધનીય છે કે, વર્ષ 2020-21 દરમિયાન ભારતમાં પેસેન્જર વાહનોના વેચાણમાં પણ 2% ઘટાડો થયો છે. કોવિડ રોગચાળાથી ઉદ્યોગને ખૂબ જ નુકસાન થયું છે. મળતી માહિતી મુજબ વર્ષ 2020-21માં પેસેન્જર વ્હિકલ્સનું વેચાણ 2.24% ઘટીને 27,11,457 એકમ થયું, જે એક વર્ષ અગાઉ 27,73,519 યુનિટ હતું.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code