
આવતા મહિના સુધીમાં ‘રેમડિસિવીર’નું ઉત્પાદન 38.80 લાખ યૂનુટથી વધીને 74 લાખ યૂનિટ થશેઃ- ગૃહમંત્રાલય
- ‘રેમડિસિવીર’નું ઉત્પાદન મેમહિના સુધી 74 લાખ યૂનિટ થશે
- ગૃહમંત્રાલયએ આપી માહિતી
દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે કેન્દ્ર દ્રારા અનેક પગલાો લેવામાં આવી રહ્યા છે ત્યારે કોરોનામાં ખૂબજ ઉપયોગી એવા રેમડેસિવીરને લઈને,કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણઆવ્યું હતું કે,કોવિડ રોગમાં ઉપયોગમાં આવતી ખાસ દવા રેમડેસિવીરના ઉત્પાદન અને સપ્લાયમાં વધારો કરવા માટે ઘણા પગલા લેવામાં આવ્યા છે, અને તેનો પુરવઠો દર મહિને 38.80 લાખ યુનિટથી વધીને આવતા મહિના સુધીમાં 74 લાખ યુનિટ થશે. આ સાથે મંત્રાલયે રાજ્યોને તેની અવિરત પુરવઠો અને પરિવહન સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, દેશમાં હાલ આ દવાનો અભાવ વર્તાઈ રહ્યો છે.
કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ પણ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને લખેલા પત્રમાં જણાવ્યું છે કે. 21 એપ્રિલથી 30 એપ્રિલ સુધીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જીવન બચાવવાની દવાઓનો પુરવઠો સુનિશ્વિત કરવામાં આવશે.
આ સાથે જ તેમણે કહ્યું કે, દૈનિક ધોરણે કોવિડ દવાઓની સપ્લાય પર દેખરેખ રાખવા અને સંકલન કરવા માટે રાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ પ્રાઇસીંગ ઓથોરિટી અને ભારતના નિયંત્રક જનરલ દ્વારા ફાર્માસ્યુટિકલ્સ વિભાગ, કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ મંત્રાલય હેઠળ એક મોનિટરિંગ મિકેનિઝમની સ્થાપના કરવામાં આવી છે.
આ લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે,રેમડેસિવીર ઇંજેક્શન અને આયાત કરેલી દવા ટોક્લિઝુમૈબની માંગમાં નોંધપાત્ર વધારો થવાને કારણે તેના પુરવઠા પર દબાણ હતું. દેશમાં મે 2021 ની શરૂઆત સુધીમાં રેમડેસિવીર ઈન્જેક્શનના સાત લાઇસન્સ પ્રાપ્ત નિર્માતાઓની ઉત્પાદન ક્ષમતા દર મહિને 38.80 લાખ યુનિટથી વધારીને 74 લાખ યુનિટ કરવા માટે ઘણા પગલા લેવામાં આવ્યા છે.
ગૃહ સચિવે વધુમાં એમ પણ કહ્યું હતું કે આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય અને ફાર્માસ્યુટિકલ્સ વિભાગે 21 એપ્રિલથી 30 એપ્રિલ સુધીના વચગાળાની ફાળવણી અંગે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને માહિતગાર કર્યા છે. આ લાઇસન્સ દરેક પ્રાપ્ત ઘરેલુ ઉત્પાદકો દ્વારા રેમડેસિવિરના સપ્લાય માટે છે.
ઉલ્લેખનીય છે કે, વધતા કોરોનાના કેસો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી અનેક રાજ્યોમાં દર્દીઓને રેમડેસિવીર ઈન્જેક્શનની હાલાકી ભોગવવોનો વારો આવ્યો છે ત્યારે હવે સરકાર આ સમગ્ર બાબતને લઈને અનેક પગલા ભરી રહી છે જેથી જરુરી તમામા મેડિકલ સેવાઓ જનતાને ઉપલબ્ધ થઈ શકે.
સાહિન-