1. Home
  2. ગુજરાતી
  3. સંરક્ષણ

સંરક્ષણ

ભારત-મલેશિયાની સંયુક્ત સૈન્ય કવાયત હરિમાઉ શક્તિ મલેશિયાના બેન્ટોંગ કેમ્પમાં શરૂ થઈ

નવી દિલ્હીઃ ભારત-મલેશિયા સંયુક્ત લશ્કરી કવાયત હરિમાઉ શક્તિની ચોથી આવૃત્તિ મલેશિયાના પહાંગ જિલ્લાના બેન્ટોંગ કેમ્પમાં શરૂ થઈ. આ કવાયત 2 થી 15મી ડિસેમ્બર 2024 સુધી આયોજિત કરવામાં આવશે. મહાર રેજિમેન્ટની બટાલિયન દ્વારા 78 કર્મચારીઓની બનેલી ભારતીય ટુકડીનું પ્રતિનિધિત્વ કરવામાં આવે છે. મલેશિયન ટુકડીનું પ્રતિનિધિત્વ ધ રોયલ મલેશિયન રેજિમેન્ટના 123 કર્મચારીઓ કરી રહ્યા છે. સંયુક્ત વ્યાયામ હરિમાઉ […]

નેવી માટે 26 રાફેલ-એમ જેટ ખરીદવા પર ટૂંક સમયમાં સમજૂતી થશેઃ નેવી ચીફ

નવી દિલ્હીઃ ભારત ટૂંક સમયમાં નૌકાદળ માટે 26 વિશેષ રીતે તૈયાર કરાયેલા રાફેલ જેટ અને ત્રણ વધારાની સ્કોર્પિન સબમરીનની પ્રસ્તાવિત ખરીદી માટેના કરારને અંતિમ સ્વરૂપ આપવા જઈ રહ્યું છે. તેમ નેવી ચીફ એડમિરલ દિનેશ કે. ત્રિપાઠીએ જણાવ્યું હતું. નૌકાદળ દિવસ પહેલા મીડિયા સાથે વાત કરતા એડમિરલ ત્રિપાઠીએ એમ પણ કહ્યું હતું કે બે SSN (પરમાણુ […]

ભારતીય નૌકાદળ માટે ઇલેક્ટ્રીક પ્રોપલ્શન સિસ્ટમની ડિઝાઇન અને વિકાસ પર સહકાર માટે બ્રિટનની સાથે ઉદ્દેશ્ય પત્ર પર હસ્તાક્ષર

નવી દિલ્હીઃ ભારતીય નૌકાદળ માટે ઇલેક્ટ્રીક પ્રોપલ્શન સિસ્ટમ્સની ડિઝાઇન અને વિકાસ પર સહકાર પર એક ઉદ્દેશ્ય પત્ર (Statement of Intent – SoI) પર પોર્ટ્સમાઉથમાં ભારત અને બ્રિટનના સંરક્ષણ મંત્રાલયો વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ હસ્તાક્ષર ઇલેક્ટ્રીક પ્રોપલ્શન ક્ષમતા ભાગીદારીની ત્રીજી સંયુક્ત કાર્યકારી જૂથની બેઠકનો ભાગ હતો, જે સ્વદેશી વિકાસને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. […]

વિશ્વમાં ટૂંક સમયમાં મશીનો અને માણસો વચ્ચે લડાઈ થશેઃ CDS અનિલ ચૌહાણ

નવી દિલ્હીઃ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે યુદ્ધના બદલાતા પડકારોને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી હંમેશા માણસો વચ્ચે લડાઈ થતી રહી છે. પરંતુ હવે દુનિયા એવા યુગમાં પ્રવેશવા જઈ રહી છે જેમાં લડાઈ મશીનો અને માણસો વચ્ચે થશે. આ પછી મશીનો વચ્ચે લડાઈ થશે. દિલ્હીમાં મનોહર પર્રિકર ઇન્સ્ટિટ્યૂટ […]

આગ્રામાં મિગ 29 ક્રેશ થયું, પાયલોટ સહિત બે વ્યક્તિનો બચાવ

લખનૌઃ ભારતીય સેનાનું મિગ 29 ફરી એકવાર દુર્ઘટનાનો ભોગ બન્યો છે. આગ્રામાં રૂટીન એક્સરસાઈઝ કરતા મિગ 29માં ક્રેશ થયું હતું. સદનસીબે આ દૂર્ઘટનામાં મિગ 29ના પાયલોટ અને અન્ય એક વ્યક્તિનો ચત્મકારિક બચાવ થયો છે. મિગ 29 ક્રેશ થઈને આગ્રાના એક ખેતરમાં પડ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને તપાસના આદેશ કરવામાં આવ્યાં છે. ઉત્તરપ્રદેશના આગ્રામાં ભારતીય વાયુ […]

શ્રીનગરમાં આતંકવાદીઓએ સેનાના વાહનને નિશાન બનાવી કર્યો ગ્રેનેડ હુમલો

આતંકવાદીઓએ શ્રીનગરમાં સીઆરપીએફના એક વાહન પર ગ્રેનેડ ફેંક્યો હતો, પરંતુ તે લક્ષ્ય ચૂકી ગયો હતો અને ગ્રેનેડ રોડ પર વિસ્ફોટ થયો હતો. આ હુમલામાં 12થી વધુ રાહદારીઓ અને દુકાનદારો ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે અજાણ્યા આતંકવાદીઓએ શ્રીનગર શહેરમાં ટૂરિસ્ટ રિસેપ્શન સેન્ટર (TRC) ક્રોસિંગ પાસે CRPF મોબાઇલ બંકર વાહન પર ગ્રેનેડ ફેંક્યો. એક અધિકારીએ જણાવ્યું હતું […]

ભારતીય સેનાના વિશેષ દળની ટુકડી સંયુક્ત કવાયત ‘ગરુડ શક્તિ’ માટે ઈન્ડોનેશિયા રવાના થઈ

ભારત-ઇન્ડોનેશિયા સંયુક્ત સ્પેશિયલ ફોર્સ એક્સરસાઇઝ ગરુડ શક્તિ 24ની 9મી આવૃત્તિમાં ભાગ લેવા માટે 25 જવાનોનો સમાવેશ કરતી ભારતીય સેનાની ટુકડી સીજંતુંગ, જકાર્તા, ઇન્ડોનેશિયા માટે રવાના થઈ છે. આ કવાયત 1 થી 12 નવેમ્બર 2024 દરમિયાન હાથ ધરવામાં આવશે. ભારતીય ટુકડીનું પ્રતિનિધિત્વ ધ પેરાશૂટ રેજિમેન્ટ (સ્પેશિયલ ફોર્સીસ)ના સૈનિકો દ્વારા કરવામાં આવી રહ્યું છે અને 40 જવાનોવાળા ઇન્ડોનેશિયન ટુકડીનું […]

IAS અધિકારી રાજેશ કુમાર સિંહે સંરક્ષણ સચિવનું પદ સંભાળ્યું

નવી દિલ્હીઃ રાજેશ કુમાર સિંહે આજે નવી દિલ્હીમાં સાઉથ બ્લોક ખાતે સંરક્ષણ સચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. તેઓ કેરળ કેડરના 1989-બેચના IAS અધિકારી છે, જેમણે 20 ઓગસ્ટ, 2024ના રોજ ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી (સંરક્ષણ સચિવ-નિયુક્ત)નો ચાર્જ સંભાળ્યો હતો. ચાર્જ સંભાળતા પહેલા રાજેશ કુમાર સિંહે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક, નવી દિલ્હી ખાતે શહીદ થયેલા નાયકોને પુષ્પાંજલિ અર્પણ […]

એલએસી પર કેટલાક વિસ્તારોમાં ડિસએન્ગેજમેન્ટ પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ગઈઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે અરુણાચલ પ્રદેશના તવાંગ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની ‘દેશ કા વલ્લભ’ અને મેજર રાલેંગનાઓ ‘બોબ’ ખથિંગ ‘વીરતા સંગ્રહાલય’ને રાષ્ટ્રને સમર્પિત કર્યાં. રક્ષામંત્રીએ આસામના તેજપુરમાં 4 કોર્પ્સ હેડક્વાર્ટરથી ઉદ્ઘાટન કર્યું હતું. તે તવાંગની મુલાકાત લેવાના હતા, પરંતુ ખરાબ હવામાનને કારણે તેઓ જઈ શક્યા નહીં. આ અનાવરણ પ્રકાશના ઉત્સવ ‘દીપાવલી’ તેમજ […]

પોલીસ સ્મારક દિવસઃ અમિત શાહે સર્વોચ્ચ બલિદાન આપનાર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી

આજે મને અહીં અમર સૈનિકોને પુષ્પાંજલિ અર્પણ કરવાની તક મળીઃ અમિત શાહ સૈનિકો આપણી સરહદોને સુરક્ષિત રાખે છેઃ અમિત શાહ નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે પોલીસ સ્મારક દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પોલીસ સ્મારક ખાતે શહીદ પોલીસકર્મીઓને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, “મારા માટે સૌભાગ્યની વાત છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code