1. Home
  2. ગુજરાતી
  3. વેપાર

વેપાર

ભારતીય શેર બજારમાં બુધવારે ભારે કડાકો

મુંબઈઃ છેલ્લાં ઘણાં દિવસના ઉતાર ચઢાવ બાદ આજે શેર બજાર હળવી તેજી સાથે ઓપન થયું હતુ. સેન્સેક્સ 26.42ની તેજી સાથે 73 હજાર 121.64 પર ઓપન થયો, જ્યારે નિફ્ટી 8 અંકના ઉછાળા સાથે 22 હજાર 206.30 પર ખુલ્યુ હતુ..ડોલરની સરખામણીએ રુપિયો હજુ પણ સિમિત છે. ઓટો, એફએમસીજી, આઈટી, ફાઈનાન્સિયલ સર્વિસ, ઓઈલ એન્ડ ગેસ, રિયલ્ટીની સાથે પ્રાઈવેટ બેંકના […]

મુદ્રા ખાતે અરેકા નટ્સ (સોપારી)ની દાણચોરીનો પર્દાફાશ, ઈન્ડોનેશિયાથી આવ્યો હતો જથ્થો

અમદાવાદઃ સ્પેશિયલ ઈન્ટેલિજન્સ એન્ડ ઈન્વેસ્ટિગેશન બ્રાન્ચ (SIIB), મુન્દ્રા કસ્ટમ્સના અધિકારીઓ દ્વારા મુંબઈના એક અનૈતિક આયાતકારની ચોક્કસ બાતમી એકત્ર કરવામાં આવી હતી, જે માલના વર્ણનમાં ખોટી જાહેરાતનો આશરો લઈને એરેકા નટ્સની ગેરકાયદેસર દાણચોરીમાં સંડોવાયેલ હતો. ઇન્ટેલિજન્સે વધુમાં સંકેત આપ્યો હતો કે માલ ઇન્ડોનેશિયાથી કન્ટેનરમાં મુન્દ્રા પોર્ટ પર આવ્યો હતો. ચોક્સ બાતમીના આધારે, SIIB, કસ્ટમ મુન્દ્રાના અધિકારીઓ […]

ખાદીએ ભારતની મહિલાઓને સશક્ત બનાવી છે: PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે દેશમાં આયોજિત થનારા સૌથી મોટા વૈશ્વિક ટેક્સટાઇલ કાર્યક્રમોમાંના એક એવા ભારત ટેક્સ 2024નું ઉદઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે પ્રદર્શિત થયેલા પ્રદર્શનની પણ ઝાંખી કરાવી હતી. અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ ભારત ટેક્સ 2024માં દરેકને આવકાર આપ્યો હતો અને કહ્યું હતું કે, આજનો પ્રસંગ વિશેષ છે, […]

રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી રવિ પાકની ખરીદી કરશે

ખેડુતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવી માર્કેટિંગ સીઝન (RMS) ૨૦૨૪-૨૫ માં રાજય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં, ઉનાળુ બાજરી, મકાઈ અને જુવારની ખરીદી ગુજરાત રાજય નાગરીક પુરવઠા નિગમ લી. ગાંધીનગર મારફતે કરવામા આવશે. ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ભાવ પ્રમાણે રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી રવિ પાકની ખરીદી કરશે. ઘઉં […]

ભારતીય શેર બજારમાં વેચવાલીને પગલે નબળી શરૂઆત

મુંબઈઃ સોમવારે ભારતીય શેર બજારમાં કામકાજની શરૂઆત નબળી થઈ હતી. બીએસઈ સેંસેક્સ સવારે ટ્રેડમાં 200 પોઈન્ટના ઘટાડા સાથે 72900 પોઈન્ટના લેવલે ટ્રેડ કરતું હતું. જ્યારે નિફ્ટીમાં 57 પોઈન્ટના ઘટાડા સાથે 22155 પોઈન્ટના લેવલે જોવા મળ્યો હતો. શેર બજારની શરૂઆતમાં નિફ્ટી મિડ કેપ, બીએસઈ, સ્મોલ કેપ અને નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સમાં તેજી તથા નિફ્ટી આઈટી, નિફ્ટી બેંક, […]

નેશનલ હાઈવે પર સર્વિસ રોડના ડિવાઈડરને નુકસાન કરનાર સામે કરાશે કાર્યવાહી

નવી દિલ્હીઃ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ સર્વિસ રોડ પર ડિવાઈડર તોડનારાઓ સામે કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. HHAIએ તેમને સાત દિવસની અંદર પોતાના ખર્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરથી અનધિકૃત વ્યવસાયોને દૂર કરવા વિનંતી કરી છે. આ હાઈવેમાં પુણે-સોલાપુર નેશનલ હાઈવે નંબર 65, પુણે-નાસિક નેશનલ હાઈવે નંબર 60 અને પૂણે-સતારા નેશનલ હાઈવે નંબર 48નો સમાવેશ […]

‘જેલ ભજીયા હાઉસ’ને અપાશે નવો હેરિટેજ લુક, જેલની અંદરના માહોલની થીમ પર તૈયાર કરાશે

અમદાવાદઃ શહેરના આર.ટી.ઓ ખાતે કેદીઓ દ્વારા ચલાવવામાં આવતા ‘જેલ ભજીયા હાઉસ’ને નવો હેરિટેજ લુક આપવામાં આવશે. આર.ટી.ઓ સર્કલ ખાતે નવીનીકરણ થનાર અદ્યતન ત્રણ માળનું ‘જેલ ભજીયા હાઉસ’ હેરિટેજ લુક સાથે નવા રંગરૂપમાં તૈયાર કરવામાં આવશે, જે આશરે રૂ. 2.40 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામશે. આ નવા ભજીયા હાઉસના ગ્રાઉન્ડ ફ્લોર પર સેલરૂમ અને કેદીઓ દ્વારા બનાવેલ […]

દુબઈએ ભારતીય પ્રવાસીઓ માટે પાંચ વર્ષનો બહુવિધ પ્રવેશ વિઝા રજૂ કર્યો

નવી દિલ્હીઃ આર્થિક સહયોગને પ્રોત્સાહન આપવા અને પ્રવાસન અને વ્યાપારી સંબંધોને પ્રોત્સાહિત કરવાના પ્રયાસરૂપે, દુબઈએ ભારતીય પ્રવાસીઓ માટે પાંચ વર્ષનો બહુવિધ પ્રવેશ વિઝા રજૂ કર્યો છે. દુબઈ ડિપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમી એન્ડ ટુરીઝમ (ડીઈટી) અનુસાર, બે થી પાંચ કામકાજના દિવસોમાં જારી કરવામાં આવેલ વિઝા, 90-દિવસના રોકાણની મંજૂરી આપે છે, જે એક જ સમયગાળા માટે એકવાર વધારી શકાય […]

ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા માટે હવે અલગથી વીજ જોડાણ મેળવી શકાશે

નવી દિલ્હીઃ ગ્રાહકો હવે તેમના ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા માટે અલગથી વીજ જોડાણ મેળવી શકશે. સુધારેલા ઈલેક્ટ્રીસીટી (રાઈટ્સ ઓફ કન્ઝ્યુમર) નિયમો અનુસાર, નવું વીજ કનેક્શન મેળવવાનો સમયગાળો પણ ઘટાડી દેવામાં આવ્યો છે. નવા નિયમો હેઠળ, સમય મર્યાદા મેટ્રોપોલિટન વિસ્તારોમાં સાત દિવસથી ઘટાડીને ત્રણ દિવસ, અન્ય મ્યુનિસિપલ વિસ્તારોમાં પંદર દિવસથી સાત દિવસ અને ગ્રામીણ વિસ્તારોમાં ત્રીસ દિવસથી ઘટાડીને […]

સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળોઃ ગુજરાતનાં 6 કારીગરોનું એવોર્ડથી સન્માન કરાયું

નવી દિલ્હીઃ હરિયાણાના સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળામાં ગુજરાત રાજયના 6 કારીગરોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. હરિયાણાના ફરીદાબાદમાં તા. 2 થી 18 ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલ સૂરજકુંડ મેળામાં આ વખતે ગુજરાત રાજયની થીમ હતી. કલાનિધિ એવોર્ડ પંકજભાઈ મકવાણાને પટોળા વણાટ અને સુરેશકુમાર ધઈડાને ટાંગલીયા વણાટ ,જખુભાઈ મારવાડાને કચ્છી વુલન શાલ,હીરાભાઈ મારવાડાને ખરાડ વણાટ અને રોશનભાઈ સુવાશીયાને કલમકારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code