1. Home
  2. ગુજરાતી
  3. સંરક્ષણ

સંરક્ષણ

લેફ્ટનન્ટ જનરલ વીરેન્દ્ર વત્સે રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સના મહાનિર્દેશક તરીકેનો કાર્યભાર સંભાળ્યો

નવી દિલ્હીઃ લેફ્ટનન્ટ જનરલ વીરેન્દ્ર વત્સે 1 ઓક્ટોબર, 2025ના રોજ રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સ (NCC)ના મહાનિર્દેશક તરીકેનો કાર્યભાર સંભાળ્યો, તેઓ લેફ્ટનન્ટ જનરલ ગુરબીરપાલ સિંહના સ્થાને આવ્યા છે. તેઓ એક મહત્વપૂર્ણ તબક્કે કાર્યભાર સંભાળી રહ્યા છે જ્યારે NCC, વિશ્વનું સૌથી મોટું ગણવેશધારી યુવા સંગઠન, 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેની કેડેટ સંખ્યા 2 મિલિયન સુધી વધારી રહ્યું […]

ભારતીય સેનાને મળશે 12 એમપીસીડીએસ ડ્રોન સિસ્ટમ

નવી દિલ્હીઃ બદલાતી યુદ્ધ તકનીકો અને આધુનિક હવાઈ ખતરાને ધ્યાનમાં રાખીને ભારતીય સેના હવે ડ્રોન ટેક્નોલોજી પર ખાસ ભાર મૂકી રહી છે. આ અંતર્ગત સેનાને ટૂંક સમયમાં મેન પોર્ટેબલ કાઉન્ટર ડ્રોન સિસ્ટમ (એમપીસીડીએસ) મળવા જઈ રહી છે. આ સિસ્ટમ દુશ્મનના ડ્રોનની ઓળખ કરી તેમના સિગ્નલને બ્લોક કરવામાં સક્ષમ છે, જેના કારણે જમીન પર તૈનાત સૈનિકો […]

સાયબર હુમલા અને માહિતી યુદ્ધ આજે આપણી સામે નવા ખતરા: રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ તાજેતરમાં, આપણા સશસ્ત્ર દળોએ ઓપરેશન સિંદૂર હાથ ધર્યું. આ ઓપરેશન એ વાતનો પુરાવો છે કે જ્યારે આપણી સેનાઓ સાથે મળીને કામ કરે છે ત્યારે કેટલી તાકાત વધે છે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સોમવારે દિલ્હીમાં જણાવ્યું હતું. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સોમવારે વાયુસેના દ્વારા આયોજિત ત્રિ-સેવા પરિસંવાદને સંબોધિત કરી રહ્યા હતા. અહીં, તેમણે સંયુક્તતા, સિનર્જી […]

સરહદ સુરક્ષા માટે BSFએ નવી ‘ડિસીજન સપોર્ટ સિસ્ટમ’ શરૂ કરી

નવી દિલ્હીઃ પાકિસ્તાન અને બાંગ્લાદેશની સરહદે સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)એ કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) અને જિયોગ્રાફિક ઈન્ફોર્મેશન સિસ્ટમ (GIS)થી સજ્જ નવી કંટ્રોલ સિસ્ટમ ‘ડિસીજન સપોર્ટ સિસ્ટમ (DSS)’ની શરૂઆત કરી છે. આ નવી વ્યવસ્થા દ્વારા બીએસએફના કમાન્ડરોએ સરહદ સુરક્ષાથી સંબંધિત મોટા પ્રમાણમાં ડેટાને એકસાથે મેળવી વધુ ઝડપી, ચોક્કસ અને સમજદારીપૂર્ણ નિર્ણયો લઈ […]

21મી સદીમાં સશસ્ત્ર દળો વચ્ચે કાર્યક્ષમતા અને સંકલન અનિવાર્ય આવશ્યકતા બનીઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે જણાવ્યું હતું કે 21મી સદીમાં સશસ્ત્ર દળો વચ્ચે કાર્યક્ષમતા અને સંકલન અનિવાર્ય આવશ્યકતા બની ગઈ છે. આજે નવી દિલ્હીમાં ટ્રાઇ-સર્વિસિસ સેમિનારમાં બોલતા, રાજનાથ સિંહે ભાર મૂક્યો કે જોખમો વધુ જટિલ બન્યા છે. આ પ્રસંગે તેમણે ભારતની ત્રણેય સેનાઓના સંયુક્ત કાર્યની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર […]

પરમાણુ અને જૈવિક ખતરાઓ સામે તૈયાર રહેવું પડશેઃ  CDS જનરલ અનિલ ચૌહાણ

નવી દિલ્હીઃ CDS (ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ) જનરલ અનિલ ચૌહાણે કહ્યું છે કે ભવિષ્યમાં પરમાણુ તેમજ જૈવિક ખતરાઓનો સામનો કરવા માટે ભારતને સજ્જ થવું પડશે. તેઓ માનેક્શૉ સેન્ટરમાં મિલિટરી નર્સિંગ સર્વિસ (MNS)ના 100મા સ્થાપના દિવસ નિમિત્તે ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગ્રે જનરલ ચૌહાણે જણાવ્યું હતું કે આજના ડેટા-કેન્દ્રિત યુદ્ધમાં તબીબી ડેટાની સુરક્ષા અત્યંત મહત્વપૂર્ણ છે. […]

રાજનાથ સિંહે દરિયાઈ સુરક્ષા માળખામાં AI, ડ્રોન અને સ્વચાલિત પ્રતિભાવ માળખાને એકીકૃત કરવા પર ભાર મૂક્યો

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે દેશના દરિયાઈ સુરક્ષા માળખામાં કૃત્રિમ બુદ્ધિમતા-AI, ડ્રોન અને સ્વચાલિત પ્રતિભાવ માળખાને એકીકૃત કરવા પર ભાર મૂક્યો છે. નવી દિલ્હીમાં 42મા ભારતીય તટરક્ષક કમાન્ડર્સ સંમેલનના ઉદ્ઘાટન સત્રને સંબોધતા રાજનાથ સિંહે કહ્યું કે ICG એ સાયબર અને ઇલેક્ટ્રોનિક યુદ્ધ જેવા જોખમો સામે રક્ષણ આપવા માટે તેની તાલીમ અને સાધનોને સતત અનુકૂલન […]

સુરક્ષા પડકારો સામે વાસ્તવિક સમયની તૈયારી જરૂરી : રાજનાથ સિંહ

નવી દિલ્હી : સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આંતરિક તેમજ બાહ્ય સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે દળોને વાસ્તવિક સમયની તૈયારી રાખવાની આવશ્યકતા પર ભાર મૂક્યો છે. ભારતીય કોસ્ટ ગાર્ડ કમાન્ડર્સ કોન્ફરન્સમાં આજે નવી દિલ્હીમાં સંબોધન કરતા તેમણે જણાવ્યું કે સુરક્ષા દળોએ બહુપરીમાણીય જોખમો માટે હંમેશા સજ્જ રહેવું જોઈએ. રાજનાથ સિંહે વધુમાં જણાવ્યું કે આજના સમયમાં પડકારો વધુ […]

છ દાયકાની સેવા બાદ મિગ-21ને વિદાય, ચંદીગઢમાં ભારતીય વાયુસેનાનો ઐતિહાસિક ક્ષણ

ચંદીગઢ : ભારતીય વાયુસેનાએ આજે દેશની રક્ષા ઇતિહાસનો એક અગત્યનો અધ્યાય પૂર્ણ કર્યો છે. લગભગ છ દાયકા સુધી આકાશમાં ગર્જના કરનાર મિગ-21 ફાઇટર જેટને ચંદીગઢમાં સત્તાવાર રીતે સેવાનિવૃત્ત કરવામાં આવ્યું છે. સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને વાયુસેનાના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં આ ઐતિહાસિક વિમાનને વિદાય અપાઈ હતી. એર ચીફ માર્શલ એપી સિંહે ‘બાદલ-3’ સ્ક્વોડ્રન સાથે મિગ-21ની છેલ્લી […]

ભારતીય વાયુસેનાને મળશે 97 નવા તેજસ યુદ્ધ વિમાન

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રાલયે ભારતીય વાયુસેનાને મજબૂત બનાવવા માટે મોટું પગલું ભર્યું છે. હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) સાથે 97 તેજસ એમકે-૧એ યુદ્ધ વિમાનની ખરીદી માટે 62370 કરોડ રૂપિયાનો ભવ્ય કરાર કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી સુરક્ષા બાબતોની કેબિનેટ કમિટી (CCS)એ ગયા મહિને આ ખરીદી માટે મંજૂરી આપી હતી. આ HAL સાથેનો બીજો મોટો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code