1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષમાં બેવાર પ્રવેશ પક્રિયાનો પ્રારંભ, હવે સીધા સેમેસ્ટર-2માં પ્રવેશ

અમદાવાદઃ નવી શિક્ષણ નીતિ મુજબ ગુજરાત યુનિવર્સીટીમાં હવે વર્ષમાં બેવાર પ્રવેશ પક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં ગત સત્રમાં વિદ્યાર્થીઓને વિવિધ ફેકલ્ટીઓમાં સેમેસ્ટર-1માં પ્રવેશ અપાયો હતો. હવે બીજા સત્રમાં વિધાર્થીઓને વિવિધ કોર્સમાં સીધું સેમેસ્ટર-2માં એડમિશન આપવામાં આવશે. વિદ્યાર્થીઓએ સેમેસ્ટર-2નો અભ્યાસ કરવાનો રહેશે. જે વિદ્યાર્થીઓ એડમિશન લેશે તેમને ઓડ-ઇવન સિસ્ટમથી પ્રવેશ આપવામાં આવશે. આ સિસ્ટમથી વિદ્યાર્થીઓના અભ્યાસ […]

પરીક્ષા પે ચર્ચા 2025નું સમાપન, તેજસ્વી વિદ્યાર્થીઓએ સફળતાની ટિપ્સ શેર કરાઈ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લોકપ્રિય કાર્યક્રમ ‘પરીક્ષા પે ચર્ચા 2025’નો છેલ્લો એપિસોડ પ્રસારિત થયો. આ ખાસ કાર્યક્રમમાં, CBSE, ICSE, UPSC, CLAT અને IIT-JEE જેવી મુખ્ય પરીક્ષાઓના ટોપર્સે વિદ્યાર્થીઓ સાથે તેમની સફળતાની વાર્તાઓ શેર કરી અને પરીક્ષાની તૈયારી સંબંધિત મહત્વપૂર્ણ ટિપ્સ આપી. આ વર્ષના એપિસોડમાં IIT-JEE, UPSC, CLAT અને NDA ના ટોપર્સ સહિત ઘણા તેજસ્વી […]

ગુજરાતમાં ધોરણ 3થી 8ની પરીક્ષાનો 7મી એપ્રિલથી પ્રારંભ થશે

સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં દ્વિતીય સત્રાંત પરીક્ષા 7 એપ્રિલથી શરૂ થશે ધોરણ 3થી 8ની પરીક્ષા 25મી એપ્રિલ સુધીમાં પૂર્ણ થશે ધોરણ 3 અને ધોરણ 4ના વિદ્યાર્થીઓએ કસોટીપત્રમાં ઉત્તરો લખવાના રહેશે ગાંધીનગરઃ  ગુજરાતમાં હાલ સીબીએસઈ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ ચાલી રહી છે, જ્યારે ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો તા. 27 ફેબ્રુઆરીથી […]

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે વર્ષમાં બે વાર ધો-10 અને 12 માટે CBSE બોર્ડની પરીક્ષાઓ યોજવાની યોજના બનાવી

નવી દિલ્હીઃ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે વર્ષમાં બે વાર ધોરણ 10 અને 12 માટે CBSE બોર્ડની પરીક્ષાઓ યોજવાની યોજના બનાવી છે. આ અંગે તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને CBSE ના અધ્યક્ષે પણ ભાગ લીધો હતો. આ બેઠકમાં વર્ષમાં બે વાર બોર્ડ પરીક્ષા લેવાના ફાયદા […]

ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12ના પરીક્ષાર્થીઓને કાલથી હોલ ટિકિટ અપાશે

વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ અથવા સ્કૂલમાંથી હોલ ટિકિટ મેળવી શકશે વિદ્યાર્થીઓએ હોલ ટિકિટમાં નામ સહિતની વિગતો ચકાસવાની રહેશે હોલ ટિકિટમાં સ્કૂલના આચાર્યના સહી, સિક્કા કરાવવા ફરજિયાત ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો આગામી 27 ફેબ્રુઆરીથી પ્રારંભ થશે, ત્યારે  બોર્ડ દ્વારા પરીક્ષાર્થીઓ હોલ ટિકિટ આજથી મેળવી શકશે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ […]

CBSE ધો.10 -12ની પરીક્ષાનો આજથી પ્રારંભ

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની ધો.-10 અને 12ની પરીક્ષાઓ આજથી શરૂ થશે. ગુજરાતમાંથી પણ ધો.-10 અને 12ના મળી 75 હજાર સાથે સમગ્ર દેશમાંથી આ પરીક્ષા માટે 42 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. ગત વર્ષ કરતા આ વખતે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. CBSE દ્વારા પરીક્ષા માટે 7842 પરીક્ષા કેન્દ્રો નક્કી કરાયા છે. બોર્ડની પરીક્ષા ભારત […]

જો તમે યોગ્ય ખોરાક ખાશો, તો તમે તમારી પરીક્ષાઓ વધુ સારી રીતે આપી શકશો!: પ્રધાનમંત્રી

નવી દિલ્હીઃ યોગ્ય ખાવાથી અને સારી ઊંઘ લેવાથી પરીક્ષાઓ વધુ સારી રીતે લખવામાં મદદ મળશે તેના પર ભાર મૂકતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરેકને આવતીકાલે પરીક્ષા પે ચર્ચાનો ચોથો એપિસોડ જોવા વિનંતી કરી. શિક્ષણ મંત્રાલય દ્વારા X પરની પોસ્ટનો જવાબ આપતા, મોદીએ કહ્યું કે, “જો તમે યોગ્ય ખાશો, તો તમે તમારી પરીક્ષાઓ વધુ સારી રીતે આપી […]

સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્કની ખાલી જગ્યાઓ પર શાળા સહાયકોની ભરતી કરાશે

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને નિર્ણય લાગુ પડશે 250થી વધુ વિદ્યાર્થી ધરાવતી શાળાઓમાં શાળા સહાયક મુકાશે શિક્ષણ વિભાગ એજન્સી મારફત કોન્ટ્રાકટ પદ્ધતિથી ભરતી કરશે ગાંધીનગરઃ ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કારકૂનોની જગ્યાઓ ખાલી હોવાથી શાળા સંચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. અને કારકૂનોની ત્વરિત ભરતી કરવાની ઘણા સમયથી માગ કરવામાં આવી રહી […]

કડી તાલુકાના ઝુલાસણ ખાતે નવનિર્મિત અનુપમ પ્રાથમિક શાળાનું ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું

ગાંધીનગરઃ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઝુલાસણ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત નવનિર્મિત પટેલ કુસુમ ભરતભાઈ ભક્તિદાસ ડૉ. પરિવાર અનુપમ પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે ગામના વિકાસ માટે કોઈપણ જરૂરિયાત હોય તો તેનું સુચારું આયોજન કરીને તમામ કામગીરી પૂર્ણ કરવા માં રાજ્ય […]

તણાવ ઓછો કરવા વિદ્યાર્થીઓએ માતા-પિતા અને શિક્ષકો સાથે કરવી જોઈએ વાત: દીપિકા પાદુકોણ

નવી દિલ્હીઃ અભિનેત્રી દીપિકા પાદુકોણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ ‘પરીક્ષા પે ચર્ચા’ ના આઠમા સંસ્કરણમાં ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓ સાથે પરીક્ષાના તણાવને ઘટાડવાના માર્ગો પર ચર્ચા કરી હતી. પોતાના બાળપણના અનુભવો શેર કરતાં તેણીએ કહ્યું કે તેણીને રમતગમત અને અન્ય પ્રવૃત્તિઓમાં ખૂબ રસ હતો. તેમણે શિક્ષણની સાથે અભ્યાસેતર પ્રવૃત્તિઓના મહત્વ પર પણ ભાર મૂક્યો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code