1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

પ્રાચીન પરંપરા સાથે નૈતિક, મૂલ્યનિષ્ઠ અને કર્મઠ શિક્ષણ દ્વારા સમાજનું નવનિર્માણ શક્ય : રાજ્યપાલ

સરદાર પટેલ યુનિવર્સિટીનો 67મો પદવીદાન સમારોહ યોજાયો, વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલી માહિતીને જ્ઞાનમાં પરિવર્તિત કરવી પડશે : ઋષિકેશ પટેલ, વિદ્યાર્થીઓનું જ્ઞાન રાષ્ટ્રની એકતાની સાથે સંશોધન ક્ષેત્રે ઉપયોગી બનેઃ પાનશેરિયા  વલ્લભ વિદ્યાનગરઃ રાજયપાલ  આચાર્ય દેવવ્રતજીએ પ્રાચીન પરંપરા સાથે નૈતિક, મૂલ્યનિષ્ઠ અને કર્મઠ શિક્ષણ દ્વારા જ સમાજ નવનિર્માણ શક્ય હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘‘વિરાસત ભી […]

પરીક્ષા પે ચર્ચા 2025: નરેન્દ્ર મોદી 10 ફેબ્રુઆરીએ દેશભરના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે

બહુપ્રતીક્ષિત પરીક્ષા પે ચર્ચા 2025 (PPC 2025) 10 ફેબ્રુઆરી, 2025ના રોજ સવારે 11 વાગ્યે યોજાવાની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે વાર્તાલાપ કરશે અને પરીક્ષાની તૈયારી, તણાવ વ્યવસ્થાપન અને વ્યક્તિગત વિકાસ પર સમજણ આપશે. આ વર્ષે પ્રત્યેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી 36 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. જે રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશ […]

નાણામંત્રીએ બજેટમાં શિક્ષણ માટે કરી મોટી જાહેરાત, AI માટે ખાસ ફંડની ફાળવણી

• મેડિકલમાં 7500 બેઠકો વધારાશે • દેશમાં પાંચ આઈઆઈટીનું વિસ્તરણ કરાશે • ભારતીય ભાષા પુસ્તક પ્રોજેક્ટ અમલમાં મૂકાશે નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણએ આજે સંસદમાં સતત આઠમી વખત બજેટ રજૂ કર્યુ હતુ. સસંસદની કાર્યવાહીના પ્રારંભે વિપક્ષે મહાકુંભની નાસભાગની ચર્ચાને લઈને હોબાળો મચાવ્યો હતો. નાણામંત્રીએ પોતાનું ભાષણ શરૂ કરતાની સાથે જ વિપક્ષોએ સૂત્રોચ્ચાર કર્યા હતો. […]

કમ્પ્યુટર ધરાવતી શાળાઓની ટકાવારી 2019-20માં 38.5 ટકાથી વધીને 57.2 ટકા થઈ

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે સંસદમાં આર્થિક સમીક્ષા 2024-25 રજૂ કરી હતી. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે શિક્ષણ અને માનવ મૂડી વિકાસ વિકાસના પાયાના સ્તંભોમાંનો એક છે અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 (એનઇપી) આ સિદ્ધાંત પર બનાવવામાં આવી છે. શાળા શિક્ષણ સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે ભારતની શાળા […]

ગુજરાતમાં સરકારી શાળાઓમાં છેલ્લા બે વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો

એન્યુઅલ સ્ટેટસ ઑફ એજ્યુકેશન રિપોર્ટ-2024 (રૂરલ) જાહેર કરાયો ધોરણ-8ના વિદ્યાર્થીઓ ગણિતમાં સૌથી નબળા, ભાગાકાર કરી શકતા નથી 82 ટકા કિશોરો સ્માર્ટફોન વપરાશકર્તા અમદાવાદઃ ગુજરાતની સરકારી સ્કૂલોમાં બે વર્ષમાં 6 થી 14 વર્ષના બાળકોનો પ્રવેશ-એનરોલમેન્ટ 90.9 ટકાથી ઘટીને 86.5 ટકા થયો છે. જ્યારે 16.5 ટકા સરકારી સ્કૂલોમાં પીવાના પાણીની, 22.5 ટકા સ્કૂલોમાં ટોઈલેટ અને 20 ટકા […]

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં સરકારે 4 સભ્યોની ECમાં નિમણૂંક કરી

અઢી વર્ષની સમય મર્યાદા માટે 4 સભ્યોની નિમણુંક યુનિ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં હવે 12 સભ્યોની રહેશે અગાઉ એક્ઝિક્યુટિવ કાઉન્સીલમાં 8 સભ્યો હતા ભાવનગરઃ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં ગુજરાત સરકાર દ્વારા એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં ચાર સભ્યોની નિમણૂક આગામી અઢી વર્ષની મુદત માટે કરી છે.  જેમાં મૌલિક પાઠક, નિયતિ પંડ્યા, નરેન્દ્રસિંહ જાડેજા અને ડી.બી.ચુડાસમાનો સમાવેશ થાય છે. નિયમ મુજબ […]

વીર નર્મદ યુનિ દ્વારા બાયો સાયન્સની ફીમાં 300 ટકાનો વધારો કરતા વિરોધ

ABVPના કાર્યકરોએ રામધૂન બોલાવી વિરોધ કર્યો બાયો સાયન્સના 4થા સેમેસ્ટરની ફી 1065 હતી એમાં વધારો કરીને 4040 કરાઈ એકાએક ફીમાં વધારો કરતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા સુરતઃ શહેરના વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બાયો સાયન્સ વિભાગમાં ફીમાં એકાએક તોતિંગ વધારો કરી દેતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે. અને ફી વધારો પાછો ખેચવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી […]

ગુજકેટના પરીક્ષા ફોર્મ લેઈટ ફી સાથે 15મી જાન્યુઆરી સુધી ભરી શકાશે

સમગ્ર રાજ્યમાં 23 માર્ચે ગુજકેટ પરીક્ષા લેવાશે ગુજકેટના પરીક્ષા ફોર્મ ઓનલાઈન ભરવાની મુદતમાં વધારો કરાયો વિદ્યાર્થીઓએ પરીક્ષા ફી ઉપરાંત 1000 રૂપિયા લેઈટ ફી ભરવી પડશે અમદાવાદઃ  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડિગ્રી એન્જિનિયરિંગ ડિગ્રી ફાર્મસી અને ડિપ્લોમા ફાર્મસી સહિતના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા ધોરણ 12 સાયન્સના એ ગ્રુપ, બી ગ્રુપ અને એબી […]

નરેન્દ્ર મોદીએ કલા દ્વારા પરીક્ષાના તણાવમાંથી બહાર આવવા માટે એક્ઝામ વોરિયર્સ આર્ટ ફેસ્ટિવલની પ્રશંસા કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કલા દ્વારા પરીક્ષાના તણાવમાંથી બહાર આવવા માટે એક્ઝામ વોરિયર્સ આર્ટ ફેસ્ટિવલની પ્રશંસા કરી છે. 4 જાન્યુઆરી, 2025ના રોજ શાંતિપથ, નવી દિલ્હી ખાતે પરીક્ષા વોરિયર્સ આર્ટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રેડ 9 થી 12 સુધીની 30 શાળાઓના લગભગ 4,000 વિદ્યાર્થીઓએ તેમની સર્જનાત્મકતા દર્શાવવા આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. ઉપરોક્ત આર્ટ […]

ગુજરાત બોર્ડમાં ધોરણ 10 અને 12ની પરીક્ષામાં 14.31 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા

ધોરણ 10 અને 12માં પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રકિયા પૂર્ણ, લેઈટ ફી સાથે 55000 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા 27મી ફેબ્રુઆરીથી ધો. 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થશે ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 27મી ફેબ્રુઆરીથી લેવાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દેવામા આવી છે. ધોરણ 10 અને 12ના પરીક્ષાના ઓનલાઈન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code