1. Home
  2. ગુજરાતી
  3. ચૂંટણીઓ

ચૂંટણીઓ

લોકસભા ચૂંટણીઃ સાતમા તબક્કાનું 57 બેઠકો ઉપર શનિવારે મતદાન

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કાનું ચૂંટણી પ્રચાર ગુરુવારે સમાપ્ત થઈ ગયું છે. આ સાથે છેલ્લા બે મહિનાથી પ્રચારને લગતી રાજકીય ગતિવિધિઓ પણ થંભી ગઈ છે. સાતમા તબક્કાનું મતદાન 1 જૂને થશે અને પરિણામ 4 જૂને જાહેર થશે. સાતમા તબક્કામાં 8 રાજ્યોમાંથી 904 ઉમેદવારો મેદાનમાં છે. સાતમા તબક્કામાં આઠ રાજ્યોની 57 લોકસભા અને […]

લોકસભા ચૂંટણી : PMએ કર્યા 200થી વધુ કાર્યક્રમો, આપ્યા 80 ઈન્ટરવ્યું

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024નાં પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. હવે છેલ્લા તબક્કા હેઠળ 1 જૂને મતદાન થશે. ભાજપ નેતા નરેન્દ્ર મોદીએ ગુરુવારે પંજાબના હોશિયારપુરમાં સામાન્ય ચૂંટણીના છેલ્લા તબક્કા માટે પોતાનો ચૂંટણી પ્રચાર સમાપ્ત કર્યો. જો આપણે ચૂંટણી પ્રચાર પર નજર કરીએ તો, ભાજપ તેના ત્રીજા કાર્યકાળ તરફ જઈ રહ્યું છે અને પીએમ મોદીએ […]

પંજાબની તમામ 13 બેઠકો પર આમ આદમી પાર્ટી વિજેતા બનશેઃ કેજરીવાલ

પંજાબમાં 1 જૂને લોકસભા ચૂંટણી માટે મતદાન પહેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટી ભવિષ્યવાણી કરી છે. અરવિંદ કેજરીવાલે કહ્યું, “પંજાબની 13માંથી 13 સીટો પર આમ આદમી પાર્ટીને જીતાડવાનું જનતાએ પોતાનું મન બનાવી લીધું છે કારણ કે અમારી સરકારે છેલ્લા બે વર્ષમાં ઘણું કામ કર્યું છે વેપારીઓ સાથે ચર્ચા અરવિંદ […]

PM મોદીની ધ્યાનયાત્રાને લઇને વિપક્ષે ઉઠાવ્યા સવાલ, સુત્રોનું માનીએ તો આ કારણોસર ટકી નહી શકે વિપક્ષની દલીલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 મેના રોજ લોકસભા ચૂંટણી પ્રચાર સમાપ્ત થયા બાદ કન્યાકુમારીની મુલાકાત લેશે. અહીં તેઓ સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ આપવા માટે બનાવવામાં આવેલા મેમોરિયલ રોક મેમોરિયલમાં ધ્યાન કરશે. વિરોધ પક્ષો આના વિરોધમાં જુદી જુદી દલીલો આપી રહ્યા છે. દરમિયાન સૂત્રોનું કહેવું છે કે ચૂંટણી કાયદા હેઠળ ચૂંટણી દરમિયાન વડાપ્રધાનની ધ્યાનયાત્રા પર કોઈ પ્રતિબંધ લાદી […]

મારી તબિયતની અફવાઓ પર ધ્યાન આપવાને બદલે વડાપ્રધાન……..નવીન પટનાયકે આપ્યો PM મોદીને વળતો જવાબ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકની ખરાબ તબિયત અંગે ચિંતા વ્યક્ત કરી હતી. હવે સીએમ નવીન પટનાયકે આને લઈને પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે પીએમએ રેલીમાં કહ્યું કે મારી તબિયત ખરાબ છે અને તેઓ આ મામલાની તપાસ માટે એક કમિટી બનાવવા માંગે છે. નવીન પટનાયકે કહ્યું, “જો તે મારા […]

ભાજપને યૂપીમાં 52થી વધુ બેઠકો નહીં મળે, વોટિંગ ટકાવારી ઘટી તો સીટોની સંખ્યા 40 પણ થઇ શકે છેઃ યોગેન્દ્ર યાદવ

લોકસભા ચૂંટણીનું છ તબક્કામાં મતદાન થયું છે, જ્યારે સાતમા અને અંતિમ તબક્કા માટે મતદાન થવાનું બાકી છે. આવી સ્થિતિમાં રાજકીય વિશ્લેષક યોગેન્દ્ર યાદવે ઉત્તર પ્રદેશમાં I.N.D.I.A એલાયન્સની સ્થિતિને લઈને મોટો દાવો કર્યો છે. ભાજપને 50થી 52થી વધુ બેઠકો નહીં મળે યોગેન્દ્ર યાદવે કહ્યું કે મેં ઉત્તર પ્રદેશમાં 1000 કિલોમીટરનો પ્રવાસ કર્યા પછી મને ખબર પડી […]

અંતિમ તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 બેઠક પર આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થશે

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના સાતમા તબક્કાનું મતદાન 1 જૂને યોજાશે. જેનો પ્રચાર આજે સાંજે સમાપ્ત થશે. સાતમા તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 બેઠકો પર મતદાન થશે. તેમાં ઉત્તર પ્રદેશની 13, બિહારની 8, ઓડિશાની 6, ઝારખંડની 3, હિમાચલ પ્રદેશની 4, પશ્ચિમ બંગાળની 9 અને ચંદીગઢની 1 બેઠકનો સમાવેશ થાય છે. આ તબક્કો એનડીએ અને […]

સાપ્તાહિક રજા મામલે ટીકા કરનાર પીએમ મોદીને કોંગ્રેસનો જવાબ, ભાજપની માનસિકતા અંગ્રેજો કરતા વધુ ખતરનાક

PM નરેન્દ્ર મોદીએ દુમકામાં ચૂંટણી રેલી દરમિયાન ‘શુક્રવારે સાપ્તાહિક રજા’નો મુદ્દો ઉઠાવતા ઝારખંડની વર્તમાન સરકાર પર પ્રહારો કર્યા હતા. આના પર ઝારખંડની ગઠબંધન સરકારના ઘટકપક્ષ કોંગ્રેસે જવાબ આપ્યો છે. કોંગ્રેસના નેતા ઈરફાન અંસારીએ દાવો કર્યો છે કે જ્યારે ભાજપ સત્તામાં હતી ત્યારે પણ આ સિસ્ટમ હતી, પરંતુ તે સમયે પીએમ મોદીએ તેમના સીએમ અને મંત્રીઓને […]

4 જૂન પછી ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કાર્યવાહી ઝડપી કરવામાં આવશે: નરેન્દ્ર મોદી

ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુમકામાં બીજેપી ઉમેદવાર સીતા સોરેનની તરફેણમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા પહેલા સિધો કાન્હો અને ચાંદ ભૈરવ જેવા બહાદુર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. સાથે જ કહ્યું હતું કે, આ બહાદુર શહીદોની ભૂમિ છે. અહીં એકઠી થયેલી ભીડ બતાવે છે કે ફરી એકવાર અમારી સરકાર આવી રહી છે. જેએમએમ-કોંગ્રેસ પર […]

ગુજરાત: મુખ્ય નિર્વાચન અધિકારીની અધ્યક્ષતામાં મતગણતરી સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 તથા ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓની મતગણતરી સંદર્ભે મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીની અધ્યક્ષતામાં વિડિયો કૉન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્ટેટ પોલીસ નોડલ ઑફિસર તથા તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે રાજ્યના 26 મતગણતરી કેન્દ્રો પર તા. 4 જૂન, 2024ના રોજ યોજાનાર મતગણતરી માટેની વ્યવસ્થાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code