1. Home
  2. ગુજરાતી
  3. મનોરંજન

મનોરંજન

શોએબ અખ્તર અભિષેક શર્માની જગ્યાએ અભિષેક બચ્ચન બોલતા સોશિયલ મીડિયામાં થયો ભારે ટ્રોલ

મુંબઈઃ પાકિસ્તાનની ક્રિકેટ ટીમ તાજેતરમાં ભારત સામે હારી ગઈ અને ભારે ટ્રોલિંગનો શિકાર બની હતી. પરંતુ આ વખતે પાકિસ્તાનની વધુ બદનામી ત્યારે થઈ જ્યારે તેમના જ ભૂતપૂર્વ સ્ટાર ક્રિકેટર શોએબ અખ્તરે અભિષેક શર્માની જગ્યાએ અભિષેક બચ્ચનનું નામ લીધું. સોશિયલ મીડિયામાં આ વાત ઝડપથી વાયરલ બની ગઈ અને લોકો મજાક ઉડાવવાનું શરૂ કર્યું હતું. ક્રિકેટ ટોક […]

વિકી કૌશલની ફિલ્મ ‘મહાઅવતાર’ ફરી મુલતવી, હવે 2027માં રીલિઝ થવાની શક્યતા

બોલીવૂડ અભિનેતા વિકી કૌશલની બહુચર્ચિત ફિલ્મ ‘મહાઅવતાર’ ફરી એકવાર પાછળ ધકેલાઈ ગઈ છે. માહિતી મુજબ, આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષનાં એપ્રિલ પહેલાં શરૂ થવાની શક્યતા નથી. અગાઉ ફિલ્મને ડિસેમ્બર ૨૦૨૬માં રીલિઝ કરવાનો અંદાજ હતો, પરંતુ હવે એવી ચર્ચા છે કે આ ફિલ્મ ૨૦૨૭માં જ રીલિઝ થઈ શકે. સૂત્રોના જણાવ્યા મુજબ વિકી કૌશલ હાલ લવ એન્ડ […]

રેણુકાસ્વામી હત્યા કેસ: સુપ્રીમ કોર્ટે અભિનેતા દર્શનના જામીન રદ કર્યા

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ગુરુવારે રેણુકાસ્વામી હત્યા કેસમાં અભિનેતા દર્શન અને અન્ય આરોપીઓને આપવામાં આવેલા જામીન રદ કરતા કહ્યું કે વ્યક્તિ ગમે તેટલી લોકપ્રિય હોય, કાયદા સમક્ષ બધા સમાન છે. જસ્ટિસ જેબી પારડીવાલા અને આર મહાદેવનની બેન્ચે કર્ણાટક હાઈકોર્ટના આદેશને રદ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે અધિકારીઓને દર્શન અને અન્ય આરોપીઓને તાત્કાલિક કસ્ટડીમાં લેવા અને ઝડપી […]

શ્રી રામ મંદિર પર આધારિત ફિલ્મ ‘695 ધ અયોધ્યા’ 5 ઓગસ્ટે રિલીઝ થશે

મુંબઈઃ શ્રી રામ મંદિર પર આધારિત ફિલ્મ ‘695 ધ અયોધ્યા’ 5 ઓગસ્ટે ફરી એકવાર રામ પથ પર સ્થિત અવધ મોલમાં રિલીઝ થશે. ફિલ્મમાં અરુણ ગોવિલે બાબા અભિરામ દાસની ભૂમિકા ભજવી છે. રામ લાલા બાબા અભિરામ દાસના સમયમાં (1949માં) બાબરી મસ્જિદમાં દેખાયા હતા. આ ફિલ્મ રામ મંદિર ચળવળના 500 વર્ષના સંઘર્ષને દર્શાવે છે. રવિવારે, શરદ શર્માએ […]

તમિલ સિનેમા અભિનેતા અને હાસ્ય કલાકાર એસ. કૃષ્ણમૂર્તિનું 71 વર્ષની વયે અવસાન

બેંગ્લોરઃ પ્રખ્યાત તમિલ સિનેમા અભિનેતા અને હાસ્ય કલાકાર એસ. કૃષ્ણમૂર્તિનું 71 વર્ષની વયે અવસાન થયું. તેઓ ‘માધવન બોબ’ તરીકે પણ જાણીતા હતા. કેન્સરથી પીડાતા આ અભિનેતાએ 2 ઓગસ્ટના રોજ ચેન્નાઈ, અદ્યાર ખાતેના તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. માધવન બોબનો જન્મ 19 ઓક્ટોબર 1953ના રોજ થયો હતો. તેમણે સંગીતકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને બાદમાં અભિનયમાં […]

કોલાકાતામાં ગેરકાયદે વસવાટ કરતી બાંગ્લાદેશી અભિનેત્રી ઝડપાઈ

નવી દિલ્હીઃ ભારતમાં ગેરકાયદે વરસાદ કરતા બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી લેવા માટે સુરક્ષાદળો દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન પશ્ચિમ બંગાળના કોલકાતામાંથી ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશી એક્ટ્રેસની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી નકલી આધારકાર્ડ અને મતદાર કાર્ડ મળી આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. મહિલા પાસેથી બાંગ્લાદેશના પણ કેટલાક પુરાવા મળી આવ્યા હોવાનું […]

રામાયણ ફિલ્મમાં ભરતની ભૂમિકામાં જોવા મળશે આ અભિનેતા

નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’ને લઈને દર્શકોમાં જબરદસ્ત ક્રેઝ છે. પૌરાણિક ફિલ્મની મેગા સ્ટાર કાસ્ટથી ફિલ્મ માટે લોકોનો ઉત્સાહ વધી ગયો છે. રણબીર કપૂર, યશ, સાઈ પલ્લવીથી લઈને સની દેઓલ સુધી, ‘રામાયણ’માં મુખ્ય કલાકારો હશે.  હવે ફિલ્મમાં ભરતની ભૂમિકામાં જોવા મળનારા અભિનેતાનું નામ પણ જાહેર કરવામાં આવ્યું છે. અભિનેતા આદિનાથ કોઠારે ‘રામાયણ’માં ભરતની ભૂમિકામાં જોવા મળશે. […]

ટાઈગર શ્રોફની બાગી-4 ફિલ્મમાં આ અભિનેતા વિલન તરીકે જોવા મળશે

વર્ષ 2025 ના પહેલા ક્વાર્ટરમાં ઘણી મોટી ફિલ્મો રિલીઝ થઈ હતી. કેટલીક ફિલ્મોએ સારું પ્રદર્શન કર્યું હતું, જ્યારે કેટલીક દર્શકોને ખુશ કરવામાં નિષ્ફળ રહી હતી. હવે રાહ બીજા ભાગની છે, જ્યારે ઘણી મોટી બોલિવૂડ ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. સંજય દત્ત પણ આમાંની મોટાભાગની ફિલ્મોનો ભાગ હશે. ક્યારેક દક્ષિણ તરફ, તો ક્યારેક બોલીવુડ તરફ… […]

30 વર્ષ પહેલાં, અક્ષય કુમારના એક નિર્ણયને કારણે અજય દેવગનનું કરિયર ડૂબતા બચી ગયું

અજય દેવગન અને અક્ષય કુમારની મિત્રતા વર્ષો જૂની છે. બંનેએ સાથે અભિનય કારકિર્દી શરૂ કરી હતી. બંનેએ સાથે ઘણી હિટ ફિલ્મો પણ કરી છે. જોકે, 30 વર્ષ પહેલાં, અક્ષયના એક નિર્ણયને કારણે અજયનું કરિયર ડૂબતા બચી ગયું. તે સમય દરમિયાન, તેમની ઘણી ફિલ્મો ફ્લોપ થઈ રહી હતી. અક્ષય કુમાર અને અજય દેવગનનો કરિયર ગ્રાફ લગભગ […]

ઓનલાઈન સટ્ટાબાજી કેસમાં EDની વિજય દેવેરાકોંડા અને પ્રકાશ રાજ સહિત 24 કલાકારો-યુટ્યુબર્સ સામે કાર્યવાહી

હૈદરાબાદ : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ તેલંગાણામાં કેટલાક ઓનલાઈન સટ્ટાબાજી પ્લેટફોર્મ સામે મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે વિજય દેવેરાકોંડા, રાણા દગ્ગુબાતી અને પ્રકાશ રાજ જેવા કલાકારો સહિત 24 થી વધુ સેલિબ્રિટીઓની ભૂમિકાની તપાસ કરવા માટે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હોવાનું જાણવા મળે છે, ઉપરાંત કેટલાક સોશિયલ મીડિયા પ્રભાવકો અને યુટ્યુબર્સ પણ સામેલ છે. સૂત્રોએ જણાવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code