1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ઓપરેશન સિંધુ : 4415 ભારતીય નાગરિકોને દેશમાં પાછા લાવવામાં આવ્યા

નવી દિલ્હીઃ અત્યાર સુધીમાં ઓપરેશન સિંધુ હેઠળ 4 હજાર 415 ભારતીય નાગરિકોને દેશમાં પાછા લાવવામાં આવ્યા છે. ઈરાનથી 3 હજાર 597 અને ઇઝરાયલથી 818 લોકોને ખાસ વિમાનો મારફતે દેશમાં પાછા લાવવામાં આવ્યા હતા. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે 14 OCI કાર્ડધારકો, 9 નેપાળી નાગરિકો, 4 શ્રીલંકન નાગરિકો અને એક ભારતીય નાગરિકને પણ ઈરાનથી સુરક્ષિત રીતે […]

પુરીમાં રથયાત્રાનો બીજો દિવસઃ ભગવાન જગન્નાથ તેમની માસીના ઘરે જવા રવાના

નવી દિલ્હીઃ આજે ઓડિશાના પુરીમાં મહાપ્રભુ જગન્નાથ ઉત્સવ રથયાત્રાનો બીજો દિવસ છે. શુક્રવારે જય જગન્નાથના ઉદષોશ સાથે રથયાત્રાનો પ્રારંભ થયો. તેમાં હજારો ભક્તોએ ભાગ લીધો. ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ-બહેનોના રથને મંદિરથી શ્રી ગુંડિચા મંદિર સુધી ખેંચવાનું શરું કરાયું. વિશ્વ પ્રખ્યાત ધાર્મિક શહેર પુરીમાં જગન્નાથ મહોત્સવ રથયાત્રાનો બીજો દિવસ છે. આ રથયાત્રા આગામી મુકામ માટે […]

નરેન્દ્ર મોદી ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયાની મુલાકાતે જશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતા મહિને ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયાની આઠ દિવસની મુલાકાતે જશે. પીએમ મોદી આવતા મહિને 2-3 દરમિયાન ઘાનાની મુલાકાત લેશે. પ્રધાનમંત્રીની ઘાનાની આ પહેલી મુલાકાત હશે. મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી ઘાનાના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરશે. બંને દેશો મજબૂત દ્વિપક્ષીય ભાગીદારીની સમીક્ષા કરશે અને આર્થિક, ઉર્જા અને સંરક્ષણ સહયોગ […]

અદાણી જૂથ ભારતની સૌથી ઝડપથી વિકસતી બ્રાન્ડ

અદાણી ગ્રુપ સૌથી ઝડપથી વિકસતી ભારતીય બ્રાન્ડ બની છે. બ્રાન્ડ ફાઇનાન્સ દ્વારા 2025માં મોસ્ટ વેલ્યુએબલ ઇન્ડિયન બ્રાન્ડ્સના તાજેતરના રેન્કિંગ અનુસાર  અદાણી ગ્રુપ સૌથી ઝડપથી વિકસતી ભારતીય બ્રાન્ડ તરીકે ઉભરી આવ્યું છે.  અદાણી બ્રાન્ડ વેલ્યુ 2024 માં USD 3.55 બિલિયનથી વધીને USD 6.46 બિલિયન થયું છે. ગત વર્ષ કરતાં તે USD 2.91 બિલિયનનો નોંધપાત્ર વધારો દર્શાવે છે. […]

કર્ણાટકના એમએમ હિલ્સમાં એક માદા વાઘણ અને ચાર બચ્ચાના મોતથી હંગામો મચી ગયો, મુખ્યમંત્રી પણ નારાજ, તપાસના આદેશ આપ્યા

કર્ણાટકના ચામરાજનગર જિલ્લામાં સ્થિત એમએમ હિલ્સ વન્યજીવન અભયારણ્યમાં એક ખૂબ જ ચિંતાજનક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક માદા વાઘણ અને તેના ચાર બચ્ચા મૃત હાલતમાં મળી આવ્યા હતા. વન મંત્રી ઈશ્વર ખાંડ્રેએ કુલ પાંચ વાઘણના મૃત્યુ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે અને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. શરૂઆતની તપાસમાં, એવી શંકા છે કે […]

શાહબાઝ શરીફ માર્ક રુબિયોને મળ્યા, ટ્રમ્પનો આભાર માન્યો, શું આ ભારત માટે તણાવનો વિષય છે?

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો અને શાહબાઝ શરીફ વચ્ચે મુલાકાત, પ્રાદેશિક શાંતિ, ઈરાન-ઈઝરાયલ યુદ્ધવિરામ અને ભારત-પાકિસ્તાન સ્થિરતા પર ચર્ચા થઈ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો અને પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે શુક્રવારે આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા માટે સાથે મળીને કામ કરવા સંમતિ દર્શાવી હતી. રુબિયોએ શરીફ સાથે પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર પણ […]

કોલકાતા લો કોલેજમાં વિદ્યાર્થીની સાથે ગેંગરેપ, ત્રણ આરોપીઓની ધરપકડ

દક્ષિણ કોલકાતાના કસ્બા વિસ્તારમાં આવેલી દક્ષિણ કોલકાતા લો કોલેજમાં એક વિદ્યાર્થીની પર સામૂહિક બળાત્કારનો મામલો સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના 25 જૂનના રોજ સાંજે 7:30 થી 10:50 વાગ્યાની વચ્ચે કોલેજ કેમ્પસમાં બની હતી. પીડિતાની ફરિયાદના આધારે, કસ્બા પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. આ કેસમાં ત્રણ […]

પંજાબના લુધિયાણાના શેરપુરમાં અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વાદળી ડ્રમમાંથી મળી આવ્યો

પંજાબના લુધિયાણામાં વાદળી ડ્રમમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. લુધિયાણાના શેરપુર વિસ્તારમાં આ ડ્રમમાંથી મળેલ મૃતદેહના પગ અને ગળામાં દોરડા બાંધેલા હતા. લાશ પ્લાસ્ટિકની થેલીમાં લપેટાયેલી હતી. વિસ્તારમાંથી દુર્ગંધ આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. થાણા ડિવિઝન નંબર-6 ના SHO કુલવંત કૌરના જણાવ્યા અનુસાર, મૃતક સ્થળાંતર કરનાર હોઈ શકે છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ […]

ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રામાં AI ડ્રોનથી પોલીસ દ્વારા રખાઈ રહી છે નજર

અમદાવાદઃ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાના પ્રસ્થાન પહેલા પ્રથમ વખત ભગવાન જગન્નાથને અપાયું ગાર્ડ ઑફ ઓનર અપાયું હતું. રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી હતી. ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સવારે 4 વાગ્યે મંગળા આરતી કરી હતી. રથયાત્રા દરમિયાન 18 શણગારેલા ગજરાજ, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટેબ્લો, 30 અખાડા, 18 […]

રથયાત્રાઃ ઓપરેશન સિંદૂરની થીમ પર બનેલા ટેબલો આકર્ષણનું કેન્દ્ર બન્યો

અમદાવાદઃ રથાયાત્રાની આગેવાની કરતા ગજરાજો રથાયત્રામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ રથયત્રામાં 18 ગજરાજોએ રથયાત્રાની આગેવાની કરી હતી. ગજરાજને ગણેશનું સ્વરૂપ માનવામાં આવે છે. નિર્વિઘ્ન રથયાત્રા પૂર્ણ થાય તે માટે ગજરાજોને રથયાત્રામાં આગળ રાખવામાં આવે છે. ભગવાન જગન્નાથની 148મી રથાત્રામાં ભજન મંડળીઓ જોડાઈ.  કુષ્ણ મંડળની મહિલાઓએ રથની મૂર્તિ માથે રાખી કર્યા ભજન. અમદાવાદમાં યોજાયેલી રથયાત્રામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code