1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું નાગરિકોના હિત માટે GST ના દરમાં સુધારો કરાયો

નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે નાગરિકોના હિત માટે વસ્તુ અને સેવા કર – GST ના સ્લેબમાં સુધારો કરવામાં આવ્યો છે. આજે તુતીકોરિનના કોવિલપટ્ટીમાં મેચબોક્સ અને ફટાકડા ઉત્પાદક સંગઠનોના શતાબ્દી સમારોહને સંબોધતા, તેમણે જણાવ્યું હતું કે સોમવારથી લોકોને રાહત મળશે. GSTમાં ઘટાડાને કારણે, લોકો નોંધપાત્ર રીતે ઓછા ભાવે માલ ખરીદી શકશે. 375 વસ્તુઓ પર GST […]

સુપ્રસિદ્ધ અભિનેતા મોહનલાલને વર્ષ 2023 માટે પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરાશે

સુપ્રસિદ્ધ અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા મોહનલાલને વર્ષ 2023 માટે પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે, દાદાસાહેબ ફાળકે પુરસ્કાર પસંદગી સમિતિની ભલામણના આધારે, સરકારે મલયાલમ અભિનેતાને ભારતીય સિનેમામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ આ પુરસ્કાર આપવાનો નિર્ણય લીધો છે. આ પુરસ્કાર 23 સપ્ટેમ્બરના રોજ નવી […]

વર્ષ 2047 સુધી વૈશ્વિક દરિયાઈ વેપારમાં ભારતની ભાગીદારીને ત્રણ ગણી કરવાનો સરકારનો લક્ષ્યાંક : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભરતાનું આહ્વાન કરતા કહ્યું, વિદેશ પર ભારતની નિર્ભરતા તેના સૌથી મોટા દુશ્મનોમાંથી એક છે. તેમણે કહ્યું, વર્ષ 2047 સુધી વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા વિશ્વ સમક્ષ ભારત એક આત્મનિર્ભર દેશ તરીકે ઊભું રહે તે સમય હવે આવી ગયો છે. ભાવનગરમાં આજે “સમુદ્ર સે સમૃદ્ધિ” કાર્યક્રમને સંબોધતા ભારતને એક દરિયાઈ મહાશક્તિ […]

રક્ષા મંત્રી રાજનાથ સિંહ મોરક્કોની બે દિવસીય મુલાકાત લેશે

નવી દિલ્હીઃ ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ તા. 22 સપ્ટેમ્બરથી 23 સપ્ટેમ્બર સુધી મોરક્કોની બે દિવસીય સત્તાવાર મુલાકાત લેશે. આ મુલાકાત મોરક્કોના રક્ષા મંત્રી અબ્દેલતીફ લોદીના આમંત્રણ પર થઈ રહી છે. ભારતીય રક્ષા મંત્રીની આ મોરક્કોની પ્રથમ મુલાકાત છે, જે ભારત અને મોરક્કો વચ્ચેના વધતા વ્યૂહાત્મક સહયોગને દર્શાવે છે.રક્ષા મંત્રાલયના જણાવ્યા મુજબ, રાજનાથ સિંહની આ […]

દિલ્હી : DPS સહિત અનેક શાળાઓમાં બોમ્બની ધમકી, કેમ્પસ ખાલી કરાવાયા

નવી દિલ્હી : દિલ્હીમાં ફરી એકવાર અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. શનિવારે સવારે દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS) દ્વારકા,  સર્વોદય સિનિયર સેકન્ડરી સ્કૂલ,  કુતુબ મિનાર નજીકની શાળા અને નજફગઢની કૃષ્ણા મોડેલ પબ્લિક સ્કૂલને ઈ-મેઈલ મારફતે બોમ્બની ધમકી મળી હતી. સ્કૂલ મેનેજમેન્ટે ધમકી ભર્યો મેઈલ મળતાં જ તાત્કાલિક એક્શન લઈ કેમ્પસ ખાલી કરવામાં આવ્યું […]

છત્તીસગઢમાં કરોડો રૂપિયાની GST ચોરીનો પર્દાફાશ, 170 થી વધુ બોગસ કંપનીઓ બનાવીને કરી ચોરી

છત્તીસગઢની રાજધાની રાયપુરમાં GST વિભાગે GST એનાલિટિક્સ અને ઇન્ટેલિજન્સ નેટવર્ક અને GST પ્રાઇમ પોર્ટલનો ઉપયોગ કરીને છેતરપિંડી કરતી પેઢી અને બોગસ બિલિંગ કામગીરીમાં સંડોવાયેલા સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. માસ્ટરમાઇન્ડ મોહમ્મદ ફરહાન સોરઠિયા છે, જે GST ટેક્સ કન્સલ્ટન્ટ તરીકે કામ કરતો હતો. આ સિન્ડિકેટના કારણે રાજ્યને દર મહિને કરોડો રૂપિયાની કર આવકનું નુકસાન થઈ રહ્યું હતું. […]

ભારત સાથે યુદ્ધ ફાટી નીકળશે તો સાઉદી અરેબિયા પાકિસ્તાનનો બચાવ કરશેઃ ખ્વાજા આસિફ

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે જાહેરાત કરી છે કે, જરૂરીયાત પડશે તો પાકિસ્તાનનો પરમાણુ કાર્યક્રમ સાઉદી અરબને પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ નિવેદન તાજેતરમાં બંને દેશો વચ્ચે થયેલા નવા સંરક્ષણ કરાર બાદ આવ્યું છે. આ સાથે ઇસ્લામાબાદે પહેલીવાર સ્વીકાર્યું છે કે તેણે પોતાની પરમાણુ ક્ષમતાઓ સાઉદી અરબ સુધી લંબાવી છે. ખ્વાજા આસિફે જણાવ્યું […]

મહેસાણાઃ વડનગરમાં ધરોઈ કેનાલમાં ત્રણ બાળકો ડૂબ્યા, બે બાળકોનો બચાવ

ગાંધીનગરઃ વડનગર તાલુકાના મોલીપુર નજીક ધરોઈ કેનાલમાં ત્રણ બાળકો ડૂબવાનાો બનાવ બન્યો હતો. માહિતી પ્રમાણે, બાળકો સ્કૂલના આઈ કાર્ડ લેવા માટે કેનાલમાં કૂદ્યા હતા, જેમાં બે બાળકોને સ્થાનિક તરવૈયાઓએ તુરંત બચાવી લીધા છે, જ્યારે હજુ એક બાળક ગૂમ છે. માટે મળેલી વિગતો અનુસાર, ત્રણેય બાળકો 8મા ધોરણમાં અભ્યાસ કરતા હતા. સ્કૂલના આઈ કાર્ડ કેનાલમાં પડતા […]

ઝારખંડના સરાઈકેલામાં, કુડમી જાતિના વિરોધીઓએ હાવડા-મુંબઈ રેલ્વે ટ્રેક પર ધરણા કર્યા

ઝારખંડના સરાઈકેલા જિલ્લામાં કુડમી સમુદાયને અનુસૂચિત જનજાતિ (ST) શ્રેણીમાં સમાવવાની માંગણી સાથે ભારે વિરોધ પ્રદર્શન ફાટી નીકળ્યું. પ્રદર્શનકારીઓએ હાવડા-મુંબઈ રેલ્વે લાઇન પર સિની રેલ્વે સ્ટેશન નજીક પાટા પર ધરણા શરૂ કર્યા. આ સમય દરમિયાન, ઘણી મહિલાઓ પણ તેમના શિશુઓ સાથે હાજર હતી. પોલીસ સામે જ પ્રદર્શનકારીઓ હિંસક બન્યા, રેલ સેવાઓ ખોરવાઈ પ્રદર્શન દરમિયાન પોલીસ અને […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગયાજીમાં પરિવાર સાથે પિંડદાન કર્યું, રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન પણ હાજર રહ્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગયાજીમાં વિષ્ણુપદ મંદિરમાં તેમના પૂર્વજોની આત્માની શાંતિ અને મુક્તિ માટે પિંડ દાન કર્યું,. તેઓ એક ખાસ ફ્લાઇટ દ્વારા ગયા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચ્યા. ત્યારબાદ રોડ માર્ગે બિહારના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાન સાથે વિષ્ણુપદ મંદિર પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિએ પરિવાર સાથે પિંડદાન કર્યું રાષ્ટ્રપતિના પિંડદાન માટે જિલ્લા વહીવટીતંત્રે વિષ્ણુપદ મંદિર સંકુલમાં ખાસ વ્યવસ્થા કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code