1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં PM મોદી અને રાહુલ ગાંધી સહિતના સાંસદોએ કર્યું મતદાન

નવી દિલ્હી : આજે દેશમાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાઈ રહી છે. એનડીએ તરફથી મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન જ્યારે વિપક્ષની તરફથી ભૂતપૂર્વ ન્યાયાધીશ બી. સુદર્શન રેડ્ડી ઉમેદવાર છે. ચૂંટણીને લઈ રાજકીય સમીકરણોમાં રસપ્રદ વળાંક આવ્યો છે, કારણ કે બીજુ જનતા દળ અને ભારત રાષ્ટ્ર સમિતિએ મતદાનથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. સાથે જ શિરોમણી અકાલી […]

નેપાળના વિરોધમાં પ્રદર્શનમાં થયેલી હિંસાની ઉચ્ચ-સ્તરિય તપાસ કરાવવાની પ્રધાનમંત્રીએ ખાત્રી આપી

નવી દિલ્હીઃ નેપાળના પ્રધાનમંત્રી કે. પી. શર્મા ઓલીએ વિરોધ દરમિયાન બનેલી હિંસક ઘટનાની તપાસ માટે એક તપાસ સમિતિની રચના કરવાનું વચન આપ્યું હતું. તેમણે કહ્યું કે મૃતકના પરિવારને રાહત આપવામાં આવશે અને ઘાયલોની નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે.સત્તાવાળાઓએ અગાઉ વધતા વિરોધને રોકવા માટે કાઠમંડુ, પોખરા, બુટવાલ-ભૈરહવા અને ઇટાહારી સહિત અનેક મોટા શહેરોમાં કર્ફ્યુ લાદ્યો હતો. નેપાળના […]

GST : રોજિંદા ખાદ્ય પદાર્થો કરમુક્ત, પ્રોસેસ્ડ ફૂડ પર ફક્ત 5% કર

નવી દિલ્હીઃ GST કાઉન્સિલે નેક્સ્ટ જનરેશન GST સુધારા હેઠળ ગ્રાહકો, નાના વેપારીઓ અને ખેડૂતોને રાહત આપવા માટે એક મોટી જાહેરાત કરી છે. આ અંતર્ગત, હવે કઠોળ, લોટ અને ચોખા જેવી આવશ્યક ખાદ્ય ચીજો સંપૂર્ણપણે કરમુક્ત રહેશે, જ્યારે પ્રોસેસ્ડ ફૂડ પર ફક્ત 5 ટકા GST લાગશે. આ નિર્ણયથી સામાન્ય લોકોના ઘરગથ્થુ ખર્ચમાં ઘટાડો થશે અને નાના વેપારીઓ […]

નેપાળમાં વિરોધ વચ્ચે પીએમ ઓલીએ કહ્યું કે, કાયદાનો અનાદર સ્વીકારી ના શકાય

નવી દિલ્હીઃ નેપાળમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ સહિત અનેક સોશિયલ મીડિયા સાઇટ્સ પર પ્રતિબંધ બાદ સોમવારે હજારો જનરેશન જી (18 થી 30 વર્ષ) યુવાનો રાજધાની કાઠમંડુની શેરીઓમાં ઉતર્યા હતા. પ્રતિબંધના વિરોધમાં, યુવાનોએ નવા બાનેશ્વર સ્થિત સંસદ ભવન સંકુલમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો. વિરોધીઓએ બેરિકેડ્સને નુકસાન પહોંચાડવાનો અને આગ લગાડવાનો પણ પ્રયાસ કર્યો, ત્યારબાદ સુરક્ષા દળોએ પાણીના […]

જો રૂટે સચિન તેંડુલકરનો ODI માં મહાન રેકોર્ડ તોડ્યો, દક્ષિણ આફ્રિકા સામે ઇતિહાસ રચ્યો

રવિવારે ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી વનડે મેચ રમાઈ હતી. આ મેચમાં પહેલા જો રૂટે ઈતિહાસ રચ્યો અને પછી ઈંગ્લેન્ડની ટીમે પણ ઈતિહાસના પાનામાં પોતાનું નામ નોંધાવ્યું. પહેલા આપણે જો રૂટ વિશે વાત કરીશું, અને પછી ઈંગ્લેન્ડના રેકોર્ડ વિશે પણ માહિતી આપીશું. દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી વનડેમાં જો રૂટે 96 બોલમાં 100 રન બનાવ્યા. […]

પિતૃ પક્ષ: ભક્તો પૂર્વજોની આત્માની શાંતિ, મુક્તિ અને પરિવારના સુખ અને સમૃદ્ધિ માટે શ્રાદ્ધ વિધિ કરે છે

હિન્દુ કેલેન્ડર મુજબ પિતૃ પક્ષ અશ્વિન મહિનાના કૃષ્ણ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થતો માનવામાં આવે છે. આ સમય શ્રાદ્ધ અને તર્પણ જેવા ધાર્મિક વિધિઓ માટે ખાસ મહત્વપૂર્ણ છે. એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન પિતૃઓ પૃથ્વી પર આવે છે અને તર્પણ અને પિંડદાનથી તેમના વંશજો પાસેથી સંતોષ મેળવે છે. આ પ્રસંગે ભક્તો પૂર્વજોની […]

આતંકવાદી હુમલાના કાવતરા મામલે NIA ના જમ્મુ-કાશ્મીર સહિત 5 રાજ્યોમાં દરોડા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં સોમવાર વહેલી સવારે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ એકસાથે અનેક ઠેકાણાઓ પર છાપામાર કામગીરી કરી છે. સાથે જ દેશના અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ દેશભરમાં લગભગ 22 જગ્યાએ છાપામારી કરવામાં આવી છે. આ સમગ્ર મામલો આંતરિક સુરક્ષા સાથે જોડાયેલો હોવાનું માનવામાં આવી રહ્યું છે. એનઆઈએની […]

ઈઝરાયલના યરુશલેમમાં બે શખ્સોએ કર્યો અંધાધૂંધ ગોળીબાર, ચારના મોત

ઈઝરાયલના યરુશલેમ શહેરમાં સોમવાર સવારે બે હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબારી કર્યો હતો, જેમાં ચાર લોકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળે છે. આ ઘટનામાં ઓછામાં ઓછા 15 લોકો ઘાયલ થયા છે. ઈઝરાયલી પેરામેડિક સેવા ‘મેગન ડેવિડ એડોમ’ના વડા અનુસાર, પોલીસની તાત્કાલિક કાર્યવાહી બાદ બંને હુમલાખોરોને ઠાર મારવામાં આવ્યા હતા. માહિતી અનુસાર, યરુશલેમના ઉત્તરી પ્રવેશદ્વાર નજીક, એક યહૂદી […]

હોસ્પિટલમાંથી CM ભગવંત માનની કેબિનેટ બેઠક, પૂરગ્રસ્ત ખેડૂતો માટે મોટી જાહેરાત કરી

પંજાબ સરકારે પૂરગ્રસ્ત ખેડૂતો માટે પ્રતિ એકર 20,000 રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી. કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હોસ્પિટલમાંથી કેબિનેટ બેઠકમાં હાજરી આપી હતી. તબિયત ખરાબ હોવાથી તેમને ત્રણ દિવસથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરાયેલી તસવીરમાં સીએમ માન ડ્રિપ પર જોઈ શકાય છે. […]

દૂર્ઘટનામાં બાળક દિવ્યાંગ થાય તો ચાર ગણું વળતર મળવુ જોઈએ: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશમાં એક દુર્ઘટનાના દાવા મામલે સુનાવણી કરતાં એક મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દુર્ઘટના કે અકસ્માતમાં બાળકના મૃત્યુ તથા તેના સ્થાયી રૂપે દિવ્યાંગ થવાના કિસ્સામાં તેને મળવાપાત્ર વળતરની રકમની ગણતરી કુશળ શ્રમિક રૂપે જ કરવામાં આવશે. રાજ્યમાં દુર્ઘટના સમયે કુશલ શ્રમિકનું જે લઘુત્તમ વેતન હશે, તેને બાળકની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code