1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

પાકિસ્તાન આતંકવાદને ભારત સામે હથિયાર તરીકે ઉપયોગ કરે છેઃ UN માં ભારતના પ્રહાર

નવી દિલ્હીઃ પાડોશી દેશ પાકિસ્તાન હંમેશા ભારત વિરુદ્ધ નાપાક કાવતરાં કરવા માટે આતંકવાદનો ઉપયોગ પોતાના હથિયાર તરીકે કરે છે. આનું તાજેતરનું ઉદાહરણ પહેલગામ આતંકવાદી હુમલામાં જોવા મળ્યું, જેનો પુરાવો ભારતે આખી દુનિયા સમક્ષ રજૂ કર્યો હતો. જોકે, આ દરમિયાન, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પર્વતાનેની હરીશે પાકિસ્તાનને સખત ઠપકો આપ્યો હતો. તેમણે કહ્યું કે પાકિસ્તાન […]

SCO સમિટમાં રાજનાથ સિંહે આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને લીધુ આડેહાથ, ખ્વાજા આસિફને મળવાનું ટાળ્યું

નવી દિલ્હીઃ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટમાં ભાગ લેવા માટે ચીન પહોંચ્યા હતા. તેમણે SCO સમિટના સંયુક્ત નિવેદન પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો હતો. અહેવાલ મુજબ, ભારત આ નિવેદનમાં સરહદ પાર આતંકવાદનો મુદ્દો સામેલ કરવા માંગતું હતું, પરંતુ તે બન્યું નહીં. મહત્વની વાત એ છે કે રાજનાથ સિંહે પાકિસ્તાનને વધુ એક […]

છત્તીસગઢ: નારાયણપુરમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે મહિલા નક્સલી ઠાર મરાઈ

નારાયણપુર: છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સુરક્ષા દળોએ બે મહિલા નક્સલીઓને ઠાર કરી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે સુરક્ષા દળોએ અબુઝહમાદ વિસ્તારમાં એક એન્કાઉન્ટરમાં બે મહિલા નક્સલીઓને ઠાર મારી છે. તેમણે કહ્યું કે માઓવાદીઓના માડ ડિવિઝનના નક્સલીઓની હાજરીની માહિતી પર, નારાયણપુર અને કોંડાગાંવ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) અને STFની સંયુક્ત ટીમને નક્સલ વિરોધી કામગીરી માટે મોકલવામાં […]

પુણે મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2ને મંત્રીમંડળે મંજૂરી આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે વનાઝથી ચાંદની ચોક (કોરિડોર 2A) અને રામવાડીથી વાઘોલી/વિઠ્ઠલવાડી (કોરિડોર 2B) સુધીના પુણે મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કાને મંજૂરી આપી છે. આ ફેઝ-1 હેઠળ હાલના વનાઝ-રામવાડી કોરિડોરનું વિસ્તરણ છે. પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 3626.24 કરોડ છે, જે ભારત સરકાર, મહારાષ્ટ્ર સરકાર અને બાહ્ય દ્વિપક્ષીય/બહુપક્ષીય એજન્સીઓ દ્વારા સમાન રીતે વહેંચવામાં આવશે. […]

આતંકવાદી કેન્દ્રો હવે સુરક્ષિત નથીઃ રાજનાથ સિંહ

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) ના સંરક્ષણ પ્રધાનોની બેઠકમાં ભાગ લેવા માટે ચીનના કિંગદાઓ પહોંચ્યા છે. ગુરુવારે રાજનાથ સિંહે પહેલગામ હુમલા પછી શરૂ કરાયેલા ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કર્યો. પાકિસ્તાન પર નિશાન સાધતા તેમણે કહ્યું કે કેટલાક દેશો સરહદ પાર આતંકવાદીઓને આશ્રય આપે છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે એસસીઓ સંરક્ષણ પ્રધાનોની બેઠકમાં કહ્યું, […]

ભારતમાં FDI વધીને $8.8 બિલિયન થયું

નવી દિલ્હીઃ આ વર્ષે એપ્રિલમાં ભારતમાં કુલ વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI)નો પ્રવાહ વધીને $8.8 બિલિયન થયો, જે માર્ચમાં $5.9 બિલિયન અને એપ્રિલ 2024માં $7.2 બિલિયન હતો. બુધવારે જાહેર કરાયેલા RBIના માસિક બુલેટિનમાં આ માહિતી આપવામાં આવી હતી. આ મહિને કુલ FDI પ્રવાહમાં ઉત્પાદન અને વ્યવસાય સેવાઓનો હિસ્સો લગભગ અડધો હતો. બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે […]

બદ્રીનાથ જઈ રહેલો ટેંપો અલકનંદા નદીમાં ખાબક્યો, એકનું મોત

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં એક દુ:ખદ અકસ્માત થયો છે. ગુરુવારે સવારે બદ્રીનાથ હાઇવે પર એક ટેમ્પો ટ્રાવેલર અલકનંદા નદીમાં પડી ગયો. આ ઘટનામાં 11 લોકો ગુમ થયા હોવાની માહિતી સામે આવી છે. 7 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાંથી એકનું મોત થયું હોવાનું જાણવા મળે છે. રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ અકસ્માત પર દુઃખ […]

કેપ્ટન શુભમને હાર માટે પંત સહિત આ ખેલાડીઓને જવાબદાર ઠેરવ્યા, જાડેજા અને બાકીના બોલરોની પ્રશંસા કરી

લીડ્સ ખાતે રમાયેલી પહેલી ટેસ્ટમાં ભારતનો ઈંગ્લેન્ડ સામે પાંચ વિકેટે પરાજય થયો હતો. ઈંગ્લેન્ડની ટીમે બેન ડકેટની સદી અને જેક ક્રોલી અને જો રૂટની અડધી સદીના આધારે પાંચ વિકેટ ગુમાવીને 371 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. મેચ પછી, ભારતીય કેપ્ટન શુભમન ગિલે હાર માટે પોતાના ખેલાડીઓને દોષી ઠેરવ્યા. પહેલા તો ગિલે પોતાના ખેલાડીઓની પ્રશંસા કરી, […]

દિલ્હીના રિઠાલા મેટ્રો સ્ટેશન નજીક ફેક્ટરીમાં આગ લાગી, ચાર મૃતદેહ મળ્યાં

દિલ્હીના રિઠાલા મેટ્રો સ્ટેશન નજીક એક ફેક્ટરીમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના મંગળવારે સાંજે બની રહી છે. આગ લાગવાની ઘટના અંગે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ લગભગ 16 ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબુમાં લેવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. ઘટનાસ્થળેથી ચાર લોકોના […]

ભારતના વિંગ કમાન્ડર અભિનંદનને પકડવાનો દાવો કરનાર પાકિસ્તાની અધિકારી માર્યો ગયો

2019 માં વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને કસ્ટડીમાં લેવાનો દાવો કરનાર પાકિસ્તાની સેનાના મેજર મોઇઝ અબ્બાસ શાહનું અવસાન થયું છે. પાકિસ્તાનના દક્ષિણ વઝીરિસ્તાન ક્ષેત્રમાં તહરીક-એ-તાલિબાન (TTP) સાથેની એન્કાઉન્ટરમાં ગોળી વાગતાં મેજર મોઇઝ અબ્બાસ શાહનું મોત નીપજ્યું હતું. પાકિસ્તાની સેનાના જણાવ્યા અનુસાર, મેજર મોઇઝ અબ્બાસ શાહના નેતૃત્વમાં પાકિસ્તાની સેના દક્ષિણ વઝીરિસ્તાનના સરગોધા વિસ્તારમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) વિરુદ્ધ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code