1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટૂંક સમયમાં એર કાર્ગો સેવા શરૂ થશે

નવી દિલ્હી: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટૂંક સમયમાં એર કાર્ગો સેવાઓ શરૂ કરવામાં આવશે. આ સીધી કોમર્શિયલ ફ્લાઇટ્સ દ્વારા કાબુલને દિલ્હી અને અમૃતસર સાથે જોડશે. આનો હેતુ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના વેપાર સંબંધોને મજબૂત બનાવવાનો છે. આ સંદર્ભમાં, તાજેતરમાં ભારતની મુલાકાતે આવેલા અફઘાનિસ્તાનના વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન એલ્હાજ નુરુદ્દીન અઝીઝી અને વિદેશ પ્રધાન એસ જયશંકર […]

છત્તીસગઢના જાંજગીર-ચંપા જિલ્લામાં માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત

નવી દિલ્હી: છત્તીસગઢના જાંજગીર-ચંપા જિલ્લામાં એક દુ:ખદ માર્ગ અકસ્માત થયો છે, જ્યાં જાંજગીર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા સુકલી ગામ નજીક નેશનલ હાઈવે 49 પર ગઈકાલે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. નવાગઢમાં લગ્ન સમારોહમાંથી પરત ફરી રહેલી સ્કોર્પિયોમાં મુસાફરી કરી રહેલા પાંચ લોકોના પૂરપાટ ઝડપે આવતી ટ્રક સાથે સામસામે અથડામણમાં દુઃખદ મોત […]

પ્રધાનમંત્રી 27 નવેમ્બરના રોજ સ્કાયરૂટના ઇન્ફિનિટી કેમ્પસનું ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી 27 નવેમ્બરના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારતીય અવકાશ સ્ટાર્ટઅપ સ્કાયરૂટના ઇન્ફિનિટી કેમ્પસનું ઉદ્ઘાટન કરશે. તેઓ સ્કાયરૂટના પ્રથમ ઓર્બિટલ રોકેટ, વિક્રમ-Iનું પણ અનાવરણ કરશે, જે ભ્રમણકક્ષામાં ઉપગ્રહો લોન્ચ કરવાની ક્ષમતા ધરાવે છે. અત્યાધુનિક સુવિધામાં બહુવિધ પ્રક્ષેપણ વાહનોની ડિઝાઇન, વિકાસ, સંકલન અને પરીક્ષણ માટે લગભગ 200,000 ચોરસ ફૂટ કાર્યક્ષેત્ર હશે, જેમાં […]

ચીનમાં ભારતીય નાગરિકની અટકાયત મામલે વ્યક્ત કરી નારાજગી

નવી દિલ્હીઃ નવી દિલ્હીએ જણાવ્યું છે કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે, અને ચીનના ઇનકારથી આ સત્ય બદલાશે નહીં-ચીનના વિદેશ મંત્રાલયના નિવેદનો અંગે મીડિયાના પ્રશ્નોના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યુ હતું. રણધીર જયસ્વાલે કહ્યું કે અરુણાચલ પ્રદેશના એક ભારતીય નાગરિકની અટકાયતનો મુદ્દો ચીની પક્ષ સમક્ષ મજબૂતીથી ઉઠાવવામાં આવ્યો છે. તેમણે […]

ભારત અને યુકેની સેનાએ રાજસ્થાનમાં અજેય વોરિયર યુદ્ધાભ્યાસ કર્યો

જયપુરઃ ભારત અને યુનાઇટેડ કિંગડમની સેનાઓ સંયુક્ત યુદ્ધાભ્યાસ ‘અજેય વોરિયર’ કરી રહી છે. આ દરમિયાન બંને સેનાઓએ આતંકવાદીઓ વિરુદ્ધ નિર્ણાયક કાર્યવાહીનો અભ્યાસ કર્યો છે. આ અભિયાનમાં ભારત અને યુકેના જવાનો હેલિકોપ્ટરની સહાયતાથી આતંકવાદીઓના ઠેકાણાઓ પર પહોંચ્યા, તેમના પર હુમલો કર્યો અને આતંકી ઠેકાણા નષ્ટ કરીને સુરક્ષિત પાછા નીકળી આવ્યા. ભારતીય સેનાના જણાવ્યા અનુસાર, રાજસ્થાનના મહાજન […]

સંચાર સાથી મારફતે અત્યાર સુધીથી ખોવાયેલા-ચોરાયેલા 7 લાખથી વધુ ફોન રિકવર કરાયાં

નવી દિલ્હીઃ દૂરસંચાર વિભાગની પહેલ સંચાર સાથીએ ઑક્ટોબર 2025માં 50,000થી વધુ ખોવાયેલા/ચોરી થયેલા મોબાઈલ હેન્ડસેટ રિકવર કરીને ડિજિટલ સુરક્ષામાં મોટી સફળતા મેળવી છે. કર્ણાટક અને તેલંગાણા ટોચના પરફોર્મર બન્યા છે અને કુલ રિકવરી આંકડો 7 લાખને પાર કરી ગયો છે, જે આ પ્લેટફોર્મની વધતી કાર્યક્ષમતા દર્શાવે છે. આ સ્વદેશી પ્લેટફોર્મ ઓટોમેટેડ ટ્રેસેબિલિટી દ્વારા ચોરી થયેલા […]

અમિત શાહ અને રાજનાથસિંહ સહિતના મહાનુભાવોએ બંધારણ દિવસની શુભેચ્છાઓ પાઠવી

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “આ ‘બંધારણ દિવસ’ પર, હું બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને બંધારણ સભાના તમામ મહાન સભ્યોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને આ દિવસે દેશવાસીઓને મારી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું. વિશ્વની સૌથી મોટી લોકશાહી, ભારતનું બંધારણ, દરેક નાગરિકને સમાન તકો, ગૌરવપૂર્ણ […]

બંધારણ દરેક નાગરિકને સ્વપ્ન જોવા અને તેને પૂરા કરવાનો અધિકાર આપે છે: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંધારણ દિવસ (26 નવેમ્બર) નિમિત્તે દેશના નાગરિકોને પત્ર લખ્યો. તેમણે 1949માં બંધારણના ઐતિહાસિક સ્વીકારને યાદ કર્યો અને રાષ્ટ્રની પ્રગતિમાં તેની માર્ગદર્શક ભૂમિકા પર ભાર મૂક્યો. તેમણે સમજાવ્યું કે 2015માં, સરકારે આ પવિત્ર દસ્તાવેજને માન આપવા માટે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે બંધારણે સામાન્ય […]

તમારા નામ પર લેવાયેલા સિમથી થશે ફ્રોડ તો તમે પણ જવાબદાર! ટેલિકોમ વિભાગની ચેતવણી

ભારતમાં વધી રહેલા સાઇબર ફ્રોડને ધ્યાનમાં રાખીને દૂરસંચાર વિભાગ (DoT) એ ચેતવણી જાહેર કરી છે. હવે જો તમારા નામ પર લેવાયેલી સિમ કાર્ડનો ઉપયોગ કોઈ સાઇબર ક્રાઇમ અથવા ગેરકાયદે પ્રવૃત્તિમાં થાય છે, તો માત્ર ગુનેગાર જ નહીં, પણ મૂળ સિમ યુઝરને પણ જવાબદાર ગણાવી કાર્યવાહી થઈ શકે છે. DoTએ જણાવ્યું છે કે, IMEIથી છેડછાડ કરેલા […]

ગુજરાતઃ યુનિટી માર્ચ અંતર્ગત યોજાનારી રાષ્ટ્રીય પદયાત્રાની સાક્ષી બનશે 5 નદી

અમદાવાદઃ યુનિટી માર્ચ અંતર્ગત યોજાનારી “રાષ્ટ્રીય પદયાત્રા” એકતા અને અખંડિતતાનું પ્રતિબિંબ તો બનશે સાથે જ આ ઐતિહાસિક રાષ્ટ્રીય પદયાત્રાની સાક્ષી રાજ્યના ઇતિહાસ અને સંસ્કૃતિની ધરોહર સમાન પાંચ સરિતાઓ પણ બનશે. કરમસદથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી યોજાનારી આ રાષ્ટ્રીય પદયાત્રા આણંદ, વડોદરા અને નર્મદા એમ ત્રણ જિલ્લામાંથી પસાર થશે, ત્યારે ગુજરાતની પાંચ પવિત્ર અને સાંસ્કૃતિક રીતે મહત્ત્વની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code