1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ગુજરાતના 10 બીચ પર સફાઈ અભિયાન હાથ ધરાયું, ઘન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ

સ્વયંસેવકો દ્વારા અંદાજે 541 કિલો ઘન કચરાનો નિકાલ કરાયો, કોસ્ટ ગાર્ડ, સ્થાનિક વહીવટી તંત્ર, પાલિકાઓ,  શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ જોડાયા, એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરાયું, ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત સહિત દેશભરમાં અલગ અલગ પ્રકારે ‘સ્વચ્છ ભારત અભિયાન’ હાથ ધરવામાં આવી રહ્યું છે. ‘સેવા પર્વ -2025’ અંતર્ગત તા. 20 મી સપ્ટેમ્બર 2025ના […]

જામનગરમાં દૂષિત પાણીના પ્રશ્ને મહિલાઓએ ચક્કાજામ કરતા થયો ટ્રાફિકજામ

નળમાં ગટરનું દૂષિત પાણી મિશ્રિત થતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત, છેલ્લા 5 મહિનાથી રજુઆત કરવા છતાંયે મ્યુનિનું તંત્ર નિષ્ક્રિય, સ્થાનિક કોર્પોરેટરે ત્વરિત નિરાકરણની ખાતરી આવતા લડતનો અંત આવ્યો જામનગરઃ શહેરના સત્યમ કોલોની, શિવમ સોસાયટી વિસ્તારમાં પીવાના પાણી સાથે ગટરનું મિશ્રિત પાણી આવતુ હોવાથી અને આ અંગે રજુઆતો કરવા છતાંયે કોઈ નિરાકરણ ન કરાતા સ્થાનિક મહિલાઓએ […]

ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના પ્રમુખપદેથી મોન્ટુ પટેલને હાંકી કઢાયા

મોન્ટુ પટેલ 5400 કરોડના ભ્રષ્ટ્રાચારના કેસમાં ફસાતા લેવાયો નિર્ણય, મોન્ટુ પટેલ ભાજપ યુવા મોરચા સાથે પણ સંકળાયેલા હતા, ભ્રષ્ટ્રાચાર કેસમાં સીબીઆઈએ દરોડા પાડ્યા હતા. અમદાવાદઃ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (PCI) માં વ્યાપક ભ્રષ્ટાચાર અને અનિયમિતતાની ફરિયાદો બાદ મોન્ટુ પટેલને ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખપદેથી હટાવાયા છે. નાણાં લઈને મહારાષ્ટ્રમાં મેડિકલ કોલેજોને માન્યતા અપાવવાના આરોપ બાદ […]

કોંગ્રસના નેતા પ્રતાપ દૂધાતની કારને આંતરીને દૂધાળા ગામ પાસે મોડી રાતે હુમલો કરાયો

સરદાર સન્માન યાત્રામાં હાજરી આપી પરત ફરી રહ્યા હતા ત્યારે બન્યો બનાવ, અસામાજિક તત્વોએ ધોકા અને પાઇપથી હુમલો કર્યો, પોલીસ કાફલો દોડી ગયો, દૂધાતે એસપીને કરી રજુઆત અમરેલીઃ  જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પુર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતની કારને રાત્રે દૂધાળા ગામ પાસે આંતરીને હુમલો કરવાનો પ્રયાસ કરાયો હતો. ઘટનાની જાણ પ્રતાપભાઈ દૂધાતે પોલીસને કરતા પોલીસ તાત્કાલિક […]

ચોટિલામાં ચાંમુડા માતાજીના મંદિરમાં બીજા નોરતે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં

વહેલી સવારથી મંદિરમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જામી, માતાજીનો ડુંગર રોશનીથી ઝળહળી ઉઠ્યો, નવ દિવસ સુધી માતાજીને વિશેષ શણગાર કરાશે ચોટીલાઃ  સુપ્રસિદ્ધ ચામુંડા માતાજીના મંદિરે નવરાત્રિના પ્રથમ દિવસે ભક્તોની મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં માતાજીના દર્શન માટે આવ્યા હતા. માતાજીનો ડુંગર રોશનીથી ઝળહળી ઉઠ્યો છે. શ્રદ્ધાળુઓએ આ અદભુત દૃશ્યો […]

વઢવાણમાં પ્રતિબંઘ છતાં પૂર ઝડપે દોડતા ડમ્પરોના ત્રાસ સામે મહિલાઓએ કરી રજુઆત

શિવરંજની સોસાયટીના રહીશોએ ડમ્પરો ત્રાસ અંગે પ્રાંતને આવેદનપત્ર આપ્યુ, ભારે વાહનો પર પ્રતિબંધ હોવા છતાં રોજ 250થી વધુ ડમ્પરો દોડી રહ્યા છે, રોડ પણ જર્જરિત છે, છતાંયે મરામત કરાતો નથી વઢવાણઃ શહેરમાં રેલવે સ્ટેશનમાં આધુનિકીકરણ અંતર્ગત રસ્તાઓ બંધ થયા છે. ત્યારે રેલવે મેદાન પાસેના પાણીના અવાડાથી પિત્રોડા કારખાના તરફ રહેતા તેમજ શિવરંજની સોસાયટીના રહીશો સતત […]

ગાંધીનગરમાં મીટરથી 24 કલાક પાણી આપવાની યોજના સામે વસાહત મહાસંઘનો વિરોધ

ગાંધીનગર વસાહત મહાસંઘે આવેદનપત્ર આપીને રજુઆત કરી, સવારે ત્રણ કલાક પૂરતા ફોર્સથી નિયમિત પાણી આપવામાં આવે તે પર્યાપ્ત છે, પાણીના નળ પર લગાવેલા મીટરના મેઈન્ટેનન્સ ખર્ચાળ અને જટિલ છે, ગાંધીનગરઃ શહેરમાં 24 કલાક મીટરથી પાણી આપવાની યોજનાનો વસાહત મહાસંઘ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. વસાહત સંઘ દ્વારા આવેદનપત્ર આપીને એવી રજુઆત કરવામાં આવી છે કે, […]

દેશમાં 10 વર્ષમાં 17.90 લાખથી વધુ લોકોને સ્ટાર્ટ-અપ દ્વારા રોજગારી મળી

ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે બે દિવસની સ્ટાર્ટ-અપ પરિષદને ખૂલ્લી મુકી. આ પ્રસંગે સંબોધન કરતાં, અમિત શાહે કહ્યું, દેશમાં ગત એક દાયકામાં સ્ટાર્ટ—અપ ક્ષેત્રમાં અભૂતપૂર્વ વિકાસ થયો છે, જેના પરિણામે ભારત આજે વિશ્વની ત્રીજી સૌથી મોટા સ્ટાર્ટ-અપ માળખું બન્યો છે. અમિત શાહે સ્ટાર્ટ-અપ વ્યવસ્થાને નવા ભારતના કરોડરજ્જૂ સમાન ગણાવી હતી. […]

પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3થી 8ની સત્રાંત પરીક્ષા 6ઠ્ઠી ઓક્ટોબરથી લેવાશે

ધો.3થી 8 સુધીની સત્રાંત પરીક્ષા 6 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર સુધી ચાલશે, ધો.3થી ધો.5ની પરીક્ષા 40 ગુણની લેવામાં આવશે, ધો.6થી ધો.8ની પરીક્ષા 80 ગુણની લેવાશે અમદાવાદઃ રાજ્યમાં સરકારી શાળાઓમાં ધો.3થી ધો.8 સુધીની સત્રાંત પરીક્ષા 6 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર દરમિયાન લેવામાં આવશે. આ પરીક્ષામાં ધો.3થી ધો.5ની પરીક્ષા 40 ગુણની લેવામાં આવશે જ્યારે ધો.6થી ધો.8ની પરીક્ષામાં પ્રશ્ન પત્ર […]

ભાવનગરમાં બોર તળાવ 43 ફુટની સપાટીએ છલકાયું, કોંગ્રેસે કર્યા નવા નીરના વધામણા

ઉપરવાસમાં ભારે વરસાદને લીધે બોર તળાવ છલોછલ ભરાતા 7 દરવાજા ખોલાયા, બોર તળાવ છલકાતા ભાવનગરમાં પાણીની સમસ્યા નહીં રહે, સૌની યોજનાનું પાણી પૈસા ખર્ચીને પ્રજાને પીવા માટે મજબૂર કરી: કોંગ્રેસ ભાવનગરઃ શહેરનું બોર તળાવ (ગૌરીશંકર તળાવ) ઉપરવાસમાં વરસાદને લીધે 43 ફુટે છલોછલ ભરાતા 7 દરવાજા ખોલવામાં આવ્યા છે. બોર તળાવ છલોછલ ભરાતા શહેરના કોંગ્રેસના આગેવાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code