1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

પ્લેનક્રેશઃ તપાસ માટે સરકારે એક ઉચ્ચ સ્તરીય બહુપક્ષીય સમિતિની રચના કરી

ગાંધીનગરઃ અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 ના દુર્ઘટનાના કારણોની તપાસ માટે સરકારે એક ઉચ્ચ સ્તરીય બહુપક્ષીય સમિતિની રચના કરી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે સમિતિ આવી ઘટનાઓને રોકવા અને નિયંત્રિત કરવા માટે જારી કરાયેલા હાલના માનક સંચાલન પ્રક્રિયાઓ (SOPs) અને માર્ગદર્શિકાઓની તપાસ કરશે. તે ભવિષ્યમાં આવા કિસ્સાઓનો […]

ગુજરાતભરમાં ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

ગાંધીનગરઃ ગુજરાતમાં ઉનાળુ મગના વાવેતર વિસ્તારને ધ્યાને લઇ પ્રતિ ખેડૂત 1500 કિ.ગ્રા મગની ખરીદી કરાશે.ભારત સરકાર દ્વારા વર્ષ 2024-25 માટે મગ પાક માટે ટેકાનો ભાવ રૂ. 8,682 પ્રતિ ક્વિન્ટલ જાહેરમાં આવ્યો હતો. વર્ષ 2024-25માં ત્રીજા એડવાન્સ અંદાજ મુજબ ગુજરાતમાં ઉનાળુ મગનું કુલ વાવેતર 55,610 હેક્ટર, ઉત્પાદન 70,870 મેટ્રિક ટન તથા ઉત્પાદકતા 1274.27 કિગ્રા પ્રતિ હેક્ટર […]

ગુજરાતમાં ઘણી જગ્યાએ હળવી પ્રી-મોન્સૂન ગતિવિધિઓ શરૂ થઈ, 16મી જૂન પછી પડશે વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં ઘણી જગ્યાએ હળવી પ્રી-મોન્સૂન ગતિવિધિઓ ચાલી રહી છે. રાજ્યમાં 14 જૂન પછી હળવો વરસાદ પડી શકે છે. દરમિયાન IMDએ ચોમાસા અંગે આગાહી કરી છે. ગુજરાતમાં ગમે ત્યારે ચોમાસુ આવી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે કેટલાક રાજ્યોમાં ચોમાસુ આવી ગયું છે. ગુજરાતમાં 14 જૂનથી ચોમાસુ ખૂબ જ સક્રિય થશે, જેના કારણે 16 […]

પ્લેન દૂર્ઘટનાઃ બોક્સના ડીવીઆરની તપાસ ફોરેન્સિક લેબમાં કરાશે

અમદાવાદઃ અમદાવાદ વિમાન દુર્ઘટનાનું સાચું સત્ય હવે બધાની સામે આવશે કારણ કે બોઇંગ વિમાનનું બ્લેક બોક્સ કાટમાળમાંથી મળી આવ્યું છે. બોક્સનું ડીવીઆર કાઢીને ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવશે. તેના રેકોર્ડિંગથી ખબર પડશે કે દુર્ઘટના સમયે શું થયું હતું? વિમાન દુર્ઘટનાનું કારણ શું છે? અમદાવાદ વિમાન દુર્ઘટના પાછળનું સાચું કારણ હવે જાણી શકાશે, કારણ કે ક્રેશ થયેલા […]

વિજય રૂપાણીના ગાંધીનગરના નિવાસસ્થાને અંજલીબેનને સાત્વના આપવા નેતાઓ દોડી ગયા

અંજલિબેન ચાર્ટર્ડ પ્લેનથી લંડનથી અમદાવાદ આવ્યા, વિજ્ય રૂપાણીની અંતિમવિધિ રાજકોટમાં કરાશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંજલીબેનને સાત્વના આપી અમદાવાદઃ શહેરમાં ગઈકાલે લંડન જતું એર ઈન્ડિયાનું  વિમાન દૂર્ઘટનાનો ભોગ બન્યું હતું. જેમાં વિમાનના 230 પ્રવાસીઓ અને 12 સ્ક્રુ મેમ્બરના મોત નિપજ્યા હતા. આ વિમાનમાં પ્રવાસ કરી રહેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ દુ:ખદ નિધન થયું હતું. […]

નર્મદા જિલ્લામાં 21મી જુને આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઊજવણી કરાશે

5 તાલુકામાં 15મી જુનથી વિનામૂલ્યે યોગ તાલીમ અપાશે, જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક મળી, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોગ દિનની ઊજવણી કરાશે  રાજપીપળાઃ ગુજરાતભરમાં તા. 21મી જુનના રોજ વિશ્વ યોગ દિનની ઊજવણી કરવામાં આવશે. રાજ્યના તમામ જિલ્લા કલેકટરો દ્વારા યોગ દિનની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે નર્મદા જિલ્લામાં 21મી જૂન-2025ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી […]

દક્ષિણ ગુજરાતના 14 તાલુકામાં પડ્યો વરસાદ, રવિવારથી ભારે વરસાદની શક્યતા

વાપીના અન્ડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકો મુળશ્કેલીમાં મુકાયા, ઉમરગામ અને સંજાણ વિસ્તારમાં મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો, કેટલાક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો અમદાવાદ: ગુજરાતમાં 15મી જુનથી ચોમાસાનું વિધિવત આગમન થાય તેવી શક્યતા છે. આજે શુક્રવારે બપોર સુધીમાં દક્ષિણ ગુજરાતના 14 તાલુકામાં વરસાદના ઝાપટાં પડ્યા હતા. જેમાં ઉમરગામ, વાપી, વલસાડ, ધરપપુર, કપરાડા, વાસદાં, ખેરગામ વગેરેનો સમાવેશ […]

જામનગરમાં મોડીરાતે સ્કોર્પિયોએ બે તબીબ વિદ્યાર્થીને અડફેટે લઈ વીજપોલને ટક્કર મારી

PGVCLના અધિકારીએ સ્કોર્પિયોચાલક સામે ફરિયાદ નોંધાવી, સ્કોર્પિયો અથડાતા વીજપોલને 10 હજાર રૂપિયાનું નુકસાન, પોલીસે બે ઈજાગ્રસ્ત તબીબોના નિવેદનો લીધા જામનગરઃ શહેરમાં ગુરુદ્વારા ચોકડી પાસે તાજેતરમાં મોડી રાતે પુર ઝડપે આવી રહેલી એક સ્કોર્પિયોના ચાલકે બે તબીબી વિદ્યાર્થીઓને હડફેટમાં લીધા હતા, ત્યારબાદ વીજપોલને પણ ટક્કર મારી નુકસાની પહોંચાડ્યુ હતુ, અને ત્યારબાદ સ્કોપિયોકાર એક બંગલાની દીવાલ સાથે […]

ભૂમિ ચૌહાણને ટ્રાફિક નડ્યો ને લંડનની ફ્લાઈટ ચુકી જતા બચી ગઈ

અમદાવાદનો ટ્રાફિક ભૂમિ ચૌહાણને ફળ્યો, ફ્લાઇટ ચૂકી જતાં ભૂમિએ બોર્ડિંગ પાસ ફાડીને ગુસ્સો કર્યો હતો, ભૂમિ કહે છે, મારું શરીર ધ્રુજી રહ્યું છે, મને કોઈ શબ્દો મળી રહ્યા નથી. અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી લંડન જતું એરઈન્ડિયાનું વિમાન ટેકઓફ થયા બાદ ગણતરીની સેકન્ડમાં તૂટી પડ્યું હતું. આ દૂર્ઘટનામાં વિમાનમાં પ્રવાસી કરી રહેલા 241 જેટલા […]

ભૂજના રતિયા ગામે પ્રાથમિક શાળાના છતના પોપડા પડતા 3 વિદ્યાર્થીઓને ઈજા

પ્રા. શાળામાં વિદ્યાર્થીઓ ભણી રહ્યા હતા ત્યારે જ પોપડા પડ્યા, ત્રણ વિદ્યાર્થીને ઈજા થતાં ભૂજમાં સરકારી હોસ્પિટલમાં ખસેડાયા, DPEOએ તપાસ માટે ટીમ શાળામાં મોકલી ભુજઃ રાજ્યમાં સરકાર દ્વારા શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. છતાંયે ઘણી શાળાઓના જર્જરિત મકાનો હોવાથી બાળકો ભયના ઓથાર નીચે અભ્યાસ કરી રહ્યા છે. ભૂજ તાલુકાના રતીયા ગામની સરકારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code