1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

અયોધ્યા શ્રીરામ મંદિર ઉપર ધર્મની ધજાનું આરોહણ સંપન્ન થયુંઃ જુઓ તસવીરોમાં

અયોધ્યા, 25 નવેમ્બર, 2025ઃ Hoisting of religious flag on Ayodhya Shri Ram temple completed અયોધ્યામાં શ્રીરામ મંદિરનું કાર્ય આજે સંપૂર્ણ થયું છે તેના પ્રતીકરૂપે મંદિર ઉપર ધર્મની ધજાનું આરોહણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતના હસ્તે આ ધ્વજારોહણ સંપન્ન થયું છે. આ પવિત્ર પ્રસંગે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન […]

મેમનગર ગુરુકુલમાં ‘તીર્થ માટી યાત્રા’થી સર્જાયાં અખંડ ભારતનાં દિવ્ય દૃશ્યોઃ જુઓ વીડિયો

અમદાવાદ, 25 નવેમ્બર, 2025ઃ Tirth Maati Yatra at Memnagar Gurukul શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર, અમદાવાદના સુવર્ણ જયંતી મહોત્સવ (તા. ૨૨ ડિસેમ્બરથી ૧૧ જાન્યુઆરી) નિમિત્તે યોજાનાર ભવ્ય ૫૧ કુંડી ‘મહાવિષ્ણુયાગ’ના યજ્ઞશાળા નિર્માણ પૂર્વે, ‘૧૦૦૮ તીર્થોની માટી યાત્રા’નું અલૌકિક આયોજન થયું. આ નિમિત્તે તારીખ ૨૧ નવેમ્બર ૨૦૨૫ના શુભ દિને અમદાવાદની ધર્મભૂમિ પર એક અવિસ્મરણીય અને અભૂતપૂર્વ પ્રસંગે […]

બગોદરા-બાવળા-સનાથળ સુધી હાઈવે પર ખાડાને લીધે થતો ટ્રાફિકજામ

અમદાવાદ-રાજકોટ સિક્સ-લેન હાઇવેનું કામ વર્ષોથી અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું છે, સનાથલથી બગોદરા સુધીના પટ્ટામાં સર્વિસ રોડ, ગટર લાઇન અને પુલના કામો અધૂરા, હાઈવે પર ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે, અમદાવાદઃ રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવેને સિક્સ લેન બનાવવાનું કામ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યુ છે. કામ ક્યારે પૂર્ણ થશે તે કોઈ કહી શકે તેમ નથી. બીજીબાજુ […]

મતદાર યાદી સુધારણાની કામગીરી કરતા બિમાર કર્મચારીઓને વર્કલોડથી મુક્તિ આપોઃ કોંગ્રેસ

વડોદરા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું, BLOની કામગીરી દરમિયાન મૃત્યુ માપેલા કર્મચારીઓના પરિવારને નોકરી-સહાય આપવા માગણી, વડોદરાઃ ગુજરાતમાં મતદાર સુધારણા (SIR)નું કામ ચાલી રહ્યું છે. જેમાં બીએલઓ અને સહાયક બીએલઓની કામગીરી શિક્ષકો સહિત કર્મચારીઓને સોંપવામાં આવી છે. શિક્ષકોએ તો શાળાઓમાં ભણાવવાની કામગીરી બાદ બીએલઓ તરીકેની કામગીરી કરવી પડે છે. કામના અસહ્ય ભારણને લીધે શિક્ષકો […]

ગુજરાતમાં પ્લાસ્ટિક ફ્રી સ્વદેશી મેળાઓથી ‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન

રાજ્યના 16 શહેરોમાં સ્વદેશી મેળાઓમાં₹ 10 કરોડથી વધુનું વેચાણ, બે મહિનામાં સ્વદેશી મેળાઓની50 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી, વોકલ ફોર લોકલ’ જેવા જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાયુ ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે હર ઘર સ્વદેશી અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાવા માટે દેશના તમામ નાગરિકોને આહ્વાન કર્યું છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આ અભિયાન સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહ્યું […]

સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવેલા યુવાને કર્યો આપઘાત

પોલીસ સ્ટેશનના ચોથા માળેથી પડતુ મુકી યુવાને કર્યો આપઘાત, પોલીસની હાજરીમાં યુવાન ચોથા માળે ટેરેસ પર કેમ ગયો તે અંગે સવાલો ઊઠ્યા, પોલીસ સ્ચટેશનમાં ઘટના બનતા પોલીસ અધિકારીઓ દોડી આવ્યા સુરતઃ શહેરના લિંબાયત પોલીસ સ્ટેશનના ટેરેસ પરથી કૂદીને યુવકે આપઘાત કર્યો છે. ચાર માળના લિંબાયત પોલીસ સ્ટેશનના ટેરેસ પરથી યુવકે મોતની છલાંગ લગાવી હતી. ચોથા […]

જામનગરમાં રેલવે સ્ટેશન પર રોફ જમાવતો નકલી પોલીસ ઝડપાયો

રિક્ષાચાલકોને પોલીસ હોવાનુ કહીને મફત મુસાફરી કરતો હતો, રેલવે પોલીસમાં કોન્સ્ટેબલ હોવાની ઓળખ આપતો હતો, અસલી પોલીસે યુવાનને રોકીને પૂછતાછ કરતા ગલ્લા-તલ્લાં કરવા લાગ્યો જામનગરઃ શહેરના ગાંધીનગર રેલ્વે સ્ટેશન પાસે નકલી પોલીસને રોફ મારતા પોલીસે ઝડપી લીધો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાનો વતની એવો શખસ પોતાને રેલવેના પોલીસ કર્મચારીની ઓળખ આપીને રિક્ષા ચાલકો પાસે રોફ જમાવતાં […]

ગાંધીનગરની પાલજ સરકારી શાળાની અનોખી સિદ્ધિ, વિકાસલક્ષી પ્રવૃતિમાં અગ્રેસર

900થી વધુ સિક્કા કલેક્શન બદલ‘વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડ‘માં સ્થાન, IIT પ્રેરિત‘ક્યુરિયોસીટી કાર્નિવલ-2025માં પ્રથમ ક્રમ મેળવ્યો, રાજ્યકક્ષાનો‘ક્લાઈમેટ ચેન્જ એવોર્ડ-2025‘ પ્રાપ્ત કર્યો ગાંધીનગરઃ શિક્ષણની સાથેસાથે વિદ્યાર્થી વિકાસલક્ષી સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં પણ રાજ્ય સરકાર સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓ હંમેશા અગ્રેસર હોય છે, જેનું ઉત્તમ ઉદાહરણ છે… ગાંધીનગર જિલ્લાની પાલજ ગામની ‘સરકારી પ્રાથમિક શાળા’, ગુજરાતની ‘રાજધાની’ ગાંધીનગર અને સાબરમતી નદી કિનારે આવેલું ‘પાલજ’ ગામ….. ‘શિક્ષક કભી સાધારણ નહીં […]

કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં ગયેલા પસ્તાઈ રહ્યા છેઃ સાંસદ ગનીબેન ઠાકોર

બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ કાર્યાલયનું લોકાર્પણ કરાયું, કોંગ્રેસના નેતાઓએ ખેડૂતોના પ્રશ્નો, મોંઘવારી અને ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપ સામે પ્રહારો કર્યા, કોંગ્રેસની જન આક્રોશ યાત્રાને મળ્યો આવકાર પાલનપુરઃ કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ કાર્યાલયનું કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ લોકાર્પણ કર્યું હતુ. બનાસકાંઠા કોંગ્રેસ કાર્યાલયના લોકાર્પણ સમારોહમાં કોંગ્રેસના નેતાઓએ ભાજપ સરકાર સામે પ્રહારો કર્યા હતા. […]

દહેગામ રોડ પર ડમ્પરે બાઈકને અડફેટે લીધા બાદ ST બસને ટક્કર મારી, બસે ખાધી પલટી

દહેગામના સોલંકીપુરા ગામ પાસે સર્જાયો અકસ્માત, બાઈકચાલક ઓવરટેક કરવા જતાં ડમ્પરએ અડફેટે લીધો, બસના ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા ગાંધીનગરઃ દહેગામ રોડ ઉપર આવેલા સોલંકીપુરા ગામ નજીક  ડમ્પર ટ્રકના ચાલકે પૂર ઝડપે બાઇકને અડફેટે લીધા બાદ બે એસટી બસોને ટકકર મારી હતી. આ ટક્કરના કારણે મોડાસા રૂટની બસ પલટી ખાઈ ગઈ હતી. આ ઘટનામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code