1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

કોંગ્રેસ દ્વારા ‘નશા મુક્ત ગુજરાત’ અભિયાનનો પ્રારંભ, હેલ્પલાઈન નંબર જાહેર કરાયો

ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સની બેફામ બદી સામે કોંગ્રેસ આંદોલન કરશે, નાગરિકો 99090 89365 પર મિસ્ડ કોલ કરી શકશે, એન.એસ.યુ.આઈ. દ્વારા ગુજરાત યુનિવર્સિટીથી બાઈક રેલી યોજાઈ  અમદાવાદઃ  ‘નશા મુક્ત ગુજરાત’ અભિયાન હેઠળ ગુજરાત એન.એસ.યુ.આઈ. દ્વારા ગુજરાત યુનિવર્સિટીથી વિવિધ કેમ્પસો આવરી લઈને બાઈક રેલી યોજાઈ હતી. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા, કાર્યકારી પ્રમુખ ઈન્દ્રવિજયસિંહ ગોહિલ […]

ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં 1.20 લાખ હેક્ટર વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેઠળ આવરી લેવાયો

ગુજરાતમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના વ્યાપમાં સતત વધારો, છેલ્લા બે દાયકામાં રાજ્યના 16.28 લાખથી વધુ ખેડૂતોએ સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવી, સૂક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ ખેડૂતોનેરૂ. 9224.27 કરોડથી વધુની પ્રોત્સાહક સહાય અપાઈ ગાંધીનગરઃ આજના કૃષિ વૈશ્વિકરણ અને વૈવિધ્યતાના સમયમાં કૃષિને વધુ નફાકારક બનાવવા માટે સિંચાઈમાં પાણીનો અસરકારક ઉપયોગ અને વ્યવસ્થાપન થવું ખૂબ જ જરૂરી છે. એટલા માટે […]

અમદાવાદ અને ગાંધીનગરના શિક્ષકો પર PM-FCT પ્રોજેક્ટ માટે ડેટા મેપિંગનું નવું કાર્યભારણ

શિક્ષકો સરની કામગીરીમાં રોકાયેલા છે. ત્યાં નવી જવાબદારી સોંપાતા અસંતોષ, પ્રધાનમંત્રી ફેમિલી કેર ટ્રેકિંગ માટે વિદ્યાર્થીઓનું ડેટા મેપિંગ કરવું પડશે, 20મી ડિસેમ્બર સુધીમાં કામગીરી પૂર્ણ કરવાના આદેશ સામે શિક્ષકોમાં કચવાટ ગાંધીનગર: શિક્ષકો પર શિક્ષણ ઉપરાંત કામનું ભારણ વધી રહ્યુ છે. શિક્ષકોને બાળકોને ભણાવવા કરતા અન્ય બિન શૈક્ષણિક કામગીરી સોંપવામાં આવી રહી છે. હાલ અમદાવાદ અને ગાંધીનગર […]

જુઓ વીડિયોઃ વડગામે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ખભે ઊંચકી લીધા

નાયબ મુખ્યમંત્રીએ બનાસકાંઠાના વડગામ ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ લાઇબ્રેરીનું કર્યું લોકાર્પણ ૨૦ હજાર પુસ્તકોની ક્ષમતા સાથે ૧૬૯ બેઠક ક્ષમતાવાળી લાઇબ્રેરીમાં કોન્ફરન્સ રૂમ સહિત મહિલાઓ- બાળકો- વરિષ્ઠ નાગરિકો માટે અલગ સુવિધાઓ ઊભી કરાઈ પાલનપુર, 4 ડિસેમ્બર, 2025ઃ Deputy Chief Minister Harsh Sanghvi નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ બનાસકાંઠા જિલ્લાના વડગામ ખાતે સુવિધાઓથી સજ્જ નવનિર્મિત તાલુકા કક્ષાની આધુનિક લાઇબ્રેરીનું […]

અમદાવાદમાં બીયુ વગરની 16 હોસ્પિટલ, 10 સ્કૂલો અને બે બેન્કવેટ હોલને સીલ કરાયા

એએમસીએ બીયુ વગરના બિલ્ડિંગો સામે કાર્યવાહી હાથ ધરી હોસ્પિટલ ચલાવવા માટે કોમર્શિયલ એકમ તરીકેનું બીયુ ફરજિયાત BU પરમિશન વિના ચાલતા એકમોને હવે કોઈ રાહત અપાશે નહીં અમદાવાદઃ શહેરમાં ઘણા બિલ્ડિંગોમાં બીયુ પરમિશન લીધેલી નથી. આથી બીયુ પરમિશન વિનાની બિલ્ડિંગોમાં હોસ્પિટલો, શાળાઓ વગેરે ચાલી રહ્યા છે. આથી મ્યુનિના અધિકારીઓએ ચેકિંગ ઝૂંબેશ હાથ ધરીને બીયુ વગરની બિલ્ડંગો […]

ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં કરોડો રૂપિયાનું 91453 કિલો ડ્રગ્સ પકડાયુ

ગુજરાતમાં યુવાનોમાં ડ્રગ્સનું વ્યસન વધતુ જાય છે, ગુજરાતમાં દર વર્ષે સરેરાશ 15થી 20 હજાર કિલો ડ્રગ્સ પકડાય છે, 1600 કિમીનો દરિયા કિનારો હોવાથી ગુજરાત ડ્રગ્સનું અન્ટ્રી પોઈન્ટ બન્યુ અમદાવાદઃ ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી વધી રહી છે. અને વિદેશોથી ડ્રગ્સની ઘૂંસણખોરી પણ વધી રહી છે. માત્ર એરપોર્ટ પરથી નહીં પણ દરિયા કિનારેથી પણ ડ્રગ્સ ઘૂસાડવામાં આવી રહ્યુ […]

ગિરનાર પર્વત પર ભારે પવન ફુંકાતા સલામતી માટે રોપ-વે સેવા બંધ કરાઈ

રોપ-વે સેવા બંધ કરાતા પ્રવાસીઓમાં નિરાશા, આજે વહેલી સવારથી ગિરનાર પર્વત પર ભારે પવન ફુંકાય રહ્યો છે, યાત્રિકોની સલામતી અને સુરક્ષાને ધ્યાને લઈ નિર્ણય લેવાયો જુનાગઢઃ ગિરનારના પર્વત પર આજે સવારથી ભારે પવન ફુંકાય રહ્યો છે. અને વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. તેથી યાત્રિકાની સલામતી માટે રોપ-વે સેવા બંધ કરવામાં આવી છે. યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં […]

ઉત્તર ગુજરાતમાં રવિ સીઝનનું 62.34 ટકા વાવેતર પૂર્ણ, 1.93 લાખ હેક્ટરમાં ઘઉંની વાવણી

ઉત્તર ગુજરાતમાં 02 લાખ હેક્ટરના અંદાજ સામે 7.49 લાખ હેક્ટરમાં વાવેતર, ખેડૂતો વાવણી કરી રહ્યા હોવાથી હજપ વાવેતર વિસ્તાર વધશે, 30 ટકા એટલે કે, 1.67 લાખ હેક્ટરમાં રાઈનું વાવેતર થયું ગાંધીનગરઃ ઉત્તર ગુજરાતમાં ખેડૂતોએ રવિ સીઝનમાં છેલ્લા એક મહિનાથી વાવણીના કાર્યનો પ્રારંભ કર્યો હતો. ઉત્તર ગુજરાતની 12.02 લાખ હેક્ટર જમીનમાં વાવેતરના અંદાજ સામે અત્યાર સુધીમાં […]

સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેશનમાં સીસીટીવી લગાવવા કલેક્ટરે કર્યો આદેશ

પ્રવાસીઓએ ST બસ સ્ટેશનમાં CCTV લગાવવા કલેકટરને રજુઆત કરી હતી, સુરેન્દ્રનગર બસ સ્ટેશનમાં પ્રતિદિન 14000થી વધુ પ્રવાસીઓની અવરજવર, ડેપા મેનેજરે રાજકોટ એસટી ડિવિઝનને કલેકટરના આદેશની જાણ કરી સુરેન્દ્રનગરઃ શહેરમાં કરોડોના ખર્ચે એસટી બસ સ્ટેશન બનાવવામાં આવ્યુ છે. પણ એસટી બસ સ્ટેશનના બિલ્ડિંગમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા નથી. આથી કેટલાક સ્થાનિક પ્રવાસીઓએ જિલ્લા કલેકટરને રજુઆતો કરી […]

લખતરના નજીક નર્મદા કેનાલના રોડ પર કારે સિંચાઈ માટેના ત્રણ એન્જિન મશીનને ટક્કર મારી

ખેડૂતોએ કેનાલ પર એન્જિન મશીન મુક્યા હતા લીલાપુર તરફ જતી કારે એન્જિન મશીન સાથે અથડાઈ અકસ્માત બાદ કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો સુરેન્દ્રનગરઃ જિલ્લાના લખતરના કડુ નજીક નર્મદાની વલ્લભીપુર શાખા નહેરના સમાંતર રોડ પર ગઈકાલે રાતના સમયે અકસ્માત સર્જાયો હતો. એક કારચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવી પિયત માટે નહેર કિનારે મૂકેલા ત્રણ એન્જિન મશીનોને હડફેટે લીધા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code