1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

વેદમૂર્તિ દેવવ્રત મહેશ રેખેને દંડક્રમ પારાયણમ પૂર્ણ કરવા બદલ પ્રધાનમંત્રીએ અભિનંદન પાઠવ્યા

નવી દિલ્હી, 2 ડિસેમ્બર, 2025ઃ Vedmurti Devvrat Mahesh Rekhe પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વેદમૂર્તિ દેવવ્રત મહેશ રેખેને શુક્લ યજુર્વેદની માધ્યંદિની શાખાના 2000 મંત્રોથી બનેલા દંડકર્મ પારાયણમને કોઈપણ વિક્ષેપ વિના 50 દિવસમાં પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે 19 વર્ષીય વેદમૂર્તિ દેવવ્રત મહેશ રેખેએ જે કર્યું છે તે આવનારી પેઢીઓ દ્વારા યાદ […]

ગુજરાતમાં હવે ૬૦ ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓને પણ સંત સુરદાસ યોજનાનો લાભ મળશે

છેલ્લા પાંચ વર્ષમાં ૪ લાખથી વધુ દિવ્યાંગોને વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ રૂ. ૮૨૦ કરોડથી વધુની સહાય ચૂકવાઈ બીપીએલ કાર્ડ અને ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરની જોગવાઈ દૂર કરાઈ: કોઈપણ દિવ્યાંગ વ્યક્તિ પસંદગીનું ટુ-વ્હીલર ખરીદી શકશે ગાંધીનગર, 2 ડિસેમ્બર, 2025ઃ benefit of Sant Surdas Yojana in Gujarat દિવ્યાંગોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. સંત […]

અમદાવાદમાં વિરાટનગર બ્રિજ પાસે 18 દૂકાનોમાં લાગી આગ ભારે જહેમત બાદ કાબુમાં આવી

2 દુકાનોમાં લાગેલી આગ બે માળના આખા બિલ્ડિંગની 18 દુકાનોમાં પ્રસરી, સ્થાનિક લોકોનો આક્ષેપ, BU કે ફાયર સેફ્ટી નથી, રજૂઆત છતાં AMCએ પગલાં ના લીધા, ફાયર બ્રિગેડે આગને કાબૂમાં લેવા માટે 50 ફોમ કેરબાનો ઉપયોગ કર્યો અમદાવાદઃ શહેરના નારોલ-નરોડા હાઇવે પર વિરાટનગર બ્રિજ પાસે આવેલા વ્રજેશ્વરી કોમ્પલેક્સની બે દૂકાનોમાં આગ લાગ્યા બાદ જોતજોતામાં આગ પ્રસરીને […]

વડોદરામાં મહિલા વર્ક ફ્રોમ હોમની લાભામણી સ્કીમમાં ફસાઈ, 31 લાખ ગુમાવવા પડ્યાં

ઠગ ટોળકીએ મહિલાએ ડિપોઝિટના સામે આકર્ષક વળતરની લાલચ આપી હતી, મહિલાને ગૂગલ મેપને રેટિંગ આપવાના નામે પાર્ટ ટાઈમ જોબની ઓફર કરી હતી, ઠગ ટોળકીએ 1000ના રોકાણ સામે 1300, અને 5000 સામે 6,500 રૂપિયા કમાવવાની સ્કીમ આપી હતી વડોદરાઃ સાયબર માફિયાઓ અવનવી તરકીબો અપવાનીને લોકોને તેની ઝાળમાં ફસાવતા હોય છે. શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતી ઇન્વેસ્ટમેન્ટ એજન્સીની […]

ગુજરાતને સતત વાંચતું રાખવા કોઈ પુસ્તકની “પરબ” માંડે છે તો કોઈ “અભિયાન” ચલાવે છે

(અલકેશ પટેલ) અમદાવાદ, 2 ડિસેમ્બર, 2025: The book lovers of Gujarat ગુજરાતીઓ મૂળભૂત રીતે વેપારી માનસ ધરાવે છે તેથી અહીં સાહિત્ય-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અન્ય કેટલાંક રાજ્યો જેટલી થતી નથી એવી સર્વસામાન્ય છાપ હંમેશાં રહી છે. તેમાં તથ્ય પણ છે. ગુજરાતી સાહિત્યકારો સર્જન તો કરે છે પરંતુ પછી તેમનાં સર્જનને પ્રજા સુધી લઈ જઈને, પ્રજાને તેમાં ઈન્વોલ્વ રાખવાની […]

જામનગરના બ્રાસ પાર્ટના ઉદ્યોગપતિની રૂપિયા 800 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં ધરપકડ

CBI, IT અને EDની બાદ જીએસટી ઇન્ટેલિજન્સ (DGGI)એ કાર્યવાહી કરી, બ્રાસના ઉદ્યોગપતિએ આર્થિક ફાયદા માટે 40 જેટલી બોગસ પેઢીઓ ઊભી કરી હતી, આરોપી GST નંબર ધરાવતી પણ નિષ્ક્રિય હોય તેવી કંપનીઓ ખરીદી લેતા હતા જામનગરઃ રાજ્યમાં સીબીઆઇ, ઇન્કમટેક્સ અને ઈડીની કાર્યવાહી બાદ હવે ડાયરેક્ટર જનરલ ઑફ જીએસટી ઇન્ટેલિજન્સ (DGGI)એ કરચોરી સામે આકરી કાર્યવાહી કરી છે. […]

GST ઘટ્યો છતાં ટેક્સ ગેરરીતિ અટકતી નથી, ગુજરાતમાં એક મહિનામાં 32.40 કરોડની ચોરી પકડાઈ

ગુજરાતમાં ગત નવેમ્બર મહિનામાં જીએસટી કલેકશન 6723 કરોડ થયુ, ગત વર્ષનાં નવેમ્બર કરતા એક ટકો જીએસટીની આવક વધી, રાજ્યના કર વિભાગને GST- વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા થકી કુલ રૂા. 10,469 કરોડની આવક થઈ અમદાવાદઃ દિવાળી પહેલા કેન્દ્ર સરકારે જીએસટીના દરમાં ઘટાડો કર્યો હોવા છતાંય જીએસટીની ટેક્સચોરીમાં ઘટાડો થયો નથી. સરકારને નવેમ્બરમાં જીએસટીની ટેકસ […]

સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓને 180 દિવસમાં ડિગ્રી સર્ટી આપવા UGCનો આદેશ

180 દિવસમાં ડિગ્રી નહીં મળે તો યુનિવર્સિટીની અટકાવાશે ગ્રાન્ટ, યુનિવર્સિટીઓ સમયસર પરીક્ષા લેતી નથી અને પરિણામો વિલંબથી જાહેર કરાય છે, એકેડેમિક કેલેન્ડર અનુસાર શૈક્ષણિક કાર્ય કરવા યુજીસીએ તાકીદ કરી અમદાવાદઃ દેશની ખાનગી અને સરકારી યુનિવર્સિટીઓ માટે યુજીસીએ ગાઈડ લાઈન જાહેર કરી છે. જેમાં ખાસ કરીને સરકારી યુનિવર્સિટીઓ દ્વારા પરીક્ષાઓ મોડી યોજીને તેના પરિણામો પણ વિલંબથી […]

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ઉંદરો દર્દીઓને રાતે ઊંઘવા દેતા નથી

ઉંદરોના આતંકથી દર્દીઓથી માંડી સ્ટાફ ત્રાહિમામ દર્દીઓના સગાઓ દ્વારા વોર્ડ આસપાસ ફેંકવામાં આવતા એઠવાડને લીધે ઉંદરોમાં વધારો, ઉંદરોનો ત્રાસ દૂર કરવા હોસ્પિટલના સત્તાધિશો સમક્ષ દર્દીઓએ કરી માગ ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનો ત્રાસ એટલે બધો વધી રહ્યો છે. કે, ઉંદરો રાતના સમયે દર્દીઓને ઊંઘવા દેતા નથી. દાખલ દર્દીઓ અને હોસ્પિટલના સ્ટાફ માટે ઉંદરોનો ત્રાસ […]

ભાવનગરમાં સર તખ્તસિંહજી હોસ્પિટલનું 7 માળનું બિલ્ડિંગ 18 વર્ષમાં જર્જરિત બન્યું

બિલ્ડીંગ જર્જરિત બનતા છેલ્લા 4 વર્ષથી બંધ કરી દેવાયું, હોસ્પિટલના બિલ્ડિંગમાં વારંવાર પોપડા ખરી રહ્યા છે, જર્જરિત બિલ્ડિંગને ઉતારી લેવા કોંગ્રેસે માગ કરી ભાવનગરઃ  શહેરની સર તખ્તસિંહજી હોસ્પિટલ કેમ્પસમાં સાતમાળની બિલ્ડીંગ માત્ર 18 વર્ષમાં ભયજનક બની ગઈ છે. જર્જરિત થયેલી હોસ્પિટલની બિલ્ડીંગને છેલ્લા 4 વર્ષથી બંધ કરી દેવામાં આવી છે. આ જર્જરિચ બિલ્ડિંગમાં વારંવાર પોપડા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code