1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

અમદાવાદમાં અસલાલીમાં આવેલી ફેકટરીમાં લાગી ભીષણ આગ

આગની જાણ થતાં ફાયર વિભાગની 10 ગાડીઓ પહોંચી, ફેકટરીમાં થીનરનો જથ્થો હોવાથી આગે વિકરાળરૂપ ધારણ કર્યુ, અમદાવાદઃ શહેરના અસલાલી વિસ્તારમાં આવેલી એકતા હોટલની સામે એક ફેક્ટરીમાં આગ ફાટી નિકળતા ફાયર વિભાગની 10 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. પ્રાથમિક તપાસમાં ફેક્ટરીમાં થીનરનો જથ્થો હોવાથી આગે વિકરાળરૂપ ધારણ કર્યુ હતુ. આગને લીધે ફેકટરીના આજુબાજુના વિસ્તારમાં અફડાતફડી […]

રાપરના આડેસર ગામે પાણીની ટાંકીમાં ડૂબી જતા બે પૂત્રી અને માતા સહિત ત્રણના મોત

ઘરમાં બનાવેલી પાણીની ટાંકીમાં 5 વર્ષની બાળકી રમતા-રમતા પડી, બાળકીને બચાવવા જતા તેની માતા માસુમ બાળકી સાથે પડી, પાણીની ટાંકી ઊંડી હોવાથી ડૂબી જતા ત્રણેયના મોત ભૂજઃ કચ્છના રાપર તાલુકાના આડેસર ગામે પાણીના ટાંકામાં પડી જતાં માતા અને તેની બે પુત્રીઓના મોત થયા છે. પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરી છે. આ બનાવથી સમગ્ર પંથકમાં શોકનો […]

રાજકોટમાં ભાજપના નેતાની હોસ્પિટલના ગેરકાયદે બાંધકામના મુદ્દે RMCએ નોટિસ ફટકારી

ACP ડેન્ટલ કેર ક્લિનિકને ગેરકાયદે બાંધકામ બદલ નોટિસ આપી, ગઈ તા. 27મી સપ્ટેમ્બરે સાંસદ પરસોત્તમ રૂપાલાના હસ્તે ઉદઘાટન કરાયું હતું, ભાજપના નેતાએ કહ્યુ, બાંધકામ મંજુરી લઈને અમારી જમીનમાં જ કરાયેલું છે રાજકોટઃ શહેરમાં યુનિવર્સિટી રોડ પર આવેલા એસીપી ડેન્ટલ કેર હોસ્પિટલના ગેરકાયદે બાંધકામના મુદ્દે મ્યુનિ.કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગે  નોટિસ ફટકારી છે.એસીપી ડેન્ટલ કેરની હોસ્પિટલની માલિકી […]

અમદાવાદના જમાલપુરમાં AMCનું મેગા ડિમોલિશન, 30 દૂકાનો તોડી પડાઈ

મ્યુનિની જમીનમાં 30 દૂકાનો બાંધી દેવામાં આવી હતી, ભાડા કરાર પૂરો થયા બાદ મ્યુનિને 16 વર્ષે દબાણો થયેલા યાદ આવ્યા, દબાણો હટાવીને 13000 વાર જગ્યા ખૂલ્લી કરાશે અમદાવાદઃ શહેરના જમાલપુર વિસ્તારમાં એએમસીએ મેગા ડિમોલિશન હાથ ધર્યુ હતુ. જમાલપુરમાં ઊંટવાળી ચાલી પાસે મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યામાં ગેરકાયદે બંધાયેલી કુલ 30 દુકાનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મ્યુનિના એસ્ટેટ […]

દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટની ઘટનાને લીધે કેન્દ્રિય મંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ રદ કરાયો

કેન્દ્રિય મંત્રી અમિત શાહ કાલે ગુજરાતની એક દિવસની મુલાકાતે આવવાના હતા, અમિત શાહ અમદાવાદ અને મહેસાણા ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના હતા, દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ ઘટનાની તપાસમાં કેન્દ્રિય મંત્રીનું માર્ગદર્શન અમદાવાદ:  કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતની એક દિવસની મુલાકાતે આજે આવવાના હતા. અને આવતી કાલે અમદાવાદ અને મહેસાણામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના […]

ગુજરાતમાં નાના રાજકીય પક્ષોના દાનના કૌભાંડમાં ઈન્કમ ટેક્સના 24 સ્થળોએ દરોડા

ભારતીય નેશનલ જનતા દળના સંજય ગજેરાના ઘર-ઓફિસે ITની રેડ, રાજકીય દાનના નામે કરચોરીના મેગા કૌભાંડના પડદાફાસની શક્યતા, ભારતીય નેશનલ જનતા દળને રાજકીય દાન 957 કરોડ મળ્યુ હતું ! અમદાવાદઃ રાજકીય પક્ષોને અપાતા દાનમાં કરમુક્તિ અપાતી હોવાથી નાના રાજકીય પક્ષો દાનપેટે કરોડો રૂપિયા કમિશનપેટે લેતા હોય છે. અને કરદાતાઓ રાજકીય પક્ષોને દાનમાં રકમ દર્શાવીને કરમુક્તિનો લાભ […]

સામખિયાળી હાઈવે પર પવન ચક્કીની પાંખ લઈ જતા ટ્રેલરને અકસ્માતથી ટ્રાફિક જામ

ટ્રેલર હાઈવે પર ફંટાઈને આડુ ફરી જતા હાઈવેનો એક તરફનો રસ્તો બ્લોક થયો, સામખિયાળી- રાધનપુર હાઈવે પર 6 કિમી ટ્રાફિકજામ સર્જાયો, પોલીસે ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત ટ્રેલરને હાઈવે પરથી હટાવ્યુ ભૂજઃ ટ્રાફિકથી સતત વ્યસ્ત રહેતા સામખયાળી-રાધનપુર નેશનલ હાઈવે પર રાપર તાલુકાના ગાગોદર અને માનગઢ વચ્ચે વહેલી સવારે પવનચક્કીની પાંખ લઈ જતું એક મહાકાય ટ્રેલર બેકાબુ બનીને […]

થાનગઢ નજીક મગફળી ભરેલી ટ્રક બેરીકેટ સાથે અથડાતા લોકોએ મગફળીની લૂંટ ચલાવી

ટ્રકમાં FCIના ગોદામમાંથી ભરેલી સરકારી મગફળીની બોરીઓ રોડ પર વેરવિખેર થઈ, રોડ પર જતા વાહનચાલકો અને આજુબાજુના લોકો મગફળીની બેરીઓ ઉઠાવી ગયા, અકસ્માતના બીજા બનાવમાં બે કાર વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત સુરેન્દ્રનગરઃ જિલ્લાના થાનગઢ નજીક ધોળેશ્વર ફાટક પાસે મગફળીના બોરીઓ ભરેલો એક ટ્રક રેલવે વિભાગ દ્વારા મુકાયેલા બેરીકેટ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ ટ્રકમાં […]

ભાવનગર અને પાલિતાણાથી બાંદ્રા સુધી 19મી નવેમ્બરથી વિશેષ ટ્રેનો દોડાવાશે

પાલિતાણામાં 19મી નવેમ્બરથી માળા રોપણ વિધિમાં જૈન સમુદાય ઉમટી પડશે, 19મી નવેમ્બરે ભાવનગર ટર્મિનસથી રાત્રે 21:20 વાગ્યે બાંદ્રા જવા ટ્રેન ઉપડશે, 20 નવેમ્બરે બાંદ્રા ટર્મિનસથી પાલિતાણા જવા બપોરે 2:30 વાગ્યે ટ્રેન પ્રસ્થાન કરશે ભાવનગરઃ જૈનોના યાત્રાધામ પાલિતાણામાં 47 દિવસથી ચાલી રહેલી આરાધના બાદ માળા રોપણ વિધિ 19મી નવેમ્બરથી યોજાશે. જેમાં મોટી સંખ્યામાં જૈન સમુદાય ઉમટી […]

સુરતમાં 955 કિલો નકલી પનીરનો જથ્થો પકડાયો, હવે SOG ‘ઓપરેશન શુદ્ધિ’ હેઠળ રેડ પાડશે

SOGએ કેટરર્સ અને ખાદ્ય પદાર્થ બનાવનારાઓની યાદી તૈયાર કરી, SOGએ ‘સુરભિ ડેરી‘ના બે યુનિટ પર દરોડા પાડ્યા હતા, નકલી પનીર બનાવવા ગ્લેશિયલ એસેટિક એસિડનો ઉપયોગ કરાતો હતો સુરતઃ શહેર ખાણીપીણી માટે દેશભરમાં જાણીતુ છે. ત્યારે ખાદ્ય ચિજ વસ્તુઓમાં કેટલાક વેપારીઓ દ્વારા કરાતી ભેળસેળ કરવામાં આવતી હોય છે. ત્યારે શહેરના એસઓજી ( સ્પેશિયલ ઓપરેશન ગૃપ)એ શહેરની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code