1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ગુજરાતમાં સારા વરસાદને લીધે 18 લાખથી વધુ હેકટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર

ગત વર્ષની તુલનાએ મગફળીના વાવેતરમાં વધારો, કપાસનું વાવેતર અત્યાર સુધીમાં 90% થયુ, વરાપ નિકળતા વાવેતરમાં વધારો થશે અમદાવાદઃ ગુજરાતમાં અષાઢના પ્રારંભ પહેલા જ મેધરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. રાજ્યમાં સીઝનનો 32 ટકા વરસાદ પડ્યો છે. સારા વરસાદને લીધે ખેડૂતોએ ખરીફ પાકની વાવણીનો પ્રારંભ કરી દીધો છે. ચોમાસુ પણ સારૂ રહેશે તે આશાએ ખરીફ પાકના વાવેતરમાં […]

સુરતમાં પ્રિ-મોન્સુન પ્લાનની નિષ્ફળતા અને ખાડીમાં પૂરની સ્થિતિને લઈને કોંગ્રેસના ધરણાં

સુરતમાં ખાડીના પૂરને લીધે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા, કોંગ્રસના કાર્યકરોએ ભાજપ સામે સૂત્રોચ્ચાર કર્યો, પોલીસે કાંગ્રેસના કાર્યકરોની કરી અટકાયત સુરતઃ શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેમાં ખાડીમાં પૂરની સ્થિતિ સર્જાતા અનેક લોકોના ઘરમાં પાણી ઘૂંસી ગયા હતા. ચોમાસા પહેલા વરસાદની સ્થિતિને પહોચી વળવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બનાવાયેલો પ્રિ-મોન્સુન […]

રાજપીપીળા-ડેડીયાપાડા હાઈવે પર બે વર્ષ પહેલા બનેલો કામચાલાઉ પુલ તૂટી ગયો

હાઈવે પરને કામચલાઉ બ્રિજ તૂટી જતાં 259 ગામોને વ્યવહાર ખોરવાયો, સત્તામાં 30 વર્ષથી ભાજપ સરકાર છે, છતાં 2 વર્ષમાં એક પુલ પણ બનાવી શકી નથીઃ વસાવા, ભારે વરસાદને લીધે ડાયવર્ઝન તૂટી જતા નવા નાળા માટે વર્કઓર્ડર અપાયો છેઃ ઈજનેર વડોદરાઃ  રાજપીપળા-ડેડીયાપાડા હાઈવે પર મોવીના યાલ ગામ નજીક બે વર્ષ પહેલાં બનાવેલો ડાયવર્ઝન પુલ ચોમાસાના પ્રથમ […]

સરખેજ-ગાંધીનગર હાઈવે પરના ઓવરબ્રિજના બાકી કામો પૂર્ણ થતાં જ સિગ્નલ ફ્રી કરાશે,

વાહનચાલકો ગાંધીનગરથી સનાથલ ચોકડી સુધી નોન સ્ટોપ પહોંચી શકશે, હાઈવેના વિવિધ જંકશનો પર 13 ફ્લાઈઓવર બ્રિજ બની ચૂક્યા છે, કર્ણાવતી ક્લબ, પ્રહલાદનગર, YMCને જોડતો એલિવેટેડ કોરિડોરનું કામ પૂરજોશમાં ગાંધીનગરઃ સરખેજથી ગાંધીનગરનો હાઈવે એસજી હાઈવે તરીકે ઓળખાય છે. અમદાવાદ અને ગાંધીનગર ટ્વીનસિટીને જોડતો આ મહત્વનો હાઈવે હોવાથી ભરચક ટ્રાફિક રહેતો હોય છે. ત્યારે આ હાઈવે પર […]

શેર સર્ટિફિકેટવાળા રહેઠાણના મકાનોની ટ્રાન્સફર ડ્યુટીમાં 80 ટકા માફ કરવાનો નિર્ણય

અગાઉ વેચનારને વેચાણ સમયે ડબલ માર પડતો હતો, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો મહત્વનો મહેસુલી નિર્ણય, મૂળ ડયૂટીના 20 ટકા તથા દંડની રકમ મળીને લેવા પાત્ર ડ્યૂટી જેટલી જ રકમ વસૂલાશે  ગાંધીનગરઃ રાજ્યમાં અમદાવાદ સહિત મહાનગરોમાં  વર્ષો જુની રહેણાક સોસાયટીઓમાં શેર સર્ટિફિકેટ આપીને મકાનોના એલોટમેન્ટ કરાયા હતા. વર્ષ 2001-02 સુધી હાઉસિંગ કો-ઓપરેટિવ સોસાયટીઓ રજિસ્ટર્ડ કરાવીને […]

અદાણી ગ્રીન એનર્જીએ ભારતનો સૌથી મોટો 15,000 મેગાવોટથી વધુ સ્થાપિત નવીનીકરણીય ઉર્જા ક્ષમતા સાથે વિક્રમ સ્થાપ્યો

અમદાવાદ, ૩૦ જૂન ૨૦૨૫ : ભારતની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી કંપની અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL) એ ૧૫,૦૦૦ મેગાવોટની કાર્યકારી ક્ષમતાને વટાવીને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કરવા સાથે હવે આ ક્ષમતા ખાસ કરીને ૧૫,૫૩૯.૯ મેગાવોટના નવા શિખરે પહોંચી છે. ક્ષમતામાં ઉમેરાની આ સિદ્ધિ ભારતમાં અત્યાર સુધીનો સૌથી ઝડપી અને વિરાટ છે. ઓપરેશનલ પોર્ટફોલિયોમાં ૧૧,૦૦૫.૫ મેગાવોટ […]

ટોરેન્ટ ફાર્મા કે.કે.આર. પાસેથી જે.બી. કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સમાં નિયંત્રણાત્મક હિસ્સો હસ્તગત કરશે

મુંબઈ: ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (“ટોરેન્ટ”) અને વૈશ્વિક રોકાણ કંપની કે.કે.આર. એ સંયુક્ત રીતે આજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે ટોરેન્ટે કે.કે.આર. પાસેથી જે.બી. કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ (“જે.બી. ફાર્મા”) માં નિયંત્રણાત્મક હિસ્સો  ઇક્વિટી મૂલ્યાંકન પર (સંપૂર્ણપણે ડાયલ્યુટેડ ધોરણે) હસ્તગત કરવા માટે રૂપિયા ૨૫,૬૮૯ કરોડના કરાર કર્યા છે. જેના પગલે આ બન્ને કંપનીનું વિલીનીકરણ થશે. […]

અમદાવાદના આંબાવાડીમાં 2000 લિટરની પાણીની ટાંકી તૂટી પડી, 10 લોકોનું રેસ્ક્યુ કરાયુ

આઝાદ સોસાયટી નજીક ફલેટ્સમાં બનેલા બનાવથી અફરાતફરીનો માહોલ સર્જાયો. પાણીની ટાંકી સાથે ધાબાનો સ્લેબ પણ તૂટી પડ્યો, સદનસિબે કોઈ જાનહાની ન થઈ અમદાવાદ:  શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલી આઝાદ સોસાયટી નજીક એક ફ્લેટ્સની 2000 લિટરની પાણીની ટાંકી તૂટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બનાવની જાણ કરાતા શહેરના ફાયર વિભાગનો કાફલો દોડી ગયો હતો. અને પાણીની […]

અમદાવાદના માધૂપુરામાં પૂરફાટ ઝડપે કારે અડફેટે લેતા મહિલાનું મોત

સફાઈ કામદાર મહિલા નોકરી કરવા માટે જઈ રહી હતી, અકસ્માત બાદ કારનો ચાલક નાસી ગયો, રાહદારીઓએ 108 ઈમરજન્સીને જાણ કરી અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનીવો વધતા જાય છે. જેમાં માધૂપુરા વિસ્તારમાં વધુ એક અકસ્માત સર્જાયો છે. શહેરના માધુપુરા વિસ્તારમાં પૂરપાટ દોડતી કારે 49 વર્ષીય એક મહિલાને અડફેટે લેતાં તેનું મોત નીપજ્યું હતું. મહિલાની ઓળખ ડાહીબેન […]

ગુજરાતમાં 13 જળાશયો 100 ટકા ભરાયા, સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો

રાજ્યના 18 જળાશયો હાઈએલર્ટ પર, નર્મદાની મેન કેનાલમાં 12200 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, 35 જળાશયો 50 ટકાથી 70 ટકા ભરાયા અમદાવાદઃ ગુજરાતમાં અષાઢના આગમન પહેલા જ મેઘરાજાનું વાજતે-ગાજતે આગમન થઈ ગયુ હતું. અને છેલ્લા એક સપ્તાહથી રાજ્યભરમાં વરસાદી માહોલ સર્જાયો છે. સારા વરસાદને લીધે રાજ્યના 206 જળાશયોમાં સરેરાશ જળસ્તર વધીને 46.21 ટકા થઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code