1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ગ્રામીણ વિસ્તારોમાં ત્રણ દિવસ યોજાયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં આનંદ અને ઉત્સાહ સાથે બાળકોનું નામાંકન કરાયું

ગાંધીનગર: સમગ્ર રાજ્યમાં ગ્રામીણ વિસ્તારોમાં 26મી જૂનથી શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ગઇકાલે સંપન્ન થયો હતો. અંતર્ગત ગઇકાલે રાજ્યની વિવિધ શાળાઓમાં બાળકોને ઉલ્લાસભેર પ્રવેશ અપાયો. ગાંધીનગર તાલુકાના ચંદ્રાલા ગામે આવેલ ઉમા સંસ્કાર વિદ્યાલય ખાતે ધોરણ 9 તથા 11 ના બાળકોને રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશીએ પ્રવેશ અપાવીને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યુ હતું […]

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં, DNA ટેસ્ટથી 254 અને ચહેરાથી ઓળખીને છ સહિત કુલ 260 મૃતકોના પાર્થિવ દેહ પરિજનોને સોંપાયા

ગાંધીનગર: અમદાવાદ વિમાન દુર્ઘટનાના કુલ 260 મૃતકોના પાર્થિવ દેહ પરિવારજનોને સોપાયા હોવાનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. AI ફ્લાઇટ 171ના તમામ પેસેન્જરની ડીએનએ સેમ્પલની મદદથી ઓળખ થઈ અને તેમના મૃતદેહ સ્વજનોને સોંપાઈ ગયા છે. અત્યાર સુધીમાં DNA ટેસ્ટથી ૨૫૪ અને ચહેરાથી 6 એમ કુલ 260 મૃતકોની ઓળખ થઇ ચુકી છે. 254 મૃતકોના DNA સેમ્પલ […]

થાનના ભડુલા વિસ્તારમાં સરકારી જમીનમાં ગેરકાયદે કાર્બોસેલનું ખનન ઝડપાયું

50 મેટ્રીક ટન કાર્બોસેલને જથ્થો જપ્ત કરાયો, ટ્રક અને 05 ચરખી સહિત કુલ રૂા. 10 કરોડનો મુદ્દામાલ કબ્જે કરાયો, ચોટીલા પ્રાંત અધિકારી અને ટીમે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતું સુરેન્દ્રનગરઃ જિલ્લામાં જિલ્લા કલેકટર અને ખનીજ વિભાગ દ્વારા સમસાયંતરે દરોડા પાડવા છતાંયે ખનીજચોરી અટકતી નથી. ખનીજ માફિયાઓ કોઈને ગાંઠતા નથી. સરકારી જમીનોમાં ખનન થઈ રહ્યું છે.  […]

સરકારી અને ગ્રાન્ટેડ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોને નિમણુંકના ઓર્ડર અપાયા

શિક્ષણ સહાયક ભરતી વર્ષ-2024 અન્વયે ઉમેદવારોને મેરીટ આધારે શાળાની ફાળવણી, ઉમેદવારોને શાળા ફાળવણીપત્ર ડાઉનલોડ કરી નિમણૂક હુકમ મેળવવા સૂચના, ઉમેદવારો પાસે તા.25 જૂનના રોજ ઓનલાઈન સંમતિ મેળવવામાં આવી હતી ગાંધીનગરઃ રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ માટે વર્ષ 2024માં ભરતી થયેલા ઉમેદવારોને મેરીટ કમ પ્રેફરન્સના આધારે શાળાની અંતિમ ફાળવણી જાહેર કરવામાં આવી છે. જે […]

ગાંધીનગરમાં વરસાદી પાણી ભરાતા અમિત શાહે મ્યુનિના અધિકારીઓનો ક્લાસ લીધો

ગાંધીનગર મ્યુનિના અધિકારીઓની બેઠક બોલાવી, હલકી ગુણવતાની કામગીરી અંગે અમિત શાહે નારાજગી વ્યક્ત કરી, પ્રભારી મંત્રી હર્ષ સંઘવી પણ બેઠકમાં હાજર રહ્યા ગાંધીનગરઃ શહેરમાં વરસાદને લીધે રોડ પર પાણી ભરાતા અને પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી શહેરીજનો પરેશાન થઈ રહ્યા છે. મ્યુનિ.કોર્પોરેશનનો પ્રિ-મોન્સુન પ્લાન નિષ્ફળ ગયો છે. ઉપરાંત વિકાસના કામોમાં ગુણવત્તા જળવાતી ન હોવાની […]

થરાદ-મલુપુર રોડ પર સામાન્ય વરસાદમાં પાણી ભરાતા વાહનચાલકો પરેશાન

રોડ પર પાણી ભરાતા શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ મુશ્કેલીમાં મુકાયા, પાણી ભરાવાને કારણે રોડ પરના ખાડાઓ ન દેખાતા અકસ્માતનો ભય, થરામાં પણ . થરાના બંન્ને સર્વિસ રોડ પર પાણી ભરાયા  પાલનપુરઃ બનાસકાંઠામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, અને સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. ત્યારે થરાદમાં મોડી રાત્રે પડેલા સામાન્ય વરસાદને કારણે મલુપુર […]

પાલનપુરમાં એરોમા સર્કલ નજીક ડમ્પરે એક્ટિવાને અડફેટે લેતા ચાલકનું મોત

પૂરફાટ ઝડપે ડમ્પરે એક્ટિવાચાલકને કચડતા લોકો દોડી આવ્યા, ડમ્પર પર આરટીઓની નંબર પ્લેટ પણ નથી, શહેરમાં ભારે વાહનના પ્રવેશ અટકાવવા લોકોની માગ પાલનપુરઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે શહેરના એરોમા સર્કલ નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો. શહેરના એરોમાં સર્કલ પર એક્ટિવા સ્કૂટર પર જઈ રહેલા  નિવૃત્ત ઓડિટરને નંબર વગરના […]

સુરત એરપોર્ટ પર ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ પ્રવાસીઓમાં થયો વધારો

ડોમેસ્ટિક 27 ટકા પ્રવાસીઓઓનો વધારો, ઈન્ટરનેશનલમાં 3 ટકા પ્રવાસીઓનો વધારો, ત્રણ મહિનામાં ફ્લાઈટ્સની અવર-જવર પણ વધી સુરતઃ શહેરના એરપર્ટ પર ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ પ્રવાસીઓમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા ચાર મહિનાના ડેટા મુજબ, ફેબ્રુઆરી-2025ની સરખામણીએ મે-2025માં મુસાફરોની સંખ્યામાં 12.34%નો નોંધપાત્ર વધારો નોંધાયો હતો. આ વૃદ્ધિ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંને સેગમેન્ટમાં જોવા મળી છે, જે એરપોર્ટની […]

જીએસટી દ્વારા મોટી સંખ્યામાં કરદાતાઓને વર્ષ 2021-22ના વર્ષની સ્ક્રુટીની નોટિસ આપી

જીએસટી દ્વારા નોટિસો અપાતા કરદાતાઓમાં દાડધામ મચી, પાછલી અસરથી નોટિસો આપાતા અસંતોષ, જૂના વર્ષની નોટિસથી હિસાબી સાહિત્ય અને એન્ટ્રીઓ યાદ કરવી મુશ્કેલ અમદાવાદઃ ગુડ્ઝ અને સર્વિસ ટેક્સ વિભાગ (જીએસટી) દ્વારા વેપારી કરદાતોઓને ત્રણ વર્ષ પહેલાની હિસાબ-કિતાબની ત્રૂંટીઓ કાઢીને સ્ક્રુટિની નોટિસો અપાતા કરદાતોઓમાં અસંતોષ ઊભો થયો છે. મોટી સંખ્યામાં કરદાતાઓને વર્ષ 2021-22ના વર્ષની સ્ક્રુટિની નોટિસ પાઠવવામાં […]

શ્રાવણ મહિનામાં ઘેર બેઠા સોમનાથ મહાદેવજીને માત્ર 25 રૂપિયામાં બિલ્વ પૂજા નોંધાવી શકાશે

બિલ્વ પૂજા નોંધાવનારાને પોસ્ટ મારફત રુદ્રાક્ષ, ભસ્મ અને નમનનો ભસ્મમળશે, 2 વર્ષમાં 50 લાખથી વધુ પરિવારો લઈ ચૂક્યા છે રૂપિયા 25માં બિલ્વપૂજાનો લાભ, સોમનાથ ટ્રસ્ટે ફરી શરૂ કરી ભક્તોની પ્રિય “માત્ર 25₹ માં બિલ્વપૂજા સેવા” સોમનાથઃ બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા દેવાધિદેવ સોમનાથ મંદિરમાં શ્રાવણ મહિનામાં વિશેષ કાર્યક્રમો યોજાશે, શિવ ભક્તો માટે વર્ષના સૌથી મોટા ઉત્સવ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code