1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 307 સિંહના મોત થયા, સરકારે વિધાનસભામાં આપ્યો જવાબ

બે વર્ષમાં 268 સિંહોના કુદરતી અને 39 સિંહોના અકસ્માતને મોત થયા, અમરેલી જિલ્લામાં 14 બાળસિંહ અને 17 પુખ્તવયના સિંહના મોત થયા, સિંહના રક્ષણ માટે અસરકારક નીતિ બનાવવા વિપક્ષની માગ ગાંધીનગરઃ ગુજરાતમાં સિંહોના રક્ષણ માટે વન વિભાગ સતત કાર્યરત રહેતુ હોય છે. ત્યારે છેલ્લા બે વર્ષમાં કુલ 307 સિંહોના મૃત્યુ થયા હોવાની માહિતી ગુજરાત વિધાનસભામાં આપવામાં […]

બનાસકાંઠા પોલીસ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારમાં લોકોને મદદ માટે સરાહનીય કામગીરી

160 પોલીસ જવાનોએ 63 લોકોનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડ્યા, 3 DySP, 8 PI અને 150 પોલીસ જવાનોની ટીમે રાહત અને બચાવ કામગીરી હાથ ધરી, પોલીસ જવાનો કેડસમા પાણીમાં ચાલીને અસરગ્રસ્તે સુધી પહોંચ્યા પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના સુઈગામ, ભાભર સહિત તાલુકામાં થયેલી અતિવૃષ્ટિને લીધે આજે પણ અનેક ગામડાંઓમાં વરસાદી પાણી ભરાયેલા છે. વરસાદે વિરામ લીધા બાદ […]

ગાંધીનગરમાં કારના કાચ પર બ્લેક ફિલ્મ સામે ટ્રાફિક પોલીસની ડ્રાઈવ

કારના કાચ પરથી બ્લેક ફિલ્મ હટાવવી પોલીસ માટે અઘરી કામગીરી બની, ટ્રાફિક પોલીસને કારચાલકોએ પોતે અધિકારી, સરકારી કર્મચારી હોવાની ઓળખ આપી, 150 વાહનચાલકો પાસેથી 80 હજારનો દંડ વસુલાયો ગાંધીનગરઃ ગુજરાતમા તમામ શહેરોમાં કારમાં ફિલ્મ લગાવેલા કાળાકાચ તેમજ નંબર પ્લેટ ન હોય તેવા વાહનો સામે ટ્રાફિક પોલીસે ઝૂંબેશ શરૂ કરી છે. ત્યારે ગાંધીનગર શહેરમાં પણ ટ્રફિક […]

ભાવનગર-અમદાવાદ વાયા વલ્લભીપુરના ફોરલેન સ્ટેટ હાઈવેનું કામ વર્ષો પછી પણ અધૂરૂ

હાઇવેનું કટકે કટકે કામ થતું હોવાથી નવું કરેલું કામ પણ જુનુ થવા લાગ્યું, હાઈવેના ધીમીગતિએ ચાલતા કામથી વાહનચાલકો પરેશાન, 2008ની સાલથી ગણીએ તો 17 વર્ષ વિત્યા છતાંયે સ્ટેટ હાઈવેનું કામ પૂર્ણ થયુ નથી ભાવનગરઃ જિલ્લાની નબળી નેતાગારીને લીધે વિકાસમાં અન્ય શહેરની તુલનાએ ભાવનગર જિલ્લો પાછળ રહ્યો છે. ભાવનગર-અમદાવાદ વાયા વલ્લભીપુરના સ્ટેટ હાઈવેને ફોરલેન બનાવવાનું કામ […]

સોનાના ભાવ આસમાને પહોચ્યાં, 10 ગ્રામ સોનાનો ભાવ 1.12 લાખની સપાટીને સ્પર્શી ગયો

ગયા વર્ષની સરખામણીએ સોનાના ભાવમાં 30થી 40%નો ઉછાળો, એક કિલો ચાંદી 28 લાખના ભાવે વેચાઈ રહી છે, રોકાણકારો લાંબા ગાળાના રોકાણ માટે સોનાને પણ એક સારો વિકલ્પ માને છે અમદાવાદઃ ટ્રમ્પના ટેરિફ અને અન્ય વૈશ્વિક કારણો તેમજ ફેડરલ બેંક દ્વારા આગામી સમયમાં વ્યાજ દરમાં ઘટાડો કરવાના નિર્ણયની જાહેરાતને લીધે સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે. અમદાવાદ […]

અમદાવાદમાં મોદી સ્ટેડિયમની બાજુમાં ટીપી રોડ માટે 29 મકાનોના ડિમોલિશન સામે વિરોધ

ઓલિમ્પિકને લઈને અમદાવાદને સ્પોર્ટસ સિટી તરીકે તૈયાર કરવામાં આવી રહ્યું છે, બળદેવનગરના 29 મકાનો તોડી પાડવા મ્યુનિએ નોટિસ આપતા રહીશોને વિરોધ, સ્થાનિક રહિશોએ હાઈકોર્ટમાં ન્યાય માટે રિટ કરી અમદાવાદઃ શહેરના મોટેરા વિસ્તારમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓલમ્પિકને લઈને મ્યુનિ. દ્વારા ટીપી રોડ ખોલવાનું આયોજન કરાયુ છે. જેના માટે ટીપી રોડ અંતર્ગત મોટેરા વિસ્તારમાં આવેલા બળદેવ નગરમાં […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓની ભરતી સામે નોકર મંડળનો વિરોધ

કર્મચારીઓની કાયમી ભરતી કરવા મ્યુનિ.કમિશનરને રજુઆત, હોસ્પિટલમાં આઉટસોર્સિંગ પ્રથા બંધ કરી મલ્ટિપલ પર હેલ્થ વર્કરોની નિમણૂક કરો, 18મી સપ્ટેમ્બરે નોકર મંડળ દ્વારા રેલી યોજાશે અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનમાં છેલ્લા કેટલાક વર્ષોથી કાયમી કર્મચારીઓની ભરતી કરવાને બદલે કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓની આઉટસોર્સથી ભરતી કરવામાં આવે છે. આ ઉપરાંત મ્યુનિ. સંચાલિત હોસ્પિટલોમાં હેલ્થ વર્કરોની કાયમી ભરતી ન કરીને આઉટસોર્સથી […]

અમદાવાદના નારણપુરામાં સ્પોર્ટ્સ કોમ્લેક્સનું 14મી સપ્ટેમ્બરે અમિત શાહના હસ્તે ઉદ્ધાટન

વર્ષ 2036માં ઓલમ્પિક અને 2030માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે તૈયારીઓ શરૂ, કેન્દ્રિય મંત્રી અમિત શાહ જાહેર સભાને પણ સંબોધશે, નારણપુરામાં 824 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પલેક્સ બનાવવામાં આવ્યું છે અમદાવાદઃ શહેરના નારણપુરા ખાતે રૂપિયા 824 કરોડના ખર્ચે અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનીને તૈયાર થઈ ગયું છે. જેનું આગામી તા, 14મી સપ્ટેમ્બરને રવિવારના રોજ કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહના […]

ખેડૂતોને નવા GST દરનો લાભ માટે ખેત સાધનોની ખરીદીની સહાયમાં સમયમર્યાદા વધારાઈ

ટ્રેકટર સહિત કૃષિ સાધનોની ખરીદી સહાયની સમયમર્યાદામાં ૩૦ દિવસનો વધારો, રાજ્યના અંદાજે એક લાખ ખેડૂતોને મહત્તમ રૂ. 35 થી 45 હજારનો નાણાકીય લાભ થશે, કૃષિ યાંત્રિકીકરણ સાધનો પરના 12 ટકા જીએસટીને ઘટાડીને 5 ટકા કરાયો ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ગૃહમાં જાહેર અગત્યની બાબત પર ધ્યાન દોરતા કૃષિ મંત્રી  રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ […]

ગુજરાત વિધાનસભામાં ઓપરેશન સિંદૂરની સફળતા માટે અભિનંદન પ્રસ્તાવ સર્વાનુમતે પસાર

વડાપ્રધાનએ હંમેશા દેશમાં શિક્ષા, સ્વાસ્થ્ય અને સુરક્ષાને પ્રાથમિકતા આપી છે, ભારતની સંરક્ષણ સ્વદેશીકરણ નીતિઓની પુષ્ટિ ઓપરેશન સિંદૂરે કરી છે, ભારત હવે કોઈ કાંકરીચાળો સાંખી લેશે નહીં એનો સચોટ પુરાવો ઓપરેશન સિંદૂર છે ગાંધીનગરઃ ભારતીય સેનાએ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વમાં 7મી મે, 2025ના દિવસે ઓપરેશન સિંદૂરને અંજામ આપીને રાષ્ટ્ર વિરોધી તત્વોની નાપાક હરકતોનો જડબાતોડ જવાબ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code