1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

અમદાવાદઃ ગણેશ વિસર્જનને લઈને ટ્રાફિક માટે વિશેષ માર્ગદર્શિકા જાહેર

અમદાવાદ શહેરમાં આવતીકાલે ગણેશ વિસર્જન નિમિત્તે ટ્રાફિક વ્યવસ્થા માટે વિશેષ નિયમો જાહેર કરવામાં આવ્યા છે. શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે જાહેરનામું બહાર પાડી જણાવ્યું છે કે બપોરે 1 વાગ્યાથી વિસર્જન પૂર્ણ ન થાય ત્યાં સુધી કેટલાક માર્ગો પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે. પોલીસે જણાવ્યું કે, આ પગલાં વિસર્જન યાત્રાને સરળ બનાવવા, કાયદો અને વ્યવસ્થા […]

GSTના દરમાં ઘટાડો કરાતા વડાપ્રધાન મોદીનો આભાર માનતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

વેરાના દરમાં સુધારાથી નાગરિકોના જીવન ધોરણ અને સામાજીક સુરક્ષામાં વધારો થશે, દિલ્હી ખાતે મળેલી 56મી જીએસટી કાઉન્સિલમાં લેવાયો ઐતિહાસિક નિર્ણય, GST દરમાં ઘટાડાથી દેશવાસીઓને સુખમય જીવનની સોગાત આપી ગાંધીનગરઃ રોજબરોજના જીવનની વિવિધ વસ્તુઓ અને સેવાઓ પરના GST દરોમાં ધરખમ ઘટાડો કરવા બદલ પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નીર્મલા સીતારમણનો ગુજરાતની જનતા વતી મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે […]

મહેસાણાના લીચ ગામે ઘાળા દ’હાડે ઘરમાં ઘૂંસીને રિવાલ્વરની અણિએ 6.50 લાખની લૂંટ

ચાર લૂંટારા શખસો વિઝા એજન્ટની ઓળખ આપી ઘરમાં ધૂસ્યા હતા, દીકરાને કેનેડા જવાનું હોવાથી વિઝા એજન્ટને ઘરમાં પ્રવેશ આપ્યા, લૂંટારૂ શખસોને પકડવા પોલીસે જિલ્લાભરમાં નાકાબંધી કરી મહેસાણા: જિલ્લાના લીચ ગામની ખોડિયાર સોસાયટીમાં ધોળા દહાડે રિવોલ્વરની અણીએ 6.50 લાખની લૂંટનો બનાવ બનતા ચકચાર બની ગઈ છે. ચાર લૂંટારૂ શખ્સોએ રિવોલ્વરની અણીએ ધાક બતાવીને એક ઘરમાંથી 6.50 […]

સુરતમાં અલથાણા વિસ્તારમાં 13મા માળેથી માતા-બે વર્ષનો પૂત્ર ભેદી રીતે પટકાતા બન્નેના મોત

અલથાણ વિસ્તારમાં આવેલા માર્તન્ડ હિલ્સમાં બન્યો બનાવ, માતાએ બે વર્ષના દીકરા સાથે આપઘાત કર્યો કે અકસ્માત, પોલીસે સીસીટીવીના કૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી સુરતઃ શહેરના અલથાણ વિસ્તારમાં આવેલા માર્તન્ડ હિલ્સમાં રહેતા અને લૂમ્સના કારખાનેદાર સાથે સંકળાયેલા પટેલ પરિવારના માતા અને બે વર્ષીય પુત્રનું બિલ્ડીંગના 13માં માળેથી પટકાતા મોત નીપજ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં માતા-પુત્રના […]

લીંબડી હાઈવે પર કાર અકસ્માતમાં એકનું મોત, સાયલામાં 40 ફુટ ઊંડી ખીણમાં છકડો-રિક્ષા ખાબકી

લીંબડી હાઈવે પર રળોલ ગામના પાટિયા પાસે ઈકોકાર ટ્રક પાછળ ઘૂંસી ગઈ, લીંબડીના જાણીતા વેપારીના પૂત્રનું મોત, એકને ઈજા, સાયલાના જુના જશાપર ગામ પાસે છકડો-રિક્ષા 40 ફુટ ખાણમાં ખાબકતા 5ને ઈજા અમદાવાદઃ નેશનલ હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં અમદાવાદ-રાજકોટ હાઈવે પર વધુ અકસ્માતનો બનાવ બન્યો હતો. લીંબડી નજીક રળોલ ગામના પાટિયા પાસે […]

ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસુ સત્રનો 8મીને સોમવારથી પ્રારંભ

પ્રથમ દિવસે પ્રશ્નોત્તરી બાદ શોકદર્શક પ્રસ્તાવ બાદ ગૃહ મુલત્વી રહેશે, વિધાન સભામાં પાચ જેટલા સુધારા વિધેયકો મંજુરી માટે રજુ કરાશે, મુખ્યમંત્રી દ્વારા ઓપરેશન સિંદૂરની સફળતાનો અભિનંદન પ્રસ્તાવ રજુ કરાશે ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું ત્રિદિવસીય ચોમાસા સત્રનો આગામી તા. 8મી સપ્ટેમ્બરને સોમવારથી પ્રારંભ થશે. સત્રના પ્રથમ દિવસે પ્રશ્નોતરીથી થશે. ત્યારબાદ સમગ્ર દિવસ દરમિયાન શોકદર્શક પ્રસ્તાવો પર ચર્ચા […]

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનએ 280 દુકાનદારોને ભાડુ ન ભરતા નોટિસ ફટાકરી

સેકટર 21 અને સેટકર 10માં 280 દૂકાનદારો ભાડુ આપતા નથી, રૂપિયા 1.37 કરોડની વસુલાત માટે મ્યુનિના એસ્ટેટ વિભાગે શરૂ કરી કાર્યવાહી, નિયત સમયમાં ભાડુ ન ભરનારાની દુકાનોને સીલ કરાશે ગાંધીનગરઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનની માલિકીની અનેક મિલકતો ભાડે અપાયેલી છે. જેમાં સેકટર 21 અને સેકટર 10માં ભાડે અપાયેલી 280 મિલકતોના વપરાશકારો (દુકાનદારો) ભાડુ આપતા નથી. અને આવા […]

શિક્ષકોને બિન શૈક્ષણિક કામગીરીથી મુક્તિ આપવા માટે શૈક્ષિક મહાસંઘ દ્વારા પંચને રજુઆત

શિક્ષકો પાસે તીડ ઉડાડવા, શૌચાલય ગણતરીની કામગીરી પણ સોંપવામાં આવે છે, વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય માટે શિક્ષકો સમય આપી શકતા નથી, ગુણવત્તા સુધારવા ઓનલાઇન કામગીરી ન સોંપો ગાંધીનગરઃ ગુજરાતમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના શિક્ષકોને શિક્ષણ સિવાયની બિન શૈક્ષણિક કામગીરી સોંપવામાં આવતી હોવાથી છેલ્લા ઘણા સમયથી શિક્ષકોમાં અસંતોષ ઊભો થયો છે. સરકાર દ્વારા શિક્ષકોને વસ્તી ગણતરી, મતદાર […]

અમદાવાદ-રાજકોટ સિક્સલેન નેશનલ હાઈવેનું કામ 7 વર્ષે પણ પુરૂ થયું નથી

હવે ત્રણ મહિનામાં કામગીરી પૂર્ણ કરી દેવાશે એવો તંત્રનો દાવો, મુખ્યમંત્રીના સીધા માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટની કામગીરી થઇ રહી છે, કુવાડવા ખાતે ફ્લાયઓવર બ્રિજની કામગીરી હજુ બાકી છે અમદાવાદઃ રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવેને સિક્સલેન બનાવવાનું કામ છેલ્લા 7 વર્ષથી ચાલી રહ્યું છે. તંત્ર દ્વારા હવે ત્રણ મહિનામાં સિક્સલેન હાઈવેનું કામ પૂર્ણ થઈ જશે એવો દાવો કરવામાં આવી […]

અંબાજી મેળામાં મોહનથાળ પ્રસાદનું અવિરત વિતરણ, 700 થી પણ વધુ આદિવાસી ભાઈ-બહેનો બનાવી રહ્યાં છે પ્રસાદ

અમદાવાદઃ શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમા જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો પૂરબહારમાં ચાલી રહ્યો છે. આ મેળામાં માતાજીના મનભાવન પ્રસાદ, મોહનથાળનું અવિરત વિતરણ થઈ રહ્યું છે. આ પ્રસાદ એટલો પ્રખ્યાત છે કે દર વર્ષે મેળા દરમિયાન 1000 થી 1200 જેટલા મોટા જથ્થામાં તેનું ઉત્પાદન કરવામાં આવે છે. અંબાજીનો આ મહામેળો માત્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code