1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ઊના નજીકના ખાપટ ગૌશાળામાં મધરાતે બે સિંહ ત્રાટક્યા, 6 ગાયોનું મારણ કર્યું

ગૌશાળામાં 52 ગાયો જીવ બચાવવા દોડાદોડી કરી, વનરાજો ગૌશાળામાં રાતે મિજબાની માણી સવારે સીમ ભાગ્યા, સિંહોએ મજબુત ફેન્સિંગ તોડીને ગૌશાળામાં પ્રવેશ કર્યો હતો ઊના, ગીર સોમનાથ જિલ્લાના ઊના શહેરની નજીક ખાપટ ગામ પાસે આવેલી ગૌશાળામાં ગત મધરાત બાદ બે સિંહએ ગૌશાળાની મજબુત ફેન્સિંગ તોડીને પ્રવેશ કરી 6 ગાયોનું મારણ કર્યું હતું. ગાયોના મારણ બાદ મિજબાની […]

અમદાવાદમાં સાબરમતી નદીમાં પૂરની સ્થિતિ, રિવરફ્રન્ટ-વોકવે બંધ કરાયો

વાસણા બેરેજના 25 ગેટ ખોલાયા, નદીમાં પૂર આવતા બુલેટ ટ્રેનની કામગીરીનો સામાન તણાઈ ગયો, ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી પાણી છોડાતા નદીમાં પૂરની સ્થિતિ અમદાવાદઃ શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીએ રોદ્ર રૂપ ધારણ કર્યું છે. ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી પાણી છોડાતા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. અને સાબરમતી નદી પરના રિવરફ્રન્ટ પર પાણી […]

ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં આદિ કર્મયોગી અભિયાન, એક દિવસીય વર્કશોપ યોજાયો

દેશભરમાં 20 લાખ આદિવાસી પરિવર્તન નેતાઓની કેડર વિકસાવવાનો લક્ષ્યાંક, ગુજરાતમાં 4245 ગામડાઓમાં આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત કામગીરી કરાશે ગાંધીનગર ખાતે આદિજાતિ વિકાસ વિભાગના ઉપક્રમે એક દિવસીય વર્કશોપ યોજાયો ગાંધીનગરઃ આદિ કર્મયોગી અભિયાન એ ભારતનું સૌથી વિશાળ આદિવાસી નેતૃત્વ નિર્માણ માટેનું જન આંદોલન છે. આ અભિયાનનો ઉદ્દેશ “ભારતના આદિવાસી પ્રદેશોમાં બહુસ્તરીય ક્ષમતા નિર્માણ અને નેતૃત્વ વિકાસ […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી આવતીકાલે અમદાવાદના નિકોલમાં સભાને સંબોધશે. આ દરમિયાન મોદી અમદાવાદ અને ગાંધીનગરમાં શહેરી વિકાસને લગતા અંદાજે બે હજાર 548 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મોદી અમદાવાદને અંદાજે બે હજાર 267 કરોડ રૂપિયાની પરિયોજનાની ભેટ આપશે. આ પરિયોજના હેઠળ અંદાજે એક હજાર 624 […]

કચ્છ: સરહદી વિસ્તારમાંથી 15 પાકિસ્તાનીઓ ઝડપાયા, માછીમારીની સામગ્રી જપ્ત

ભુજ: કચ્છના સરહદી વિસ્તારમાંથી ૧૫ પાકિસ્તાનીઓ ઝડપાયા છે. સરહદી ક્રીક વિસ્તારમાં સીમા સુરક્ષા દળે સફળ ઓપરેશન હાથ ધરીને ૧૫ પાકિસ્તાનીને માછીમારી બોટ સાથે ઝડપી પાડ્યા હતા બોટમાંથી માછીમારી માટેની જાળ,બરફ અને માછલીનો જથ્થો મળી આવ્યો હતો તે સિવાય કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. મોડી રાત્રે આ તમામને કોટેશ્વર લાવી સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. […]

ઝિમ્બાબ્વેના ઉપરાષ્ટ્રપતિ સુરતની મુલાકાતે,ઉદ્યોગપતિઓને ઝિમ્બાબ્વેમાં રોકાણ કરવા અપીલ

ઝિમ્બાબ્વેના ઉપરાષ્ટ્રપતિ જનરલ (નિવૃત્ત) ડૉ. સીજીડીએન ચિવેંગા દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (એસજીસીસીઆઈ)ના આમંત્રણ પર બે દિવસની મુલાકાતે સુરત પહોંચ્યા. તેમની સાથે ઝિમ્બાબ્વેના કેબિનેટ સભ્યો રાજ મોદી, માફીદી મનાંગગ્વા, રાજદૂત સ્ટેલા ન્કોમો અને ટોચના સચિવાલયનું પ્રતિનિધિમંડળ પણ હતું. આ મુલાકાતનો હેતુ ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે વેપાર અને રોકાણ સંબંધોને મજબૂત બનાવવાનો હતો. સુરતના […]

વંદે ભારત એક્સપ્રેસને નવસારીમાં સ્ટોપેજ મળ્યું

પશ્ચિમ રેલવે દ્વારા વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (ટ્રેન નં. 20902/20901)ને નવસારી સ્ટેશન પર નિયમિત સ્ટોપેજ મળતા સમગ્ર નવસારીવાસીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. આ શુભ અવસર પર કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે નવસારી સ્ટેશને પ્રથમ વખત ટ્રેન આવતા ટ્રેનને નારીયેળ કુમકુમથી વધાવી લીધી હતી. પહેલી વખત નવસારીથી વંદે ભારત ટ્રેનનો લાભ લેતા મુસાફરોને […]

અદાણી શાંતિગ્રામની બેલ્વેડેરે ગોલ્ફ અને કન્ટ્રી ક્લબમાં વિશિષ્ટ વ્યવસાય ચેમ્બર ‘ધ ઇમ્પિરિયલ’ ખુલ્લી મૂકાઇ

અમદાવાદ, ૨૩ ઓગસ્ટ ૨૦૨૫: અમદાવાદની અદાણી શાંતિગ્રામ ખાતે આવેલી  બેલ્વેડેરે ગોલ્ફ અને કન્ટ્રી ક્લબમાં ‘ધ ઇમ્પિરિયલ’ – ઓપ્યુલન્ટ બિઝનેસ ચેમ્બરના પ્રારંભ સાથે ગુજરાતને સાહસ અને સંસ્કૃતિના આદાન પ્રદાન માટે એક નવી વ્યવસ્થા પ્રાપ્ત થઇ છે. પ્રતિષ્ઠિત જાણીતી વ્યવસાયિક હસ્તીઓ માટે એક ઇન્વિટેશન ઓનલી ચેમ્બર તરીકે તેની કલ્પના કરવામાં આવી છે. 10 વર્ષનું સભ્યપદ આપતી ઇમ્પિરિઅલ […]

અમદાવાદઃ સિવિલ હોસ્પિટલને મળ્યું 23મું સ્કિન ડોનેશન

અમદાવાદઃ સિવિલ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા ડો. જયેશ સચદે એ જણાવ્યું હતું કે તારીખ 23/08/2025ના રોજ સિવિલ હોસ્પિટલના સ્કીનબેંકના હેલ્પલાઇન નંબર ઉપર અમદાવાદના ઘોડાસર વિસ્તાર શ્રધ્ધા બાળકોની હોસ્પિટલના ડો. કિરણ દ્વારા શહેરના ઘોડાસરમાં રસીકપાર્ક સોસાયટીમાં રહેતા 73 વર્ષના પટેલ કીર્તીકુમાર અવસાન પામતા તેમની દીકરી સીમાબેનની સંમતિ થી સ્કિન ડોનેશન માટે કૉલ આવતાં તરત જ […]

અંબાજી મહા મેળામાં શ્રદ્ધાળુઓ માટે ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા કરાશે

પાલનપુરઃ શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા કલેક્ટર અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ ચાલુ વર્ષે મહા મેળામાં પાર્કિંગ સુવિધા માટે વિશેષ પહેલ કરવામાં આવી છે. ચાલુ વર્ષે અંબાજી ખાતે આવનાર વાહનો માટે ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code