1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ગાંધીનગરમાં માજી સૈનિકોનું આંદોલન 23મા દિવસે યથાવત, રેલી પહેલા જ 50ની અટકાયત

પોલીસે માજી સૈનિકોને મહારેલી માટે પરમિશન ન આપી, ગાંધીનગરમાં પ્રવેશના રસ્તાઓ પર પોલીસે નાકાબંધી કરી, સચિવાલય જતા માર્ગો પર પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવાયો ગાંધીનગરઃ આર્મીમાં સેવા આપીને નિવૃત થયેલા માજી સૈનિકો સરકારી નોકરીમાં અનામત સહિત વિવિધ માગણીના ઉકેલ માટે ગાંધીનગરમાં સત્યાગૃહ છાવણી ખાતે છેલ્લા 23 દિવસથી આંદોલન કરી રહ્યા છે. ગાંધીનગરના સેક્ટર-6 સત્યાગ્રહ છાવણી ખાતે […]

ગુજરાતમાં બપોર સુધીમાં વધુ 39 તાલુકામાં વરસાદ પડ્યો, 19મીથી ભારે વરસાદની આગાહી

ભારે વરસાદની આગાહીને લીધે માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સુચના, મંગળવારે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન 82 તાલુકામાં વરસાદ પડ્યો, સૂત્રાપાડામાં 12 ઈંચ વરસાદથી જળબંબોળની સ્થિતિ અમદાવાદઃ ગુજરાતમાં આજે સવારથી બપોર સુધીમાં 39 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 4.13 ઈંચ, જુનાગઢના માંગરોળમાં 3.74 ઈંચ, તેમજ વલસાડના ઉંમરગાંવ, વાપી, જુનાગઢના માળિયા […]

કચ્છના નાનારણમાં ફસાયેલા 9 યુવાનો સહિત 12 લોકોનું પોલીસ દ્વારા રેસ્ક્યુ કરાયું

અફાટ રણમાં પાણી વિના 9 યુવાનો 15 કલાક ટળવળ્યા, પોલીસે 18 કલાકે ટ્રેક્ટર વડે 12 લોકોને રેસ્ક્યુ કર્યા, કચ્છના નાના રણમાં વાછડાદાદાના દર્શન માટે ગયેલા 9 મિત્રો વરસાદમાં ફસાયા, સુરેન્દ્રનગરઃ કચ્છના નાના રણમાં આવેલા વાછરડા દાદાના દર્શન માટે પાટડીના 9 યુવાનો બાઈક પર સવાર થઈને નિકળ્યા હતા. અફાટ રણ વિસ્તારમાં પહોંચતા જ વરસાદ શરૂ થયો […]

રાજકોટના મહામેળાની પૂર્ણાહૂતિ, 15 લાખ લોકોએ લોકમેળાની મોજ માણી

સૌરાષ્ટ્રનો સૌથી મોટો 5 દિવસીય લોકમેળો રાજકોટમાં યોજાયો હતો, કલેક્ટરે લોકમેળાની સફળતાનો શ્રેય પોલીસ સહિત વહિવટી તંત્રને આપ્યો, રાઈડ સંચાલકો દ્વારા ખૂબ જ સમજદારીપૂર્વક કામ કરવામાં આવ્યું રાજકોટઃ રંગીલા ગણાતા રાજકોટ શહેરમાં જન્માષ્ટમીના 6 દિવસીય મહામેળાની ગઈકાલે સોમવારે પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી. 5 દિવસ સુધી ચાલેલા આ લોકમેળામાં આશરે 15 લાખથી વધુ લોકોએ વિવિધ રાઈડ્સ […]

અમદાવાદના નિકોલમાં 25મી ઓગસ્ટના રોજ વડાપ્રધાન વિશાળ જનસભાને સંબોધશે

અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભા યોજાશે, વરસાદની આગાહીને લઈને વિશાળ જર્મન વોટરપ્રૂફ ડોમ બનાવવાનો પ્રારંભ, ભાજપ દ્વારા વડાપ્રધાનને આવકારવા 1000થી વધુ બેનરો લગાવાશે, અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 24મી ઓગસ્ટથી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન વડનગર તેમજ બેચરાજીની મુલાકાત લેશે. ત્યારબાદ અમદાવાદના નિકોલમાં 25મી ઓગસ્ટને સોમવારે સાજે જંગી […]

‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં 6 કરોડથી વધુ વૃક્ષારોપણ સાથે ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે

ગુજરાતમાં 10 કરોડથી વધુ વૃક્ષારોપણનો લક્ષ્યાંક સિદ્ધ કરાશે, 61 લાખથી વધુ વૃક્ષારોપણ સાથે બનાસકાંઠા જિલ્લો અગ્રેસર, દેશમાં  સૌથી વધુ 32 કરોડ વૃક્ષારોપણ સાથે ઉત્તરપ્રદેશ દેશમાં પ્રથમ ક્રમે ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત ગુજરાતે સમગ્ર દેશમાં તા. 04 જૂનથી 18 ઓગષ્ટ-2025 સુધીમાં ત્રીજા નંબરે સૌથી વધુ 6.05 કરોડથી વધુ […]

સુરતમાં ડાયમન્ડ કંપનીમાં તિજોરી કટરથી કાપીને 25 કરોડની કિમતના હીરાની ચોરી

તહેવારોમાં સિક્યોરિટી ગાર્ડ રજા પર હોવાથી તસ્કરોએ બિંદાસ્તથી ચોરી કરી, કરોડો રૂપિયાના હીરા અને રોકડની ચોરીથી હીરા ઉદ્યોગમાં સનસનાટી મચી ગઈ, તસ્કરો CCTV ફૂટેજ અને DVR પણ સાથે લઈ ગયા,  સુરતઃ શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી.કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં તસ્કરોએ તિજોરી કટરથી કાપીને 25 કરોડથી વધુ કિંમતના હીરા અને રોકડની ચોરી કરીને પલાયન થઈ […]

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના લીધે 76 ડેમ 70 થી 100 ટકા વચ્ચે ભરાયા

રાજ્યમાં સીઝનનો સરેરાશ 68 ટકાથી વધુ વરસાદ નોંધાયો, સૌથી વધુ 72 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસ્યો, રાજ્યમાં 87 ટકાથી વધુ વિસ્તારમાં ચોમાસું–ખરીફ વાવેતર પૂર્ણ ગાંધીનગરઃ રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. 18 ઓગસ્ટ 2025ની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના કુલ 207 ડેમમાંથી 76 ડેમ હાઈએલર્ટ એટલે કે 70 થી 100 ટકા વચ્ચે ભરાયા […]

નવસારીના બિલીમોરામાં 50 ઊંચી રાઈડ તૂટી પડતા 5 લોકો ઘવાયા, એક ગંભીર

બીલીમોરામાં સોમનાથ મંદિરના પ્રાગણમાં લોકમેળાનું આયોજન કરાયુ, ગત રાતે 50 ફુટ ઊંચી રાઈડ ધડાકા સાથે તૂટી હતી, પોલીસે ગુનો નોંધીને રાઈડ સંચાલક સામે તપાસ હાથ ધરી નવસારીઃ જિલ્લાના બીલીમોરામાં સોમનાથ મહાદેવ મંદિર દ્વારા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટોરા ટોરા રાઈડ 50 ફુટ ઊંચેથી તૂટી પડતા 5 લોકો  ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ […]

હીરા ઉદ્યોગમાં વ્યાપક મંદી, ભાવનગર જિલ્લામાં અનેક કારખાનાને તાળાં લાગ્યા

હીરા ઉદ્યોગમાં મંદી હતી ત્યાંજ ડ્રમ્પના ટેફિફને લીધે અનેકની રોજગારી છીનવી, રત્ન કલાકારો હવે હીરાનો વ્યવસાય છોડીને અન્ય કામની તલાશમાં લાગ્યા, મહુવામાં 150 હીરાના કારખાનાને તાળાં લાગ્યા ભાવનગર: શહેર અને જિલ્લામાં અનેક લોકોને રોજગારી આપતો હીરા ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી મંદીમાં સપડાયો છે. સુરત બાદ ભાવનગર જિલ્લો હીરા ઉદ્યોગમાં દ્વિતિય સ્થાન પર છે. જિલ્લામાં ગામેગામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code