1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

જૂનાગઢમાં CAનું અપહરણ કરીને 60 લાખની ખંડણી માગી, પોલીસે CAને મુક્ત કરાવ્યા

જુનાગઢ, 26 જાન્યુઆરી 2026: શહેરમાં સીએ તરીકે પ્રેકટિસ કરતા મિલન ચૌહાણનું ફિલ્મી ઢબે અપહરણ કરી રૂપિયા 60 લાખની ખંડણી માંગવામાં આવતા અને આ બનાવની જાણ કરાતા પોલીસ તુરંત જ એક્શનમાં આવી હતી. અને પોલીસે અપહરણકારોનું પગેરૂ દબાવીને ફિલ્મીઢબે પીછો કર્યો હતો, દરમિયાન જામનગર તરફ જઈ રહેલા અપહરણકારો સીએને ઉતારીને નાશી છૂટ્યા હતા. પોલીસ તપાસમાં લોનના […]

રાજકોટના થોરાળા વિસ્તારમાં આગ લાગતા 16 ઝૂંપડા બળીને ખાક

રાજકોટ, 26 જાન્યુઆરી 2026:  શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં આગ લાગતા અફડા-તફડી મચી ગઈ હતી. આગે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ આગની લપેટમાં આવતા આશરે 16-17 જેટલા ઝૂંપડા બળીને ખાક થઈ ગયા હતા. ગીચ વિસ્તાર હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી, આગ લાગ્યાની જાણ કરાતા ફાયર બ્રિગેડનો કાફલો દોડી […]

સેલવાસથી વડોદરા આવી રહેલી જાનની બસને કિમ પાસે અકસ્માત નડ્યો, 30ને ઈજા

સુરત, 26 જાન્યુઆરી 2026: ગુજરાતમાં હાલ લગ્નગાળાની સીઝન ચાલી રહી છે. ત્યારે સેલવાસથી લગ્ન પ્રસંગ પૂર્ણ કરીને જાન વડોદરા પરત ફરી રહી હતી ત્યારે સુરત નજીક કિમ પાસે જાનની લકઝરી બસને અકસ્માત નડ્યો હતો.જાનૈયાઓ ભરેલી લકઝરી બસ ટ્રક સાથે ધડાકાભેર અથડાતા બસમાં સવાર આશરે 30થી 35 જેટલા જાનૈયાઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જ્યારે 10થી વધુ […]

સુરતમાં ડિજિટલ એરેસ્ટ કરીને 1.71 કરોડ પડાવનારી ટોળકીનો સાગરિત દિલ્હીથી પકડાયો

સુરત, 26 જાન્યુઆરી 2026: રાજ્યમાં સાયબર ફ્રોડના બનાવો વધતા જાય છે. સાયબર માફિયાઓ વોટ્સઅપ પર ફોન કરીને ખાસ કરીને સિનિયર સિટિજનને ધમકી આપીને ડિજિટલ એરેસ્ટ કરીને બેન્કની વિગતો મેળવીને રૂપિયા ટ્રાન્સફર કરાવતા હોય છે. ત્યારે  સુરતમાં વેસુના 61 વર્ષીય વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી રૂ.1.71 કરોડ પડાવનાર ટોળકીના વધુ એક ઠગ આરોપીને દિલ્હી એરપોર્ટથી દબોચી લીધો […]

વાવ-થરાદમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિન દબદબાભેર ઊજવાયો

વાવ-થરાદ, 26 જાન્યુઆરી 2026:  રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વાવ-થરાદ જિલ્લામાં મલુપુર ખાતે નવી કોર્ટની સામેના હેલીપેડ ગ્રાઉન્ડમાં પ્રજાસત્તાક પર્વેની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રધ્વજ લહેરાવીને ધ્વજવંદન કર્યું હતું. તેમજ પરેડ માર્ચ પાસ્ટની સલામી ઝીલી હતી. રાજ્યકક્ષાની ઊજવણી અવસરે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા પોલીસ દળ દ્વારા વિવિધ નિદર્શનો […]

ગુજરાતમાં નગરપાલિકાઓને વિકાસ માટે મફતમાં સરકારી જમીન ફાળવાશેઃ મુખ્યમંત્રી

ગાંધીનગર, 26 જાન્યુઆરી 2026: શહેરી વિસ્તારોમાં વહીવટ વધુ પારદર્શક બને અને નાગરિકોને પાયાની સુવિધાઓ સમયસર મળી રહે તે માટે નગરપાલિકાઓને વિકાસકામો માટે હવે 11 પ્રકારની વિવિધ પાયાની સુવિધાઓ વિકસાવવા માટે  વિના મૂલ્યે સરળતાએ જમીન ફાળવવામાં આવશે. વિકાસ કામો માટે અગાઉ સરકારી જમીન મેળવવા બજાર કિંમત અથવા જંત્રી દરના 25થી 50 ટકા સુધીની ભરવી પડતી  રકમમાંથી […]

ગુજરાતના ટેબ્લોએ 77-મા પ્રજાસત્તાક પર્વમાં કર્તવ્ય પથ પર આકર્ષણ જમાવ્યું

નવી દિલ્હી, તા. 26 જાન્યુઆરી, 2026: પ્રત્યેક ભારતીયોમાં સ્વદેશી, સ્વાશ્રયીતા અને સ્વતંત્રતાની અહાલેક જગાવતો મંત્ર એટલે- “વંદે માતરમ” ! ‘વંદે માતરમ’ ગીતની 150-મી વર્ષગાંઠના ઉપલક્ષમાં આ વિષયના પ્રતિઘોષરૂપે ‘વંદે માતરમ’ શબ્દની પૃષ્ઠભૂમિથી જ શરુ થયેલી ભારતીય રાષ્ટ્રધ્વજની નિર્માણયાત્રા, તેની બદલાતી તાસીર અને તવારિખની રોચક પ્રસ્તુતિ ૭૭-મા પ્રજાસત્તાક પર્વમાં ગુજરાતના ટેબ્લોનું મુખ્ય આકર્ષણ બની રહ્યો હતો. […]

હાજી રમકડું, ધાર્મિક પંડ્યા, અરવિંદ વૈદ અને રતિલાલ બોરીસાગર સહિત 5 ગુજરાતીને પદ્મશ્રી

અમદાવાદ, 25 જાન્યુઆરી 2026:  દેશમાં 77 માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ આજે કેન્દ્ર સરકાર દ્વારા પદ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી  ગુજરાતમાં કલા, સમાજસેવા, શિક્ષણ, અને ચિકિત્સા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન આપનારા 5 ને પદ્મશ્રી પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. જેમાં ચિકિત્સા ક્ષેત્રે અંગદાનની પ્રવૃતિના પ્રણેતા એવા સુરતના નિલેશ માંડલેવાલા તથા  ઢોલકના કારણે હાજી રમકડુંના […]

લોકશાહીની ભાવનાને ઉજાગર કરવા યુવાનો ચૂંટણીમાં સહભાગી થઈ પ્રેરણારૂપ બનેઃ રાજ્યપાલ

ગાંધીનગર, 25 જાન્યુઆરી 2026:  16માં રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ભારતના ગણતંત્ર દિવસના એક દિવસ પહેલા એટલે કે, 25મી જાન્યુઆરી ,1950ના દિવસે ભારતના ચૂંટણી પંચની રચના થઇ તે તારીખથી ચૂંટણીની આ વ્યવસ્થિત પ્રક્રિયાનો પ્રારંભ થયો અને આજે ભારત વિશ્વમાં સૌથી મોટું લોકશાહી તંત્ર છે. તેમા ચૂંટણી પ્રક્રિયામાં […]

મહેસાણા પંથકના ખેડૂતોએ તમાકૂ પરના તોતિંગ ટેક્સ સામે કર્યો વિરોધ

મહેસાણા, 25 જાન્યુઆરી 2026:  કેન્દ્ર સરકારે તમાકુ અને તમાકુની બનાવટો પર તોતિંગ ટેક્સ લાદ્યો છે. તેના કારણે તમાકુ ઉત્પાદક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે ઊંઝાના ઉનાવામાં તમાકુ પકવતા ખેડૂતો અને વેપારીઓ સરકારની નીતિ સામે મેદાનમાં આવ્યા છે. સરકાર દ્વારા બિન ઉત્પાદિત તમાકુ પર જે રીતે ટેક્સનું ભારણ વધારવાની તૈયારી કરાઈ છે, તેના કારણે વેપારીઓ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code