1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

અમદાવાદના ન્યુ મણિનગર વિસ્તારમાં પેટ ડોગ જર્મન શેફર્ડે બે બાળકો પર કર્યો હુમલો

મહિલા પાલતુ કૂતરાને લઈને પાર્કિંગમાંથી જતી હતી, કૂતરાને જોઈને બાળકો ભાગતા પાછળ કૂતરાએ દોડ મુકી, એક બાળક નીચે પડી જતાં કૂતરાએ એના દાંત બેસાડી દીધા અમદાવાદઃ શહેરના ન્યૂ મણિનગર વિસ્તારમાં પાલતુ ડોગએ બાળકો પર હુમલો કર્યાનો બનાવ બન્યો છે. ન્યુ મણિનગર વિસ્તારામાં  ડૂન રિવેરા સ્કૂલ પાસે આવેલા શરણમ એલિગન્સમાં પેટ ડોગ જર્મન શેફર્ડે બે બાળક […]

સોમનાથ મહાદેવજીના મંદિરમાં ગત મધરાતે સર્જાયો અમૃત વર્ષા સંયોગ

ચંદ્ર સોમનાથ મહાદેવની પોતાની પ્રભા એટલે કે પ્રકાશથી કરે છે અભિષેક, દર વર્ષે કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રીએ થોડી મિનિટો માટે સર્જાય છે સંયોગ, સંયોગના દર્શન કરવા દેશ-વિદેશના શ્રદ્ધાળુ પ્રતિવર્ષ સોમનાથ પહોંચે છે સોમનાથઃ  કરોડો ભક્તોની અખંડ આસ્થાના કેન્દ્ર એવા પ્રથમ જ્યોતિર્લિંગ  સોમનાથ મંદિર ખાતે પ્રતિવર્ષ કાર્તિકી પૂર્ણિમાની મધ્ય રાત્રીના 12 કલાકે અદભુત ખગોળીય સંયોગ રચાય છે. […]

શ્રી અખિલ ગુજરાત દરજી સમાજ દ્વારા યુવક-યુવતી પરિચય મેળાનું કરાયું આયોજન

અમદાવાદઃ શ્રી અખિલ ગુજરાત દરજી સમાજ ચેરિટી ટ્રસ્ટ દ્વારા તા. 1લી ફેબ્રુઆરી 2026ના રોજ 36માં યુવક-યુવતિ પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના નિકોલ વિસ્તારમાં દાસ્તાન ફાર્મ નજીક રાસબેરી ફાર્મ ખાતે યુવક-યુવતિ પરિચય મેળો યોજાશે. એટલું જ નહીં સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમુહલગ્ન સમારોહમાં 12 યુગલ લગ્નગ્રંથીથી જોડાશે.

મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી 9મી નવેમ્બરથી કરાશેઃ કૃષિ મંત્રી

ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ. 15000 કરોડથી વધુના મૂલ્યની ખરીદી કરાશે, પ્રતિ ખેડૂત 125 મણ મગફળીની ખરીદી કરવાનો નિર્ણય, ટેકાના ભાવમાં ચાલુ વર્ષે નોંધપાત્ર વધારો કરવાનો નિર્ણય કરાયો ગાંધીનગરઃ ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં કરેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે પ્રેસ-મીડિયાના મિત્રોને માહિતી આપતા કૃષિ મંત્રી  જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે […]

અમદાવાદના SG હાઈવે પર દબાણ હટાવવા ગયેલી AMCની ટીમ અને લારીગલ્લાવાળા વચ્ચે ઘર્ષણ

SG હાઈવે પર સેટેલાઈટ મોલ સામે દબાણ હટાવાતા થઈ માથાકૂટ, લારી-ગલ્લાવાળાઓએ માલ-સામાન પરત આપવાનું કહીને બબાલ કરી, બે શ્રમિકાનો સામાન્ય ઈજા, ત્રણની ધરપકડ અમદાવાદઃ શહેરના એસજી હાઇવે પર સેટેલાઈટ મોલની સામે એએમસીના દક્ષિણ પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા દબાણો હટાવવાની કામગીરી દરમિયાન લારી ગલ્લાવાળા તથા મ્યુનિની ટીમ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં એક મજૂરને […]

સુરતમાં તાપી નદીમાં પાણીની સપાટી ન ઘટતા કાઝવે છેલ્લા ચાર મહિનાથી બંધ

ઉકાઈ ડેમમાંથી સમયાંતરે છોડવામાં આવતું પાણી, ઉકાઈ ડેમ છલોછલ ભરાયા બાદ જેટલી આવક છે તેટલું પાણી છોડી દેવામાં આવે છે, સિંગણપોર અને રાંદેરને જોડતો કોઝ વે છેલ્લા ચાર મહિનાથી ઓવર ફ્લો થઈ રહ્યો છે, સુરતઃ તાપી નદીના ઉપરવાસમાં વરસાદને લીધે સોમાસાની સીઝન દરમિયાન અને ત્યારબાદ તાપી નદી છલોછલ બેકાંઠે વહી રહી છે. ઉકાઈ ડેમમાંથી સમયાંતરે […]

જુનાગઢના સક્કરબાગ ઝૂમાંથી 20 સિંહોને જામનગરના વનતારામાં મોકલાયા

વિશ્વનાં સૌથી મોટાં પ્રાણી બચાવ- પુનર્વસન કેન્દ્રમાં એશિયાટિક સિંહોની સંખ્યામાં વધારો, વનતારામાં આફ્રિકન અને એશિયાટિક મળી 180થી વધુ સિંહ, 150થી વધુ વાઘનો વસવાટ, અનેક પ્રાણીઓને ભારત અને વિદેશમાંથી બચાવીને વનતારામાં લાવવામાં આવ્યા છે, જૂનાગઢઃ શહેરના સક્કરબાગથી 20 સિંહોને જામનગરના વનતારામાં મોકલવામાં આવ્યા છે. સરકારના વિવિધ સ્તરેથી મંજૂરી બાદ ખાસ વાહન મારફતે જૂનાગઢનાં સક્કરબાગ ઝૂમાંથી 20 […]

સુરેન્દ્રનગરમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને વાયરલ ઈન્ફેક્શનના કેસમાં થયો વધારો

ઓક્ટોબર મહિનામાં ઓપીડીમાં થયો બમણો વધારો, ઝાડા-ઊલટીના 416 કેસ અને શરદી-ઉધરસના 3105 કેસ નોંધાયા, તંત્ર દ્વારા મુખ્ય રસ્તાઓ, સરકારી કચેરીઓ આસપાસના વિસ્તારમાં દવાનો છંટકાવ સુરેન્દ્રનગરઃ વરસાદી વાતાવરણને લીધે શહેર અને જિલ્લામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. ગત ઓક્ટોબર મહિનામાં 1,37,308 ઓપીડી કેસ નોંધાયા હતાય જેમાં ઝાડા- ઊલટીના 546, શરદી ઉધરસના 3602, ટાઇફોડના 2 કેસ […]

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર વહેલી સવારે ગાઢ ધૂમ્મ્સથી વાહનચાલકો પરેશાન થયા

હાઈવે પર ધૂમ્મસને કારણે વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો અટવાયા, હાઈવે ઓથોરિટીએ વાહનો ધીમી ગતિએ ચલાવવા તાકીદ કરી, બે કલાક બાદ સૂર્ય નારાયણના દર્શન થતાં ધૂમ્મસ દૂર થયો અમદાવાદઃ ગુજરાતમાં કમોસમી વરસાદનું જોર ઘટી ગયા બાદ હવે ધીમા પગલે ઠંડીનું આગમન થઈ રહ્યુ છે. ત્યારે આજે કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે વાતાવરણમાં ભારે ધુમ્મસ જોવા મળ્યુ હતુ.  વડોદરા-અમદાવાદ […]

જામનગરમાં ગુરૂદ્વારામાં ગુરૂનાનકની 556મી જન્મ જ્યંતી હર્ષોલ્લાસથી ઊજવાઈ

ગુરૂદ્વારાથી વહેલી સવારે પ્રભાતફેરીમાં અનેક લોકો જોડાયા, ગુરૂદ્વારામાં શબ્દ કીર્તન અને ગુરુ કે લંગર (મહાપ્રસાદ)નું પણ આયોજન કરાયુ, ગુરુસિંઘ સભામાં સેહજ પાઠની સમાપ્તિ જામનગરઃ ગુજરાતમાં અમદાવાદ સહિત શહેરોમાં આજે ગુરૂ નાનકની 556મી જન્મ જ્યંતિની ઊજવણી કરવામાં આવી હતી. જેમાં જામનગરમાં ગુરુદ્વારામાં ગુરુસિંઘ સભામાં ઉજવણી ભારે ધામધૂમથી કરવામાં આવી હતી.  પરોઢિયે પ્રારંભે ગુરુદ્વારા ખાતેથી પ્રભાત ફેરીનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code