1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ગુજરાતમાં આજે બપોર સુધીમાં 158 તાલુકામાં પડ્યો કમોસમી વરસાદ, મહુવામાં 3.19 ઈંચ

દરિયાકાંઠા વિસ્તારમાં બે દિવસ વાવાઝાડાની શક્યતા, માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના, સૌરાષ્ટ્રના બંદરો પર ત્રણ નંબરના સિગ્નલ લગાવાયા અમદાવાદઃ ગુજરાતમાં કારતક મહિનામાં અષાઢી માહોલ સર્જાયો છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે  સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. આજે ગુરૂવારે બપોર સુધીમાં 158 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં ભાવનગરના મહુવામાં 3.19 ઈંચ, ભરૂચના […]

ગુજરાતના 45 તાલુકામાં કમોસમી વરસાદ, કપરાડામાં 1.38 ઇંચ

ગાંધીનગરઃ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. માવઠું થતાં ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 45 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. રાજ્યના 45થી વધુ તાલુકામાં હળવાથી ભારે વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં 1.38 ઇંચ અને બનાસકાંઠાના અમીરગઢમાં 1.22 ઇંચ વરસાદ વરસ્યો […]

એકતાનગરમાં પ્રવાસીઓની સુવિધા માટે 25 નવી ઈ-બસો ઉમેરાશે

ભરૂચઃ નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત એકતા નગરમાં બનાવવામાં આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા માટે દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. આ દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસર પર તા.31 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ એકતા નગરને અનેક વિકાસ કાર્યો અને પ્રવાસન આકર્ષણોની ભેટ આપશે. આ […]

ગુજરાતમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનીનું વળતર ખેડૂતોને ચૂકવાશે

મંત્રી મંડળની મળેલી બેઠકમાં નુકાસાનીના સર્વે માટે અપાયો આદેશ, ગ્રામ સેવકો એક સપ્તાહમાં સર્વે કરીને સરકારને રિપોર્ટ આપશે, સર્વેના આધારે ખેડૂતોને નુકસાનીનું વળતર અપાશે ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી પડેલા કમોસમી વરસાદને લીધે કૃષિપાકને સારૂએવું નુકસાન થયુ છે. ખેડૂતોના મોંમા આવેલો કોળિયો છીનવાઈ ગયો છે.રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સ્થિતિનો તાત્કાલિક તાગ મેળવવા મંત્રીઓને […]

ગિરનારમાં લીલી પરિક્રમાનો રૂટ વરસાદમાં ધોવાયો, પરિક્રમા રદ થાય તેવી શક્યતા

પરિક્રમામાં બાળકો અને વૃદ્ધોને ન આવવા તંત્રએ કરી અપીલ, વહિવટી તંત્ર સમીક્ષા બાદ યાત્રા અંગે નિર્ણય લેશે, 36 કીમીના પરિક્રમાના માર્ગ પર કાદવ-કીચડ અને ઢોળાવવાળા રસ્તા લપસણા બન્યા જૂનાગઢઃ  ગિરનારની લીલી પરિક્રમાના પ્રારંભને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે ગિરનારના જંગલ વિસ્તારમાં કમોસમી વરસાદને લીધે પરિક્રમામા 36 કીમીનો માર્ગ ધોવાઈ ગયો છે. વરસાદને લીધે પરિક્રમાના […]

સુરતથી ભાવનગર વેકેશનમાં ફરવા આવેલી યુવતીનું ફ્લેટ્સના 6ઠ્ઠા માળેથી પડતા મોત

ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં વી પી સોસાયટીમાં બન્યો બનાવ, યુવતી સુરથી પોતાના સંબધીને ત્યાં વેકેશનમાં રોકાવા માટે આવી હતી, અકસ્માત કે આત્મહત્યા, પોલીસે તપાસ શરૂ કરી ભાવનગરઃ સુરતથી દિવાળી વેકેશન મનાવવા માટે ભાવનગર પોતાના સંબધીને ત્યાં આવેલી યુવતીનું ગત રાતે સુભાષનગર વિસ્તારની વી.પી. સોસાયટી (પ્રધાનમંત્રી આવાસ યોજના)ની E વિંગના છઠ્ઠા માળની બાલ્કનીમાંથી નીચે પટકાતાં મોત થયું […]

મેરિટાઇમ બોર્ડ સાથે પીપાવાવ પોર્ટ (APM ટર્મિનલ્સ) દ્વારા 17 હજાર કરોડના થયા MoU

PM મોદીએ આપેલા ‘સમુદ્ર સે સમૃદ્ધિ’નાવિઝનને સાકાર કરવા ગુજરાતની વધુ એક પહેલ, પીપાવાવ પોર્ટના કેપેસિટી એક્સપાન્શનથી પોર્ટ લેડ ડેવલોપમેન્ટને નવી દિશા મળશે, ભારતના ‘મેરિટાઈમ ગેટવે’ તરીકેની ગુજરાતની ઓળખ વધુ સુદ્રઢ થશે ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ના વિઝનને ગુજરાતમાં પોર્ટ્સ સેક્ટરના આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસથી સાકાર કરવાનું એક મહત્વપૂર્ણ કદમ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં […]

જોધપુરથી બાવન ઊંટ સાથે આવેલી બીએસએફની બે ટુકડી એકતા પરેડમાં ભાગ લેશે

બીએસએફનું ઊંટ દળ એક સમયે ગંગાસિંહ રિસાલા તરીકે ઓળખાતું હતું, ઊંટની પૂંછડીના વાળને સુંદર રીતે કાપી ડીઝાઇન આપવામાં આવી, કેમલ કેવેલરીમાં જેસલમેરી અને બિકાનેરી ઊંટ થયા છે સામેલ,  ગાંધીનગરઃ એક સમયે ગંગાસિંહ રિસાલા તરીકે ઓળખાતી બિકાનેર રાજ્યની કેમલ કન્ટીન્જન્ટ આજે સીમા સુરક્ષા દળની મહત્વની ટૂકડી છે. સામાન્ય રીતે રાષ્ટ્રીય પર્વના દિવસે દિલ્લીમાં યોજાતી પરેડમાં કે […]

નડિયાદમાં પીજ રોડ પર બાખડી રહેલા બે આખલાએ અનેક વાહનોને અડફેટે લીધા

મ્યુનિની પશુ પકડવાની કામગીરી સામે સવાલો ઊઠ્યા, બે આખલા વચ્ચેના યુદ્ધથી રાહદારીઓમાં ભાગદોડ મચી, ઝગડતા આખલાં અથડાતા અનેક વાહનોને થયુ નુકસાન નડિયાદ: શહેરમાં રખડતા ઢોર અને આખલાઓથી નાગરિકો પરેશાન થઈ રહ્યા છે, છતાંયે મ્યુનિ.કોર્પોરેશનના તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવતા નથી. ત્યારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પીજ રોડ પર જાહેર માર્ગ પર બે આખલાઓ […]

ગુજરાત સરકારના પ્રવક્તા તરીકે હર્ષ સંઘવી અને જીતુ વાઘાણીને જવાબદારી સોંપાઈ

રાજ્ય સરકારના નીતિવિષયક નિર્ણયો અને મહત્ત્વપૂર્ણ બાબતોની માહિતી આપશે, અગાઉ ઋષિકેશ પટેલ જવાબદારી સંભાળતા હતા, હવે બન્ને મંત્રીઓ મીડિયાને બ્રિફિંગ કરશે ગાંધીનગરઃ ગુજરાત રાજ્યના નવા મંત્રીમંડળની રચના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રવક્તા મંત્રીઓના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારના નીતિવિષયક નિર્ણયો અને મહત્ત્વપૂર્ણ બાબતોની માહિતી રજૂ કરવા માટે જીતુ વાઘાણી અને હર્ષ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code