1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

વડોદરામાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ હેઠળ 16 તળાવોમાંથી માત્ર 7 તળાવ ઊંડા કરાયા

શહેરના 16 તળાવો તો ડ્રેનેજના પાણીથી અડધા ભરાઇ ગયા, ચોમાસાનો પ્રારંભ છતાં હજુ સુધી વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી અધૂરી, ભારે વરસાદ પડશે તો મુશ્કેલી પડશે વડોદરાઃ  શહેરમાં ગયા વર્ષે વિશ્વામિત્રીના પૂરને લીધે ખાના-ખરાબી સર્જાઈ હતી. ત્યાર બાદ વિશ્વામિત્રી નદીના પાણીને નિયંત્રિત કરી શકાય તે માટે ગુજરાત સરકારે કરોડો રૂપિયાનો વિશ્વામિત્રી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં […]

આસારામને હાઈકોર્ટમાંથી રાહત, કામચલાઉ જામીન લંબાવાયા

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે 2013ના બળાત્કાર કેસમાં આસારામને મોટી રાહત આપી હતી. તેમના કામચલાઉ જામીન 7 જુલાઈ સુધી લંબાવવામાં આવ્યા હતા. તેઓ આ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. અરજીની સુનાવણી કરતી વખતે, જસ્ટિસ ઈલેશ વોરા અને સંદીપ ભટ્ટની ડિવિઝન બેન્ચે આસારામના કામચલાઉ જામીન ત્રણ મહિનાથી લંબાવી દીધા હતા, જે અગાઉ 28 માર્ચે મંજૂર કરવામાં […]

અમેરિકામાં રહેતા મિત શાહ સામે છેતરપિંડીની કરાયેલી ફરિયાદ ઉપર ગુજરાત હાઈકોર્ટનો સ્ટે

• અભિનેત્રી નીતુ ચંદ્રા દ્વારા છેતરપિડીની ફરિયાદ કરવામાં આવી હતી • મિત શાહ અમેરિકામાં ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરે છે, • અમરિકામાં સર્જાયેલા ડિસ્પ્યુટની અમદાવાદમાં ફરિયાદ કરી અમદાવાદઃ નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ અભિનેત્રી/પ્રોડ્યુસર અને હોલીવુડ અભિનેત્રી મિસ. નીતુ ચંદ્રા શ્રીવાસ્તવ ધ્વારા ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતા મિત મયંક શાહ સામે ડીસીબી પોલીસ સ્ટેશન અમદાવાદમાં કરાયેલી છેતરપીંડી અને […]

વડોદરામાં અષાઢી બીજના દિવસે જગન્નાથજીની રોબો રથયાત્રા ભક્તિભાવ સાથે યોજાઈ

વડોદરાઃ વડોદરામાં આજની પવિત્ર અષાઢી બીજના દિવસે જગન્નાથજીની રોબો રથયાત્રા ભક્તિભાવ અને હર્ષૌલ્લાસ સાથે યોજાઈ હતી. શહેરના યુવા જય મકવાણાના ઉત્સાહભર્યા પ્રયાસથી સતત 12મા વર્ષે આ અનોખી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ટેક્નોલોજી અને સંસ્કૃતિના સમન્વય રૂપે, મોબાઈલ ઓપરેટેડ રોબોટિક રથ પર ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર, બહેન સુભદ્રા મહારાણી અને સુદર્શનજી બિરાજમાન થયા. જય મકવાણાના […]

અમદાવાદ રથયાત્રાઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ કરી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો

અમદાવાદઃ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પ્રતિવર્ષ મુખ્યમંત્રી ભગવાનના રથની પહિંદ વિધિ સંપન્ન કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવતા હોય છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એ પરંપરા આગળ વધારતા સતત ચોથી વખત ભગવાન જગન્નાથજીના રથની સોનાની સાવરણીથી સફાઈ કરી પહિંદ વિધિ સંપન્ન કરી હતી.ત્યાર બાદ મુખ્યમંત્રી ભગવાન જગન્નાથજીનું પૂજન-અર્ચન કરીને ભગવાનના મુખ્ય રથને નિજ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવવા મંદિર પરિસરમાંથી […]

જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં અમિત શાહ સહભાગી થયા

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે 148મી રથયાત્રાના પાવન અવસરે અમદાવાદના સુપ્રસિદ્ધ શ્રી જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં સહભાગી થઈ, ભક્તિભાવપૂર્વક દર્શન કર્યાં હતા. દેશભરના લાખો ભક્તોમાં ભગવાન જગન્નાથ પ્રત્યે દૃઢ આસ્થા છે. પ્રતિ વર્ષ અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથજી પ્રતિવર્ષ પોતાના ભક્તોને દર્શન આપવા સામે ચાલીને નગરયાત્રાએ નીકળે છે. ત્યારે રથયાત્રા પૂર્વે કેન્દ્રીય ગૃહમંત્રી […]

રથયાત્રામાં ગાંધી પોળ પાસે ત્રણ ગજરાજ બેકાબુ બન્યા, મહાવતે હાથી પર કાબુ મેળવ્યો

ગજરાજ બેકાબૂ થતાં લોકોમાં નાસભાગ મચી, ઈન્જેક્શન આપી એક હાથીને કાબૂમાં લેવાયો, પોલીસ-સ્વયંસેવકોને સીસોટી ન વગાડવા સૂચના અપાઈ અમદાવાદ: શહેરમાં આજે અષાઢી બીજના દિને ભગવાન જગન્નથાજી, બહેન સુભદ્રાજી, અને મોટાભાઈ બલરામજી  નગરચર્યાએ નિકળ્યા છે. શહેરના પરંપરાગત માર્ગે ‘જય રણછોડ, માખણચોર’ના જયધોષ સાથે રથયાત્રા આગળ વધી રહી છે. ભાવિકો જગદિશના દર્શન કરવા અધિરા બન્યા છે. રથયાત્રા […]

ભગવાન જગન્નાથજી ભાવિકોને દર્શન આપવા માટે પરિક્રમાએ નિકળ્યા, દર્શન માટે લોકો ઉમટી પડ્યાં

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિન્દ વિધિ કરીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો, વહેલી પરોઢે ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી, 18 ગજરાજ, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક, અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ અને 3 બેન્ડવાજાવાળા સાથે થયાત્રાનો પ્રારંભ અમદાવાદઃ આજે અષાઢી બીજના શુભદિને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજી ભાવિકોને દર્શન આપવા […]

આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાને પક્ષમાંથી 5 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાયા

ઉમેશ મકવાણાએ તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું, પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ 5 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા, મકવાણા કહે છે, હું રાષ્ટ્રીય નેતા છું, પ્રદેશ પ્રમુખ ગઢવી મને સસ્પેન્ડ કરી શકે નહીં અમદાવાદઃ આમ આદમી પાર્ટીના નેતા ઉમેશ મકવાણા ભાજપમાં જોડાશે એવી ઘણા સમયથી અટકળો ચાલી રહી છે. દરમિયાન વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ […]

સાવરકૂંડલાના થોરડી નજીક શ્રમિક પરિવારના બાળકનો સિંહએ કર્યો શિકાર

વાડીમાં રહેતા એમપીના શ્રમિક પરિવારના બાળકને ઉઠાવીને સિંહ ઝાડીમાં ધસડી ગયો, બનાવની જાણ થતાં વન વિભાગના અધિકારીઓ દોડી આવ્યા, ટ્રેન્ક્યુલાઈઝરથી બેભાન કરી સિંહને પાંજરે પૂર્યો અમરેલીઃ જિલ્લામાં સિંહની વસતીમાં વધારો થયો છે. ત્યારે સિંહ હુમલાના બનાવો પણ બની રહ્યા છે. જિલ્લાના સાવરકુંડલા તાલુકાના થોરડી અને રાજુલાની બોર્ડર વિસ્તારમાં એક દુખદ ઘટના બની છે. વાડીમાં કાચુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code