1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

હોળી-ધૂળેટી મનાવવા વતન જતા પ્રવાસીઓનો ઉધના રેલવે સ્ટેશન પર ધસારો

સુરત, 24 ફેબ્રુઆરી 2026: હોળી અને ધૂળેટીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે પરપ્રાંતના લોકો પોતાના માદરે વતન જઈ રહ્યા છે. સુરત શહેરમાં ટેક્સટાઈલ સહિતના ઉદ્યોગોમાં મોટી સંખ્યામાં પરપ્રાંતના લોકો રોજગારી માટે સ્થાયી થયેલા છે. પરપ્રાંતના લોકો ખાસ કરીને વર્ષમાં બેવાર પોતાના વતન જતા હોય છે. જેમાં દિવાળીના પર્વમાં અને હોળી-ધૂળેટીના પર્વમાં પરિવાર […]

અમદાવાદમાં વસ્ત્રાલ અને નારોલમાં અકસ્માતના બનાવમાં મહિલા સહિત બેનાં મોત

અમદાવાદ, 24 ફેબ્રુઆરી 2026:  શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં શહેરના પૂર્વ વિસ્તાર એવા વસ્ત્રાલ અને નારોલમાં જુદા જુદા અકસ્માતના બે બનાવમાં મહિલા સહિત બેના મોત નિપજ્યા હતા. વસ્ત્રાલ રીંગ રોડ પર ટ્રકે એક્સેસ સ્કૂટરને અડફેટે લેતા સ્કૂટરચાલક મહિલાનું મોત નિપજ્યુ હતુ. જ્યારે અસલાલી-નારોલ રોડ પર રોડ ક્રોસ કરી રહેલા એક યુવકને ટેન્કરચાલકે […]

સ્પોર્ટસ બાઈકની ચોરી કરતી આંતરરાજ્ય ગેન્ગના 4 શખસો પકડાયા, 6 બાઈક જપ્ત

અમદાવાદ, 24 ફેબ્રુઆરી 2026: અમદાવાદ સહિત મહાનગરોમાં માત્ર સ્પોર્ટ્સ બાઈકની ચોરી કરતી આંતરરાજ્ય ગેન્ગના ચાર શખશોને નારોલ પોલીસે ઝડપી લીધા છે. અને ચારેય શખસો પાસેથી રૂપિયા 10.50 લાખની કિંમતના 6 સ્પોર્ટ્સ બાઈક પણ કબજે કરાયા છે. પોલીસની પૂછતાછમાં એવી વિગતો મળી છે કે, આરોપીઓ રાજસ્થાનથી ચોરી કરવા માટે ગુજરાતમાં આવીને અલગ અલગ શહેરોમાં જતા હતા. […]

રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશનનો આજે બીજો દિવસ, 1200થી વધુ મકાનો તોડી પડાયા

રાજકોટ, 24 ફેબ્રુઆરી 2026:  શહેરના જંગલેશ્વર વિસ્તારમાં વર્ષો જુના ગેરકાયદે ગણાતા મકાનો તોડી પાડવા છેલ્લા બે દિવસથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેગા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરી અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1489 પૈકી 1224 મકાનો તોડી પાડવામાં આવ્યા છે. અને બાકી રહેતી 300 પ્રોપર્ટીને પણ સાંજ સુધીમાં તોડી પડાશે. મકાનો તૂટતા અનેક પરિવારો બેઘર […]

અમદાવાદમાં કોમનવેલ્થ કનેક્ટ ફોરમ: રમતગમત, અર્થતંત્ર અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે મંથન

અમદાવાદ, 24 ફેબ્રુઆરી, 2026 – Commonwealth Connect Forum અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે “આયોજિત ‘કોમનવેલ્થ કનેક્ટ ફોરમ’માં રાજ્ય સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, યુનાઇટેડ કિંગડમ તથા આંતરરાષ્ટ્રીય રમતગમત-ઉદ્યોગના પ્રતિનિધિઓએ એક મંચ પર મળી ભાવિ કોમનવેલ્થ ગેમ્સ, સ્પોર્ટ્સ ઇકોનોમી અને વૈશ્વિક રોકાણના અવસરો અંગે વ્યાપક ચર્ચા કરી હતી. અમદાવાદ ખાતે યોજાયેલા કોમનવેલ્થ કનેક્ટ ફોરમ 2026 કાર્યક્રમને […]

NSUIને પણ રાષ્ટ્રવાદ સામે વાંધો, સંશોધન પ્રદર્શનમાં તોડફોડ અને ગાળાગાળી કરી

અમદાવાદ, 24 ફેબ્રુઆરી, 2026 – NSUI vandalized research exhibition યુવા કોંગ્રેસ દ્વારા નવી દિલ્હીમાં AI સમિટ દરમિયાન નગ્ન પ્રદર્શન કર્યાનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ દ્વારા વધુ એક ભારત વિરોધી કાંડ કરવામાં આવ્યો છે. એનએસયુઆઈના કથિત વિદ્યાર્થી નેતાઓએ રાષ્ટ્રવાદ સાથે સંલગ્ન એક પ્રદર્શનની તોડફોડ કરી છે એટલું જ નહીં પરંતુ ત્યાં […]

ભૂતપૂર્વ ધારાસભ્ય સહિત ભાજપના અનેક અગ્રણીઓ કોંગ્રેસમાં જોડાયા

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય ઉમેદવાર અને ખેડા જિલ્લાના મજબૂત ઓબીસી સમાજના આગેવાન શ્રી ભારતસિંહ પરમાર તથા કાર્યકર્તાઓ ભાજપ છોડી કોંગ્રેસ પક્ષમાં જોડાયા અમદાવાદ, 23 ફેબ્રુઆરી, 2026 – Several BJP leaders join Congress આજરોજ રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય ઉમેદવાર […]

ફાગણી પૂનમે ડાકોર જતા પદયાત્રી સંઘો DJ કે લાઉડ સ્પીકર વગાડી નહીં શકે

અમદાવાદ, 23 ફેબ્રુઆરી 2026:  ફાગણી પૂનમને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. મોટી સંખ્યામાં પદયાત્રિકો ડોકારમાં ઠાકોરજીના દર્શન માટે જતા હોય છે. ત્યારે પદયાત્રાને લઈ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પદયાત્રી માર્ગ ઉપર કોઈપણ વ્યક્તિ ડીજે અથવા લાઉડ સ્પીકર નહીં વગાડી શકે.તેમજ પદયાત્રી રૂટ ઉપર સ્ટેજ કે મંચ બનાવીને કોઈપણ સંસ્થા કે ટ્રસ્ટ લાઉડ સ્પીકર […]

વંદે માતરમ ગાનના 150 વર્ષની ઊજવણીનો સંકલ્પ ગુજરાત વિધાનસભામાં લેવાયો

ગાંધીનગર, 23 ફેબ્રુઆરી 2026:  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે વંદે માતરમ ગાનના 150 વર્ષની ઉજવણીના ગૌરવ અવસરને વધાવવાનો સંકલ્પ ગુજરાત વિધાનસભા ગૃહમાં પ્રસ્તુત કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં જે ગીતની રચનાના 150 વર્ષની ઉજવણી થઈ રહી છે તે વંદે માતરમની દરેક પંક્તિમાં ભારત માતાનું અર્થપૂર્ણ ભક્તિ ગાન છે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, […]

મોરબી હાઈવે પર ઓવરટેક બાબતે સોની યુવાનની હત્યા કેસમાં કડક પગલાં ભરવા માગ

મોરબી, 23 ફેબ્રુઆરી 2026:  સામાન્ય વાતે હત્યાના બનાવો બની રહ્યા છે. ત્યારે કારને ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતમાં ઝઘડો કરીને કારચાલક સોની યુવાનની હત્યા કરાતા સૌરાષ્ટ્રભરના સોની સમાજમાં પ્રત્યાઘાત પડ્યા છે. મોરબી-રાજકોટ હાઈવે પર ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતમાં કારચાલક સોની યુવક જતીન રમેશભાઈ આડેસરાની છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેતા સમગ્ર મોરબી સહિત સૌરાષ્ટ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code