1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

PM મોદીના વિમાને પાકિસ્તાનના હવાઈ વિસ્તારમાંથી પસાર થવાનું ટાળ્યું

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાનો પોતાનો પ્રવાસ ટૂંકાવી દીધો હતો. તેમજ તેઓ તાત્કાલિક ભારત પરત ફર્યાં હતા. ભારત પરત ફરતી વખતે પીએમ મોદીનું વિમાન ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. આ વિમાન પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાંથી પસાર થયું ન હતું. આ વિમાન ભારતીય દ્વીપકલ્પથી ગુજરાત થઈને અરબી […]

પહેલગામ આતંકવાદી હુમલાની સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે પણ લીધી ગંભીર નોંધ, વ્યક્ત કર્યું દુઃખ

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાએ ભારતને હચમચાવી નાખ્યું છે, ત્યારે હવે સંયુક્ત રાષ્ટ્ર તરફથી પણ આ અંગે કડક પ્રતિક્રિયા આવી છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે આ હુમલાની સખત નિંદા કરી છે અને કહ્યું છે કે નાગરિકો પર હુમલા કોઈપણ સંજોગોમાં સહન કરી શકાય નહીં. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવના પ્રવક્તા સ્ટીફન […]

પહેલગામ આતંકવાદી હુમલામાં આતંકીઓના સ્ક્રેચ જાહેર કરાયાં અને ફોટોગ્રાફ પણ આવ્યા સામે, પાકિસ્તાનની સંડોવણી ખુલી

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશમાં ગુસ્સો છે. સુરક્ષા એજન્સીઓ આતંકવાદીઓને શોધવામાં વ્યસ્ત છે. હેલિકોપ્ટર અને ડ્રોનનો ઉપયોગ કરીને આતંકવાદીઓની શોધ કરવામાં આવી રહી છે. આ દરમિયાન, આતંકવાદી હુમલા અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે.પહેલગામ હુમલામાં બે પાકિસ્તાની આતંકવાદીઓ પણ સામેલ હોવાની માહિતી મળી છે. તેની સાથે બે સ્થાનિક આતંકવાદીઓ પણ હતા. અત્યાર […]

અમિત શાહે પહેલગામમાં ઘટના સ્થળની મુલાકાત લીધી, એનઆઈએ પણ ઘટનાની તપાસ કરશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હુમલા સ્થળની મુલાકાત લેવા માટે પહેલગામ પહોંચ્યા હતા. અમિત શાહે હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી અને પીડિત પરિવારોને મળ્યા હતા. બીજી તરફ NIA પહેલગામ આતંકવાદી હુમલાની તપાસ કરશે. આ માટે દિલ્હી અને જમ્મુથી NIA ટીમો પહેલગામ જવા રવાના થઈ ગઈ છે. NIA સ્થાનિક પોલીસ સાથે મળીને આ […]

સુરક્ષાદળોને એલઓસી અને આંતરિક વિસ્તારોમાં સાબદા રહેવા તાકીદ કરાઈ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હૂમલામાં 28 જેટલા પ્રવાસીઓના મોત થયાં છે. સમગ્ર ઘટનાને પગલે સુરક્ષાદળોએ આતંકીઓનો ખાતમો બોલાવવા માટે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. દરમિયાન સૈન્યને એલઓસી અને આંતરિક વિસ્તારમાં સાબદા રહેવા માટે તાકીદ કરવામાં આવી છે. બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહ આજે પીડિતોને મળ્યાં હતા. બીજી તરફ આ ઘટનાને […]

આતંકવાદીઓ સામે એવા પગલાં લેવામાં આવે કે તેમની આગામી 10 પેઢીઓ યાદ કરીને ધ્રૂજી જાય: રાજ ઠાકરે

મુંબઈઃ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી છે. આ સાથે, મનસેના વડા રાજ ઠાકરેએ કેન્દ્ર સરકારને અપીલ કરી હતી કે આતંકવાદીઓ સામે એવા પગલાં લેવામાં આવે કે તેમની આગામી 10 પેઢીઓ યાદ કરીને ધ્રૂજી જાય. બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં મનસેના વડા રાજ ઠાકરેએ કહ્યું, “મહારાષ્ટ્ર […]

શ્રી શ્રી રવિશંકરે વિશ્વ સમુદાયને આતંકવાદ સામે સંયુક્ત કાર્યવાહી કરવા અપીલ કરી

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. આ દુઃખની ઘડીમાં, આર્ટ ઓફ લિવિંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકરે પીડિતો અને તેમના પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી. શ્રી શ્રી રવિશંકરે બુધવારે એક વીડિયો સંદેશ જારી કરીને આ ઘટનાની સખત નિંદા કરી. આ સાથે, તેમણે વિશ્વ સમુદાયને આતંકવાદ સામે સંયુક્ત કાર્યવાહી કરવા […]

પહેલગામમાં આતંકી હુમલાના પગલે નિર્મલા સીતારમણે અમેરિકા-પેરુનો ટૂંકાવ્યો પ્રવાસ

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે અમેરિકા-પેરુનો તેમનો સત્તાવાર પ્રવાસ ટૂંકાવી દીધો. બુધવારે નાણાં મંત્રાલયે માહિતી આપી કે નાણાં પ્રધાન આ મુશ્કેલ અને દુઃખદ સમયમાં તેમના લોકો સાથે રહેવા માટે પરત ફરી રહ્યા છે. ભારત અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) માટે તૈયારી […]

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે ભારતીય ખેલાડીઓએ દુઃખ વ્યક્ત કરીને પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામમાં મંગળવારે સાંજે પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાની દેશના રમતગમત જગતના દિગ્ગજોએ સખત નિંદા કરી છે અને મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. ભૂતપૂર્વ ક્રિકેટર શિખર ધવને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર પોસ્ટ કર્યું, લખ્યું, “પહલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાથી ખૂબ જ દુઃખી અને આઘાત પામ્યો છું. પોતાના પ્રિયજનો ગુમાવનારા […]

ગુજરાતઃ ખેતી વિષયક વીજ જોડાણના નિયમોને લઈને સરકારે કર્યો ઐતિહાસિક નિર્ણય

ગાંધીનગરઃ ગુજરાતના ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને તેમની માંગણીઓને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ખેડૂતોને ખેતી વિષયક વીજ જોડાણ વધુ સરળતાથી પૂરા પાડવા ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. પ્રવર્તમાન જોગવાઇ મુજબ ખેતી વિષયક નવું વીજ જોડાણ મેળવવા માટે 7-12ના ઉતારામાં એક કરતા વધારે સહમાલીકના નામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code