1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અમદાવાદમાં રબારી વસાહતોના 1100 માલધારી પરિવારોને મળશે ઘરનો કાયમી માલિકી હક્ક

રબારી સમાજની વર્ષો જૂની માંગણીને હકારાત્મક વાચા આપતા મુખ્યમંત્રી જંત્રીના 15 ટકા રકમ અને ટ્રાન્સફર ફી ભરીને કાયમી માલિકી હક્ક મેળવી શકાશે ફાળવાયેલી આ જમીનનો દસ વર્ષ સુધી રહેણાંક સિવાય અન્ય ઉપયોગ કરી શકાશે નહીં ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે અમદાવાદ મહાનગરપાલિકાની હદમાં આવેલી રબારી વસાહતોના માલધારી કબજેદારોને જમીન પર રાહત દરે […]

જયપુર સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટે 4 આતંકવાદીને આજીવન કેદની સજા ફટકારી

જયપુરઃ રાજસ્થાનની રાજધાની જયપુરમાં 13 મે, 2008 ના રોજ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનામાં ચાંદપોલ વિસ્તારમાં રામચંદ્ર મંદિર પાસે જીવતા બોમ્બ પણ મળી આવ્યા હતા. સમગ્ર કેસ મામલે રાજસ્થાન હાઈકોર્ટે આજે મંગળવારે (8 એપ્રિલ, 2025) ચાર આતંકવાદીઓને આજીવન કેદની સજા ફટકારી છે. જયપુરમાં બ્લાસ્ટ મામલે રાજસ્થાન હાઈકોર્ટે શાહબાઝ હુસૈન, મોહમ્મદ સરવર આઝમી, […]

ખેતી હેતુ માટે નવી, અવિભાજ્ય કે પ્રતિબંધિત જમીનો હવેથી જૂની શરતની ગણાશે

મુખ્યમંત્રીનો સુશાસન અને સરળીકરણ માટે કલ્યાણકારી મહેસુલી નિર્ણય બિન ખેતી પ્રક્રિયામાં જમીનનું મહેસુલી પ્રમાણપત્ર ઝડપ અપાશે ખાતેદારને બીન ખેતી માટે અરજી કર્યાના 10 દિવસમાં એન.એ. મળશે ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતો, સામાન્ય નાગરિકો અને મધ્યમવર્ગીય પરિવારો માટે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. રાજ્યમાં મહેસુલી પ્રક્રિયામાં સરળીકરણ, સામાન્ય નાગરિકોની સુગમતાના અભિગમ સાથેના આ નિર્ણયોથી ઔદ્યોગિકરણ અને વ્યાપાર, […]

સ્ટેમ્પ ડ્યુટી એક્ટની સુધારેલી જોગવાઈનો 10મી એપ્રિલથી અમલ થશે

સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અમલમાં સુગમતા માટે મુખ્યમંત્રી કર્યો મહત્વપૂર્ણ નિર્ણય રૂ.એક કરોડ સુધીની લોનમાં મહત્તમ રૂ.5000 ની મર્યાદામાં સ્ટેમ્પ ડ્યુટી વધારાની જામીનગીરીના કિસ્સામાં પણ હવેથી ફિક્સ રૂ.5000ની ડ્યુટી લાગશે ગાંધીનગરઃ  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમની ઘણી જોગવાઈઓમાં સુધારા-વધારા કર્યા છે. આ સુધારાઓમાં પ્રજાલક્ષી દરોનો ઘટાડો કરવા સાથે વહીવટી સરળતા અને […]

પીએમ મુદ્રા યોજનાઃ 5 વર્ષમાં ગુજરાતમાં રૂ.70 હજાર કરોડની લોન અપાઈ

ગાંધીનગરઃ દેશના સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને કોઈપણ અવરોધ વિના સંસ્થાકીય લોન મળી રહે તે હેતુથી 8 એપ્રિલ 2015ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વમાં ‘પીએમ મુદ્રા યોજના’ જાહેર કરવામાં આવી હતી. આ યોજનાનો હેતુ નાના વેપારીઓ, નવા સ્ટાર્ટઅપ્સ અને દેશના યુવાનોને તેમના વ્યવસાય માટે લોન પૂરી પાડવાનો છે. ગુજરાતમાં આ યોજનાની વ્યાપકપણે અમલવારી કરવામાં […]

મુદ્રા યોજનાના સૌથી મોટા લાભાર્થી મહિલાઓ છે: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં 7, લોક કલ્યાણ માર્ગ પર પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના 10 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. તેમણે ઉપસ્થિત તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને મહેમાનોનું સ્વાગત કરવાના સાંસ્કૃતિક મહત્વ અને તેમની હાજરીથી ઘરમાં આવતી પવિત્રતા પર ભાર મૂક્યો હતો. તેમણે સહભાગીઓને તેમના […]

ગુજરાત વિશ્વના સૌથી મોટા હોમિયોપેથિક સંમેલનનું યજમાન બનશે

ગાંધીનગરઃ હોમિયોપેથીના સ્થાપક ડૉ. સેમ્યુઅલ હેનેમેનની જન્મજયંતિ નિમિત્તે, વિશ્વ હોમિયોપેથી દિવસ 2025 ગુજરાતને તબીબી વિજ્ઞાનના વૈશ્વિક નકશા પર સ્થાન આપીને ઇતિહાસ રચવા માટે તૈયાર છે. આયુષ મંત્રાલયના નેજા હેઠળ આયોજિત, બે દિવસીય ગ્રાન્ડ કન્વેન્શનનું આયોજન સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથી (CCRH), નેશનલ કમિશન ફોર હોમિયોપેથી (NCH) અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોમિયોપેથી (NIH) દ્વારા સંયુક્ત […]

પાદરામાં ટ્રેકટરે બાઈકને અડફેટે લેતા 3 યુવાનોના મોત, હીટ એન્ડ રનમાં વિદ્યાર્થિનીનું મોત

વાઘોડિયા ચાર રસ્તા પર અજાણ્યા વાહનની અડફેટે સ્કૂટરચાલક વિદ્યાર્થિનીનું મોત પાદરાના ચમારા પુલ પાસે ટ્રેકટરની અડફેટે બાઈકસવાર 3 યુવાનોના મોત બન્ને અકસ્માતોના બનાવમાં પોલીસે ગુનોં નોંધી તપાસ હાથ ધરી વડોદરાઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ બે અકસ્માતના બનાવોમાં ચારના મોત નિપજ્યા હતા, પ્રથમ અકસ્માતનો બનાવ શહેરના વાઘોડિયા ચાર રસ્તા […]

બ્રહ્માકૂમારી સંસ્થાના મુખ્ય પ્રશાસક રતન મોહની દીદીનું 101 વર્ષની ઉંમરે નિધન

અમદાવાદમાં મોડી રાતે હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા રતન મોહની દીદીના પાર્થિવ દેહને આબુના શાંતિવનમાં લઈ જવાયો બ્રહ્માકૂમારીઝ અનુયાયીઓમાં શોક છવાયો અમદાવાદઃ બ્રહ્માકુમારી સંસ્થાના મુખ્ય પ્રશાસક દીદી રતન મોહિનીએ અમદાવાદમાં ઝાયડસ હોસ્પિટલમાં 101 વર્ષની ઉંમરે ગઈ મોડી રાત્રે 1.20 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી બ્રહ્માકૂમારીઝના અનુયાયીઓમાં શોક વ્યાપી ગયો હતો. સ્વર્ગસ્થના પાર્થિવ શરીરને […]

કોંગ્રેસના 84માં રાષ્ટ્રીય અધિવેશનનો પ્રારંભ, સરદાર સ્મારકમાં CWCની બેઠક મળી

કાલે બુધવારે સાબરમતીના તટે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓનો જમાવડા જામશે કોંગ્રેસના અધિવેશનની થીમ છે, ‘ન્યાયપંથ: સંકલ્પ, સમર્પણ અને સંઘર્ષ પ્રથમ દિવસે પ્રિયંકા ગાંધીની ગેરહાજરી અમદાવાદઃ શહેરના આંગણે આજથી કોંગ્રેસનું 84મું અધિવેશનનો પ્રારંભ થયો હતો. સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે કોંગ્રેસની કાર્યકારી સમિતિ (CWC)ની બેઠક સાથે શરૂ થઈ હતી. CWCની બેઠકના પ્રારંભે રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેએ જણાવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code