1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

મહેસાણામાં હનીટ્રેપમાં ફસાવીને નાણા પડાવતી ગેંગના ચાર સભ્યો ઝડપાયાં

ગાંધીનગરઃ મહેસાણામાં ખાનગી કંપનીના મેનેજર અને મિત્રને હનીટ્રેપમાં ફસાવી 8 લાખ પડાવનારી ગેંગને પોલીસે ઝડપી લીધી હતી. ગેંગની મુખ્ય સૂત્રધાર મનાતી મીનાબેન જશવંતભાઈ રાવળએ ચા પીવાના બહાને ઓઇલ કંપનીના મેનેજર અને તેમન મિત્રને દીકરીના અવધુત રો હાઉસ ખાતે આવેલા તેજલ રાવળના ઘરે બોલાવી પોતાની ગેંગ સાથે મળી હનીટ્રેપને અંજામ આપ્યો હતો. 4 ફેબ્રુઆરીમાં દુષ્કર્મના કેસમાં […]

ભ્રષ્ટાચારના કેસમાં CBI કોર્ટનો મોટો નિર્ણય, પૂર્વ બેંક મેનેજર સહિત 3 દોષિતોને સજા

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની વિશેષ અદાલતે ભ્રષ્ટાચાર અને છેતરપિંડીના બે અલગ-અલગ કેસમાં ત્રણ આરોપીઓને 2 થી 4 વર્ષની જેલની સજા ફટકારી છે. કોર્ટે આ મામલામાં દોષિત જાહેર થયેલા પૂર્વ બેંક મેનેજર સહિત ત્રણ લોકો પર કુલ રૂ. 51,000નો દંડ પણ ફટકાર્યો છે. બેંક મેનેજરને 4 વર્ષની સજા પ્રથમ કેસમાં, લખનૌની સીબીઆઈ સ્પેશિયલ કોર્ટ નંબર […]

ભારત અને ચીન વચ્ચે ભવિષ્યમાં પણ મતભેદ હોઈ શકે છે, વિદેશ મંત્રી જયશંકરનું મોટું નિવેદન

વિદેશ મંત્રી એસ જયશંકરે ગઈ કાલે જણાવ્યું હતું કે 2020 માં ગાલવાન ઘાટીની અથડામણને કારણે સર્જાયેલા તણાવ પછી ભારત અને ચીન સંબંધોને પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કારણ કે તણાવપૂર્ણ સંબંધો બંને પક્ષો માટે ફાયદાકારક રહેશે નહીં. પ્રમુખ થિંક-ટેન્ક એશિયા સોસાયટી દ્વારા આયોજિત એક ઇન્ટરેક્ટિવ સત્રમાં જયશંકરે કહ્યું કે નજીકના ભવિષ્યમાં ભારત અને ચીન […]

અમેરિકન કાર ઉત્પાદકોને કિંમતો ન વધારવા ટ્રમ્પનું સૂચન

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે, અમેરિકન કાર ઉત્પાદકોને કડક ચેતવણી આપી છે જો અમેરિકન કંપનીઓ તેમના આયાતી કાર ટેરિફના જવાબમાં કિંમતોમાં વધારો કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, ટ્રમ્પે અમેરિકી ઓટોમેકર્સને ટેરિફના જવાબમાં કિંમતો ન વધારવા ચેતવણી આપી છે. ટેરિફની જાહેરાત કરતા પહેલા ટ્રમ્પે, દેશના કેટલાક ટોચના ઓટોમેકર્સના સીઈઓને ફોન […]

મણિપુર બાદ હવે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો અરુણાચલની મુલાકાતે

મણિપુર બાદ હવે સુપ્રીમ કોર્ટના જજો અરુણાચલ પ્રદેશ જઈ રહ્યા છે. ન્યાયાધીશોના આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય અરુણાચલના આદિવાસી સમુદાય અને દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને તેમના અધિકારો અને કાયદાકીય પ્રક્રિયાઓ વિશે જાગૃત કરવાનો છે. આ કાર્યક્રમ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) દ્વારા રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના સહયોગથી યોજવામાં આવી રહ્યો છે. NALSA ના કાર્યકારી પ્રમુખ અને સુપ્રીમ […]

બાંગ્લાદેશની આર્થિક સ્થિતિને પાટા પર લાવવા મુહમ્મદ યુનુસે ચીન પાસે મદદ માંગી

બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસે શુક્રવારે (28 માર્ચ) ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. યુનુસ ચાર દિવસની મુલાકાતે ચીન આવ્યા છે. બાંગ્લાદેશની આર્થિક સ્થિતિને પાટા પર લાવવા માટે તે આ પાડોશી દેશ સુધી પહોંચ્યો છે. ભારત સાથે બગડતા સંબંધોને કારણે તેને મદદ માટે અહીં-ત્યાં ભીખ માંગવી પડે છે. યુનુસ બુધવારે ચીનના હેનાન શહેર […]

રાજ્યસભામાં સપાના સાંસદે રાણા સાંગા મુદ્દે આપેલા નિવેદનને પગલે હંગામો

નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સભ્ય રામજીલાલ સુમન દ્વારા, રાણા સાંગા પર આપવામાં આવેલા નિવેદનને કારણે રાજકીય વાતાવરણ ગરમાઈ રહ્યું છે. રાણા સાંગા પર આપેલા નિવેદનને લઈને, શુક્રવારે રાજ્યસભામાં ભારે હોબાળો થયો હતો. ભાજપે માંગ કરી હતી કે, જ્યાં સુધી રામજી સુમન અને વિપક્ષી નેતા ખડગે આ મામલે માફી નહીં માંગે, ત્યાં સુધી કોઈ સમાધાન નહીં થાય. […]

વડોદરામાં નકલી પોલીસના સ્વાંગમાં તોડ કરતા બે શખસો પકડાયા

બાઈકચાલકને પોલીસની ઓળખ આપી ધમકાવીને 20 હજારનો તોડ કર્યો હતો અન્ય યુવકને મારમારીને રૂપિયા પડાવ્યા હતા આરોપી સામે અન્ય પોલીસ સ્ટેશનમાં પણ ગુના નોંધાયેલા છે   વડોદરાઃ શહેરમાં નકલી પોલીસના સ્વાંગમાં વાહનચાલકોને ડરાવીને તોડ કરનારા બે શખસોને પોલીસે પકડી પાડ્યા હતા. શહેરના તરસાલી વિસ્તારમાં બાઈક લઇ ઉભેલા મિત્રો પાસે નકલી પોલીસના સ્વાંગમાં  બે શખસો ધસી […]

જામનગર નજીક હાઈવે પર ટ્રકનું ટાયર ફાટતા સર્જાયો અકસ્માત, ટ્રકચાલકનું મોત

ટ્રકચાલક કૂદકો મારીને ઉતરતા તેની જ ટ્રકના પાછલના વ્હીલ ફરી વળ્યા અનાજ ભરેલો ટ્રક લાલપુર બાયપાસથી અમદાવાદ જઈ રહ્યો હતો ટ્રક ફંગોળાઈને રોડ સાઈડ પર ઉતરી ગયો જામનગરઃ જિલ્લાના હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે જામનગર નજીક મોરડંકા ગામના પાટિયા પાસે વધુ એક અકસ્માત સર્જાયો હતો. ગઈકાલે રાતના સમયે અનાજ ભરેલી એક ટ્રક […]

નરેન્દ્ર મોદી 30 માર્ચે મહારાષ્ટ્ર અને છત્તીસગઢની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 માર્ચે મહારાષ્ટ્ર અને છત્તીસગઢની મુલાકાતે જશે. તેઓ રવિવારે સવારે 9 વાગ્યે નાગપુર જશે અને સ્મૃતિ મંદિરની મુલાકાત લેશે અને ત્યારબાદ દીક્ષાભૂમિ જશે. પ્રધાનમંત્રી કાર્યાલય અનુસાર, સવારે લગભગ 10 વાગ્યે, તેઓ નાગપુરમાં માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરનો શિલાન્યાસ કરશે અને જાહેર સભાને સંબોધિત કરશે. બપોરે લગભગ 12:30 વાગ્યે, તેઓ નાગપુરમાં સોલાર ડિફેન્સ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code