1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

4 મહિના પછી ક્રિકેટના મેદાનમાં પરત ફરશે બુમરાહ

મુંબઈઃ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ IPL મેચો રમે તેવી શક્યતા છે, તે મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં જોડાયો છે. પીઠની ઈજાને કારણે બુમરાહ આ સિઝનની પહેલી ચાર મેચ રમી શક્યો ન હતો. મુંબઈ ઈન્ડિયન્સે રવિવારે પોતાના સોશિયલ મીડિયા પર બુમરાહ વિશે આ માહિતી આપી. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન આ ઝડપી બોલરને ઈજા થઈ હતી. કમરના નીચેના ભાગમાં થયેલી […]

ટેરિફ અંગે નેતન્યાહૂ અમેરિકાની લેશે મુલાકાત

અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફને લઈને આંતરરાષ્ટ્રીય વિશ્વમાં ગભરાટનો માહોલ છે. દરમિયાન, ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સોમવારે યુએસ વ્હાઇટ હાઉસની મુલાકાત લઈ શકે છે. ઇઝરાયલી સરકારે આ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2 એપ્રિલે પોતાના નવા ટેરિફની જાહેરાત કરી છે. ઘણા દેશો આ અંગે ખૂબ દબાણ અનુભવી રહ્યા છે. […]

નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના ક્રિકેટ દિગ્ગજો સાથે વાતચીત કરી

ચેન્નાઈઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોલંબોની મુલાકાત દરમિયાન શ્રીલંકાની 1996 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્યો સાથે ખાસ વાતચીત કરી હતી. આ દરમિયાન PM મોદીએ સનથ જયસૂર્યા, ચામિંડા વાસ, અરવિંદા ડી સિલ્વા, મારવાન અટાપટ્ટુ, રવિન્દ્ર પુષ્પકુમારા, ઉપુલ ચંદના, કુમાર ધર્મસેના અને રોમેશ કાલુવિથરાના સહિત શ્રીલંકાના ક્રિકેટ દિગ્ગજો સાથે વાતચીત કરી. પ્રધાનમંત્રી મોદીએ આ પ્રસંગે કહ્યું કે ભારતની 1983ની […]

ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાને લઈને તૈયારીઓ શરુ, મામેરાના યજમાન નક્કી

અમદાવાદઃ અષાઢી બીજના રોજ નીકળતી ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાને લઈને તૈયારીઓ શરુ કરવામાં આવી છે. આજે 6 એપ્રિલના રોજ રામનવમીના દિવસે ભગવાનના મામેરા માટે સરસપુર રણછોડરાય મંદિર ખાતે ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટીઓની હાજરીમાં ચિઠ્ઠી ઉછાળી અને એક દીકરીના હાથે ડ્રો કરવામાં આવ્યો હતો.જેમા સરસપુર ખાતે ભગવાનના મામેરાના યજમાન તરીકે જાગૃતિબેન ત્રિવેદીને લાભ મળ્યો છે. […]

અમિત શાહ કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદની લેશે મુલાકાત

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જમ્મુ-કાશ્મીર પ્રવાસના બીજા દિવસે કઠુઆમાં બોર્ડર આઉટપોસ્ટ ‘વિનય’ની લેશે મુલાકાત… જમ્મુના રાજભવનમાં શહીદ પોલીસકર્મીઓના પરિજનો સાથે મુલાકાત કરી તેમને નિયુક્તિ પત્રો કરશે એનાયત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસીય જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે. જેમાં આજે બીજા દિવસે તેઓ જમ્મુ અને કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ (IB)ની મુલાકાત લેશે અને આતંકવાદીઓ સાથેના તાજેતરના […]

દ્રૌપદી મુર્મુ લિસ્બન પહોંચ્યા, 27 વર્ષ પછી ભારતીય રાષ્ટ્રપતિની પોર્ટુગલની પ્રથમ મુલાકાત

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ પોર્ટુગલ અને સ્લોવાકિયાના પ્રવાસે છે. કોઈ ભારતીય રાષ્ટ્રપતિની આ 27 વર્ષ બાદ પોર્ટુગલની અને 29 વર્ષ બાદ સ્લોવાકિયાની મુલાકાત છે. રાષ્ટ્રપતિ એવા સમયે પોર્ટુગલની મુલાકાતે છે જ્યારે બંને દેશોના સંબંધો અને રાજદ્વારી ભાગીદારીના 50 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ રવિવારે રાત્રે પોર્ટુગલની રાજધાની લિસ્બન પહોંચ્યા હતા. આ સાથે […]

ChatGPT નું પ્રીમિયમ વર્ઝન હવે વિદ્યાર્થીઓ માટે મફત, આ સુવિધા ફક્ત યુએસ અને કેનેડામાં ઉપલબ્ધ બનશે

શિક્ષણમાં AI ના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે OpenAI એ કોલેજના વિદ્યાર્થીઓ માટે ChatGPT Plus મફતમાં ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે, જોકે આ સુવિધા હાલમાં ફક્ત યુએસ અને કેનેડામાં જ ઉપલબ્ધ છે અને તે ફક્ત મે મહિનાના અંત સુધી જ ચાલશે. આ મર્યાદિત સમયની ઓફર હેઠળ, OpenAI વિદ્યાર્થીઓને GPT-4o, એડવાન્સ્ડ ફાઇલ વિશ્લેષણ અને વૉઇસ ઇન્ટરેક્શન જેવી […]

અમદાવાદના શાહીબાગમાં કાર ડિવાઈડર કૂદીને રિક્ષા સાથે અથડાયા બાદ આગ લાગી

અકસ્માત બાદ કારમાં આગ લાગતા બળીને ખાક કારમાં બેઠેલા ત્રણ જણા અને રિક્ષામાં પ્રવાસ કરતા બેને ઈજા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરના અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં ગત રાતના સમયે શાહીબાગ ડફનાળા પાસે કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને રિક્ષા સાથે અથડાઈ હતી. ત્યારબાદ કારમાં આગ લાગતા […]

અમદાવાદનું માણેકચોક ખાણી-પીણી બજાર કાલે સોમવારથી ફરી ધમધમશે

માણેકચોકમાં વર્ષો જુની ડ્રેનેજ લાઈન બદલવા ખાણીપીણી બજાર બંધ કરાયુ હતું ખાણીપીણીના વેપારીઓએ ફરી તૈયારીઓ શરૂ કરી દીધી રાત્રી બજારનો નજારો માણવા શહેરીજનો ઉમટી પડશે અમદાવાદઃ શહેરના માણેકચોક ખાણીપીણી બજારને ડ્રેનેજ લાઈનની કામગીરીને લીધે બંધ કરવામાં આવ્યું હતું. હવે ડ્રેનેજલાઈનની કામગીરી પૂર્ણ થઈ જતાં કાલે સોમવારથી ફરી માણેકચોક રાત્રી ખાણીપીણી બજાર ધમધમતુ થઈ જશે. ખાણીપીણીના […]

ગુજરાતભરમાં રામ નવમી પર્વની આનંદોલ્લાસ સાથે ઊજવણી, મહાનગરોમાં શોભાયાત્રા નીકળી

અમદાવાદમાં શોભાયાત્રામાં લવ જેહાદનો ફ્લોટ પોલીસે દૂર કરાવ્યો રાજકોટમાં રાધેશ્યામ ગૌ શાળા સહયોગથી શોભાયાત્રા નીકળી વહેલી સવારથી દર્શન માટે મંદિરોમાં ભાવિકોની ભીડ જામી અમદાવાદઃ ગુજરાભરમાં આજે રામનવમીનું પર્વ ભારે આનંદોલ્લાસ સાથે ઊજવાયુ હતુ. અમદાવાદ, રાજકોટ, સુરત સહિત મહાનગરોમાં વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય સંસ્થાઓ દ્વારા યોજાયેલી શોભાયાત્રામાં અનેક ભાવિકો જોડાયા હતા. આજે સવારથી તમામ મંદિરોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code