1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

સુરતના વેસુ વિસ્તારમાં હાઈરાઈઝ ફ્લેટ્સના 8માં માળે લાગી આગ

આગ બિલ્ડિંગના ત્રણ માળ સુધી પ્રસરી આગના બનાવની જાણ થતાં હર્ષ સંઘવી દોડી આવ્યા ફાયરબ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી સુરતઃ શહેરમાં વેસુ વિસ્તારમાં હેપ્પી એન્કલેવ ફ્લેટના આઠમા માળે આગ લાગી હતી અને જોતજોતામાં આગે ત્રણ ફ્લોરને લપેટમાં લીધા હતા. આગની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આગ લાગી તે […]

પાલિતાણા હાઈવે પર ટ્રક પાછળ બાઈક અથડાતા બાઈકસવાર ત્રણ યુવાનોના મોત

ગઈ મોડી રાત્રે સોનપરી નજીક અકસ્માતનો બન્યો બનાવ બાઈકસવાર બે યુવાનોના ઘટના સ્થળે અને એકનું સારવાર દરમિયાન મોત પોલીસે અકસ્માતનો ગુનોં નોંધી વધુ તપાસ હાથ ધરી ભાવનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ પાલિતાણા હાઈવે પર સોનપરી નજીક ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો હતો. રાતના સમયે ટ્રક પાછળ બાઈક […]

જમ્મુ-કાશ્મીરઃ આતંકવાદને અટકાવવા માટે એનએચ-44 પર સેનાએ ગોઠવ્યો ચુસ્ત બંદોબસ્ત

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓને રોકવા અને સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરવા માટે સેનાએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 (NH-44) પર સુરક્ષા વધુ મજબૂત બનાવી છે. આ હાઇવે કેન્દ્રશાસિત પ્રદેશના અનેક ભાગોને જોડે છે. આતંકવાદીઓ દ્વારા શસ્ત્રો અને માલસામાનની દાણચોરી કરવા માટે તેનો ઉપયોગ કરવાના પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે સેનાએ ઘણા મોટા પગલાં લીધાં છે. સેનાએ હાઇવે પર […]

ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો છબરડો, LLBની પરીક્ષામાં માર્ચ 2024નું બેઠેબેઠું પ્રશ્નપત્ર અપાયું

ન્યાયશાસ્ત્રના પ્રશ્નપત્રમાં પ્રશ્નક્રમાંકમાં પણ ફેરફાર કરાયો નહતો ગયા વર્ષનું પેપર આ વર્ષે કેમ અપાયું તેની તપાસ માટે કમિટીની રચના રાજકોટની એજન્સી પાસે ખૂલાસો મંગાયો પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા હાલ એલએલબી સેમેસ્ટર-4ની પરીક્ષા ચાલી રહી છે. જેમાં ન્યાયશાસ્ત્ર વિષયની પરીક્ષામાં ગત વર્ષ એટલે કે માર્ચ 2024નું પ્રશ્નપત્ર બેઠેબેઠું અપાતા પરીક્ષાર્થીઓએ વિરોધ કર્યો હતો. આશ્વર્યની […]

વ્યાયમ શિક્ષકોની કાયમી ભરતીની માગ સાથે ઉમેદવારોની 25માં દિવસે લડત યથાવત

રાજ્યમાં છેલ્લા 25 વર્ષથી વ્યાયમ શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી સરકાર હકારાત્મક અભિગમ ધરાવે છેઃ શિક્ષણમંત્રી ગાંધીનગરમાં ધરણા કરતા ઉમેદવારોની પોલીસે કરી અટકાયત ગાંધીનગરઃ રાજ્યમાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી ન કરાતા શારીરિક શિક્ષણના ડિગ્રીધારી ઉમેદવારો છેલ્લા 25 દિવસથી સરકાર સામે ગાંધીચિન્ધ્યા માર્ગે લડત કરી રહ્યા છે. દરમિયાન ધરણા કરી રહેલા ઉમેદવારોને પોલીસે અટકાયત કરી હતી. […]

દિલ્હીવાસીઓ પણ આયુષ્માન યોજના હેઠળ સારવાર મેળવી શકશે: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મોદીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરી. તેમણે પોસ્ટમાં લખ્યું, “દિલ્હીના આરોગ્ય ક્ષેત્ર સાથે સંબંધિત એક ક્રાંતિકારી પગલું, ડબલ એન્જિન સરકારનું આ મિશન અહીંના મારા લાખો ભાઈ-બહેનો માટે ખૂબ જ ફાયદાકારક બનવાનું છે. મને ખૂબ આનંદ છે કે દિલ્હીવાસીઓ પણ હવે આયુષ્માન યોજના હેઠળ તેમની સારવાર કરાવી શકશે.” દિલ્હીના મુખ્યમંત્રી […]

આબુરોડ નજીક બનાસનદીમાં નહાવા પડેલા ત્રણ બાળકોના ડુબી જતા મોત

પોલીસે તરવૈયાઓની મદદથી શોધખોળ કરતાં નદીમાંથી મૃતદેહ મળ્યા બાળકો ક્રિકેટ રમવા ગયા બાદ નહાવા માટે બનાસનદીમાં પડ્યા હતા, મૃતક ત્રણ બાળકોમાં બે સગાભાઈઓના મોતથી અરેરાટી પ્રસરી ગઈ પાલનપુરઃ શહેર નજીક આવેલા રાજસ્થાનના આબુરોડ પાસેની બનાસનદીમાં નહાવા ગયેલા બે સગાભાઇ સહિત ત્રણ બાળકોના ડૂબી જતા મોત થયા હતા. બાળકો ક્રિકેટ રમવા ગયા પછી ઘરે પરત ન […]

કાશી સારા સ્વાસ્થ્યની રાજધાની બની રહ્યું છે: નરેન્દ્ર મોદી

લખનૌઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસીમાં વરિષ્ઠ નાગરિકોને ‘આયુષ્માન વય વંદના કાર્ડ’નું વિતરણ કર્યું. તેમણે કહ્યું કે વૃદ્ધોના ચહેરા પર દેખાતો સંતોષ આ યોજનાની સફળતાનો પુરાવો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે 10-11 વર્ષ પહેલા પૂર્વાંચલમાં સારવાર મેળવવામાં ઘણી મુશ્કેલીઓ હતી, પરંતુ હવે ચિત્ર બદલાઈ ગયું છે. દિલ્હી અને મુંબઈ જેવા મોટા શહેરોની અદ્યતન તબીબી સુવિધાઓ હવે લોકોના ઘરો […]

માધવપુરમાં શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ બાદ દ્વારકામાં શોભાયાત્રા યોજાઈ

ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીનો સત્કાર સમારોહ યોજાયો આહિર સમાજ દ્વારા પરંપરાગત સામૈયુ કરાયું ભગવાનની શોભાયાત્રા ઢોલ-નગારા સાથે નિકળી દ્વારકાઃ  માધવપુર ઘેડ ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રુક્મણીજીના વિવાહ ધામધૂમથી ઊજવાયા હતા. આ પ્રસંગે 5 દિવસનો લોકમેળો પણ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા પણ સાંકૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં […]

ગાંધીનગરમાં અસહ્ય તાપમાનને લીધે બપોરે 1થી 4 સુધી બાંધકામ સાઈટ્સ બંધ રહેશે

જિલ્લા કલેકટરના આદેશ બાદ નિર્ણય લેવાયો કલેક્ટરએ બાંધકામની સાઈટની મુલાતા લઈને શ્રમિકો સાથે વાત કરી શ્રમિકો માટે લીંબુનું શરબત, ઠંડા પાણીની વ્યવસ્થા કરવા સુચના આપી ગાંધીનગરઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી તાપમાનમાં વધારો થતાં શહેરીજનો ત્રાહીમામ પોકારી ગયા છે. જેમાં બાંધકામની સાઈટ પર કામ કરતા શ્રમિકોની હાલત કફોડી બની હતી. ત્યારે જિલ્લા કલેક્ટર મેહુલ દવેએ બાંધકામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code