1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ગુજરાતમાં ફરી હવામાનમાં પલટો, કચ્છમાં અમી છાંટણા સાથે વાદળછાંયુ વાતાવરણ

ગુજરાતમાં બે ઋતુનો અનુભવ, રાતે ઠંડી અને બપોરે ગરમી ભૂજ અને નખત્રાણા વિસ્તારમાં વરસાદના છાંટણાથી રોડ-રસ્તા ભીંજાયા હવામાન વિભાગ કહે છે, હવે કાલથી તાપમાનમાં વધારો થશે રાજકોટઃ ઉનાળાના પ્રારંભથી કાળઝાળ ગરમીનો અનુભવ થયા બાદ છેલ્લા કેટલાક દિવસથી તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. અને રાજ્યના હવામાન વિભાગે તાપમાન વધવાની શક્યતા વ્યક્ત કરી હતી ત્યાં જ ગઈકાલ રાતથી […]

ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વધુ 34 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને મંજુરી અપાઈ

રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ટ્વીટ કરીને આપી માહિતી 21 જિલ્લામાં નવા 34 પ્રા. આરોગ્ય કેન્દ્રોથી ગ્રામીણ લોકોને લાભ મળશે રાજ્યમાં હાલ 1499 પ્રા આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે ગાંધીનગરઃ રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં લોકોને આરોગ્યની સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકારે જુદા જુદા ગામડાંઓમાં 34 નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને મંજુરી આપવામાં આવી છે. આ માહિતી […]

ભૂજ-રાજકોટ વચ્ચે બે દાયકા બાદ દૈનિક ધોરણે ટ્રેનનો પ્રારંભ કરાયો

ભૂજ-રાજકોટ વચ્ચેનું ભાડું 100થી 125 હોવાથી પ્રવાસીઓને લાભ થશે એસટી બસમાં રૂ.200 અને વોલ્વોમાં રૂ.600 ટિકિટના દર હોવાથી વધુ પ્રવાસીઓ મળી રહેશે, ભુજથી રાજકોટ જવા સ્પેશિયલ ટ્રેન દરરોજ સવારે 50 કલાકે ઉપડશે ભૂજઃ કચ્છથી રાજકોટ જવા માટે સીધી ટ્રેનની સુવિધા ન હોવાથી પ્રવાસીઓને રોડ માર્ગે બસમાં પ્રવાસ કરવાની ફરજ પડતી હતી. વર્ષો પહેલા ભૂજ-રાજકોટ વચ્ચે […]

પાટનગર ગાંધીનગરમાં સરકારી આવાસ માટે 646 કરોડ મંજૂર કરાયા

ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓ માટે વધુ 1456 આવાસો બનાવાશે સ્થળની પસંદગી બાદ ટાવર કોલોની બનાવાશે ચ ટાઇપના 784, ‘છ’ ટાઇપના 224 તેમજ ‘જ’ કેટેગરીના 448 મકાનો બનાવાશે  ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં સચિવાલય ઉપરાંત અનેક વિભાગોની વિવિધ કચેરીઓ આવેલી છે. ત્યારે તમામ કર્મચારીઓને રહેવા માટે આવાસ મળી રહે તે માટે કર્મચારીઓ માટે નવા આવાસ બનાવાશે. હાલ આવાસ મેળવવા […]

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરને ભીખારીમુક્ત બનાવાશે

મ્યુનિએ શહેરમાં કેટલાં ભીખારી છે એનો સર્વે હાથ ધર્યો શહેરના ટ્રાફિક સિગ્નલો અને ધાર્મિક સ્થાનો પર સૌથી વધુ ભીખારીઓ જોવા મળ્યા ભીખારીઓને રોજગારી આપીને પુનર્વસન કરાશે ગાંધીનગરઃ પાટનગર ગણાતા ગાંધીનગર શહેરમાં ટ્રાફિક સિગ્નલો અને ધાર્મિક સ્થાનો પર ભીખારીઓની સંખ્યા વધતી જાય છે. ત્યારે શહેરની ભીખારી મુક્ત કરીને ભીખારીઓને રોજગારી આપીને તેમના પુનર્વસન માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા […]

આરોગ્ય કર્મીઓની હડતાળનો આજે 5મો દિવસ, ગાંધીનગરમાં પોલીસનો સઘન બંદોબસ્ત

આરોગ્ય કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે અડગ લીડર ગણાતા 5થી 6 કર્મચારીઓ મુખ્યમંત્રીને રજુઆત કરવા જશે આરોગ્ય કર્મચારીઓએ ઘ-4ના ગાર્ડનમાં એકઠા થઈને બેઠક યોજી ગાંધીનગરઃ  ગુજરાત પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીની પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે ગઈ તા.17મી માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. આજે આરોગ્ય કર્મચારીઓની હડતાળનો પાંચમો દિવસ છે. સરકારે એસ્મા લાગુ […]

રાજકોટમાં શિક્ષણના હેતુ માટે ફાળવેલી કરોડોની કિંમતી જમીન પર ખાણીપીણીની બજાર

વિરાણી હાઈસ્કૂલની જમીનનો કોમર્શિયલ ઉપયોગ સામે વિરોધ ક્રિકેટ અને ફુટબોલના મેદાન પણ ભાડે અપાયેલા છે શરતભંગની કાર્યવાહી કરવા હાઈસ્કૂલના પૂર્વ વિદ્યાર્થીઓની માગ રાજકોટઃ શહેરમાં વર્ષો જુની એટલે કે આઝાદી કાળથી કાર્યરત વિરાણી હાઈસ્કૂલની કરોડોની કિંમતી જમીનનો કોમર્શિય હેતુ માટે ઉપયોગ થતાં વિરોધ ઊભો થયો છે. વિરાણી હાઈસ્કૂલની જમીન શૈક્ષણિક હેતુ માટે ફાળવવામાં આવેલી છે. છતાં […]

જૈનોના આસ્થા કેન્દ્ર એવા આબુના દેલવાડાની કાલે 22મી માર્ચે તિર્થયાત્રા શરૂ કરાશે

4000 જૈન શ્રાવકો પગપાળા પહાડના રસ્તે ચઢીને દેલવાડા આવશે 65 વર્ષ બાદ 22મી માર્ચના દિવસે ફરીથી બંધ થયેલી પરંપરાને પુનર્જીવિત કરાશે, દેલવાડાના દેરામાં એક દિવસીય કાર્યક્રમની ઉજવણી કરાશે અમદાવાદઃ રાજસ્થાનમાં આબુમાં આવેલા દેલવાડા જૈનો માટે આસ્થાનું અને આધ્યાત્મિક ઊર્જાનું કેન્દ્ર ગણાય છે. દેલવાડાના દેરા વાસ્તુકલા અને શિલ્પ માટે ખુબ વિખ્યાત છે આશરે આજથી 100 વર્ષ […]

ભારત 22થી 28 માર્ચ, 2025 સુધી કેન્દ્રીય એશિયાઈ યુવા પ્રતિનિધિમંડળની યજમાની કરશે

નવી દિલ્હીઃ ભારત સરકારનાં યુવા બાબતો અને રમતગમત મંત્રાલય આંતરરાષ્ટ્રીય યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ (આઇવાયઇપી) અંતર્ગત 22થી 28 માર્ચ, 2025 સુધી ભારતમાં ત્રીજા મધ્ય એશિયાઈ યુવા પ્રતિનિધિમંડળનું આયોજન કરશે. આ પહેલનો ઉદ્દેશ યુવાનોના સહયોગ, સાંસ્કૃતિક આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવાનો અને ભારત અને મધ્ય એશિયાના દેશો – કઝાકિસ્તાન, કિર્ગીસ્તાન, તાજિકિસ્તાન, તૂર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાન વચ્ચેના રાજદ્વારી સંબંધોને મજબૂત કરવાનો […]

પ્રધાનમંત્રીએ 1 બિલિયન ટન કોલસા ઉત્પાદનની ભારતની ઐતિહાસિક સિદ્ધિની પ્રશંસા કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઊર્જા સુરક્ષા, આર્થિક વિકાસ અને આત્મનિર્ભરતા પ્રત્યે મહત્વપૂર્ણ પ્રતિબદ્ધતા પર ભાર મુકતા 1 બિલિયન ટન કોલસા ઉત્પાદનની ભારતની ઐતિહાસિક સિદ્ધિની પ્રશંસા કરી છે PM મોદીએ આ સિદ્ધિની પ્રશંસા કરતા તેને “ભારત માટે ગર્વની ક્ષણ” ગણાવી છે અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોના અથાક સમર્પણ અને મહેનતને બિરદાવી છે. કેન્દ્રીય કોલસા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code