1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

આંધ્રપ્રદેશ સરકારે 2025-26 માટે 3.22 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું

અમરાવતી: આંધ્રપ્રદેશ સરકારે શુક્રવારે નાણાકીય વર્ષ 2025-26 માટે 3.22 લાખ કરોડ રૂપિયાથી વધુનું બજેટ રજૂ કર્યું હતું. તેનો અંદાજિત મહેસૂલ ખર્ચ રૂ. 2.51 લાખ કરોડ અને મૂડી ખર્ચ રૂ. 40000 કરોડથી વધુ છે. રાજ્ય વિધાનસભામાં બજેટ રજૂ કરતા, નાણામંત્રી પય્યાવુલા કેશવે જણાવ્યું હતું કે અંદાજિત મહેસૂલ ખાધ લગભગ રૂ. 33,185 કરોડ (રાજ્યના કુલ સ્થાનિક ઉત્પાદન […]

બનાસકાંઠાના લાખેણીના જસરા ગામે અશ્વ સ્પર્ધામાં 800 અશ્વસવારોએ ભાગ લીધો

મારવાડી સિંધી અને કાઠીયાવાડી અશ્વો આકર્ષણનું કેન્દ્ર બન્યા પંજાબ, રાજસ્થાન, હરિયાણા, મહારાષ્ટ્ર, MP, અને કેરળથી જાતવાન અશ્વોએ ભાગ લીધો ભારતનો સૌથી ઊંચો બૃજ ખલીફા અશ્વએ આકર્ષણ જમાવ્યું પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રી દિને અશ્વસ્પર્ધા યોજવામાં આવી હતી. 14 વર્ષ પહેલાં માત્ર 150 અશ્વો સાથે શરૂ થયેલા […]

‘વિકસિત ભારત’ બનાવવા માટે વિજ્ઞાનનો ઉપયોગ કરવા પ્રધાનમંત્રી મોદીની હાકલ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી હતી અને “વિકસિત ભારત” બનાવવા માટે વિજ્ઞાનની શક્તિનો ઉપયોગ કરવા હાકલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પર વિજ્ઞાન પ્રત્યે ઉત્સાહી તમામ લોકોને, ખાસ કરીને આપણા યુવા સંશોધકોને શુભકામનાઓ. ચાલો આપણે વિજ્ઞાન અને નવીનતાને લોકપ્રિય બનાવવાનું ચાલુ રાખીએ, અને […]

સુરેન્દ્રનગર જિલ્લામાં ઘૂડસરની વસતી વધીને 2705 પહોંચી

અમદાવાદ જિલ્લામાં પણ 7 ઘૂડસર નોંધાયા ખારાઘોડાના રણ વિસ્તારમાં ઘુડસરની વસતીમાં 14 ટકા ટકાનો વધારો કચ્છમાં ઘૂડસર વસતી 1993એ પહોંચી સુરેન્દ્રનગરઃ જિલ્લામાં કચ્છના નાના રણ તરીકે ઓળખાતા ખરાઘોડા અને પાટડીના રણ વિસ્તારમાં આવેલા ઘુડસર અભ્યારણ્યમાં ઘુડસરની વસતીમાં વધારો થઈ રહ્યો છે. અને ઘુડસરની વસતી વધીને 2705 પર પહોંચી છે. રણમાં ઘુડસરને નિહાળવા માટે હવે દેશ-વિદેશના […]

ગુજરાતમાં વન વિભાગના રોજમદાર કર્મચારીઓ 4 મહિનાથી પગારથી વંચિત

ચાર મહિનાથી પગાર ન ચુકવાતા કર્મચારીઓની હાલત કફોડી વન વિભાગના રોજમદારોને લઘુતમ વેતન મુજબ પુરો પગાર પણ અપાતો નથી બાકી વેતન નહીં ચૂકવાય તો રોજમદારો આંદોલન કરશે અમદાવાદઃ રાજ્યના વન વિભાગમાં રોજમદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને છેલ્લા ચાર મહિનાથી પગાર ન ચુકવાતા કર્મચારીઓની હાલત કફોડી બની છે. કર્મચારીઓ દર મહિને પગારની રાહ જોઈ રહ્યા છે. […]

‘કસ્ટમ્સ કાયદા અને GST હેઠળ ધરપકડની સત્તા માન્ય’; CJIની અધ્યક્ષતાવાળી કોર્ટનો નિર્ણય

ઉદ્યોગપતિઓને મોટી રાહત આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) અને કસ્ટમ્સ સંબંધિત મામલામાં એફઆઈઆર નોંધાયેલ ન હોય તો પણ વ્યક્તિ આગોતરા જામીનની માંગ કરી શકે છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) સહિત અન્ય કાયદાઓ હેઠળ ધરપકડ કરવા માટે લાગુ પડતાં રક્ષણ આ કેસોમાં પણ લાગુ થશે. જો કે, બેન્ચે સુધારેલા […]

મણિપુરમાં હથિયારો સોંપવાની મુદત લંબાવવામાં આવી; રેલ્વે ટ્રેક પરથી ત્રણ મહિલાઓની લાશ મળી

મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લાએ શુક્રવારે લૂંટાયેલા અને ગેરકાયદેસર હથિયારો પોલીસને સોંપવાની સમયમર્યાદા 6 માર્ચના સાંજે 4 વાગ્યા સુધી લંબાવી હતી. પહાડી અને ખીણ વિસ્તારના લોકોએ વધારાના સમયની માંગણી કર્યા બાદ આ સમયમર્યાદા લંબાવવામાં આવી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘સ્વૈચ્છિક રીતે હથિયાર સમર્પણ કરવાની સાત દિવસની સમયમર્યાદા સમાપ્ત થઈ ગઈ હોવાથી ખીણ અને […]

સેવાસેતુ: રાજ્યના કુલ 3.07 કરોડથી વધુ નાગરિકોની સમસ્યાઓનું સ્થળ પર નિરાકરણ કરાયું

ગાંધીનગરઃ રાજ્યમાં સેવાસેતુ કાર્યક્રમ અંગેની વિગતો આપતાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્યમાં હાલ સેવાસેતુનો 10મો તબક્કો ચાલી રહ્યો છે. જે અંતર્ગત અત્યાર સુધીના 10 તબક્કામાં રાજ્યના આશરે 3.07 કરોડથી વધારે નાગરિકોએ તત્કાલ સ્થળ ઉપર સેવાનો લાભ મેળવ્યો છે. આ અંગે વિગતવાર માહિતી આપતાં મંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકારના પારદર્શક, સંવેદનશીલ વહીવટી તંત્રને વેગવંતુ બનાવવાના હેતુથી […]

અમદાવાદમાં ગુલબાઈ ટેકરાથી પાંજરાપોળના રોડ પરના કાચા પાકા દબાણો દુર કરાયા

આજે સવારથી દબાણ હટાવની કામગીરીનો પ્રારંભ કરાયો 50થી વધુ ઝૂંપડા અને મકાનો પર બુલડોઝર ફરી વળ્યુ વર્ષોથી દબાણોને લીધે રસ્તો સાંકડો બની ગયો હતો અમદાવાદઃ શહેરના ગલબાઈ ટેકરાથી પાંજરાપોળ જતા રોડ પર વર્ષોથી દબાણો ખડકાયેલા હતા. રોડ પરના દબાણોને કારણે ટ્રાફિક જામની સમસ્યા જોવા મળતી હતી. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આજે સવારથી ગુલબાઈ ટેકરાથી પાંજરાપોળ જતા રોડ […]

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કાર્યાલય પર હુમલાની ધમકી, મુંબઈ પોલીસને પાકિસ્તાની નંબર પરથી મેસેજ મળ્યો

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કાર્યાલય પર હુમલો કરવાની ધમકી આપવામાં આવી છે. મુંબઈ પોલીસને પાકિસ્તાની નંબર પરથી ધમકીભર્યો મેસેજ મળ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે મુખ્યમંત્રી કાર્યાલય પર હુમલાની ધમકી આપતો મેસેજ વોટ્સએપ પર પાકિસ્તાની નંબર પરથી આવ્યો હતો. ત્યારથી મુંબઈ પોલીસ હાઈ એલર્ટ પર છે. મેસેજ મોકલનાર વ્યક્તિએ પોતાની ઓળખ મલિક શાહબાઝ હુમાયુ રાજા દેવ તરીકે આપી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code