1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

જમ્મુ, પઠાણકોટ અને જેસલમેર સહિત ઘણા શહેરો પર હુમલા નિષ્ફળ, ચાર પાકિસ્તાની લડાકુ વિમાનોને તોડી પાડ્યા

ઓપરેશન સિંદૂરથી ગભરાયેલા પાકિસ્તાને ગુરુવારે રાત્રે ભારતીય લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો, જેને ભારતીય દળોએ સંપૂર્ણપણે નિષ્ફળ બનાવ્યો. પાકિસ્તાને રાત્રે 8 થી 10 વાગ્યાની વચ્ચે જમ્મુ, પઠાણકોટ, ફિરોઝપુર, કપૂરથલા, જલંધર અને જેસલમેરમાં લશ્કરી થાણાઓ અને ઓર્ડનન્સ ડેપો પર ફાઇટર પ્લેન, ડ્રોન, રોકેટ અને મિસાઇલોનો ઉપયોગ કરીને હુમલો કર્યો. ભારતે બદલો લેતા પાકિસ્તાનના ચાર લડાકુ […]

અમેરિકાએ પાકિસ્તાનને ઠપકો આપતા કહ્યું- આતંકવાદને ટેકો આપવાનું બંધ કરો

ભારત સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાએ પાકિસ્તાનને કડક શબ્દોમાં ઠપકો આપ્યો છે. અમેરિકાએ પાકિસ્તાનને તાત્કાલિક તણાવ ઓછો કરવા કહ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રીએ પાકિસ્તાનના પ્રધાનમંત્રી સાથે ફોન પર વાત કરી. જેમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાને આતંકવાદને સમર્થન આપવાનું બંધ કરવું જોઈએ. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટેમી બ્રુસે જણાવ્યું હતું કે, “વિદેશ સચિવ માર્કો […]

ભારત-પાકિસ્તાન તણાવ બાદ દિલ્હીમાં એલર્ટ, લાલ કિલ્લો અને કુતુબ મિનાર સહિત ઐતિહાસિક ઇમારતો પર સુરક્ષા વધારી

નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને, દિલ્હી પોલીસે શુક્રવારે સુરક્ષા વધારવાનો નિર્ણય લીધો. આ નિર્ણય હેઠળ, લાલ કિલ્લો અને કુતુબ મિનાર સહિત રાષ્ટ્રીય રાજધાનીની ઐતિહાસિક ઇમારતો અને અન્ય ઇમારતોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. દિલ્હીમાં લોકોની સુરક્ષા, સરકારી અને બિન-સરકારી સંસ્થાઓના કાર્યાલયો, ઐતિહાસિક ઇમારતો અને અન્ય સ્થાપનોને ધ્યાનમાં રાખીને, સરકારે […]

ગુજરાતમાં 15મી મે સુધી ડ્રોન-આતશબાજી પર પ્રતિબંધ, સરકારી કર્મચારીઓની રજાઓ રદ

15મી મે સુધી કોઈપણ કાર્યક્રમમાં ડ્રોન ઉડાવી શકાશે નહી ગુજરાત સરકારના તમામ અધિકારીઓ, કર્મચારીઓની રજાઓ રદ લગ્ન પ્રસંગોમાં પણ ફટાકડા ફોડી શકાશે નહીં, અમદાવાદઃ પાકિસ્તાન સામે યુદ્ધની સ્થિતિ  સર્જાતા સરહદી રાજ્ય ગુજરાતમાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. રાજ્યના મુખ્યમંત્રીએ સરહદી જિલ્લાના કલેકટરો અને જિલ્લા પોલીસ વડા સાથે ટેલિફોનિક વાત કરીને જરૂરી સુચના આપી હતી. […]

તણાવ વચ્ચે ઉરી જિલ્લાના ગામોને ખાલી કરાયાં, નાગરિકોને શ્રીનગર મોકલવાયાં

નવી દિલ્હીઃ પાકિસ્તાન અને ભારત વચ્ચે વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને, ઉરી જિલ્લાના તમામ સરહદી ગામોને ખાલી કરાવવામાં આવ્યા છે. બધા નાગરિકોને બસ દ્વારા શ્રીનગર મોકલવામાં આવી રહ્યા છે. ભારત દ્વારા પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યા પછી પાકિસ્તાન ભારતીય સરહદ પર સતતત હુમલાનો પ્રયાસ કરી રહ્યું છે. જેથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને […]

ગુજરાતના 11 જિલ્લાઓમાં કાલે શનિવારથી 3 દિવસ સિંહની વસતી ગણતરી કરાશે

સિંહની હિલચાલની દિશા, લિંગ, ઉંમર, ઓળખ ચિન્હો, વગેરે વિગતોની પણ નોંધ કરાશે વન વિભાગના કર્મચારીઓ, તાલીમી સ્વયંસેવકો સિંહની વસતી ગણતરીમાં જોડાશે હાઈ રીઝોલ્યુશન કેમેરા, રેડિયો કોલર, e-GujForest એપ્લિકેશન અને GIS સોફ્ટવેર જેવી મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ કરાશે ગાંધીનગરઃ ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે. જે અંતર્ગત એશિયાઈ સિંહનો 16મો વસ્તી અંદાજ-2025 આવતીકાલ તા.10 થી […]

કચ્છ અને બનાસકાંઠાના સરહદી વિસ્તારના ગામડાઓમાં રાત્રે બ્લેકઆઉટ કરાયું

બીજી સુચના ન મળે ત્યાં સુધી બ્લેકઆઉટનો અમલ કરાશે સરહદી વિસ્તારોના ગામડાંમાં લોકોને ઘરમાં રહેવા સુચના અપાઈ ગાંધીનગર કંટ્રોલ રૂમથી સમગ્ર સ્થિતિનું મોનિટરિંગ અમદાવાદઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની તનાવભરી સ્થિતિમાં ગુજરાતના સરહદી જિલ્લાઓમાં હાઈએલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ સરહદી વિસ્તારના ગામડાંઓમાં બ્લેકઆઉટ જાહેર કરાયો છે. જેમાં કચ્છ અને બનાસકાંઠાના સરહદી ગામડાંઓમાં લોકો સ્વયંભૂ બ્લેકઆઉટનું […]

કચ્છમાં નર્મદાની બ્રાન્ચ કેનાલમાં 15મી મે બાદ પાણી છોડાશે

નર્મદાની બ્રાન્ચ કેનાલો મરામત માટે બંધ કરવામાં આવી છે મોટાભાગની બ્રાન્ચ કેનાલોમાં મરામતનું કામ પૂર્ણ થયું ખેડુતોને સિંચાઈ માટે પાણી અપાશે ભૂજઃ કચ્છમાં નર્મદાની કેનાલો દ્વારા સિંચાઈનો લાભ મળતા જિલ્લાના કૃષિ ઉત્પાદનમાં મોટો વધારો થયો છે. સિંચાઈના પાણી મળી રહેતા ખેડુતોએ ઉનાળુ વાવેતર પણ સારા પ્રમાણમાં કર્યું છે. જોકે જિલ્લામાં બ્રાન્ચ કેનાલોને મરામત કરવાની જરૂરિયાત […]

પાકિસ્તાન સાથે યુદ્ધની સ્થિતિને લીધે કચ્છમાં દરિયામાં માછીમારી પ્રવૃતિ પર પ્રતિબંધ

નારણસરોવર,, જખૌ, અને લખપત દરિયાઈ વિસ્તારમાં પ્રતિબંધ મુકાયો બીજી સુચના ન મળે ત્યાં સુધી માછીમારોને દરિયો ખેડવા પર પ્રતિબંધ લક્કી સમુદ્રી સીમા દર્શન અને કોટેશ્વર મંદિર બંધ કરાયું ભૂજઃ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાતા સરહદી જિલ્લા કચ્છમાં વધુ તકેદારી રાખવામાં આવી રહી છે. તમામ સુરક્ષા એજન્સીઓ અને પોલીસ એલર્ટ મોડમાં છે. દરમિયાન કચ્છના દરિયામાં માછીમારી […]

ભિલોડાના ભાણમેર ગામે નિવૃત PSI અને તેના પૂત્રએ ફાયરિંગ કરતા બાળકી સહિત 3 ઘવાયા

વરઘોડામાંથી પરત આવ્યા બાદ ક્રયુ ફાયરિંગ એકાએક 5 રાઉન્ડ ફાયરિંગથી લોકોમાં નાસભાગ મચી ગઈ જુની અદાવતને લીધે બન્યો બનાવ ભિલોડાઃ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ભાણમેર ગામમાં જુની અદાવતને લીધે વરઘોડા દરમિયાન નિવૃત્ત પીએસઆઇ કનૈયાલાલ બરંડા અને તેમના પુત્ર વૈભવે સર્વિસ રિવોલ્વરથી 5-6 રાઉન્ડ ફાયરિંગ કરતા નાસભાગ મચી ગઈ હતી. ફાયરિંગમાં એક બાળકી સહિત ત્રણ લોકોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code