1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભારતનો કુલ મેન્ગ્રોવ કવર 4,991.68 કિમી, કુલ ભૌગોલિક વિસ્તારના 0.15% છે

નવી દિલ્હીઃ સરકારે નિયમનકારી અને પ્રોત્સાહક પગલાં દ્વારા દરિયાકાંઠાના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં મેન્ગ્રોવ જંગલોના રક્ષણ અને વૃદ્ધિ માટે અનેક પગલાં લીધાં છે. નિયમનકારી પગલાંમાં પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ, 1986 હેઠળ કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (CRZ) નોટિફિકેશન (2019); વાઇલ્ડ લાઇફ (સંરક્ષણ) અધિનિયમ, 1972; ભારતીય વન અધિનિયમ, 1927; જૈવિક વિવિધતા અધિનિયમ, 2002 અને સમયાંતરે સુધારેલા આ કાયદાઓ હેઠળના નિયમોનો સમાવેશ […]

ઇપીએફઓએ નાણાકીય વર્ષ 2024-25માં 5 કરોડથી વધુ દાવાઓની પતાવટનું ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું: ડો.મનસુખ માંડવિયા

નવી દિલ્હીઃ કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો.મનસુખ માંડવિયાએ જાહેરાત કરી હતી કે, એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)એ તેના ઇતિહાસમાં પ્રથમ વખત 5 કરોડ દાવાની પતાવટનો આંકડો પાર કરીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. નાણાકીય વર્ષ 2024-25માં ઇપીએફઓએ રૂ. 2,05,932.49 કરોડના 5.08 કરોડથી વધુ દાવાઓની પ્રક્રિયા કરી છે. જે અગાઉના […]

ભારત વસુધૈવ કુટુમ્બકમ અને અહિંસા પરમો ધર્મના સિદ્ધાંતોનો પ્રચાર કરી રહ્યું છેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, અમિત શાહે છત્તીસગઢના રાજનાંદગાંવ ખાતે શ્રી વિદ્યાસાગરજી મહારાજના પ્રથમ સમાધિ સ્મૃતિ મહોત્સવને સંબોધિત કર્યો હતો. શાહે શ્રી 1008 સિદ્ધચક્ર વિધાન વિશ્વ શાંતિ મહાયજ્ઞમાં પણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ₹100નો સ્મારક સિક્કો, ₹5નું એક ખાસ પોસ્ટલ પરબિડીયું, 108 ફૂટપ્રિન્ટ્સ અને આચાર્ય  […]

મહાકુંભ 2025: ગંગા પંડાલમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન

લખનૌઃ સંસ્કૃતિ મંત્રાલય પ્રયાગરાજના મહાકુંભ 2025 ખાતે ગંગા પંડાલમાં એક ગ્રામ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવા માટે તૈયાર છે. તેમાં 7 થી 10 ફેબ્રુઆરી દરમિયાન દેશભરના પ્રખ્યાત કલાકારો સંગીત, નૃત્ય અને કલાની ભવ્ય પ્રસ્તુતિઓથી ભક્તોને મંત્રમુગ્ધ કરશે. આ કાર્યક્રમના મુખ્ય આકર્ષણોમાં 7 તારીખે ઓડિસી નૃત્યાંગના ડોના ગાંગુલી; 8 તારીખે પ્રખ્યાત ગાયિકા કવિતા કૃષ્ણમૂર્તિ અને ડૉ. એલ. […]

આર્યન નેહરાએ 38મી નેશનલ ગેમ્સના એક જ એડીશનમાં 7 મેડલ જીત્યા

અમદાવાદઃ 38 મી નેશનલ ગેમ્સનું આયોજન તા. 28 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી 2025 દરમિયાન ઉત્તરાખંડ ખાતે થયેલ છે. હાલ 38મી નેશનલ ગેમ્સ ઉત્તરાખંડના દેહરાદૂન, હલ્દવાની, હરીદ્વાર, ટનકપુર, પીથોરાગઢ, અલ્મોડા, તેરી, શિવ પુરી ઋષિકેશ, ભીમતાલ ખાતે આયોજન ચાલી રહ્યું છે. જેમાં ગુજરાતથી કુલ 290 ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનો ભાગ લેવા ગયેલ છે. જેમાં કુલ 230 ખેલાડીઓ છે […]

હરિયાણા, કર્ણાટક અને આંદામાનના સાયકલ સવારો ટ્રેક સાયકલિંગમાં ચમક્યા

નવી દિલ્હીઃ 38મી રાષ્ટ્રીય રમતો અંતર્ગત શિવાલિક વેલોડ્રોમ, રુદ્રપુર ખાતે ટ્રેક સાયકલિંગ સ્પર્ધાના ત્રીજા દિવસે રોમાંચક મેચો જોવા મળી. દેશભરમાંથી વિવિધ શ્રેણીઓમાં આવેલા સાયકલ સવારોએ તેમની ગતિ, તકનીક અને વ્યૂહરચનાથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા. હરિયાણાએ મહિલા એલીટ ટીમ પરસુટમાં ગોલ્ડ મેડલ જીત્યો હરિયાણાની ટીમે મહિલા એલિટ ટીમ પરસુટ (4 કિમી) ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો. હિમાંશી સિંહ, […]

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 79મા સત્રના પ્રમુખ ફિલેમાની રાષ્ટ્રપતિ મુર્મુ સાથે મુલાકાત

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (યુએનજીએ)ના 79મા સત્રના પ્રમુખ ફિલેમાન યાંગે, રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે સૌજન્ય મુલાકાત કરી. આ પહેલા, ફિલેમાન રાજઘાટ ગયા અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખનું ભારતમાં સ્વાગત કરતાં રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું તેમનું પ્રમુખપદ એવા સમયે આવ્યું છે જ્યારે આપણે, સંયુક્ત રાષ્ટ્રની સ્થાપનાના […]

નાઇજીરીયાની શાળામાં ભીષણ આગ, 17 બાળકોના મૃત્યુ

ઉત્તરપશ્ચિમ નાઇજીરીયામાં એક ઇસ્લામિક સ્કૂલમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 17 બાળકોના મોત થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નેશનલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીએ જણાવ્યું હતું કે આ ભયાનક અકસ્માત બુધવારે ઝામફારા રાજ્યના કૌરા નમોદા જિલ્લામાં થયો હતો. જ્યારે આગ લાગી ત્યારે શાળામાં લગભગ 100 બાળકો હાજર હતા. એજન્સીના જણાવ્યા અનુસાર, સત્તર બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે […]

સુરતમાં ખુલ્લી ગટરમાં પડી ગયેલા બાળકનું મોત, સ્થાનિકોમાં રોષ

અમદાવાદઃ સુરતના કતારગામમાં ખુલ્લી ગટરમાં ગરકાવ થયેલા બાળકનું મૃત્યુ થયું છે. 24 કલાક બાદ ગટરમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. બાળકની શોધખોળ માટે NDRFની મદદ લેવામાં આવી હતી. સવારે સ્થાનિકોએ ભેગા મળીને રોડ ચક્કાજામ કરતા પોલીસ પણ પહોંચી હતી અને 24 કલાક વિતી ગયા બાદ ગટરમાંથી બાળકનો મૃતદેહ મળ્યો છે. આ બનાવને પગલે લોકોમાં રોષ […]

કોલકત્તા દુષ્કર્મ અને હત્યા કેસના આરોપી વિરુદ્ધ મૃત્યુદંડની સજા પર હાઈકોર્ટ સંભાળાવશે નિર્ણય

નવી દિલ્હીઃ આજે R G Kar Collage માં બળાત્કાર અને હત્યા કેસમાં એકમાત્ર દોષિત સંજય રોયને મૃત્યુદંડની સજાની માંગ કરતી પશ્ચિમ બંગાળ સરકારની અરજી સ્વીકાર્ય છે કે નહીં તે અંગે કોલકાતા હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ પોતાનો ચુકાદો સંભળાવશે. પશ્ચિમ બંગાળ સરકાર અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) બંનેએ કોલકાતા હાઇકોર્ટના જસ્ટિસ દેવાંગસુ બસાક અને જસ્ટિસ શબ્બર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code