1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભારતીય નૌકાદળ માટે બીજા ફ્લીટ સહાયક જહાજનું નિર્માણ સમારોહ

નવી દિલ્હીઃ પાંચ ફ્લીટ સપોર્ટ જહાજો (FSS)માંથી બીજાનો નિર્માણ સમારોહ 12 માર્ચ 25 ના રોજ મેસર્સ L&T શિપયાર્ડ, કટ્ટુપલ્લી ખાતે યુદ્ધ જહાજ ઉત્પાદન અને સંપાદનના નિયંત્રક વાઇસ એડમિરલ રાજારામ સ્વામીનાથન અને ભારતીય નૌકાદળ, હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ અને મેસર્સ L&T ના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં યોજાયો હતો. ભારતીય નૌકાદળે ઓગસ્ટ 2023માં HSL સાથે પાંચ ફ્લીટ સપોર્ટ જહાજો […]

મુખ્ય તુવેર ઉત્પાદક રાજ્યોમાં તુવેર ખરીદીમાં વધારો થયો

ભારત સરકારે 15માં નાણા પંચ ચક્ર દરમિયાન 2025-26 સુધી સંકલિત પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન (PM-AASHA) યોજના ચાલુ રાખવાની મંજૂરી આપી છે. સંકલિત PM-AASHA યોજના ખરીદી કામગીરીના અમલીકરણમાં વધુ અસરકારકતા લાવવા માટે સંચાલિત છે. જે ખેડૂતોને તેમના ઉત્પાદન માટે લાભદાયી ભાવો પૂરા પાડવામાં જ મદદ કરતું નથી, પરંતુ ગ્રાહકોને પોષણક્ષમ ભાવે તેમની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરીને […]

69મા સત્રમાં ભારતના કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવીએ ભારતની કમાન સંભાળી

નવી દિલ્હીઃ મહિલાઓની સ્થિતિ પરના 69મા સત્રમાં હાજરી આપવા માટે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં પહોંચેલા ભારતના કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ યુએન મહિલાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સીમા બાહૌસ સાથે દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લીધો હતો. સીમા બાહૌસે ડિજિટલ ક્રાંતિ, શૂન્ય હિંસા, સમાન નિર્ણય લેવાની શક્તિ, શાંતિ અને સુરક્ષા, કિશોરીઓ અને યુવાનોને મહિલાઓના નેતૃત્વ હેઠળના વિકાસના […]

મહિલા ખેલાડીઓના પ્રોત્સાહન માટે વર્ષ 2024-25 અંતર્ગત મહિલા રોકડ પુરસ્કાર આપવામાં આવશે

ગાંધીનગરઃ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા મહિલા ખેલાડીઓના પ્રોત્સાહન માટે વર્ષ 2024-25 અંતર્ગત મહિલા રોકડ પુરસ્કાર આપવામાં આવશે. આ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૪-૨૫માં વિવિધ રમતોની રાજ્યકક્ષાની શાળાકીય સ્પર્ધાઓ અંડર 14,17,19 અને સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં એસ.એ.જી.દ્વારા રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હોય અથવા ભાગ લીધો હોય તે મહિલા ખેલાડીઓને સન્માનિત કરવામાં […]

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 78 મી પુણ્યતિથિ નિમિત્તે એમની શૌર્યભૂમિ ધંધુકામાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 78 મી પુણ્યતિથિ નિમિત્તે એમની શૌર્યભૂમિ ધંધુકા સ્થિત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાયા હતો. નવી પેઢી આપણી ગૌરવવંતી સંસ્કૃતિ-સાહિત્ય-સંગીતની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તેમજ રાષ્ટ્રભાવના-દેશપ્રેમ જાગૃત થાય તે આશયથી ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી દ્વારા આ પ્રેરક આયોજન-સંયોજન કરવામાં આવ્યું […]

ખેડા જિલ્લાના 2,246 ખેડૂતોએ સ્માર્ટફોન સહાય યોજનાનો લીધો લાભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે દેશમાં સૌપ્રથમવાર ખેડૂતોને સ્માર્ટ ફોન ખરીદી પર સહાય આપવાની યોજના શરૂ કરી છે. છેલ્લા બે વર્ષમાં ખેડા જિલ્લાના 2,246 ખેડૂત લાભાર્થીઓને સ્માર્ટ ફોન સહાય યોજના હેઠળ રૂ.100 લાખથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. આ માહિતી વિધાનસભા ગૃહમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે આપી હતી. ગુજરતના ખેડૂતો હવામાન-વરસાદની આગાહી, સંભવીત રોગ-જીવાત […]

સુદાનમાં અર્ધલશ્કરી દળોના હુમલામાં 10 લોકોનું થયું મૃત્યુ

સુદાનમાં અર્ધલશ્કરી દળોના હુમલામાં 10 લોકો માર્યા ગયા અને 23 અન્ય ઘાયલ થયા છે. સુદાનિસ સશસ્ત્ર દળો (SAF) એ જણાવ્યું હતું કે પશ્ચિમ સુદાનમાં ઉત્તર દારફુર રાજ્યની રાજધાની અલ ફાશેરમાં અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF) એ રહેણાંક વિસ્તારો અને એક આશ્રય કેન્દ્ર પર ગોળીબાર કર્યો હતો. જેમાં 10 લોકો માર્યા ગયા હતા અને 23 અન્ય […]

કચ્છમાં બે વર્ષમાં 4088 ખેડૂતોએ ટ્રેક્ટરની ખરીદી માટે સરકાર પાસેથી સહાય લીધી

ગાંધીનગરઃ ખેતીને વધુ નફાકારક બનાવીને ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે ગુજરાત સરકારે કૃષિ યાંત્રિકીકરણ પર વિશેષ ભાર મૂક્યો છે. ગુજરાતના ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદીમાં આર્થિક સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકારે ટ્રેક્ટરની ખરીદી પર સહાય આપવાની યોજના અમલમાં મૂકી હતી. ગુજરાતના મહત્તમ ખેડૂતો ટ્રેક્ટરથી ખેતી કરી શકે તે માટે આ વર્ષના બજેટમાં ટ્રેક્ટર પર અપાતી સહાયમાં […]

હીરા ઉદ્યોગમાં મંદી અંગે હીરા ઉદ્યોગ અગ્રણીઓએ મુખ્યમંત્રી સમક્ષ કરી રજૂઆત

ગાંધીનગરઃ હીરા ઉદ્યોગમાં મંદીને લઈને રત્નકલાકારોની સ્થિતિ કફોડી થઈ ગઈ છે. ત્યારે ગુજરાતના અલગ-અલગ શહેરોના ડાયમંડ એસોસિએશના હોદ્દોદારોની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે બેઠક મળી હતી. જેમાં ભૂપન્દ્ર પટેલે કહ્યું હતું કે અમે રત્ન કલાકારોની મદદ કરવા માટે તત્પર છીએ. આગામી બે દિવસમાં કોઈ એક્શન પ્લાન ચોક્કસ બનાવીશું. છેલ્લાં 50 વર્ષના ઈતિહાસમાં ડાયમંડ ઉદ્યોગમાં સૌથી લાંબી […]

પાકિસ્તાન ટ્રેન હાઈજેકઃ સુરક્ષાદળોએ તમામ બંધકોને મુક્ત કરાવ્યાં

પાકિસ્તાની આર્મીએ પોતાના બંધકોને મુક્ત કરવામાં સફળતા મેળવી છે. આર્મીના પ્રવક્તા લેફ્ટિનન્ટ જનરલ અહમદ શરીફે પાકિસ્તાની ટીવી ચેનલ દુનિયા ન્યૂઝને જણાવ્યું કે આર્મીએ તમામ 33 બલૂચ વિદ્રોહીઓને ઠાર મારી નાખ્યા છે. હવે ત્યાં એક પણ બલૂચ વિદ્રોહી હાજર નથી. આર્મી સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આમાં કેટલા લોકોના મોત થયા છે, તેની વિગત પછી જાહેર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code