1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

સુરતમાં શ્વાનની વસતી ગણતરી કરવા કોઈ એજન્સી તૈયાર થતી નથી

મ્યુનિ.કોર્પોરેશને 5વાર ટેન્ડર જારી કર્યા છતાં કોઈ તૈયાર થયુ નહીં શહેરમાં દરેક શેરીઓ અને સોસાયટીઓમાં કૂતરા જોવા મળે છે છેલ્લા 11 મહિનામાં ડોગ બાઈટના 4857 કેસ નોંધાયા સુરતઃ શહેરમાં સ્ટ્રીટ ડોગની સંખ્યા વધતી જાય છે. શહેરની શેરીઓ કે સોસાયટીઓમાં રખડતા કૂતરાઓ જોવા મળતા હોય છે. સાથે કૂતરા કરડવાના (ડોગ બાઈટ) બનાવો પણ વધી રહ્યા છે. […]

અમદાવાદમાં કાલે રમાશે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની વન ડે મેચ, જાણો ક્યા રસ્તાઓ બંધ રહેશે

જનપથથી સ્ટેડિયમ થઈને મોટેરા ગામ જતો રસ્તો સવારે 9 વાગ્યાથી વાહનો માટે બંધ વાહન વ્યવહાર માટે વૈકલ્પિક રસ્તાઓ પર વાહનો સાથે જઈ શકાશે અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું અમદાવાદઃ શહેરના મોટેરા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતી કાલે તા. 12 ફેબ્રુઆરીના રોજ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વન-ડે ક્રિકેટ મેચ યોજાશે. ગઈકાલે સોમવારે  ભારતીય ટીમ […]

ગુજરાત સરકાર દ્વારા AMA ખાતે સોશ્યલ મીડિયા નોડલ અધિકારીઓની તાલીમ યોજાઈ

My Gov પોર્ટલ નાગરિકો – સરકાર વચ્ચેનો સેતુ સુદૃઢ માટે ઉત્તમ માધ્યમઃ ઉપેન્દ્ર સરકારના 150 જેટલા અધિકારી/કર્મચારીઓએ લીધી તાલીમ MyGov પોર્ટલ એ વિશ્વનું સૌથી વધુ સિટિજન એન્ગેજમેન્ટ ધરાવતું પ્લેટફોર્મ છે  અમદાવાદઃ રાજ્યના નાગરિકો અને સરકાર વચ્ચેનો સેતુ વધુ સુદૃઢ બનાવવાના ઉદ્દેશ સાથે તેમજ MyGov પોર્ટલ પર વિવિધ પ્રવૃત્તિઓ થકી સરકારની કલ્યાકારી કામગીરીમાં જન ભાગીદારી વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ […]

પ્રયાગરાજના મહાકુંભ મેળામાં ઉત્તર ગુજરાતના રોટલા અને સૌરાષ્ટ્રના ગાંઠિયાની બોલબાલા

મહાકુંભ મેળામાં ગુજરાતની સખી મંડળની બહેનો દ્વારા સંચાલિત કોફેટેરિયા ગુજરાત સરકાર દ્વારા પેવેલિયન બનાવાયું કાફેટેરિયામાં બનતા વ્યંજનોનો બિનગુજરાત ગુજરાતીઓને પણ લાગ્યો ચટકો ગાંધીનગરઃ તીર્થરાજ પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભ મેળો ગુજરાતની સખી મંડળની બહેનો માટે પણ રોજગારીનો અવસર લાવી છે. કુંભમેળામાં સંગમ સ્નાન કરવા માટે મોટી સંખ્યામાં જઇ રહેલા ગુજરાતીઓ માટે ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં […]

કૃત્રિમ બુદ્ધિ લોકોના જીવનને બદલી શકે છે: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પેરિસના ગ્રાન્ડ પેલેસ ખાતે આયોજિત કોન્ફરન્સમાં બોલતા, પીએમ મોદીએ કહ્યું, “શાસનનો અર્થ એ પણ છે કે બધા માટે, ખાસ કરીને ગ્લોબલ સાઉથમાં, સુલભતા સુનિશ્ચિત કરવી. AI આરોગ્ય, શિક્ષણ, કૃષિ અને ઘણું બધું સુધારીને લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવવામાં મદદ કરી શકે છે.” પ્રધાનમંત્રીએ કહ્યું, ‘AI એવી દુનિયા બનાવવામાં મદદ કરી શકે છે જેમાં વિકાસ લક્ષ્યો તરફની […]

AI નો ઉપયોગ કરીને ‘મ્યુલ એકાઉન્ટ્સ’ ઓળખીને તે ઓપરેટ થાય એ પહેલાં બંધ કરાશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં ‘સાયબર સુરક્ષા અને સાયબર અપરાધ’ના વિષય પર ગૃહ મંત્રાલય માટે સંસદીય સલાહકાર સમિતિની બેઠક મળી હતી. સમિતિએ બેઠક દરમિયાન ‘સાયબર સિક્યુરિટી અને સાયબર ક્રાઇમ’ ને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ બેઠકને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, તાજેતરના […]

10 વર્ષમાં ભારતની સૌર ઊર્જાનાં ઉત્પાદનની ક્ષમતામાં 32 ગણો વધારો થયો છે: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે ઇન્ડિયા એનર્જી વીક 2025માં સંબોધન કર્યું હતું. યશોભૂમિમાં એકત્રિત જનમેદનીને સંબોધતા તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેમાં ઉપસ્થિત લોકો માત્ર ઊર્જા સપ્તાહનો ભાગ જ નથી, પણ ભારતની ઊર્જા મહત્ત્વાકાંક્ષાઓનું અભિન્ન અંગ પણ છે. તેમણે તમામ સહભાગીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. જેમાં વિદેશથી આવેલા વિશિષ્ટ અતિથિઓ સામેલ […]

દિલ્હીમાં રવિદાસ જયંતિ નિમિતે જાહેર રજા જાહેર કરાઈ

નવી દિલ્હીઃ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ રવિદાસ જયંતિ નિમિતે 12 ફેબ્રુઆરીએ રજા જાહેર કરી છે. સામાન્ય વહીવટ વિભાગે જાહેર કરાયેલા જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે, “દિલ્હીના ઉપરાજ્યપાલ 12 ફેબ્રુઆરી, 2025નાં રોજ ગુરુ રવિદાસ જયંતિ નિમિતે, દિલ્હી સરકારના તમામ સરકારી કાર્યાલયો, સ્વાયત સંસ્થાઓ અને જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં રજા જાહેર કરે છે.” આદેશનું પાલન કરીને, બુધવારે […]

CM યોગીએ મહાકુંભ દરમિયાન ટ્રાફિક અને ભીડ વ્યવસ્થાપન અંગે નિર્દેશ કર્યા

નવી દિલ્હીઃ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભ દરમિયાન ટ્રાફિક અને ભીડ વ્યવસ્થાપન અંગે નિર્દેશ કર્યા છે. સોમવારે રાત્રે, તેમણે વીડિયો કોન્ફરન્સિંગથી વહીવટી અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં માઘ પૂર્ણિમાનાં અવસરે યોજાનારા મહાકુંભ સ્નાનની તૈયારીઓની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે મહાકુંભમાં ભક્તોની સંખ્યા વધી રહી છે અને 12 ફેબ્રુઆરીએ માઘ પૂર્ણિમાના દિવસે ખાસ […]

2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવા માટે વિશ્વસ્તરીય શિક્ષણની જરૂર છે: નીતિ આયોગ

નવી દિલ્હીઃ નીતિ આયોગે ‘રાજ્યો અને રાજ્ય જાહેર યુનિવર્સિટીઓ દ્વારા ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણનું વિસ્તરણ’ શીર્ષક સાથે એક નીતિ અહેવાલ બહાર પાડ્યો છે. ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં આ પ્રકારનો પ્રથમ નીતિ દસ્તાવેજ છે, જે ખાસ કરીને રાજ્યો અને રાજ્ય જાહેર યુનિવર્સિટીઓ (SPU) પર ધ્યાન કેન્દ્રિત કરે છે. નીતિ આયોગના સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે 2047 સુધીમાં વિકસિત ભારતના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code