1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અમદાવાદમાં જય જગન્નાથજીના નાદ સાથે રથયાત્રામાં ભાવિકો ઉમટ્યાં, ટેબ્લોએ જમાવ્યું આકર્ષણ

અમદાવાદઃ શહેરમાં આજે 147મી રથયાત્રામાં જય જગન્નાથજીના નાદ સાથે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા ભક્તિરસનો અનેરો માહોલ જોવા મળ્યો હતો. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજી શહેરની નગરચર્ચાએ ભવ્ય રથ પર સવાર થઇ નીકળ્યા છે.  રથયાત્રા નીજ મંદિરેથી નિકળીને જમાલપુર દરવાજા પાસે સવારે 10.5 કલાકે પહોંચી હતી. રથયાત્રામાં જય જગન્નાથજીના નાદ સાથે લોકો ભગવાનના […]

નામિબિયા: વૈજ્ઞાનિકોને 40 મિલિયન વર્ષ પહેલા આફ્રિકામાં રહેતા વિશાળકાય પ્રાણીના અશ્મિ મળ્યાં

નવી દિલ્હીઃ નામિબિયામાં વૈજ્ઞાનિકોની એક ટીમને 40 મિલિયન વર્ષ પહેલા આફ્રિકામાં રહેતા વિશાળકાય પ્રાણીના અશ્મિ મળી આવ્યા. 2 ફૂટની ખોપરીના ટુકડાઓ, તીક્ષ્ણ શક્તિશાળી દાંત અને કરોડરજ્જુના સ્તંભ સહિત ચાર અવશેષો મળ્યાં છે. ટોઇલેટ સીટ જેવું માથું ધરાવતા પ્રાણી સલામન્ડર જેવા ટેટ્રાપોડ હતા અને તળાવોની નજીક રહેતા હતા. આ પ્રજાતિને ગિયાસિયા જીન્યા નામ આપવામાં આવ્યું છે. […]

કોડીનારમાં દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં રૂ. 6 કરોડનું ચરસ ઝડપાયું

અમદાવાદઃ ગુજરાતમાં ડ્રગ્સના દુષણને ડામવા માટે પોલીસે અભિયાન શરૂ કર્યું છે. બીજી તરફ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાંથી છેલ્લા કેટલાક સમયથી નશીલા દ્રવ્યો મળી આવવાનો સીલસીલો ચાલી રહ્યો છે. દરમિયાન કોડીનાર તાલુકાના છારા ગામના દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં રૂ. છ કરોડની કિંમતના ચરસના 10 જેટલા પેકેટ મળી આવ્યા હોવાનું જાણવા મળે છે. પ્રાથમિક તપાસમાં આ અફઘાની ચરસ હોવાનું […]

ગુજરાતઃ સરકાર દ્વારા ગ્રાહકોને ગેરમાર્ગે દોરવાથી બચાવવા માટે નવો કાયદો

અમદાવાદઃ ગુજરાત સરકારે રાજ્યમાં ગ્રાહકોને સ્વચ્છ અને સુરક્ષિત ખોરાક મળે તે માટે એક મહત્વપૂર્ણ પગલું લીધું છે. ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર (FDA) દ્વારા જાહેર કરવામાં આવેલી નવી જાહેરાત મુજબ, રાજ્યમાં આવેલા તમામ હોટલ, રેસ્ટોરન્ટ, ઢાબા, ભોજનાલય અને નાસ્તાની લારીઓએ ફરજિયાતપણે દર્શાવવું પડશે કે તેઓ ખોરાક રાંધવા માટે કયા માધ્યમનો ઉપયોગ કરે છે. આ નિયમનોનો […]

સુરતમાં વરસાદી માહોલ વચ્ચે પાંચ માળની ઈમારત ધરાશાયી, સાતના મોત

અમદાવાદઃ ગુજરાતમાં હાલ ચોમાસુ જામ્યું છે. દરમિયાન અનેક સ્થળો ઉપર મકાનો અને દીવાલો ધરાશાયી થવાની ઘટના સામે આવી રહી છે. દક્ષિણ ગુજરાતના સુરતમાં સચિન નજીક પાંચ માળની ઈમારત ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં સાત વ્યક્તિના મોત થયાનું જાણવા મળે છે. મોડે સુધી ફાયરબ્રિગેડ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી હતી. આ દૂર્ઘટનામાં હીરામણ […]

શું ડેન્ગ્યુના દર્દી પણ આ બીમારી ફેલાવી શકે છે? જાણો હેલ્થ એક્સપર્ટનો જવાબ

ડેન્ગ્યૂના તાવમાં હાડકા અને સેનાયુઓમાં તેજ દુખાવો થાય છે. શું ડેન્ગ્યૂના દર્દી બીમારી ફેલાવી શકે છે? સાથે જાણો તેના પ્રારંભિક લક્ષણો. ડેન્ગ્યુ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાઈ શકતો નથી. જો ડેન્ગ્યુથી સંક્રમિત વ્યક્તિને મચ્છર કરડે છે અને પછી તંદુરસ્ત વ્યક્તિને કરડે છે, તો ડેન્ગ્યુ ફેલાઈ શકે છે. સગર્ભાવસ્થા દરમિયાન ડેન્ગ્યુ વાયરસથી સંક્રમિત મહિલા ગર્ભાવસ્થા દરમિયાન […]

જગન્નાથજી રથયાત્રાઃ નગરચર્યાએ નીકળેલા ભગવાનના દર્શન કરવા માટે ભક્તોમાં ઉનેરો ઉત્સાહ

અમદાવાદઃ શહેરમાં ભગવાન જગન્નાથજી મોટાભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્ચાએ નીકળ્યાં છે. રથયાત્રામાં ગજરાજ, ભજન મંડળી, અખાડીન અને શણગારેલી ટ્રકો પણ જોડાઈ છે. રથયાત્રાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં સમગ્ર રૂટ ઉપર ભક્તો ઉમટી પડ્યાં છે અને તેમના અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ સમગ્ર રથયાત્રાને લઈને પોલીસ દ્વારા સધન બંદોબસ્ત ગોઠવવામાં […]

જગન્નાથજી રથયાત્રાઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતી કરી

અમદાવાદઃ શહેરમાં આજે ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા નીકળી છે, જેથી રથયાત્રાના સમગ્ર રૂટ હાલ જગન્નાથજી મય બન્યાં છે, અને ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ઉમટી પડ્યાં છે. દરમિયાન આજે વહેલી સવારે 4 કલાકે જગન્નાથજી મંદિરમાં ભગવાનની મંગળા આરતી કરવામાં આવી હતી. આ આરતીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યાં હતા અને ભગવાનની […]

ચિયા સીડ ખાધા પછી પાણી ના પીવુ જોઈએ, થઈ શકે છે આરોગ્યને અસર

ચિયા સીડ્સ ખાલી પેટે ખાવાથી ઘણા પ્રકારના નુકશાન થાય છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, તેથી તેને ખાલી પેટ ખાવાથી કબજિયાત, બળતરા અને પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. તેથી, જ્યારે પણ ખાઓ, ઓછી માત્રામાં ખાઓ. કારણ કે એક સમયે વધારે ખાવાથી ગળામાં ફસાઈ શકે છે. ચિયા સીડ્સ પોતાનામાં ઘણું પાણી શોષી લે છે. […]

ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધી કરીને પ્રારંભ કરાવ્યો

અમદાવાદઃ શહેરના જગન્નાથજી મંદિરથી આજે સવારે ભગવાન જગન્નાથજી મોટાભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળ્યાં હતા. જે પહેલા સવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાનના દર્શન કરીને પુજા-અર્ચના કરી હતી. તેમજ સોનાની સાવરણીથી રથનો માર્ગ સાફ કરીને પહિંદ વિધી કરીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ સમયે મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોના જય જગન્નાથના નાદથી સમગ્ર મંદિર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code