1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના નવા નિયમો સામે સવર્ણ સમાજનો વિરોધ

વડોદરા, 28 જાન્યુઆરી 2026:   યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના નવા નિયમો સામે દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. યુપી, નવી દિલ્હી સહિતના રાજ્યોમાં સવર્ણોના વિવિધ સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ યુજીસીના નવા નિયમો સામે વિરોધ ઊભો થયો છે. સુરત અને રાજકોટમાં બ્રહ્મ સમાજે આવેદન આપીને યુજીસીના નવા નિયમોના અમલીકરણ સામે આકરી ચીમકી ઉચ્ચારી […]

અજિત પવારજી લોકોના નેતા હતા, જેમનો પાયાના સ્તરે લોકો સાથે ઊંડો સંબંધ હતોઃ મોદી

નવી દિલ્હી, 28 જાન્યુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​અજિત પવારજીના નિધન પર શોક વ્યક્ત કર્યો. મોદીએ જણાવ્યું કે અજિત પવારજી મહારાષ્ટ્રના લોકોની સેવામાં મોખરે રહેલા મહેનતુ વ્યક્તિત્વ તરીકે વ્યાપકપણે આદરણીય હતા. વહીવટી બાબતોની તેમની સમજ અને ગરીબ અને વંચિતોને સશક્ત બનાવવાનો તેમનો જુસ્સો પણ પ્રશંસનીય હતો. મોદીએ કહ્યું, “તેમનું અકાળ અવસાન ખૂબ જ આઘાતજનક […]

અમદાવાદમાં શાહીબાગ અન્ડરબ્રિજ વાહન વ્યવહાર માટે ફરી શરૂ કરાયો

અમદાવાદ,28 જાન્યુઆરી 2026:  શહેરમાં શાહીબાગ અન્ડરબ્રિજ બુલેટ ટ્રેનની કામગીરીને લીધે છેલ્લા 5 દિવનસથી બંધ કરાયો હતો. બીજીબાજુ સુભાષબ્રિજ પણ બંધ કરાયો હોવાથી વાહનચાલકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા હતા. ત્યારે બુલેટ ટ્રેનની કામગીરી પૂર્ણ થતાં શાહીબાગ અન્ડરબ્રિજ વાહન-વ્યવહાર માટે ખૂલ્લો મુકાયો છે. તેથી એરપોર્ટ, શાહીબાગ અને સિવિલ હોસ્પિટલ તરફ જતા વાહનચાલકોને રાહત થઈ છે.  શહેરમાં શાહીબાગ […]

સાબરમતી જેલ ખાતે ‘વિકાસદીપ’ યોજના અંતર્ગત કેદીઓના તેજસ્વી સંતાનોનું બહુમાન કરાયું

અમદાવાદ,28 જાન્યુઆરી 2026:  શહેરમાં સાબરમતી મધ્યસ્થ જેલમાં સજા કાપી રહેલા બંદીવાનોના સંતાનો સમાજમાં ગૌરવભેર આગળ વધે અને સરકારી સેવાઓમાં જોડાય તેવા ઉમદા આશય સાથે નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં અમલી કરાયેલી ‘વિકાસદીપ’ યોજના અંતર્ગત અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે એક વિશેષ સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવના અધ્યક્ષસ્થાને વિવિધ સ્પર્ધાત્મક […]

અજિત પવારે સાડા ત્રણ દાયકામાં મહારાષ્ટ્રના સમાજના દરેક વર્ગના કલ્યાણ માટે પોતાને સમર્પિત કર્યા: અમિત શાહ

નવી દિલ્હી, 28 જાન્યુઆરી 2026: કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે છેલ્લા સાડા ત્રણ દાયકામાં મહારાષ્ટ્રમાં સમાજના દરેક વર્ગના કલ્યાણ માટે અજિત પવારે જે સમર્પણ દર્શાવ્યું છે તેનું શબ્દોમાં વર્ણન કરી શકાય નહીં. ‘X’ પર એક પોસ્ટમાં અમિત શાહે […]

ઓમર અબ્દુલ્લા સહિતના વિપક્ષી નેતાઓ તપાસની માંગ કરી

જમ્મુ અને કાશ્મીર, 28 જાન્યુઆરી 2026: જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પણ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પર ઊંડો દુ:ખ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે આવા પ્રભાવશાળી નેતાનું નિધન દેશ માટે મોટું નુકસાન છે. તેમણે સમગ્ર મામલાની પારદર્શક અને નિષ્પક્ષ તપાસની માંગ કરી, જેથી વિમાન દુર્ઘટના પાછળના કારણો સ્પષ્ટ […]

‘બારામતી વિમાન દુર્ઘટનાની સંપૂર્ણ તપાસ થવી જોઈએ’- મમતા બેનર્જી

નવી દિલ્હી, 28 જાન્યુઆરી 2026: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પર ઊડો શોક વ્યક્ત કર્યો છે. ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં, તેમણે બારામતીમાં થયેલા દુ:ખદ વિમાન દુર્ઘટનાની સંપૂર્ણ તપાસની માંગ કરી છે. આ અકસ્માતમાં અજિત પવાર સહિત પાંચ લોકોના મોત થયા હતા. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ તપાસ […]

અજિત પવારના નિધન પર રાષ્ટ્રપતિ અને PM મોદી સહિતના નેતાઓએ શોક વ્યક્ત કર્યો

નવી દિલ્હી, 28 જાન્યુઆરી 2026: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના પ્રમુખ અજિત પવારનું બુધવારે વિમાન દુર્ઘટનામાં થયેલું આકસ્મિક નિધન દેશભરના રાજકારણ માટે આઘાતજનક સમાચાર છે. આ દુઃખદ ઘટના પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત પક્ષ-વિપક્ષના તમામ દિગ્ગજ નેતાઓએ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કરતા જણાવ્યું […]

અજિત પવારના નિધન પર મહારાષ્ટ્રમાં ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર

મુંબઈ, 28 જાન્યુઆરી 2026: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન દુર્ઘટનામાં આકસ્મિક નિધન બાદ સમગ્ર રાજ્ય સ્તબ્ધ છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બુધવારે મુંબઈમાં એક ઈમરજન્સી પ્રેસ કોન્ફરન્સ યોજીને રાજ્યમાં એક દિવસની જાહેર રજા અને ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અત્યંત ભારે હૈયે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, “અજિત દાદાના અવસાનથી […]

રશિયા-યુક્રેન યુદ્ધ : બીજા વિશ્વયુદ્ધ પછીની સૌથી મોટી તબાહી, 3.25 લાખ સૈનિકોએ મોત

વોશિંગ્ટન, 28 જાન્યુઆરી 2026: છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલું રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ હવે આધુનિક ઈતિહાસની સૌથી વિનાશક લડાઈ બની ગઈ છે. એક તાજા અમેરિકી રિપોર્ટ અનુસાર, ફેબ્રુઆરી 2022થી અત્યાર સુધીમાં બંને દેશોના મળીને આશરે 20 લાખ સૈનિકો અસરગ્રસ્ત (મૃત્યુ, ઈજાગ્રસ્ત કે લાપતા) થયા છે. આ આંકડો બીજા વિશ્વયુદ્ધ પછીના કોઈપણ સૈન્ય સંઘર્ષમાં સૌથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code