1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ચક્રવાત મોન્થાની અસર: આંધ્રપ્રદેશના દરિયાકાંઠે 90થી 100 કિલોમીટરની ઝડપે પવન સાથે ભારે વરસાદ પડ્યો

હૈદરાબાદઃ ચક્રવાત મોન્થો તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિણમ્યું છે. આ સાથે 90 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડું આજે મોડી રાત્રે કાકીનાડા નજીક ટકરાય તેવી શક્યતા છે. મોન્થાના કારણે શ્રીકાકુલમ, વિજયનગરમ, વિશાખાપટ્ટનમ, અનાકાપલ્લે, પૂર્વ ગોદાવરી, કોનસીમા, કાકીનાડા, કૃષ્ણગિરિ, નલ્લાપુર અને પ્રકાશમ જિલ્લામાં ભારે વરસાદ […]

અમદાવાદના ઘાટલોડિયામાં દવા નાંખેલા તલ ખાધા બાદ યુવતીનું મોત

તલમાં જીવાંત ન પડે તે માટે જંતુનાશક દવા નાંખવામાં આવી હતી, યુવતીને ભૂખ લાગતા ડબ્બો ખોલીને તલ ખાતા ઊલટીઓ થવા લાગી, યુવતીને હોસ્પિટલ લઈ જવાતા ડોક્ટરે મૃત જાહેર કરી અમદાવાદઃ અનાજ ન બગડે તે માટે જંતુનાશક દવા કે ટિકડીઓ પોટલીમાં બાંધીને અનાજમાં મુકવામાં આવતી હોય છે. ત્યારે ઘાટલોડિયા વિસ્તારમાં એક પરિવારે તલ ન બગડે તે […]

મંત્રીમંડળે 8માં કેન્દ્રીય પગાર પંચની સંદર્ભ શરતોને મંજૂરી આપી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે 8માં કેન્દ્રીય પગાર પંચની સંદર્ભ શરતોને મંજૂરી આપી છે. 8મું કેન્દ્રીય પગાર પંચ એક કામચલાઉ સંસ્થા હશે. કમિશનમાં એક અધ્યક્ષ; એક સભ્ય (પાર્ટ-ટાઇમ) અને એક સભ્ય-સચિવનો સમાવેશ થશે. તે તેના બંધારણની તારીખથી 18 મહિનાની અંદર તેની ભલામણો કરશે. જો જરૂરી હોય તો, ભલામણોને અંતિમ સ્વરૂપ આપવામાં આવે […]

પ્રધાનમંત્રીએ છઠ મહાપર્વના સમાપન પર ભક્તોને શુભેચ્છા પાઠવી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહા પર્વ છઠના સમાપન પર તમામ ભક્તોને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી . પ્રધાનમંત્રીએ કહ્યું કે ચાર દિવસીય ભવ્ય છઠ ઉત્સવ આજે ભગવાન સૂર્યને સવારે અર્ઘ્ય અર્પણ કરવાની સાથે સમાપ્ત થયો છે. તેમણે કહ્યું કે આ તહેવાર ભારતની ભવ્ય છઠ પૂજા પરંપરાની દિવ્ય ભવ્યતાનું સાક્ષી બન્યો છે. પ્રધાનમંત્રીએ છઠ ઉત્સવમાં […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ચૂટણીને લીધે એક મહિનો વહેલું બજેટ રજુ કરાશે

એએમસીએ બજેટ અંગે નાગરિકો પાસે સુચનો માંગ્યા, 30 ઓક્ટોમ્બર સુધી નામ, મોબાઈલ નંબર અને ઈમેલ સાથે સુચનો મોકલી શકાશે, નાગરિકોના સુચનોને બજેટમાં સમાવાશે, અમદાવાદઃ રાજ્યમાં મ્યુનિ.કોર્પોરેશન સહિત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ગણતરીના મહિના બાકી રહ્યા છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી આગામી ફેબ્રુઆરીમાં યાજાય તેવી શક્યતા છે. ત્યારે એએમસીના સત્તાધિશો દ્વારા ચૂંટણીના એક મહિના પહેલા જ વર્ષ 2026-27ના […]

PCB, કેમેરા મોડ્યુલ અને પોલીપ્રોપિલિન ફિલ્મ્સનું ઉત્પાદન ભારતમાં જ થશે

નવી દિલ્હીઃ  કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવે ઈલેક્ટ્રોનિક્સ કમ્પોનેન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ (ECMS) હેઠળ પ્રથમ તબક્કાના 7 પ્રોજેક્ટોને મંજૂરી આપવાની જાહેરાત કરી છે. આ યોજનાના અંતર્ગત હવે મલ્ટી-લેયર પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ (PCB), એચડીઆઈ PCB, કેમેરા મોડ્યુલ, કોપર ક્લેડ લેમિનેટ (CCL) અને પોલીપ્રોપિલિન ફિલ્મ્સનું ઉત્પાદન ભારતમાં જ થશે. આ સાથે ભારત “ઉત્પાદક રાષ્ટ્ર” બનવાની […]

દેશની આર્થિક વૃદ્ધિમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે સર્વિસ સેક્ટર : નીતિ આયોગ

નવી દિલ્હી: નીતિ આયોગના જણાવ્યા અનુસાર, સર્વિસ સેક્ટર દેશના કુલ ગ્રોસ વેલ્યૂ એડેડ (GVA) માં આશરે 55 ટકા હિસ્સો ધરાવે છે અને તે ભારતીય અર્થવ્યવસ્થાના વિકાસનું મુખ્ય આધારસ્તંભ બની ગયું છે. નીતિ આયોગની સર્વિસિઝ ડિવિઝનની પ્રોગ્રામ ડિરેક્ટર ડૉ. સોનિયા પંતે જણાવ્યું કે, “નીતિ આયોગમાં સર્વિસિઝ ડિવિઝન એક નવું વિભાગ છે, જે ખાસ કરીને સર્વિસ સેક્ટર પર […]

તમિલનાડુમાં 1000 વર્ષ જૂની ચોલ કાળની શિલ્પકૃતિઓ મળી

બેંગ્લોરઃ તમિલનાડુના વિલ્લુપુરમ જિલ્લાના કૂટેરીપટ્ટુ નજીક પુરાતત્વ વિભાગને આશરે 1,000 વર્ષ જૂની ચોલ કાળની શિલ્પકૃતિઓ મળી આવી છે. વિલ્લુપુરમના ઇતિહાસકાર સેંગુત્તુવન દ્વારા તાજેતરમાં કરાયેલા ક્ષેત્ર સર્વેક્ષણ દરમિયાન આ પ્રાચીન કલા અવશેષો અલાગ્રામમ ગામ અને તેની આજુબાજુના વિસ્તારોમાં શોધાયા હતા, જે પહેલાથી જ પોતાના ઐતિહાસિક મહત્ત્વ માટે જાણીતું છે. આ શોધમાં વૈષ્ણવી દેવી, કૌમારી અને એક […]

બોલિવિયામાં બસ ખીણમાં ખાબકી, 16થી વધારે વ્યક્તિના મોત

બોલિવિયાના મધ્ય કોચાબામ્બા વિભાગમાં એક આંતરપ્રાંતીય બસ ભયાનક અકસ્માતનો શિકાર બની હતી. બસ એક પહાડી માર્ગ પરથી લગભગ 600 મીટર નીચે ખીણમાં ખાબકી હતી આ દૂર્ઘટનામાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા છે અને 36 લોકો ઘાયલ થયા છે. આ દૂર્ઘટનામાં મૃત્યુઆંક વધવાની શકયતા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, 23 વર્ષીય બસ ચાલક સહિત તમામ ઘાયલ […]

પાકિસ્તાન અફઘાન ભૂમિ પર બોમ્બમારી કરશે, તો ઇસ્લામાબાદને નિશાન બનાવવામાં આવશેઃ અફઘાનિસ્તાન

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ફરી એકવાર વધી ગયો છે. અફઘાન સુરક્ષા સૂત્રોએ જણાવ્યું હતું કે, હવે જો પાકિસ્તાન તરફથી કોઈ પણ પ્રકારનો હુમલો કરવામાં આવશે, તો અફઘાનિસ્તાન તરફથી પણ તીવ્ર જવાબી કાર્યવાહી કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ, જો પાકિસ્તાન અફઘાન ભૂમિ પર બોમ્બમારી કરશે, તો ઇસ્લામાબાદને નિશાન બનાવવામાં આવશે. સુરક્ષા સૂત્રોના જણાવ્યા મુજબ, અફઘાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code