1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

હરિયાણાઃ નાયબ સિંહ સૈનીએ સીએમ તરીકે લીધા શપથ

નવી દિલ્હીઃ હરિયાણામાં સતત ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટી (BJP)ની સરકાર બની છે. નાયબ સિંહ સૈનીએ ગુરુવારે બીજી વખત હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ બંડારુ દત્તાત્રેયે તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. તેમણે કુરુક્ષેત્રની લાડવા બેઠક પરથી કોંગ્રેસના મેવા સિંહને હરાવીને ચૂંટણી જીતી હતી. નાયબ સિંહ સૈની ઉપરાંત અનિલ વિજે મંત્રી પદના શપથ […]

નરેન્દ્ર મોદી બન્યા ભાજપાના પહેલા એક્ટિવ મેમ્બર

નવી દિલ્હીઃ PM મોદીએ BJPના દેશવ્યાપી સક્રિય સભ્યપદ અભિયાનની શરૂઆત કરી છે. પ્રધાનમંત્રી મોદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને પાર્ટી દ્વારા ચલાવવામાં આવી રહેલા રાષ્ટ્રીય સભ્યપદ અભિયાનના સંયોજક વિનોદ તાવડેની હાજરીમાં પાર્ટીના પ્રથમ સક્રિય સભ્ય બન્યા. આ સાથે તેમણે પાર્ટીનું સક્રિય સભ્યપદ અભિયાન પણ શરૂ કર્યું હતું. BJPના પ્રથમ સક્રિય સભ્ય બનવાની તસવીરો શેર કરતા […]

હરિયાણામાં નાયબ સિંહ સૈની બીજી વખત મુખ્યમંત્રી બનશે, ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદગી થઈ

નવી દિલ્હીઃ હરિયાણામાં ભાજપાના ધારાસભ્ય દળના નેતા તરીકે નાયબ સિંહ સૈનીની પસંદગી કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં મળેલી બેઠકમાં સૈનીની સર્વસંમતિથી ધારસભ્ય દળના નેતા તરીકે પસંદગી કરવામાં આવી હતી. આવતીકાલે ગુરુવારે હરિયાણામાં નવી સરકાર શપથગ્રહણ કરશે.  નાયબ સિંહ સૈનીને સીએમ બનાવવા મામલે ભાજપના જ નેતા અનિજ વિજ અને રાવ ઈન્દ્રજીત સિંહની નારાજગી […]

કોંગ્રેસે અશોક ગહેલોત અને સચિન પાયલોટને મહારાષ્ટ્રમાં સોંપી મહત્વની જવાબદારી

નવી દિલ્હીઃ ચૂંટણીપંચ દ્વારા આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી છે. બંને રાજ્યમાં ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ રાજકીય પક્ષો પણ રણનીતિ તૈયાર કરવાની કામગીરી આરંભી દીધી છે. દરમિયાન કોંગ્રેસ દ્વારા મહારાષ્ટ્રમાં સિનિયર નેતા અશોક ગહેલોત અને સચિન પાયલોટને મહત્વની જવાબદારી સોંપી છે. રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગહેલોત અને નાયબ મુખ્યમંત્રી […]

ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં 2.06 કરોડ મતદારાઓ મતાધિકારનો ઉપયોગ કરશે

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. અહીં 81 વિધાનસભા બેઠકો માટે બે તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કામાં 13 નવેમ્બરે અને બીજા તબક્કામાં 20 નવેમ્બરે મતદાન થશે. જ્યારે 23મી નવેમ્બરે મતગણતરી થશે.મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે ઝારખંડમાં પ્રથમ તબક્કા માટે 18 ઓક્ટોબરે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. જ્યારે નામાંકન 25 […]

મહારાષ્ટ્રમાં 5 વર્ષમાં 3 મુખ્યમંત્રી બન્યાં, વિધાનસભાની ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામશે

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાતની સાથે જ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ગત વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ શિવસેના અને ભાજપા વચ્ચે ગઠબંધન તુડતા શિવસેનાએ કોંગ્રેસ તથા એનસીપી સાથે મળીને સરકાર બનાવી હતી. જો કે, એનસીપી અને શિવસેનામાં પણ બે ભાગ પડી ગયા હતા. જે બાદ બંને રાજકીય પક્ષોના બળવાખોર નેતાઓએ ભાજપા સાથે મળીને સરકાર બનાવી […]

પેટાચૂંટણીઃ ગુજરાત વિધાનસભાની વાવ બેઠક ઉપર 13 નવેમ્બરે મતદાન યોજાશે

ગેનીબેન લોકસભા ચૂંટણી જીતતા બેઠક ખાલી પડી હતી 23મી નવેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે નવી દિલ્હીઃ ગુજરાત બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટા ચુંટણી કેન્દ્રીય ચુંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી છે. વાવની પેટા ચુંટણી ઝારખંડ વિધાસભાની ચુંટણીના પ્રથમ તબક્કાના મતદાન સાથે 13 નવેમ્બરના રોજ યોજાશે. જ્યારે તેનુ પરિણામ મહારાષ્ટ્ર અને ઝારખંડના પરિણામો સાથે […]

જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસની ગઠબંધન સરકાર બનાવવા માટે બેઠકોનો દોર શરૂ

નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરમાં ગત સપ્તાહે જ ચુંટણી પૂરી થઈ છે અને પરિણામમાં નેશનલ કોન્ફરન્સ અને તેની સાથી પાર્ટી કોંગ્રેસે મળીને 48 બેઠકો પર જીત હાંસલ કરતાં જ સત્તા પર આવવાનો માર્ગ ખુલ્લો થઈ ગયો છે. તો સાથે જ ૨૦૧૮થી લાદેલું રાષ્ટ્રપતિ શાસન પણ હવે હટી જશે. ત્યારે ગૃહ મંત્રાલય દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર રાષ્ટ્રપતિ […]

જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ ઓમર અબ્દુલ્લાને સરકાર રચવા આમંત્રણ આપ્યું

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાને કેન્દ્રશાસિત પ્રદેશમાં નવી સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. નેશનલ કોન્ફરન્સ તરફથી સિંહાને મળેલા પત્રમાં કહેવામાં આવ્યું હતું કે ઓમર અબ્દુલ્લાને સર્વસંમતિથી વિધાનસભામાં પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. આ પછી લેફ્ટનન્ટ ગવર્નરે નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષને મુખ્યમંત્રી તરીકે શપથ લેવા આમંત્રણ […]

હરિયાણાઃ અમિત શાહ અને મોહન યાદવને વિધાયક દળના નેતાની પસંદગીની જવાબદારી સોંપાઈ

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP) સંસદીય બોર્ડે હરિયાણામાં વિધાનસભા પક્ષના નેતાની પસંદગી કરવા માટે અમિત શાહ અને એમપીના મુખ્ય પ્રધાન મોહન યાદવને કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. હરિયાણામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ત્રીજી વખત જીત મેળવી છે. 8 ઓક્ટોબરે ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા. 90 સભ્યોની રાજ્ય વિધાનસભામાં ભાજપને 48 બેઠકો મળી હતી, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code