1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

સંસદના ચોમાસુ સત્રમાં સરકાર છ નવા બિલ રજૂ કરશે

નવી દિલ્હી: સંસદનું ચોમાસુ સત્ર 22 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે. આ સમયગાળા દરમિયાન મોદી 3.0 સરકાર સંસદમાં છ નવા બિલ રજૂ કરશે. આ નવા બિલોમાં ફાઇનાન્સ બિલ, બોઇલર્સ બિલ, ઇન્ડિયન એરક્રાફ્ટ બિલ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, કોફી પ્રમોશન એન્ડ ડેવલપમેન્ટ બિલ અને રબર પ્રમોશન એન્ડ ડેવલપમેન્ટનો સમાવેશ થશે. ગુરુવારે (18 જુલાઈ) સાંજે લોકસભા સચિવાલય દ્વારા જારી […]

ઉત્તરપ્રદેશ: BJPના નારાજ મનાતા ધારાસભ્યોને અખિલેશે આપેલી ઓફર બાદ રાજકીય ગરમાવો

લખનઉઃ ઉત્તરપ્રદેશની ભાજપા સરકારના ધારાસભ્યોમાં હાલ અંદરખાને આંતરીક નારાજગી પ્રવર્તી રહી હોવાની ચર્ચાઓ તેજ બની છે. દરમિયાન અખિલેશ યાદવે આવા ધારાસભ્યોને લઈને ચોંકાવનારી ઓફર કરી છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર કહ્યું છે કે, “મોનસૂન એક ઓફર છે – 100 લાવો અને સરકાર બનાવો.” અખિલેશ યાદવની આ ટ્વીટ બાદ ઉત્તરપ્રદેશના […]

શ્રમિકોના વાસ્તવિક વેતનમાં ઘટાડાના દાવા સાથે કોંગ્રેસે લઘુત્તમ વેતનમાં વધારાની કરી માંગણી

નવી દિલ્હીઃ  વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર હેઠળ ધીમી વેતન વૃદ્ધિ અને કમરતોડ ફુગાવાના કારણે, કામદારોના વાસ્તવિક વેતનમાં ઘટાડો થયો છે અને લઘુત્તમ વેતન વધારીને 400 રૂપિયા પ્રતિ દિવસ કરવાની જરૂર છે. તેમ કોંગ્રેસે જણાવ્યું હતું. કોંગ્રેસનાના જનરલ સેક્રેટરી જયરામ રમેશે કેટલાક સરકારી આંકડાઓને ટાંકીને એવો પણ દાવો કર્યો હતો કે આજે કામદારોની […]

ઉત્તરપ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપના ધોવાણ માટે કેન્દ્રીય નેતૃત્વએ સમીક્ષા કરી

નવી દિલ્હીઃ નવી દિલ્હીઃ દેશમાં તાજેતરમાં જ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં ભાજપાને ભારે નુકશાન સહન કરવું પડ્યું છે. લોકસભાની ચૂંટણીમાં ભારે ધોવાણને લઈને ભાજપા દ્વારા સમીક્ષા શરૂ કરવામાં આવી છે. દરમિયાન ઉત્તરપ્રદેશના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. બંને મહાનુભાવો વચ્ચે બંધ બારણે લગભગ એક કલાક સુધી ચર્ચા થઈ હતી. […]

પેટાચૂંટણીમાં I.N.D.I.A.એ સપાટો, પશ્ચિમ બંગાળમાં TMCની ક્લિનસ્વિપ

નવી દિલ્હીઃ સાત રાજ્યોની વિધાનસભાની 13 બેઠકો ઉપર યોજાયેલી ચૂંટણીને લઈને મતગણતરી હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 10 બેઠકો ઉપર ઈન્ડી ગઢબંધન આગળ હતી. જે પૈકી પશ્ચિમ બંગાળમાં 3 બેઠકો ઉપર ટીએમસીની જીત થઈ હતી. જ્યારે હિમાચલ પ્રદેશમાં બે બેઠકો ઉપર કોંગ્રેસની જીત થઈ છે. પેટા ચૂંટણીમાં એનડીએને નુકશાન થવાનો અંદાજ છે. પશ્ચિમ બંગાળમાં ટીએમસીના […]

હેમંત સોરેને વિશ્વાસનો મત જીત્યો, મતદાન દરમ્યાન ભાજપના ધારાસભ્યોએ કર્યુ વિધાનસભામાંથી વોકઆઉટ

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને સોમવારે આજે વિધાનસભામાં વિશ્વાસ મત જીત્યો. વિશ્વાસ મતની તરફેણમાં 45 મત પડ્યા હતા જ્યારે વિરોધમાં શૂન્ય મત પડ્યા હતા. મતદાન દરમિયાન ભાજપના ધારાસભ્યોએ વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું હતું. મતદાન પહેલા વિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપતા હેમંત સોરેને ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગનો આરોપ લગાવ્યો હતો. હેમંત […]

સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર પેટાચૂટણીમાં 10 જૂલાઈએ મતદાન યોજાશે

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી બાદ દેશના વિવિધ રાજ્યોમાં 13 વિધાનસભા બેઠકો માટે 10 જુલાઈએ પેટાચૂંટણી યોજાવાની છે. ઉલ્લેખનીય છે કે 10 જુલાઈએ બિહારની 1, બંગાળની 4, તમિલનાડુની 1, મધ્યપ્રદેશની 1, ઉત્તરાખંડની 2, પંજાબની 1 અને હિમાચલની 3 બેઠક પર મતદાન થશે. આ બેઠકો પર પેટાચૂંટણી માટેનું જાહેરનામું 14 જૂને બહાર પાડવામાં આવ્યું હતું. નોમિનેશનની છેલ્લી […]

અયોધ્યાની જેમ જ ગુજરાતમાં પણ ભાજપાને હરાવાશેઃ રાહુલ ગાંધી

અમદાવાદઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ કોંગ્રેસના નેતાઓને મળ્યા હતા. તેઓ રાજકોટ ગેમ ઝોન અકસ્માત, મોરબી બ્રિજ અને સુરત અકસ્માતના પીડિતોને મળ્યા હતા. આ દરમિયાન તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યાં હતા. ભાજપ પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે ગુજરાતમાં ભાજપને હરાવવાના છીએ અને કોંગ્રેસનો કોઈ કાર્યકર […]

કેન્દ્રની મોદી સરકાર નબળી, ઓગસ્ટ સુધી જ ચાલશેઃ લાલુ યાદવ

પટનાઃ આજે રાષ્ટ્રીય જનતા દળનો 28મો સ્થાપના દિવસ છે. આરજેડી કાર્યાલયમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ અને તેમના પુત્ર તેજસ્વી યાદવ સહિત ઘણા વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યકરોએ લાલુ અને તેજસ્વી યાદવનું ભવ્ય સ્વાગત કર્યું હતું. બંનેને ચાંદીનો મુગટ પહેચાવામાં આવ્યો હતો. 28માં […]

150 વકીલોએ ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયાને લખ્યો પત્ર, હાઇકોર્ટના જજ સામે ઉઠાવ્યા સવાલ

સીએમ અરવિંદ કેજરીવાલ હાલમાં દિલ્હી લિકર પોલિસીમાં કથિત ભ્રષ્ટાચારના કેસમાં તિહાર જેલમાં બંધ છે. નીચલી અદાલતે તેમને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સંબંધિત કેસમાં જામીન આપ્યા હતા પરંતુ હાઈકોર્ટે જામીન પર વચગાળાનો સ્ટે લગાવી દીધો હતો, જેની સુનાવણી હજુ બાકી છે. દિલ્હીના લગભગ 150 વકીલોએ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડને પત્ર લખ્યો છે. આ પત્રમાં કેજરીવાલ કેસમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code