1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

લોકસભા ગૃહમાં વિપક્ષને પણ બોલવાનો અધિકાર મળવો જોઈએઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ લોકસભાના સ્પીકર તરીકે એનડીએ નેતા ઓમ બીરલા ચૂંટાયાં હતા. જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના સાંસદોએ ઓમ બીરલાને શુભેચ્છાઓ પાઠવી હતી. કોંગ્રેસ સહિતના વિપક્ષી પક્ષોએ પણ ઓમબીરલાને શુભેચ્છા પાઠવી હતી. દરમિયાન રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે શુભેચ્છા પાઠવા સાથે લોકસભા ગૃહમાં વિપક્ષને પણ બોલવાનો અધિકાર મળે તેવી વાત કરી હતી. શિવસેના અને એનસીપીના સાંસદોએ પણ […]

લોકસભાના સ્પીકર પદે ઓમ બીરલા ચૂંટાયાં

નવી દિલ્હીઃ નવી લોકસભામાં સ્પીકર પદે એનડીએના ઓમ બીરલા ચૂંટાયાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાના સ્પીકર પદ માટે ઓમ બીરલાના નામનો પ્રસ્વાત રજુ કર્યો હતો. જેને કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે સમર્થન આપ્યું હતું. જીતીન માંઝી, શિવરાજ સિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, જાદવ ગણપતરાવ, ચિરાગ પાસવાન સહિતના નેતાઓએ સમર્થન આપ્યું હતું. લોકસભાના સ્પીકરની મતદાન વખતે મોટી […]

સાંસદો અને ધારાસભ્યોને વ્હીપ કોણ અને કેમ આપે છે? જાણો….

મીત્રો આજે લોકસભાનાં સ્પિકરની ચુંટણી યોજાઈ ત્યારે એક શબ્દ આપે સાંભળ્યો હશે કે NDA દ્વારા તેના તમામ સાંસદો ને વ્હિપ જારી કરવામાં આવ્યો હતો કે તમામ સાંસદો સદનમાં સવારે10.30 કલાકે હાજર રહે. તો બીજી બાજુ કૉંગ્રેસે પણ તેના તમામ સાંસદ હાજર રહે તે માટે વ્હીપ જારી કર્યો છે. ત્યારે આવો સમજીએ કે વ્હીપ શું હોય […]

લોકસભામાં સ્પીકર બાદ હવે ડેપ્યુટી સ્પીકર માટે પણ ખેંચતાણ, ઈન્ડી ગઠબંધન પણ ઉમેદવાર ઉભો રાખશે

નવી દિલ્હીઃ લોકસભામાં સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર પદ માટે એનડીએ અને વિપક્ષી ગઠબંધન I.N.D.I.A વચ્ચે ટક્કર ચાલુ છે. ઈન્ડિ એલાયન્સ હવે એનડીએને ટક્કર આપવા માટે તૈયાર છે. સ્પીકર પદ માટે ઉમેદવાર ઉતાર્યા બાદ વિપક્ષે હવે ડેપ્યુટી સ્પીકર પદ માટે પણ ઉમેદવાર ઉતારવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા મંગળવારે વિપક્ષે પણ લોકસભા સ્પીકર પદ માટે પોતાનો ઉમેદવાર […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈમરજન્સીનો વિરોધ કરનારાઓને શ્રદ્ધાંજલી પાઠવી

નવી દિલ્હીઃ વર્ષ 1975માં ઈન્દિરા ગાંધી તરફથી લદાયેલી ઈમરજન્સી એટલે કે કટોકટીનો ભાજપ આજે રાષ્ટ્રીય સ્તરે વિરોધ કરી રહ્યો છે, ત્યારે પ્રધાનમંત્રી મોદીએ એક્સ પર ટ્વીટ કરીને ઈમરજન્સીનો વિરોધ કરનારાઓને આજે શ્રદ્ધાંજલી અર્પવા આહ્વાન કર્યુ છે. ઈમરજન્સી સામે આજે ભાજપ રાષ્ટ્રીય સ્તરે વિરોધ દર્શાવી રહયો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા આજે બપોરે ઈમરજન્સીને […]

દેશમાં પ્રથમ વખત લોકસભાના સ્પીકર પદ માટે ચૂંટણી યોજાશે

નવી દિલ્હીઃ લોકસભા સ્પીકર પદ પર સહમતી ન બની શકયા બાદ વિપક્ષે પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. કે સુરેશ વિપક્ષના સ્પીકર પદના ઉમેદવાર હશે. બીજી તરફ એનડીએ વતી ઓમ બિરલાએ લોકસભા સ્પીકર પદ માટે નોમિનેશન ભર્યું છે. બુધવારે લોકસભા સ્પીકરની ચૂંટણી યોજાવાની છે. દેશમાં આ પ્રથમ વખત બનશે જ્યારે સ્પીકર પદ માટે ચૂંટણી યોજાશે. […]

નીતિશ કુમાર ઈન્ડી ગઠબંધનથી કેમ દૂર થયા તે અંગે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના નેતાએ કર્યો ખુલાસો

લખનૌઃ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસિસ્ટ-લેનિનિસ્ટ) લિબરેશનના જનરલ સેક્રેટરી દીપાંકર ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે, જનતા દળ (યુનાઈટેડ)ના વડા નીતિશ કુમારે રામ મંદિર મામલે ભાજપા તરફી લહેર હોવાના ભયના કારણએ ઈન્ડી ગઠબંધન છોડ્યું હતું, પરંતુ  તેમનો ભય ખોટું સાબિત ઠર્યો છે. નીતીશ કુમારનો ‘ડર’ નિરાધાર સાબિત થયો છે, ખાસ કરીને ઉત્તર પ્રદેશની લોકસભા ચૂંટણીના પરિણામો જોયા […]

ત્રણ રાજ્યની વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્ટિવ, ખાસ રણનીતિ તૈયાર કરાશે

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી સંપન્ન થઈ ગઈ છે અને આ ચૂંટણીમાં કોગ્રેસે વર્ષ 2014ની સરખામણીએ વધારે બેઠકો ઉપર જીત મેળવી છે. કોંગ્રેસના આ પ્રદર્શનથી કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોમાં નવા પ્રાણ ફુકાયાં છે. હવે આગામી દિવસોમાં જે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તેને લઈને કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી લીધી છે. કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી […]

નીતિશકુમારના પુત્ર નિશાંતકુમારનું નામ બિહારના રાજકારણમાં હાલ ચર્ચામાં, પાર્ટીમાં સક્રિય ભૂમિકા નિભાવે તેવી ઉઠી માંગ

બિહારમાં પરિવારવાદના પ્રકરણમાં એક નવું પાનું ઉમેરાયું હોય તેમ લાગે છે. હાલમાં રાજ્યમાં મુખ્યમંત્રી નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમાર અચાનક ચર્ચામાં આવી ગયા છે. સામાન્ય રીતે લાઈમલાઈટથી દૂર રહેતા સીએમના પુત્ર વિશે ચર્ચા છે કે તે રાજકારણના મુખ્ય પ્રવાહમાં આવી શકે છે. એટલું જ નહીં, એવી અટકળો છે કે તેઓ તેમના પિતા નીતીશ કુમારનો વારસો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code