1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

ચંદ્રાબાબુ નાયડુ ચોથી વખત બનશે આંધ્રપ્રદેશના સીએમ, 12મી જૂને યોજાશે શપથવિધી

બેંગ્લોરઃ તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના ચીફ ચંદ્રબાબુ નાયડુ 12 જૂને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે. અગાઉ નાયડુ 9 જૂને શપથ લેવાના હતા, પરંતુ મોદીના શપથ ગ્રહણના કારણે તેઓ તેમનો શપથગ્રહણ કાર્યક્રમ 12 જૂન સુધી સ્થગિત કરી શકે છે. આંધ્ર પ્રદેશમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં TDPને 135 બેઠકો મળી છે. રાજ્યમાં 175 વિધાનસભા બેઠકો છે, […]

અખિલેશ યાદવે ઈન્ડી ગઠબંધનની સરકાર બનાવવાની આશા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ગુરુવારે ઈન્ડી ગઠબંધનની સરકાર બનાવવાની આશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, લોકશાહીમાં જ્યારે ગણતરી થાય છે ત્યારે આશા અને અપેક્ષાનો ક્યારેય અંત આવતો નથી. ઈન્ડી ગઠબંધન બહુમતીથી દૂર છે, કારણ કે તેના ખાતામાં 234 બેઠકો આવી છે. લોકસભામાં બહુમતી માટે 272 બેઠકો જરૂરી છે. જો કે […]

NDA ના ઘટક દળોએ નરેન્દ્ર મોદીને પોતાના નેતા તરીકે પસંદ કર્યા

નવી દિલ્હીઃ18મી લોકસભા માટે સંપન્ન થયેલી ચૂંટણી અને તેના પરિણામ આવી ગયા બાદ સરકાર રચવાની કવાયત રૂપે એનડીએના ઘટક દળોની બેઠક પ્રધાનમંત્રીના નિવાસસ્થાને મળી હતી. આ બેઠકમાં એનડીએના ઘટક દળોએ નરેન્દ્ર મોદીને તેમના નેતા તરીકે પસંદ કર્યા છે.  એ અંગેનો પ્રસ્તાવ પણ સર્વ સંમતિથી પસાર કર્યો છે. આ બેઠકમાં ઘટક દળોએ તેમનો સમર્થન પત્ર પણ […]

ઓડિશાઃ મુખ્યમંત્રી અને બીજુ જનતા દળના પ્રમુખ નવીન પટનાયકે રાજીનામું આપ્યું

નવી દિલ્હીઃ ઓડિશામાં યોજાયેલી વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં નવીન પટનાયકના બીજુ જનતા દળને મોટો ઝટકો લાગ્યો. રાજ્યમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી છે. 78 બેઠકો જીતીને ભાજપે બહુમતનો આંકડો પાર કરી લીધો છે. આ સાથે જ ભાજપે રાજ્યની મોટાભાગની લોકસભા બેઠકો પણ જીતી લીધી છે. આ હાર બાદ હવે ઓડિશાના મુખ્યમંત્રી અને બીજુ […]

મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીના પરિણામોને પગલે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું આપ્યું

મુંબઈઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ચૂંટણી પરિણામો આવ્યા બાદ તેમનું રાજીનામું આપ્યું છે. તેમણે મહારાષ્ટ્રમાં ભાજપની હારની જવાબદારી સ્વીકારી હતી. તેમણે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં ભાજપને ઓછી બેઠક મળી જેની તમામ જવાબદારી મારી છે.   મહારાષ્ટ્રમાં ભાજપ, શિવસેના (શિંદે જૂથ) અને NCP (અજિત પવાર જૂથ) સાથે મળીને ચૂંટણી લડ્યા હતા. ભાજપે 28 બેઠકો પર, શિવસેના […]

નરેન્દ્ર મોદીને સરકાર બનાવવાનો રસ્તો ક્લીયર થયો, નીતિશકુમાર અને ચંદ્રબાબુ નાયડુએ સમર્થનપત્ર આપ્યો

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ દિલ્હીમાં સરકાર બનાવવા માટે NDAની બેઠક ચાલી રહી છે. આ દરમિયાન નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નીતીશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુએ બેઠકમાં સમર્થન પત્રો સુપરત કર્યા છે. જેથી એનડીએની બેઠક બાદ તમામ નેતાઓ સરકાર બનાવવાનો દાવો રજૂ […]

ડબલ એન ઈફેક્ટ સાથે પીએમ મોદીના આગામી પાંચ વર્ષ નહીં હોય આસાન, જાણો ક્યાં પડકારોનો કરવો પડશે સામનો?

નવી દિલ્હી: નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એનડીએને 400થી વધારે બેઠકો મળી શકી નહીં. ઈન્ડિયા ગઠબંધને હાલની ચૂંટણીમાં શાનદાર દેખાવ કર્યો છે અને પોતાના લક્ષ્ય 295ની નજીક પહોંચ્યુ છે. કેન્દ્રમાં એનડીએની સરકાર બનવાની છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજીવાર સરકાર બનાવશે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આગામી પાંચ વર્ષ સરકાર ચલાવવી મોટો પડકાર હશે. ગઠબંધનની સરકાર ચલાવવી […]

‘મોદી ત્રીજી વખત PM નથી બની રહ્યા…’, સંજય રાઉતનો દાવો

મુંબઈઃ લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવી ગયા છે. ભાજપના નેતૃત્વમાં એનડીએ જાદુઈ બહુમતીનો આંકડો પાર કરી ગયો છે અને સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહી છે. બીજી તરફ કોંગ્રેસની આગેવાની હેઠળના ઈન્ડિ એલાયન્સે પણ સરકાર બનાવવાની આશા છોડી નથી. ગઠબંધનના તમામ નેતાઓ બહુમતીનો આંકડો મેળવવામાં સતત વ્યસ્ત છે. દરમિયાન, શિવસેના ઉદ્ધવ જૂથના વરિષ્ઠ નેતા સંજય રાઉતે […]

પ્રિયંકા ગાંધીએ રાહુલ ગાંધીને લઈને સોશિયલ મીડિયામાં કરી ભાવનાત્મક પોસ્ટ, શું કહ્યું જાણો

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પરિણામો પર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ તેમના ભાઈ રાહુલ ગાંધી વિશે ભાવનાત્મક નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે મારા ભાઈઓ જે તમને જોઈ શક્યા ન હતા, હવે તમને જુઓ. પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું કે તમે ઉભા રહ્યા. તમારી સાથે ઘણું બધું થયું અને તમને ઘણું […]

નરેન્દ્ર મોદી 8 જૂને ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લેશે!

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે (5 જૂન, 2024) બીજેપીની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA)ની બેઠક બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન પીએમ મોદી સરકારની રચના માટે સમર્થનનો પત્ર રાષ્ટ્રપતિ મુર્મુને સોંપી શકે છે. સૂત્રોએ એમ પણ જણાવ્યું કે, NDA સાંસદોની બેઠક શુક્રવારે બપોરે 2.30 વાગ્યે સંસદભવનમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code