1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

જેલમાં બંધ અમૃતપાલ અને અબ્દુલ રશીદ ચૂંટણી જીત્યા, જાણો જેલમાં બેઠા-બેઠા કેવી રીતે કરશે કામ

નવી દિલ્હીઃ દેશની 18મી લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. એનડીએ ગઠબંધન સરકારે બહુમતી હાંસલ કરી છે. પરંતુ બે બેઠક ઉપરથી જીતેલા જ્યાં ઉમેદવારો હાલ જેલવાસ ભોગવી રહ્યાં છે અને ચૂંટણી જીત્યા છે. હવે સવાલ એ છે કે, જેલમાં બંધ સાંસદ કેવી રીતે કામ કરી શકે? આજે અમે તમને જણાવીશું કે જેલમાંથી સાંસદ શું […]

દિલ્હીમાં NDA અને ઈન્ડી ગઠબંધનની મહત્વની બેઠક મળશે, આગળની રણનીતિ તૈયાર કરાશે

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ કેન્દ્રમાં સરકાર બનાવવાની કવાયત તેજ બની છે. ભાજપના નેતૃત્વમાં એનડીએને બહુમતી મળી છે. પરંતુ સત્તાની ચાવી ટીડીપીના ચીફ એન ચંદ્રબાબુ નાયડુ અને બિહારના સીએમ નીતિશકુમારના હાથમાં છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપાને સ્પષ્ટ બહુમતી મળી નથી. બુધવારે દિલ્હીમાં કોંગ્રેસ ટીએમસી અને આમ આદમી પાર્ટી સહિતના વિપક્ષી ગઠબંધન ઈન્ડીની બેઠક મળશે.  […]

અયોધ્યામાં ભાજપને મળ્યા નહીં રામલલાના આશિર્વાદ, આસપાસની બેઠકો પણ ગુમાવી

લખનૌ: લોકસભા ચૂંટણીના પરિણામો ભાજપની ઉંઘ હરામ કરનારા છે. મોદી સરકાર ત્રીજી વખત કેન્દ્રમાં સત્તામાં આવતી દેખાય છે. પરંતુ પરિણામ નબળી બહુમતી આપી રહ્યા છે. જે ચૂંટણીમાં 400 પારનું સૂત્ર આપવામાં ાવ્યું, ત્યાં 272ના મેજીક નંબર સુધી ભાજપ પહોંચ્યું નથી અને એનડીએને 300 બેઠકો સુધી પહોંચવામાં પરસેવો છૂટી રહ્યો છે. આ ચૂંટણીમાં ભાજપે રામમંદિરના મુદ્દાને […]

અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છતાં ઉત્તરપ્રદેશમાં ભાજપની જીતની બાજી વિખાવાના પાંચ કારણો

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના પરિણામો જણાવે છે કે એનડીએને સૌથી વધુ નુકશાન ઉત્તર પ્રદેશમાં થયું. જ્યાં બેઠકો વધવાની વાત તો દૂર રહહી, પોતાની 2019ની મળેલી બેઠકો પણ ભાજપ જાળવી શક્યું નથી. સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનને કારણે ભાજપને ખરાખરીનો ચૂંટણી જંગ ખેલવો પડયો. યુપીમાં ભાજપનો ખેલ બગડવાના પાંચ કારણોની મુખ્ય ચર્ચા છે. ઉમેદવારોની પસંદગી- ચૂંટણીની […]

સરકાર બનાવવા તડજોડની રાજનીતિ શરૂ, I.N.D.I.Aએ નીતિશકુમારને નાયબ વડાપ્રધાન પદ ઓફર કર્યું

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના હવે ધીમે-ધીમે પરિણામ જાહેર થઈ રહ્યાં છે. કેન્દ્રમાં ફરી એકવાર એનડીએની સરકાર બની રહી છે. જો કે, ઈન્ડી ગઠબંધનની બેઠકો પણ 240 જેટલી છે. જેથી કેન્દ્રમાં સરકાર બનાવવા માટે તડજોડની રણનીતિ શરૂ કરાઈ છે. ઈન્ડી ગઠબંધને નીતિશકુમારને નાયબ વડાપ્રધાન પદની ઓફર કરી છે. બીજી તરફ કોંગ્રેસે નીતિશકુમારની સાથે ચંદ્રબાબુ નાયડુનો સંપર્ક […]

સત્તા સુધી પહોંચવાની કૉંગ્રેસને આશા! નીતિશ અને નાયડુ સાથે કરશે વાત?

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ના પરિણામો પર મંગળવારે તમામ રાજકીય પક્ષોની નજરો મંડાયેલી છે. મતગણતરી ચાલુ છે. કોની સરકાર સત્તામાં આવશે, તેનો નિર્ણય ટૂંક સમયમાં થઈ જશે. ચૂંટણી પંચના શરૂઆતના ટ્રેન્ડ્સ પર ધ્યાન આપીએ, તો ભાજપનું પલ઼ડું ભારે દેખાય રહ્યું છે. કોંગ્રેસ નેતૃત્વવાળા વિપક્ષી ગઠબંધન પણ સતત  ટક્કર આપી રહ્યું છે. બિહાર અને આંધ્રપ્રદેશમાં રાજકીય […]

વિપક્ષના ઈડી, સીબીઆઈના દુરુપયોગના દાવાને જનતાનું પણ સમર્થન, 2024ના પરિણામોમાં ભાજપને આંચકો!

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ની મતગણતરીમાં અત્યાર સુધીમાં આશ્ચર્યચકિત કરનારા પરિણામો સામે આવી રહ્યા છે. એક્ઝિટ પોલના પરિણામોમાં 400ના આંકડાને સ્પર્શી રહેલું ભાજપ હાલ ઘણું પાછળ દેખાય રહ્યું છે. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા અને રાજસ્થાન જેવા ઘમાં રાજ્યોમાં ભાજપને આંચકો લાગ્યો છે. પ્રારંભિક મતગણતરીમાં અહીં ભાજપના ઉમેદવાર પાછળ રહ્યા છે. 80 લોકસભા બેઠકોવાળા ઉત્તરપ્રદેશમાં ભાજપને […]

લોકસભા ચૂંટણી 2024: 5 રાજ્યોએ મતગણતરી વચ્ચે ભાજપનું વધાર્યું ટેન્શન!

નવી દિલ્હી: લોકસબા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે અને અત્યાર સુધી આવી રહેલા ટ્રેન્ડ્સમાં ઘણી બેઠકો પર એનડીએ અને ઈન્ડિયા ગઠબંધન વચ્ચે ખરાખરીનો જંગ દેખાય રહ્યો છે. કેટલાક રાજ્યો એવા છે કે જ્યાં ભાજપ માટે ટેન્શન વધી રહર્યું છે. દેશના વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં ભાજપનું ટેન્શન વધ્યું છે. વલણોમાં ભલે એનડીએને બહુમતી […]

જમ્મુ-કાશ્મીરમાં ટૂંક સમયમાં વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયા શરૂ થશેઃ ચૂંટણીપંચ

નવી દિલ્હીઃ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) રાજીવ કુમારે લોકસભા ચૂંટણીના પરિણામોના એક દિવસ પહેલા સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે લોકસભા અને વિધાનસભા ચૂંટણી સહિત અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી ક્યારે યોજાશે તેનો પણ તેમણે જવાબ આપ્યો હતો. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું હતું કે, “ચૂંટણી પંચ બહુ […]

આપણું શાસન મોડેલ વિશ્વ માટે એક ઉદાહરણ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણીના પરિણામ પૂર્વે દેશવાસીઓને ઉલ્લેખીને એક લખ્યો છે. જેમાં પીએમ મોદીએ કહ્યું છે કે, મારા વ્હાલા દેશવાસીઓ, લોકશાહીના સૌથી મોટા પર્વનો એક માઈલસ્ટોન 1 જૂને પૂર્ણ થયો. કન્યાકુમારીમાં ત્રણ દિવસની આધ્યાત્મિક યાત્રાના ઘણા અનુભવો, કેટલી સારી અનુભૂતી છે. હું મારી અંદર ઊર્જાનો અપાર પ્રવાહ અનુભવું છું. મને કન્યાકુમારીમાં ભારત માતાના ચરણોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code