1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

દાહોદ જિલ્લાના સુખસર ખાતે ભાજપનું ‘બૂથ કાર્યકર્તા સંમેલન’ યોજાયું

આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ‘મેરા બુથ સબસે મજબૂત’ના મંત્ર સાથે ભાજપાને વિજયી બનાવવા કાર્યકર્તાઓને આહ્વાન કરતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા દાહોદ, 19 માર્ચ, 2026 – ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં આજે ગુરુવારે દાહોદ જિલ્લાના સુખસર ખાતે ફતેપુરા વિધાનસભાનું ‘બૂથ કાર્યકર્તા સંમેલન’ યોજાયું હતું. આ પૂર્વે જગદીશભાઈ વિશ્વકર્માએ બુથ નં. ૧૩૮ ના પ્રમુખ જેન્તીભાઇ […]

મોડાસામાં જર્જરિત મકાનો: નોટિસ સુધી જ સીમિત તંત્ર?

હેમંત પરમાર, અરવલ્લી જીલ્લો. મોડાસા, 17 માર્ચ, 2026 – મોડાસા શહેરમાં અનેક એવા મકાનો છે, જે આજે જર્જરિત અવસ્થામાં ઊભા રહીને ખતરાની ચેતવણી આપી રહ્યા છે. દિવાલોમાં પડેલા ચીરણ અને નબળી બનેલી રચનાઓ સ્પષ્ટ બતાવે છે કે આ મકાનો ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે. પરંતુ સૌથી વધુ જોખમ માત્ર આ મકાનોમાં રહેતા લોકોને જ […]

કચ્છ જિલ્લામાં ગાયોને નિરણ તેમજ રખડતા શ્વાનોની અન્નસેવા કરવામાં આવી

કચ્છ જીલ્લાના ગોપાલનાથ ગોપાલ ચીક્કી વાળા બન્યા ગૌનાથ – ગૌપાલક બાર હજાર કિલો ઉપરના લીલી મકાઈનો ઘાસચારો નિરણ કરાવવામાં આવ્યો ભુજ, 13 માર્ચ, 2026 –  ધૂળેટીની ઊજવણી નિમિત્તે તાજેતરમાં ઉદાર દાતાઓ દ્વારા કચ્છમાં સેંકડો ગાયોને લીલું નિરણ તથા રસ્તામાં ફરતા નિરાધાર શ્વાનોને પોષણયુક્ત ખોરાક આપીને તેમની પણ અન્નસેવા કરવામાં આવી હતી. ભુજના સમાજસેવક પંકજભાઈ વ્યાસના […]

કચ્છમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની શિક્ષિકાનું કારસ્તાન, અને પછી જે થયું, જુઓ વીડિયો

આદિપુર-કચ્છ, 24 ફેબ્રુઆરી, 2026 – કચ્છમાં મિશનરી સ્કૂલ સેન્ટ ઝેવિયર્સની એક શિક્ષિકાની ધાર્મિક અસહિષ્ણુતાને કારણે સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાઈ હતી. આ અંગે હિન્દુ સંગઠનોને જાણ થતા તેઓ સ્કૂલમાં પહોંચી ગયા હતા અને શિક્ષિકા વિરુદ્ધ ફરિયાદ કરી. મળતા અહેવાલ અનુસાર આદિપુરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં એક વિદ્યાર્થિની પોતાની સાથે હનુમાન ચાલીસા લઈને ગઈ હતી. જો કે […]

આણંદ કૃષિ યુનિવર્સિટીના ખાંધા કેન્‍દ્ર દ્વારા બાવળીયા ગામે ખેડૂત શિબિર યોજાઈ

આણંદ, 23 ફેબ્રુઆરી, 2026- Anand Agricultural University આણંદ કૃષિ યુનિવર્સિટીના ખાંધા કેન્‍દ્ર દ્વારા સરદાર સરોવર પ્રોજેક્ટ અંતર્ગત તા.૨૧/૦૨/ર૦૨૬ ના રોજ વડોદરા જીલ્લાના બાવળીયા ગામે “પ્રાકૃતિક કૃષિ” વિષય ઉપર ખેડૂત શિબિર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ શિબિરમાં ૮૦ જેટલા ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે ડો. જે. એચ. ચૌધરી, યુનિટ અધિકારી, નર્મદા પિયત સંશોધન યોજના, આ.કૃ.યુ., ખાંધા […]

રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન રાવ સરહદી ગામોની સુરક્ષા સમીક્ષા માટે કચ્છ જશે

ભુજમાં હાઈ-લેવલ ક્રાઈમ કોન્ફરન્સ યોજાશે; સેના, BSF અને કોસ્ટ ગાર્ડના ઉચ્ચ અધિકારીઓ સાથે સુરક્ષા મંથન જખૌ અને પિંગલેશ્વર જેવા સંવેદનશીલ દરિયાઈ વિસ્તારોની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે ગાંધીનગર, 19 ફેબ્રુઆરી, 2026 – State Police Chief Dr. K.L.N. Rao રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન રાવ આગામી તા.૨૧ અને ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન કચ્છ જિલ્લાના સરહદી ગામોની […]

પંચમહાલના કેટલાક વિસ્તારમાં પડ્યુ માવઠું, અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ

અમદાવાદ,18 ફેબ્રુઆરી 2026: ગુજરાતમાં શિયાળો વિદાય લેવાની તૈયારીમાં છે. અને ઉનાળાનું આગમન થઈ રહ્યું છે. ત્યારે કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં અચાનક પલટો આવતા પંચમહાલ જિલ્લાના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. જ્યારે મહીસાગર, બનાસકાંઠા સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાતાવરણ વાદળછાંયુ જોવા મળ્યું […]

વેસ્ટ મુક્ત અમદાવાદ માટે AMCની મોટી પહેલ, એક કોલ પર ઘરેથી જ ઉઠાવશે બાંધકામ કચરો

ધૂળ-પ્રદૂષણ ઘટશે, એર ક્વોલિટી સુધરશે: આધુનિક કલેક્શન સેન્ટર સાથે AMCની મહત્વપૂર્ણ કામગીરી અમદાવાદ, 17 ફેબ્રુઆરી 2026: AMC’s big initiative for waste-free Ahmedabad અમદાવાદ શહેરને વધુ સ્વચ્છ અને સુરક્ષિત પર્યાવરણ આપવાના હેતુ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન (C&D) વેસ્ટના સંચાલન માટે સુવ્યવસ્થિત અને સુવિધાસભર વ્યવસ્થા અમલમાં મૂકી છે. શહેરમાં રહેણાંક […]

માહિતી ખાતાની કામગીરીને વધુ વેગવાન બનાવવા પોઈચામાં ચિંતન શિબિર

રાજપીપળા, 13 ફેબ્રુઆરી 2026: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે રાજ્ય કક્ષાની ચિંતન શિબિર યોજાયા બાદ વિવિધ વિભાગોની ચિંતન શિબિરો યોજાઇ રહી છે. આ શ્રેણીમાં આજે નર્મદા જિલ્લાના નીલકંઠધામ-પોઈચાથી માહિતી ખાતાની તા.૧૩ અને ૧૪ ફેબ્રુ-દરમિયાન બે દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ થયો છે. માહિતી ખાતાની કામગીરી સાથે સંકળાયેલા રાજ્યભરના વર્ગ ૧-૨ના અધિકારીઓ આ બે […]

કચ્છના ભુંજયો અને કાળા ડુંગરને પ્રવાસન સ્થળ તરીકે વિક્સાવાશે

ભૂજ,13 ફેબ્રુઆરી 2026:  કચ્છ જિલ્લામાં ધોરડો અને ધોળાવીરાનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરાયા બાદ દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. અને પ્રવાસન થકી અનેક લોકોને રોજગાર પણ મળી રહ્યો છે. ત્યારે હવે ભૂજિયો ડુંગર અને કાળા ડુંગરનો પણ પ્રવાસન તરીકે વિકાસ કરવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.  કચ્છ જિલ્લો ઔદ્યોગિક હરણફાળની સાથે પ્રવાસન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code