1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

મેઘાલયમાં કેબિનેટ ફેરફાર પહેલા 8 મંત્રીઓએ આપ્યા રાજીનામું, નવા ચહેરાઓને મળશે સ્થાન

શિલોંગઃ મેઘાલયમાં મંગળવારે થનારા કેબિનેટ ફેરફાર પહેલા રાજ્યના આઠ મંત્રીઓએ પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. જેમાં એ.એલ. હેક, પૉલ લિંગદોહ અને અમ્પારીન લિંગદોહ સહિતના નામો સામેલ છે. એનપીપીની આગેવાની હેઠળની મેઘાલય ડેમોક્રેટિક અલાયન્સ સરકારના મુખ્યમંત્રી કોનરાડ કે. સંગમાએ આજે રાજ્યપાલ સી.એચ. વિજયશંકરને મળી તમામ મંત્રીઓના રાજીનામા સોંપ્યા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ, નવા મંત્રીઓને મંગળવારે […]

જમ્મુ-કાશ્મીર સરકારે 100થી વધુ સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પ્રતિબંધ મૂક્યો

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર સરકારે મોટી કાર્યવાહી કરતા 100થી વધુ સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. ડોડા અને કિશ્તવાડ જિલ્લામાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ થઈ રહ્યો હતો, એવા આરોપોને ધ્યાનમાં રાખીને આ એક્શન લેવામાં આવ્યું છે. મહત્વનું છે કે, પ્રતિબંધિત કરાયેલા ઘણા એકાઉન્ટ્સ પાકિસ્તાનથી સંચાલિત થઈ રહ્યા હતા. આ પરથી સાબિત થાય છે કે પાકિસ્તાનમાં […]

ગુરુ નાનક દેવજીની જન્મજયંતિ નિમિત્તે પાકિસ્તાન જનારી શીખ યાત્રા ભારતે રદ કરી

નવી દિલ્હીઃ ભારત સરકારે નવેમ્બર 2025માં ગુરુ નાનક દેવજીની જન્મજયંતિના અવસર પર પાકિસ્તાન જવા નીકળનારા શીખ યાત્રાળુઓની યાત્રા રદ કરી દીધી છે. ગૃહ મંત્રાલયે સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હોવાનું અધિકૃત સૂત્રોએ જણાવ્યું છે. ગૃહ મંત્રાલયે પંજાબ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની રાજ્ય સરકારોને સૂચના આપી છે કે તેઓ હવે આ […]

એશિયા કપમાં હેન્ડશેક મામલે ICC એ મેચ રેફરી સામે કાર્યવાહી કરવાની PCBની માંગણી ફગાવી

ભારત સામે એશિયા કપ 2025માં પરાજયનો સામનો કરનાર પાકિસ્તાનને હવે મેદાનની બહાર પણ મોટો ઝટકો લાગ્યો છે. ભારત-પાકિસ્તાન મેચમાં થયેલા હેન્ડશેક વિવાદ પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ આઈસીસી પાસે મેચ રેફરી એન્ડી પાયકરોફ્ટને હટાવવાની માંગણી કરી હતી. પાકિસ્તાનનો આક્ષેપ હતો કે પાયકરોફ્ટે જ બંને ટીમના ખેલાડીઓને હાથ ન મિલાવવા કહ્યું હતું. જોકે, આઈસીસીએ PCBની […]

ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ બજાર બન્યુંઃ નિતિન ગડકરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું ભારત હવે જાપાનને પાછળ છોડીને વૈશ્વિક સ્તરે ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ બજાર બની ગયું છે અને આગામી પાંચ વર્ષમાં ટોચના સ્થાને પહોંચવાનું લક્ષ્ય રાખે છે. નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય મૂલ્ય સંમેલન 2025 ને સંબોધતા, ગડકરીએ ભાર મૂક્યો હતો કે ભારત ગ્રીન મોબિલિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇનોવેશન […]

આવકવેરા રિટર્ન ફાઇલ કરવા એક દિવસ વધુ લંબાવવાનો નિર્ણય લેવાયો

નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ CBDT એ આકારણી વર્ષ 2025-26 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ એક દિવસ લંબાવવાનો નિર્ણય લીધો છે. હવે રિટર્ન આજે રાત્રે 12 વાગ્યા સુધી ફાઇલ કરી શકાશે. આવકવેરા વિભાગે મોડી રાત્રે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ માહિતી આપી હતી. આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હતી, જે […]

ઓપરેશન સિંદૂરમાં કુખ્યાત આતંકવાદી મસૂદ અઝહરનો પરિવાર વેરવિખેર થયાની ઇલિયાસ કશ્મીરીની કબુલાત

નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાએ 7 મેએ ઓપરેશન સિંદૂર અંતર્ગત બહાવલપુર સ્થિત જૈશ સરગના મસૂદ અઝહરના મદરસે પર કરેલા એરસ્ટ્રાઇકમાં મસૂદનો પરિવાર વેરવિખેર થઈ ગયો હતો. પાંચ મહિના બાદ મસૂદનો નજીકનો સાથી અને જૈશના પ્રચાર વિંગનો પ્રમુખ ઇલિયાસ કશ્મીરીએ આ ખુલાસો કર્યો છે. ઇલિયાસે પાકિસ્તાનમાં યોજાયેલી એક સભા દરમિયાન કહ્યું કે, “તે રાતે મસૂદના પરિવારજનો મદરસામાં […]

સટ્ટાબાજી એપ કેસમાં EDએ યુવરાજ સિંહ, ઉથપ્પા અને સોનુ સૂદને સમન્સ પાઠવ્યું

નવી દિલ્હીઃ પ્રવર્તન નિયામક નિદેશાલય (ED) એ કથિત ગેરકાયદેસર ઑનલાઇન સટ્ટાબાજી એપ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં પૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પા, યુવરાજ સિંહ અને અભિનેતા સોનુ સૂદને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર આ તમામને ‘1XBet’ નામના પ્લેટફોર્મ સાથે સંકળાયેલા કેસમાં પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ સમન્સ મોકલાયા […]

ભારતીય ખેલાડી મોહમ્મદ સિરાજને ICC પ્લેયર ઓફ ધ મંથ તરીકે પસંદ કરવામાં આવ્યો

નવી દિલ્હીઃ ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને ઓગસ્ટ 2025 માટે ICC દ્વારા પુરુષોની શ્રેણીમાં પ્લેયર ઓફ ધ મંથ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેમને આ સન્માન ઓવલ ખાતે ઇંગ્લેન્ડ સામે રમાયેલી છેલ્લી ટેસ્ટ મેચમાં તેમના શાનદાર પ્રદર્શન માટે મળ્યું હતું, જ્યાં તેમની બોલિંગે ભારતને એન્ડરસન-તેંડુલકર ટ્રોફી શ્રેણી 2-2 થી બરાબર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. […]

દિલ્હી એરપોર્ટનું અપગ્રેડેડ ટર્મિનલ-2 આગામી મહિનાની 26મી તારીખથી કાર્યરત થશે

નવી દિલ્હીઃ દિલ્હી એરપોર્ટનું અપગ્રેડેડ ટર્મિનલ-2 આગામી મહિનાની 26મી તારીખથી કાર્યરત થશે, જેનાથી તેની કુલ વાર્ષિક મુસાફરોની ક્ષમતા 10 કરોડ થશે. આ વર્ષે એપ્રિલમાં અપગ્રેડેશન માટે બંધ કરાયેલ આ ટર્મિનલ, સેલ્ફ-બેગેજ ડ્રોપ, આધુનિક છત અને નવીન સ્કાયલાઇટ ડિઝાઇન જેવી મુસાફરો-મૈત્રીપૂર્ણ સુવિધાઓ સાથે ફરી ખુલશે. નવી દિલ્હીમાં ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (આઈજીએઆઇ) માં ત્રણ ટર્મિનલ છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code