1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ભારત બ્રહ્મોસ મિસાઈલ હવે ઈન્ડોનેશિયાને આપશે

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે મે મહિનામાં થયેલા સંઘર્ષમાં બ્રહ્મોસ મિસાઈલની તાકાત સમગ્ર દુનિયાએ દેખી છે. જેના પરિણામે બ્રહ્મોસ મિસાઈલ ડિમાન્ડ વધી છે. ભારત અને ઈન્ડોનેશિયા બ્રહ્મોસ ક્રુઝ મિસાઈલના સોદાને અંતિમ સ્વરૂપ આપવાની નજીક છે. ફિલીપીન્સએ પહેલા જ ભારત પાસે બ્રહ્મોસ મિસાઈલને લઈને ડીલ કરી છે. હવે ભારત બ્રહ્મોસને લઈને વિસ્તાર વધારી રહ્યું છે. […]

પંજાબઃ સરહદ પાસેથી પાકિસ્તાને મોકલેલા હથિયારો ઝડપાયાં

નવી દિલ્હીઃ પાકિસ્તાન ભારત વિરોધી પ્રવૃતિ અટકાવવાનું નામ લેતુ નથી. પંજાબના અમૃતસરમાંથી પાકિસ્તાનથી મોકલવામાં આવેલા આધુનિક હથિયારો મળી આવ્યાં છે. ભારત-પાકિસ્તાન બોર્ડર પાસેથી એકે સીરિઝની એસોલ્ડ રાઈફલ અને આધુનિક પિસ્તોલ મળી આવી છે. અમૃતસર પોલીસે પાકિસ્તાનથી ચાલતા હથિયાર તસ્કરીના મોડ્યુલનો પર્દાફાસ કરીને સરહદ નજીક આવેલી રાવી નદી પાસેના ધોનેવાલ ગામમાંથી આધુનિક હથિયારો અને મોટી સંખ્યામાં […]

હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં 25 લાખ વોટ ચોરીનો રાહુલ ગાંધીએ લગાવ્યો ગંભીર આરોપ

નવી દિલ્હી : બિહારમાં ગુરુવારે થનારી મતદાન પ્રક્રિયા પહેલાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને ચૂંટણી પ્રક્રિયા પર ગંભીર સવાલો ઉઠાવ્યાં છે. તેમણે હરિયાણાની ચૂંટણીમાં અનિયમિતતાઓ થયાનો દાવો કરીને જણાવ્યું હતું કે, “કોંગ્રેસની જીતને ભાજપની જીતમાં ફેરવવાની યોજના તૈયાર કરવામાં આવી હતી.” રાહુલ ગાંધીએ ચૂંટણી પંચની કાર્યપદ્ધતિ અને દેશની લોકશાહી પ્રક્રિયા પર પણ સવાલો […]

પાકિસ્તાનના દરેક ખુણા ઉપર આપણે હવે ખાસ નજર રાખવી પડશેઃ CDS અનિલ ચૌહાણ

નવી દિલ્હીઃ ઓપરેશન સિંદુર બાદ સશસ્ત્ર દળોએ કેટલાક સબક શિખ્યા છે. હવે તેમને નિયોજીત થિએટરાઈજેશન મોડલમાં સામેલ કરવાની જરૂર છે. તેમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે જણાવ્યું હતું. સીડીએસ અનિલ ચૌહાણએ ઈન્ડિયા ડિફેન્સ કોન્કલ્વે 2025માં ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગ્રે તેમણે જણાવ્યું હતું કે, પાકિસ્તાનના દરેક ખુણા ઉપર આપણે હવે ખાસ નજર રાખવી […]

ટકાઉ ભવિષ્ય માટે RSWM અને અદાણી એનર્જી સોલ્યુશન્સે સહયોગ કર્યો

અમદાવાદ,૦૫ નવેમ્બર ૨૦૨૫: ભારતના અગ્રણી કાપડ ઉત્પાદકોમાંના એક અને LNJ ભીલવારા ગ્રુપની મુખ્ય કંપની RSWM લિ.એ 60 મેગાવોટ રિન્યુએબલ એનર્જી પૂરી પાડવા માટે અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. (AESL) સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે ટકાઉપણાની તેની યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. આ કરાર હેઠળ RSWM લિ.ની વધારાની વીજળીની જરૂરિયાત માટે સમગ્ર ગ્રીન પાવર વેલ્યુ […]

સ્વાયવેર પ્રોગ્રામથી ચેતજો, સોફ્ટવેર હેકર્સે દ્વારા કોમ્પ્યુટરમાંથી પર્સનલ ડેટાની ચોરી કરવા બનાવ્યું છે

સ્પાયવેર એક પ્રકારનો સોફ્ટવેર પ્રોગ્રામ છે, જે તમારા કમ્પ્યુટર માટે ખતરનાક સાબિત થઈ શકે છે. આ સોફ્ટવેર હેકર્સ દ્વારા કમ્પ્યુટરમાંથી પર્સનલ ડેટા ચોરી કરવા માટે બનાવવામાં આવેલો પ્રોગ્રામ છે. હેકર્સની ભાષામાં માલવેર શબ્દનો ઉપયોગ વાયરસ, સ્પાયવેર અને વોર્મ વગેરે માટે થાય છે. આ ત્રણેય વાયરસના સ્વરૂપો છે. સ્પાયવેર તમારી પ્રાઈવેટ ફાઇલોને ઍક્સેસ કરી શકે છે […]

વિરાટ કોહલીનો જન્મ દિવસ, બીસીસીઆઈએ કોહલીના શાનદાર રેકોર્ડ્સ શેર કર્યાં

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને દુનિયાભરમાં ‘રન મશીન’ના નામથી જાણીતા વિરાટ કોહલી બુધવારે પોતાનો 37મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. સમગ્ર દેશમાંથી તેમને શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે. આ અવસર પર બીસીસીઆઈએ વિરાટના શાનદાર રેકોર્ડ્સ શેર કરીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી. બીસીસીઆઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર વિરાટ કોહલીની તસવીર શેર કરી અને પોસ્ટમાં લખ્યું […]

અમેરિકામાં ભારતીય રાજદૂત ક્વોત્રા અને પોલ દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા થઈ

અમેરિકામાં ભારતીય રાજદૂત વિનય ક્વોત્રાએ તેમના નિવાસસ્થાને દક્ષિણ અને મધ્ય એશિયા મામલાઓના નવા અમેરિકી સહાયક વિદેશ મંત્રી પોલ કપૂરનું સ્વાગત કર્યું. બંને અધિકારીઓ વચ્ચે ભારત-અમેરિકાના દ્વિપક્ષીય સંબંધો અને પ્રાદેશિક પ્રાથમિકતાઓને મજબૂત કરવા પર ઉપયોગી અને સાર્થક ચર્ચા થઈ. ભારતીય મૂળના પોલ કપૂરની આ તાજેતરની નિમણૂક બંને દેશો વચ્ચેના મજબૂત વ્યૂહાત્મક અને આર્થિક સહયોગને આગળ વધારવામાં […]

ગુરુ નાનક દેવ જીના પ્રકાશ પર્વ પર રાષ્ટ્રપતિ મુર્મુ સહિતના મહાનુભાવોએ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સહિતના નેતાઓએ ગુરુ નાનક દેવ જીના પ્રકાશ પર્વ પર દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવીઆ નેતાઓએ ગુરુ નાનક દેવ જીના સત્ય, કરુણા, ન્યાય અને નિઃસ્વાર્થ સેવાની ભાવનાને જીવનમાં અપનાવવા પર ભાર મૂક્યો. સમગ્ર દેશમાં ગુરુ નાનક દેવ જીનો પ્રકાશ પર્વ શ્રદ્ધા અને ઉત્સાહ […]

દેવ દિવાળી અને ગુરુનાનક જ્યંતિની પીએમ મોદીએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છાઓ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુ નાનક દેવના પ્રકાશ પર્વ અને દેવ દીપાવલીના શુભ અવસર પર દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. તેમણે ગુરુ નાનક દેવના કરુણા, સમાનતા અને સેવાના સંદેશને માનવતા માટે પ્રેરણા ગણાવ્યો, અને પાવન પર્વ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સૌભાગ્ય લાવે તેવી પ્રાર્થના કરી. ગુરુ નાનક દેવના પ્રકાશ પર્વ અને કારતક પૂર્ણિમા-દેવ દીપાવલીના અવસર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code