1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

યુએન સુરક્ષા પરિષદની તાત્કાલિક બેઠકમાં પાકિસ્તાન-ઇઝરાઇલ વચ્ચે “તૂ-તૂ મેં-મેં”

ન્યૂયોર્ક : સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની તાત્કાલિક બેઠકમાં પાકિસ્તાન અને ઇઝરાઇલના પ્રતિનિધિઓ વચ્ચે કટુ વાદવિવાદ થયો હતો. કતારમાં હમાસના નેતાઓને નિશાન બનાવીને કરાયેલા ઇઝરાયલી હવાઈ હુમલાની પાકિસ્તાને કડક નિંદા કરી અને તેને પ્રાદેશિક સ્થિરતા માટે ખતરો ગણાવ્યો હતો. ઇઝરાયલી પ્રતિનિધિએ પાકિસ્તાનને આતંકવાદ અંગે આઈનો બતાવી આકરા પ્રહાર કર્યાં હતા. આ બેઠકનું આયોજન અલ્જીરિયા, પાકિસ્તાન અને […]

કાશ્મીરમાં સફરજન ઉગાડનારાઓને મોટી રાહત, રેલવે પાર્સલ ટ્રેન શરૂ કરશે

કાશ્મીરમાં સફરજન ઉગાડનારાઓને મોટી રાહત મળવા જઈ રહી છે. ભારતીય રેલ્વે હવે ઘાટીથી જમ્મુ અને દિલ્હીમાં દરરોજ સફરજન મોકલવા માટે પાર્સલ ટ્રેનો ચલાવવા જઈ રહી છે. આ પગલું ખાસ કરીને એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે ભારે વરસાદ અને પૂરને કારણે નેશનલ હાઈ-વે 44 અથવા શ્રીનગર-જમ્મુ હાઇવે લાંબા સમય સુધી બંધ રહ્યો હતો. બે વેગનથી […]

AAP ધારાસભ્ય મેહરાજ મલિકની ધરપકડને લઈને ભાલેશામાં તણાવ, કલમ 163 લાગુ

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય મેહરાજ મલિકની પબ્લિક સેફ્ટી એક્ટ (PSA) હેઠળ ધરપકડ સામે ભાલેસા વિસ્તારમાં તાજેતરમાં થયેલા વિરોધ પ્રદર્શનો બાદ પરિસ્થિતિ હજુ પણ સંવેદનશીલ છે. વહીવટીતંત્રે સાવચેતીના પગલા તરીકે BNSS ની કલમ 163 હેઠળ લાદવામાં આવેલા પ્રતિબંધક આદેશો જાળવી રાખ્યા છે. વિરોધ પ્રદર્શનો બાદ, વહીવટીતંત્રે બે કલાકની છૂટ આપી હતી, જેથી સામાન્ય લોકોને આવશ્યક ચીજવસ્તુઓ […]

દોહા પર ઇઝરાઇલના હુમલા બાદ કતાર પહોંચ્યા પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ

દોહા : દોહા પર ઇઝરાઇલના તાજેતરના હુમલા બાદ પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ કતારની રાજધાની દોહા પહોંચ્યા છે. એરપોર્ટ પર તેમને કતારના ઉપ વડાપ્રધાન દ્વારા આવકારવામાં આવ્યા હતા. બાદમાં શહબાઝ શરીફે કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ થાની સાથે બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન તેમણે કતાર પ્રત્યે પાકિસ્તાનના સમર્થનની પુષ્ટિ કરી અને પ્રાદેશિક […]

છત્તીસગઢના ગારિયાબંધમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી, 10 નક્સલીઓ ઠાર

છત્તીસગઢના ગારિયાબંદ જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટરમાં 10 નક્સલીઓ માર્યા ગયા હતા. નક્સલી સીસી સભ્ય બાલકૃષ્ણ, જેના માથા પર 1 કરોડ રૂપિયાનું ઇનામ હતું, તે પણ આ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. એસપી નિખિલ રાખેચાએ આ વાતની પુષ્ટિ કરી છે. રાયપુર રેન્જ આઈજી અમરેશ મિશ્રાએ જણાવ્યું હતું કે ગારિયાબંધમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે […]

એશિયા કપ 2025 : ભારત-પાકિસ્તાન મેચના અડધી ટિકિટ પણ ના વેચાતા ACC ચિંતિત

દુબઈ : એશિયા કપ 2025માં અત્યાર સુધી ત્રણ મેચ રમાઈ ચુકી છે, પરંતુ સ્ટેડિયમમાં દર્શકોની હાજરી ઓછી રહેતા એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) માટે ચિંતા વધી ગઈ છે. ખાસ કરીને 14 સપ્ટેમ્બરે થનારી ભારત-પાકિસ્તાનની મહામુકાબલાની મેચથી મોટી અપેક્ષા રાખવામાં આવી રહી હતી, પરંતુ આ હાઇ-વોલ્ટેજ મુકાબલા માટે પણ ફેન્સમાં ખાસ ઉત્સાહ જોવા મળતો નથી. હાલ સુધી […]

મોરિશિયસના વડા પ્રધાન ડૉ. નવીન ચંદ્ર રામગુલામે અયોધ્યામાં શ્રીરામલલાના દર્શન કર્યા

અયોધ્યા : મોરિશિયસના વડા પ્રધાન ડૉ. નવીન ચંદ્ર રામગુલામે શુક્રવારે તેમના પરિવાર સાથે શ્રીરામજન્મભૂમિ પર બિરાજમાન શ્રીરામલલાના દિવ્ય દર્શન કર્યા હતા. આ અવસરે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય, સભ્ય ડૉ. અનિલ મિશ્રા અને મંદિરના પ્રબંધન સંભાળતા ગોપાલ રાવે વડા પ્રધાન અને તેમની ધર્મપત્નીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. વડા પ્રધાનના પરિવાર સાથે આવેલા પ્રતિનિધિ […]

ઉત્તર પ્રદેશના લખનૌમાં બસ પલટી જતાં પાંચના મોત અને 10થી વધારે લોકો ઘાયલ

લખનૌઃ ઉત્તર પ્રદેશના લખનૌ જિલ્લાના કાકોરી વિસ્તારમાં બસ પલટી જતાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે અને 10થી વધુ લોકો ઘાયલ થયા છે. ગઈકાલે મોડી સાંજે હરદોઈ જિલ્લાથી આવી રહેલી બસે કાબુ ગુમાવ્યો હતો અને પાણીના ટેન્કર સાથે અથડાઈને 20 ફૂટ ઊંડી ખાડામાં ખાબકી હતી. આ બનાવની જાણ થતા પોલીસ અધિકારીઓ અને સ્થાનિક વહીવટી […]

ભારતને ટોચના દસ રમતગમત દેશોમાં સામેલ કરવાનું મોદી સરકારનું લક્ષ્ય: માંડવિયા

નવી દિલ્હીઃ યુવા મામલાઓ અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ શુક્રવારે જણાવ્યું હતું કે વર્તમાન સરકારનું દીર્ઘકાલીન દ્રષ્ટિકોણ ભારતને વિશ્વના ટોચના દસ રમતગમત દેશોમાં સામેલ કરવાનો છે. “અમે પ્રધાનમંત્રી મોદીજી દ્વારા આપેલા વિઝન મુજબ 10 વર્ષ અને 25 વર્ષનો યોજનાગત રોડમેપ તૈયાર કર્યો છે. અમારું લક્ષ્ય ભારતને વિકસિત દેશ બનાવવાનું છે અને સાથે સાથે ભારતને […]

વારાણસીમાં મોરિશિસના વડાપ્રધાને શ્રી કાશી વિશ્વનાથ મંદિરે દર્શન કર્યા

લખનૌઃ ધાર્મિક નગર વારાણસીના ત્રણ દિવસીય પ્રવાસના છેલ્લા દિવસે શુક્રવારે મોરિશસના પ્રધાનમંત્રી ડૉ. નવિનચંદ્ર રામગુલામે શ્રી કાશી વિશ્વનાથ દરબારમાં દર્શન કર્યા. મંદિરના ગર્ભગૃહમાં પ્રધાનમંત્રી રામગુલામે પોતાની પત્ની વીના રામગુલામ સાથે બાબાના પાવન જ્યોતિર્લિંગનું અભિષેક કર્યું. મંદિરમાં આરચકોની દેખરેખ અને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે તેમણે ષોડશોપચર વિધિથી બાબાનું પૂજન-અર્ચન કરી મોરિશસમાં લોકકલ્યાણની કામના કરી. આ દરમિયાન તેમના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code