1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ભારતીય નેવી હિંમત અને મક્કમ ઈરાદાની ઓળખઃ પીએમ મોદી

નવી દિલ્હી: આજે ભારતીય નૌસેના દિવસ નિમિત્તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત તમામ મોટા નેતાઓએ નૌસૈનિકોને શુભેચ્છાઓ પાઠવી છે. નેતાઓએ નૌસેનાના બલિદાન અને સમુદ્રી સુરક્ષામાં તેના યોગદાનને બિરદાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ભારતીય નૌસેનાને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, “ઇન્ડિયન નેવીના તમામ લોકોને નેવી ડેની ખૂબ ખૂબ […]

VIDEO: ઈન્ડિગોની એક સાથે 73 ફ્લાઈટ રદ, વિમાન મથકો ઉપર અરાજકતા અને હોબાળો

નવી દિલ્હી, 4 ડિસેમ્બર, 2025ઃ 73 IndiGo flights cancelled હજુ થોડા દિવસ પહેલાં જ દેશની સૌથી સફળ એરલાઈન તરીકે સમાચારોમાં ચમકેલી ઈન્ડિગો એરલાઈન્સ અચાનક હવે અલગ રીતે સમાચારોમાં છે. એરલાઈન્સે છેલ્લા ત્રણ દિવસથી તેનાં ઉડ્ડયનો રદ કરવાં પડી રહ્યા છે. તેમાં આજે ગુરુવારે 4થી ડિસેમ્બરે એક સાથે 73 ફ્લાઈટ રદ્દ થવાના અહેવાલ મળ્યા છે. મળતા […]

પુતિનની ભારત મુલાકાતઃ ભારત-રશિયા વચ્ચે મહત્વપૂર્ણ મુદ્દા ઉપર થશે વાતચીત

નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બે દિવસના પ્રવાસે આજે ભારત પધારી રહ્યા છે. આ મુલાકાતને લઈને રાષ્ટ્રીય રાજધાની દિલ્હી માં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવાઈ છે. રશિયન રાષ્ટ્રપતિના સ્વાગત માટે દિલ્હી સંપૂર્ણપણે તૈયાર છે. ભારત અને રશિયાની મિત્રતા ઘણી જૂની છે, તેથી પુતિનના આ પ્રવાસ દરમિયાન અનેક મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. […]

સાંસદ પરિમલ નથવાણીએ સાઈબર ક્રાઈમ વિશે પૂછેલા પ્રશ્નનો મંત્રીએ શું જવાબ આપ્યો?

ભારત સરકારે સસ્પેક્ટ રજિસ્ટ્રીની મદદથી સાઈબર ગુનેગારોના 67 લાખ લેયર 1 મ્યુલ એકાઉન્ટ્સ ઓળખી કાઢ્યા છે અને રૂ. 8031 ​​કરોડના ટ્રાન્ઝેક્શન ડિક્લાઈન કર્યા રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીના ભારતમાં વધેલી સાઈબર ક્રાઈમની ઘટનાઓ સામે લેવાયેલાં પગલાં અંગેના પ્રશ્નનો ગૃહ રાજ્યમંત્રીએ આપેલો જવાબ નવી દિલ્હી, 04 ડિસેમ્બર, 2025: Parimal Nathwani about cyber crime નાણાકીય છેતરપિંડીના ત્વરિત રિપોર્ટિંગ […]

વિશ્વ વન્યજીવ સંરક્ષણ દિવસઃ રાજ્યમાં ૨૦૨૫માં સિંહની સંખ્યા વધીને ૮૯૧ નોંધાઈ

છેલ્લી વન્યજીવ વસ્તી અંદાજ મુજબ રાજ્યમાં સિંહ, મોર, નીલગાય, વાંદરા, કાળીયાર, દિપડા, સાંભર, ચિંકારા સહિત ૨૧ પ્રજાતિઓની અંદાજે ૯.૫૩ લાખથી વધુ વસ્તી ગાંધીનગર, 4 ડિસેમ્બર, 2025ઃ World Wildlife conservation Day વન્ય પ્રાણીઓના સંવર્ધન અને સંરક્ષણ માટે ગુજરાત હંમેશા સુરક્ષિત રાજ્ય રહ્યું છે. કુદરતી વનરાજી, ઇકોસિસ્ટમ, લુપ્તપ્રાય વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિને બચાવવા અને પર્યાવરણનું જતન કરવા કડક કાયદા, નિયમો […]

આધાર પ્રમાણીકરણ વ્યવહારોની સંખ્યા વાર્ષિક ધોરણે 8.47 ટકા વધી

નવી દિલ્હીઃ નવેમ્બર 2025 માં આધાર પ્રમાણીકરણ વ્યવહારોની સંખ્યા વાર્ષિક ધોરણે 8.47 ટકા વધીને 2.31 અબજ થઈ ગઈ છે.સરકારે જાહેર કરેલી માહિતી મુજબ, આ આંકડો આ નાણાકીય વર્ષના અન્ય કોઈપણ મહિનાની તુલનામાં સૌથી વધુ છે. આ વધારો દેશમાં ડિજિટલ અર્થતંત્રના વિકાસ અને કલ્યાણકારી યોજનાઓના અસરકારક વિતરણમાં આધારની મુખ્ય ભૂમિકા દર્શાવે છે.નવેમ્બર 2025 માં 282.9 મિલિયન […]

બીજાપુર-દંતેવાડા બોર્ડર પર એન્કાઉન્ટરમાં 7 માઓવાદીઓ ઠાર મરાયા, ત્રણ જવાન શહીદ

નવી દિલ્હી: છત્તીસગઢના બીજાપુર-દંતેવાડા સરહદ પર સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં સાત માઓવાદીઓ માર્યા ગયાના અહેવાલ છે, અને ત્રણ જવાન પણ શહીદ થયા છે. પોલીસ અધિક્ષક જિતેન્દ્ર યાદવના જણાવ્યા અનુસાર, આ એન્કાઉન્ટર લગભગ બે કલાકથી ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં સાત માઓવાદીઓના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે ત્રણ સૈનિકો […]

મમતા બેનર્જીએ મતદાર યાદી સુધારણા અંગે અમિત શાહ પર ગંભીર આરોપો લગાવ્યા

નવી દિલ્હી: મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર ગંભીર આરોપ લગાવ્યા. મમતાએ કહ્યું કે પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીઓનું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) એ અમિત શાહ દ્વારા 14 વર્ષ જૂની તૃણમૂલ કોંગ્રેસ સરકારને તોડી પાડવા માટે એક ચાલાક યુક્તિ હતી, જેને તેઓ સફળ થવા દેશે નહીં. ઉત્તર બંગાળના સરહદી જિલ્લા માલદામાં SIR વિરુદ્ધ એક […]

પુતિનાનો ભારત પ્રવાસઃ દિલ્હીમાં પાંચ સ્તરની સુપર સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ

નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન 4 અને 5 ડિસેમ્બરે ભારતની મુલાકાતે આવી રહ્યાં છે. આ મુલાકાત દરમિયાન તેઓ 23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે તેઓ સૌજન્ય મુલાકાત પણ કરશે. પુતિનના આગમનને લઈને દિલ્હીમાં સુરક્ષાના કડક બંદોબસ્ત સાથે તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી […]

ખોટી માહિતીઓ અને AI-જનરેટેડ ડીપફેક પર કડક કાર્યવાહી કરવાની તાત્કાલિક જરૂરિયાત: અશ્વિની વૈષ્ણવ

નવી દિલ્હીઃ કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે લોકસભામાં જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા અને નકલી સમાચારો સાથે જોડાયેલો મુદ્દો અત્યંત ગંભીર છે. તેમણે કહ્યું કે બનાવટી સમાચારો લોકશાહી માટે ખતરો છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ખોટી માહિતીઓ અને AI-જનરેટેડ ડીપફેક પર કડક કાર્યવાહી કરવાની તાત્કાલિક જરૂરિયાત છે. તેમણે જણાવ્યું હતું કે, કેટલાક લોકો કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code