1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

મહાઠગ મુનવ્વર ખાનને કુવૈતથી ભારત પરત લાવવામાં સીબીઆઈને સફળતા મળી

નવી દિલ્હીઃ કેન્દ્રીય તપાસ સંસ્થા- CBI-એ ઇન્ટરપૉલની મદદથી મુનવ્વર ખાનને કુવૈતથી ભારત પરત લાવવામાં સફળતા મેળવી છે. મુનવ્વર ખાન છેતરપિંડી કેસમાં વૉન્ટેડ હતો. આંતર-રાષ્ટ્રીય પોલીસ સહકાર એકમ, વિદેશ મંત્રાલય અને કુવૈતના NCBના સહકારથી મુનવ્વર ખાનને સફળતાપૂર્વક ભારત પરત લવાયો છે. કુવૈત પોલીસના એક દળે આજે મુનવ્વર ખાનને કુવૈતથી હૈદરાબાદના રાજીવ ગાંધી આંતર-રાષ્ટ્રીય વિમાનનથક પર પહોંચાડ્યો. […]

પંજાબના ફાઝિલ્કામાં 27 પિસ્તોલ અને 470 જીવતા કારતુસનો જથ્થો ઝડપાયોવ

નવી દિલ્હીઃ પંજાબના ફાઝિલ્કામાં પંજાબ પોલીસ સાથેની સંયુક્ત કાર્યવાહીમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા 27 પિસ્તોલ અને 470 જીવંત કારતૂસનો સૌથી મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને 2 સરહદ પારના હથિયારોના દાણચોરોને પકડી પાડવામાં આવ્યા છે. પંજાબ પોલીસના જણાવ્યા અનુસાર આ હથિયારો પાકિસ્તાનથી એક વિદેશી સંસ્થા દ્વારા લાવવામાં આવ્યા હતા અને પંજાબમાં ગુનાહિત ગેંગ દ્વારા […]

ઉત્તરાખંડના અસરગ્રસ્ત વિસ્તારો માટે રૂ. 1200 કરોડની કેન્દ્રની જાહેરાત

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દહેરાદૂનમાં ઉત્તરાખંડના અસરગ્રસ્ત વિસ્તારો માટે બારસો કરોડ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી. નરેન્દ્ર મોદીએ પૂરની સ્થિતિ અને વાદળ ફાટવા, વરસાદ અને ભૂસ્ખલનને કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરવા ઉત્તરાખંડ પહોચીને પરિસ્થિતિનો તાગ મેળવી એક ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. પ્રધાનમંત્રીએ સમગ્ર પ્રદેશ અને તેના લોકોને સ્વસ્થ થવામાં મદદ કરવા માટે […]

વિશ્વ શતરંજ ચેમ્પિયન ડી. ગુકેશ આઠમા રાઉન્ડમાં મહિલા વર્લ્ડ કપ વિજેતા દિવ્યા દેશમુખ સામે રમશે

નવી દિલ્હીઃ વિશ્વ શતરંજ ચેમ્પિયન ડી. ગુકેશ આઠમા રાઉન્ડમાં મહિલા વર્લ્ડ કપ વિજેતા દિવ્યા દેશમુખ સામે રમશે. આ મુકાબલો ખાસ છે કારણ કે બંને 19 વર્ષીય ભારતીય ગ્રાન્ડમાસ્ટર છે અને પહેલી વાર મોટા આંતરરાષ્ટ્રીય મંચ પર આમને-સામને ટકરાશે. જુલાઈમાં મહિલા વર્લ્ડ કપ જીતીને દિવ્યા દેશમુખ પહેલેથી જ કૅન્ડિડેટ્સ ટુર્નામેન્ટમાં જગ્યા બનાવી ચૂકી છે. તેમને ફિડેએ […]

બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને તખ્તાપલટનું ષડયંત્ર કરવાના આરોપમાં 27 વર્ષની સજા કરાઈ

બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોને 27 વર્ષ અને ત્રણ મહિનાની જેલ સજા ફટકારાઈ છે. સુપ્રીમ કોર્ટના 5 માંથી 4 ન્યાયાધીશોએ તેમને દેશમાં તખ્તાપલટ કરવાના દોષી ઠેરવ્યા હતા. ત્યારબાદ કોર્ટએ તેમને જેલ સજા સંભળાવી છે. બોલ્સોનારોને પાંચ કેસોમાં દોષી માનવામાં આવ્યા છે, જેમાં તખ્તાપલટનું ષડયંત્ર ઘડવા, લોકશાહી કાયદો અને વ્યવસ્થાને હિંસક રીતે નાબૂદ કરવાનો પ્રયાસ, સશસ્ત્ર […]

સિક્કિમમાં ભૂસ્ખલનથી 4નાં મોત, 3 લોકો હજુ લાપતા

નવી દિલ્હીઃ સિક્કિમમાં ભારે વરસાદ દરમિયાન ભૂસ્ખલન થતાં 4 લોકોના મૃત્યુ થયાં, જ્યારે ત્રણે લોકો હજુ પણ લાપતા છે. હાલમાં લાપતા લોકોની શોધખોળ માટે રેસ્ક્યુ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ભારે વરસાદ વચ્ચે પ્રશાસન દ્વારા જોખમી વિસ્તારોના નિવાસીઓને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. પશ્ચિમ સિક્કિમના યાંગથાંગ વિધાનસભા વિસ્તારમાંના અપ્પર રિમ્બીમાં ગુરુવારે મોડીરાત્રે ભૂસ્ખલનની ઘટના […]

ખાણકામ ક્ષેત્રમાં GST સુધારાથી હાઉસિંગ અને નાના પાયાના ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં યોજાયેલી GST કાઉન્સિલની 56મી બેઠકમાં વ્યક્તિગ, સામાન્ય માણસ, મહત્વાકાંક્ષી મધ્યમ વર્ગને રાહત આપવા અને GSTમાં વ્યવસાય કરવાની સરળતા સુધારવા માટેના પગલાં માટે GST કર દરોમાં ફેરફાર અંગે ભલામણો કરવામાં આવી હતી. ખાણકામ ક્ષેત્રને લગતી વસ્તુઓ માટે નવા GST દરો અને સ્લેબનો […]

ભારતીય સેના દ્વારા ઓપરેશન ‘સિંદૂર’માં સ્વદેશી સંભવ ફોનનો ઉપયોગ, લશ્કરી સંદેશાવ્યવહારની સુરક્ષા તરફ ઐતિહાસિક પગલું

નવી દિલ્હીઃ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દરમિયાન એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું કે આ કાર્યવાહી દરમિયાન વોટ્સએપ જેવી વિદેશી એપ્સનો ઉપયોગ ન કરીને સ્વદેશી સંભવ (Secure Army Mobile Bharat Version) ફોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ફોન 5G ટેકનોલોજી અને બહુસ્તરીય એન્ક્રિપ્શનથી સજ્જ છે, જે સંદેશાવ્યવહારને સંપૂર્ણ સુરક્ષા પ્રદાન […]

વારાણસીમાં વરુણા નદીનું પાણી વધ્યું, કાંઠાના વિસ્તારો ડૂબી ગયા, લાખો લોકો પ્રભાવિત

વારાણસીમાં છેલ્લા બે મહિનાથી પૂરના કારણે લોકોનું જીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. વારાણસીના વરુણા નદીના કાંઠામાં રહેતા લોકો વધતા પાણીના સ્તર અને પૂરથી સૌથી વધુ પ્રભાવિત થયા છે. આ સિઝનમાં વરુણા નદીમાં ચોથી વખત આવેલા પૂરે તેમના જીવનની ગતિ લગભગ રોકી દીધી છે. હાલમાં, વરુણ કાંઠાના વિસ્તારમાં લાખો લોકો હજુ પણ પૂરની ઝપેટમાં છે. મળતી […]

નેપાળમાં હિંસા: ભારતે સરહદ સીલ કરી, મૈત્રી બસ સેવા બંધ કરાઈ

નવી દિલ્હીઃ નેપાળમાં કથળી રહેલી પરિસ્થિતિની સીધો અસર ભારત-નેપાળ સરહદ પર જોવા મળી રહી છે. નેપાળમાં ચાલી રહેલા સંઘર્ષ અને અશાંતિને કારણે ભારતે પોતાની સરહદ બંધ કરવાનો મોટો નિર્ણય લીધો છે. પરિણામે નાગરિકોની અવરજવર સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. મંગળવારથી મહેન્દ્રનગરથી દિલ્હી અને દેહરાદૂન સુધી ચાલતી ભારત-નેપાળ મૈત્રી બસ સેવા બંધ કરી દેવામાં આવી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code