1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

એશિયા કપ ક્રિકેટમાં આજે દુબઈમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન સાથે

T-20 એશિયા કપ ક્રિકેટના ગ્રુપ-A મેચમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થશે. આ મેચ દુબઈમાં રાત્રે 8 વાગ્યાથી રમાશે. આ વર્ષે ફેબ્રુઆરી બાદ બંને ટીમો પહેલી વાર એકબીજા સામે ટકરાશે. આ દરમિયાન શ્રીલંકાએ ગઈકાલે રાત્રે અબુધાબીમાં ગ્રુપ-B મેચમાં બાંગ્લાદેશને છ વિકેટથી હરાવ્યું. 140 રનના લક્ષ્યાંકના જવાબમાં, શ્રીલંકાએ 14 ઓવર અને ચાર બોલમાં છ વિકેટ ગુમાવીને મેચ […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામમાં અઢાર હજાર 530 કરોડ રૂપિયાના મુખ્ય માળખાગત સુવિધાઓ અને ઔદ્યોગિક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.સૌ પ્રથમ મોદી દરાંગમાં દારંગ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ અને જીએનએમ સ્કૂલ અને બી.એસસી. નર્સિંગ કોલેજ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. ગુવાહાટીમાં ગુવાહાટી રિંગ રોડ પ્રોજેક્ટ ઉપરાંત બ્રહ્મપુત્ર નદી પર કુરુવા-નારંગી પુલનો શિલાન્યાસ પણ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી […]

જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદને પગલે શ્રી માતા વૈષ્ણોદેવી યાત્રા ફરીથી આગામી આદેશ સુધી મુલતવી રાખવામાં આવી

જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં અવિરત વરસાદને કારણે શ્રી માતા વૈષ્ણોદેવી યાત્રા ફરીથી આગામી આદેશ સુધી મુલતવી રાખવામાં આવી છે. શ્રી માતા વૈષ્ણોદેવી દેવસ્થાન બોર્ડે ગઈકાલે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી હતી. આ યાત્રા આજથી શરૂ થવાની હતી. ગયા મહિનાની 26મી તારીખે મુશળધાર વરસાદને કારણે યાત્રા માર્ગ પર ભૂસ્ખલન થતાં પહેલા યાત્રાને અસ્થાયી […]

લોકસભાના અધ્યક્ષ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી આજે આંધ્રપ્રદેશના બે દિવસીય રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હી: લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ આજે આંધ્રપ્રદેશના તિરુપતિમાં સંસદ, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ વિધાનસભાઓમાં મહિલાઓના સશક્તિકરણ સમિતિઓના બે દિવસીય રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કરશે. લોકસભા અધ્યક્ષ આ પ્રસંગે એક પ્રદર્શનનું ઉદ્ઘાટન અને સ્મરણિકા પણ બહાર પાડશે. બે દિવસીય આ સંમેલનમાં રાજ્યસભાના ઉપાધ્યક્ષ, આંધ્રપ્રદેશ વિધાનસભા પરિષદના અધ્યક્ષ અને વિધાનસભાના અધ્યક્ષ, […]

જૂની ગાડીના સ્ક્રેય સર્ટિફિકેટ આપનાર ગ્રાહકને નવા વાહનની ખરીદીમાં વધારાનું ડિસ્કાઉન્ટ આપવું જોઈએ

નવી દિલ્હીઃ કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ ઓટોમોબાઈલ ઉદ્યોગને અપીલ કરી છે કે, જે ગ્રાહકો પોતાની જૂની ગાડીના સ્ક્રેપ સર્ટિફિકેટ આપી નવી ગાડી ખરીદે છે, તેમને વધારાની છૂટ (ડિસ્કાઉન્ટ) આપવી જોઈએ. ગડકરીએ જણાવ્યું કે, તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સમક્ષ પણ વિનંતી કરી છે કે, જૂની ગાડી સ્ક્રેપ કરીને નવી […]

સાઈબર ફ્રોડથી બચવા જરૂરી ચાર મંત્ર: પાસવર્ડથી લઈને બેકઅપ સુધી અપનાવો આ ટીપ્સ

ડિજિટલ યુગમાં હેકિંગ અને સાઈબર ક્રાઈમ સૌથી મોટી પડકારરૂપ સમસ્યા બની ગઈ છે. સામાન્ય ઇન્ટરનેટ યુઝર્સથી લઈને મોટી કંપનીઓ સુધી હેકર્સના નિશાને છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, થોડી સાવચેતી રાખવાથી મોટા નુકસાનથી બચી શકાય છે. ચાલો જાણીએ સાઈબર ફ્રોડથી સુરક્ષિત રહેવા માટેના આ ચાર સ્ટેપસ… મજબૂત પાસવર્ડ અને 2FAનો ઉપયોગઃ નબળા પાસવર્ડ હેકર્સ માટે સૌથી સહેલું […]

અંબાજી-દાંતા રોડ પર ત્રિશુલિયા ઘાટ નજીક એક જ દિવસે ત્રણ અકસ્માત સર્જાયા : બેનાં મોત

અંબાજીઃ બનાસકાંઠા જિલ્લાના અંબાજી-દાંતા રોડ પર આવેલા ત્રિશુલિયા ઘાટ નજીક શનિવારે અકસ્માતોની વણઝાર સર્જાઈ હતી. ત્રણ અલગ-અલગ ઘટનાઓમાં બે જણાનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ બનાવોને કારણે સમગ્ર વિસ્તારમાં શોક ફેલાઈ ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રથમ અકસ્માત મોડી રાત્રે દાંતા તાલુકાના પુંજપુર પેટ્રોલ પંપ પાસે બન્યો હતો. […]

સીએમ સુખવિંદર સુખુએ ટાંડામાં રોબોટિક સર્જરી સુવિધાનું ઉદ્ઘાટન કર્યું, આરોગ્ય સેવાઓમાં ક્રાંતિ

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ શુક્રવારે ચંદીગઢથી કાંગડા જિલ્લાના ટાંડા સ્થિત ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સરકારી મેડિકલ કોલેજમાં 30 કરોડ રૂપિયાના ખર્ચે સ્થાપિત રોબોટિક સર્જરી સુવિધાનું વર્ચ્યુઅલી લોન્ચિંગ કર્યું. મુખ્યમંત્રી પોતે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવાના હતા, પરંતુ ખરાબ હવામાનને કારણે તેમનું હેલિકોપ્ટર ત્યાં ઉતરી શક્યું નહીં. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર રાજ્યના લોકોને તેમના […]

પાકિસ્તાનના દક્ષિણ વઝીરીસ્તાનમાં આતંકી હુમલો : 12 સૈનિકોના મોત, 4 ઘાયલ

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના અશાંત ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં ફરી એકવાર આતંકવાદી હુમલો થયો છે. શનિવારે વહેલી સવારે દક્ષિણ વઝીરીસ્તાન જિલ્લામાં પાકિસ્તાની તાલિબાન (ટીટીપી) દ્વારા કરવામાં આવેલા ઘાતકી હુમલામાં ઓછામાં ઓછા 12 સૈનિકોના મોત થયા છે, જ્યારે 4 અન્ય ઘાયલ થયા છે. સ્થાનિક વહીવટીતંત્ર અને સુરક્ષા અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે સવારે લગભગ 4 વાગ્યે સેનાનો કાફલો […]

ટ્રમ્પે સ્વીકાર્યું કે વધારે ટેરિફ લગાવવાથી ભારત સાથેના સંબંધોમાં તણાવ ઉભો થયો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર ભારે ટેરિફ લાદવાથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ આવ્યો છે. પરંતુ તેમણે બંને દેશો વચ્ચે ચાલી રહેલી વેપાર વાટાઘાટો પર સકારાત્મક વલણ અપનાવ્યું. એક ખાનગી ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે ભારત પર 50 ટકા ટેરિફ લાદવો એ અમેરિકા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code