1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

પાકિસ્તાનમાં પ્રતિબંધિત તહરીક-એ-લબ્બૈકના 900 કટ્ટરપંથીઓની અટકાયત

પાકિસ્તાનની શહબાઝ શરીફ સરકારના એક તાજેતરના નિર્ણય બાદ દેશમાં આતંકવાદીઓની સંખ્યા અચાનક વધી ગઈ છે. સરકારના એક આદેશના પરિણામે આશરે 2000 જેટલા કટ્ટરપંથી આતંકવાદી હવે પાકિસ્તાનની અંદર સક્રિય બન્યા છે. આ બધા જ લોકો તહરીક-એ-લબ્બૈક પાકિસ્તાન (TLP) નામના કટ્ટર ઇસ્લામી સંગઠન સાથે સંકળાયેલા છે. અહેવાલ મુજબ, પાકિસ્તાન સરકારે પંજાબ પ્રાંતની ભલામણ પર તહરીક-એ-લબ્બૈકને આતંકી સંગઠન […]

ટ્રમ્પના ટેરિફનો અસર : અમેરિકામાં રિટેલ મોંઘવારી સપ્ટેમ્બર માં 3% સુધી પહોંચી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા ભારે ટેરિફ (આયાત શુલ્ક)ની સ્પષ્ટ અસર હવે અર્થતંત્ર પર દેખાવા લાગી છે. અમેરિકામાં આયાત થતી અનેક ચીજોની કિંમતોમાં વધારો થતાં સપ્ટેમ્બર મહિનામાં રિટેલ મોંઘવારી દર 3 ટકાએ પહોંચી ગયો છે. અમેરિકાના શ્રમ વિભાગે તાજેતરના મોંઘવારીના આંકડા જાહેર કર્યા હતા. આંકડા અનુસાર, ગ્રાહક કિંમત સૂચકાંક (CPI) આધારિત મોંઘવારી સપ્ટેમ્બરમાં […]

તુર્કીઃ એજિયન સમુદ્રમાં હોડી ડુબતા 14 પ્રવાસીઓના મોત, બે લાપતા

તુર્કીના અંકારા નજીક આવેલા એજિયન સમુદ્રમાં એક હોડી ડૂબી જતા ભારે હાહાકાર મચી ગયો હતો. આ હોડીમાં કુલ 18 પ્રવાસીઓ સવાર હતા, જેમાંથી 14 લોકોનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે. તુર્કી અધિકારીઓએ જણાવ્યું કે, બચાવ અને શોધખોળ કામગીરી ચાલુ છે. અકસ્માતમાં બચી ગયેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સંયુક્ત રાષ્ટ્રની શરણાર્થી એજન્સી […]

ભીક્ષુક મહિલા નીકળી લાખપતિ, 12 વર્ષથી ભીક્ષાવૃતિ કરતી મહિલા પાસેથી મળી લાખોની રોકડ

લખનૌઃ ઉત્તરાખંડના રૂડકી શહેરમાંથી એક એવું ઘટના પ્રકાશમાં આવી છે કે જેના વિશે જાણીને લોકો આશ્ચર્યમાં પડી ગયા છે. અહીં છેલ્લા 12 વર્ષથી રસ્તાઓ પર ભીક્ષાવૃતિ કરતી મહિલા પાસેથી લાખો રૂપિયાની રોકડ મળી આવી હતી. આ ઘટના મંગલોર કોથવાલી વિસ્તારમાં આવેલા મોહલ્લા પઠાણપુરાની છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ સ્ત્રી છેલ્લા ઘણા વર્ષોથી એક ઘરના […]

ખાણ મંત્રાલયે રાષ્ટ્રીય મહત્વપૂર્ણ ખનીજ મિશન હેઠળ બે વધુ શ્રેષ્ઠતા કેન્દ્રોને માન્યતા આપી

નવી દિલ્હીઃ ખાણ મંત્રાલયે પહેલાથી જ માન્યતા પ્રાપ્ત સાત સંસ્થાઓ ઉપરાંત, નેશનલ ક્રિટિકલ મિનરલ્સ મિશન (NCMM) હેઠળ બે વધુ સંસ્થાઓ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IISc), બેંગ્લોર અને સેન્ટર ફોર મટિરિયલ્સ ફોર ઇલેક્ટ્રોનિક્સ ટેકનોલોજી (C-MET), હૈદરાબાદને શ્રેષ્ઠતા કેન્દ્રો (CoEs) તરીકે માન્યતા આપી છે. આ નિર્ણય પ્રોજેક્ટ મંજૂરી અને સલાહકાર સમિતિ (PAAC) દ્વારા 24 ઓક્ટોબર, 2025ના રોજ […]

બિહારમાં 225 થી વધુ બેઠકો જીતીને NDA ફરીથી સરકાર બનાવશેઃ લોક જનશક્તિ પાર્ટી

પટણાઃ લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ના સાંસદ શામ્ભવી ચૌધરીએ દાવો કર્યો છે કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDA 225 થી વધુ બેઠકો જીતીને સરકાર બનાવશે. NDA અને મહાગઠબંધન બંને દાવો કરી રહ્યા છે કે તેઓ બિહાર વિધાનસભા ચૂંટણીમાં આગામી સરકાર બનાવશે. પ્રધાનમંત્રી  મોદી શુક્રવારે સમસ્તીપુર પહોંચ્યા, જ્યાં તેમની જાહેર સભા સાંભળવા માટે મોટી ભીડ એકઠી […]

ભસ્મ આરતી દરમિયાન નિરાકારમાંથી અવતારમાં પરિવર્તિત થયેલા મહાકાલ

ઉજ્જૈનઃ કાર્તિક મહિનાના શુભ પ્રસંગે, મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં શ્રી મહાકાલેશ્વર મંદિરમાં શનિવારે સવારે 4 વાગ્યે ભસ્મ આરતી દરમિયાન ભક્તોને ભગવાન મહાકાલના દિવ્ય દર્શન થયા. મંદિરના દરવાજા ખુલતાની સાથે જ, પુજારીઓએ ગર્ભગૃહમાં બેઠેલા ભગવાન મહાકાલને પંચામૃત (દૂધ, દહીં, ઘી, ખાંડ અને ફળોનો રસ) થી અભિષેક કરીને તેમની પૂજા કરી. ત્યારબાદ બાબા મહાકાલને ભસ્મ અર્પણ કરવામાં આવ્યો. શનિવારના ખાસ પ્રસંગે, […]

જ્યોતિરાદિત્ય સિંધિયાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધી મુલાકાત

નવી દિલ્હીઃ કેન્દ્રીય સંચાર અને ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગુજરાતના કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી અને ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ પ્રતિમા માત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રીની જ નહીં, પરંતુ સ્વતંત્ર ભારતનો પાયો મજબૂત બનાવનાર એકતા, અખંડિતતા અને રાષ્ટ્રનિર્માણ માટેના સંકલ્પનું પણ […]

નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને છઠ પૂજાની શુભેચ્છા પાઠવી

નવી દિલ્હીઃ શ્રદ્ધાનો મહાન તહેવાર, છઠ પૂજા, શનિવારથી નહાય-ખાયેથી શરૂ થયો. આ ચાર દિવસીય તહેવાર ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત સમગ્ર વિશ્વમાં ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. પીએમ મોદીએ દેશવાસીઓને છઠ પૂજાની શુભેચ્છા પાઠવી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “ચાર દિવસીય છઠનો ભવ્ય તહેવાર આજે નહાય-ખાયેની પવિત્ર વિધિથી શરૂ થાય છે. બિહાર સહિત દેશભરના ભક્તોને […]

સોશિયલ મીડિયા પોસ્ટ દૂર કરવા અંગેના સુધારેલા નિયમો 15 નવેમ્બરથી લાગુ પડશે

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પ્લેટફોર્મોને વધુ પારદર્શક, જવાબદાર અને સુરક્ષિત બનાવવા માટે કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય (MeitY) એ માહિતી પ્રૌદ્યોગિકી (મધ્યસ્થ માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા આચાર સંહિતા) નિયમો, 2021ના નિયમ 3(1)(D) માં સુધારા કર્યા છે. આ સુધારેલા નિયમો 15 નવેમ્બર 2025થી અમલમાં આવશે. નવા સુધારેલા નિયમો અનુસાર, હવે કોઈપણ સોશિયલ મીડિયા પોસ્ટ અથવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code