1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ભોપાલને મળશે અત્યાધુનિક મેટ્રો, 90 કિમી પ્રતિ કલાકની ગતિ, ખર્ચ 7000 કરોડ રૂપિયા થશે

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. યાદવે RKMP સ્ટેશન પર ભોપાલ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ વિશે વિગતવાર માહિતી આપી હતી. મુખ્યમંત્રી ડૉ. યાદવે કહ્યું કે ભોપાલ મેટ્રો મધ્યપ્રદેશની પ્રગતિનું પ્રતીક છે. આ પ્રોજેક્ટ કુલ 6941.40 કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવી રહ્યો છે. સુભાષ નગર સ્ટેશનથી એઈમ્સ સ્ટેશન સુધી 2225 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે એક પ્રાયોરિટી કોરિડોર બનાવવામાં આવી રહ્યો […]

હિમાચલમાં હવામાનનો કહેર! અત્યાર સુધીમાં 1500 કરોડથી વધુનું નુકસાન, 88 લોકોના મોત

હિમાચલ પ્રદેશમાં 20 જૂનથી ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી 1500 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. અધિકારીઓએ રવિવારે (27 જુલાઈ) આ સંદર્ભમાં માહિતી આપી હતી. વરસાદ સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધીમાં 88 લોકોના મોત થયા છે અને ૩૫ લોકો ગુમ થયા છે. રાજ્યના ઘણા ભાગોમાં 1,316 ઘરોને સંપૂર્ણપણે અથવા આંશિક રીતે નુકસાન થયું છે. આ સમય દરમિયાન, […]

ભારત હેપેટાઇટિસ સામે મજબૂતાઈથી આગળ વધી રહ્યું: જે.પી.નડ્ડા

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડાએ સોમવારે વિશ્વ હેપેટાઇટિસ દિવસ નિમિત્તે મહત્ત્વપૂર્ણ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, ભારત આ ખતરનાક રોગ સામે મજબૂતીથી આગળ વધી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચલાવવામાં આવી રહેલા રાષ્ટ્રીય વાયરલ હેપેટાઇટિસ નિયંત્રણ કાર્યક્રમ દ્વારા, દેશભરમાં જીવન બચાવવા અને આ રોગને નાબૂદ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ દિવસ લોકોમાં […]

માનવ તસ્કરી અને બળજબરીથી ધર્મ પરિવર્તનના આરોપમાં 3ની ધરપકડ

દુર્ગ રેલ્વે સ્ટેશન પર નોકરીના બહાને ત્રણ છોકરીઓને ઉત્તર પ્રદેશ લઈ જવામાં આવી હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ કેસમાં છત્તીસગઢ પોલીસે બે ખ્રિસ્તી મહિલા અને બીજી એક મહિલાની પણ ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં સુકમન માંડવી, સાધ્વી પ્રીતિ મેરી અને વંદના ફ્રાન્સિસનો સમાવેશ થાય છે. બજરંગ દળના એક સ્થાનિક કાર્યકર્તાની ફરિયાદના આધારે આ […]

અદાણી ગ્રીન એનર્જાનું નાણાકીય વર્ષ-26ના પ્રથમ ત્રિમાસિકમાં વાર્ષિક ધોરણે વેચાણમાં 42%ના વધારા સાથે સતત મજબૂત નાણાકીય પ્રદર્શન

અમદાવાદ : નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રની ભારતની સૌથી મોટી અને સૌથી ઝડપથી વિકાસ કરી રહેલ અદાણી ગ્રીન એનર્જી લિ.(AGEL) એ 30 જૂન 2025 ના રોજ પૂરા થતાં પ્રથમ ત્રિમાસિક સમયગાળા માટેના જાહેર કરેલા નાણાકીય પરિણામોમાં નોંધપાત્ર વૃદ્ધિ અને ઓપરેશનલ શ્રેષ્ઠતા દર્શાવવામાં આવી છે. તદ્દનુસાર નવીનીકરણીય ઉર્જાના કામકાજની ક્ષમતા વાર્ષિક ધોરણે 45% વધીને 15.8 ગીગાવોટ થઇ છે […]

સુરક્ષાદળોને મળી મોટી સફળતા, પહેલગામ હુમલામાં સંડોવાયેલા સુલેમાન સહિત 3 આતંકી ઠાર મરાયાં

નવી દિલ્હીઃ પહેલગામમાં આતંકવાદીઓએ કરેલા હુમલાને પગલે દેશની જનતામાં રોષ ફેલાયો છે. તેમજ આતંકવાદી પ્રવૃતિઓ આચરનારાઓને નાથવા માટે માંગણી ઉઠી છે. બીજી તરફ સુરક્ષા દળોએ પણ આતંકવાદને નાથવા માટે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન શ્રીનગરમાં સુરક્ષા દળોએ ઓપરેશન મહાદેવ હાથ ધરીને પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો હતો. પહેલગામ હુમલામાં સંડોવાયેલા સુલેમાન સહિત 3 આતંકવાદીઓને સુરક્ષાદળોએ […]

પાકિસ્તાન કોઈ નાપાક હરકત કરશે તો ઓપરેશન સિંદૂર ફરી શરૂ કરાશે

નવી દિલ્હીઃ સંસદમાં ઓપરેશન સિંદૂર મામલે રાજનાથ સિંહે કહ્યું કે ‘ઓપરેશન સિંદૂર હાલ પૂરતું બંધ કરી દેવામાં આવ્યું છે પરંતુ જો પાકિસ્તાન ફરીથી કંઈ કરવાની હિંમત કરશે, તો આ ઓપરેશન ફરીથી શરૂ થશે. ભારતીય સેના, વાયુસેના અને નૌકાદળની સંકલિત કાર્યવાહીએ પાકિસ્તાનને નમવા મજબૂર કર્યું હતું. 10 મેના રોજ, પાકિસ્તાનના DGMO એ ભારતીય DGMO નો સંપર્ક કર્યો […]

ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાં ઈજાગ્રસ્ત પંતની જગ્યાએ નારાયણ જગદીશન રમશે

નવી દિલ્હીઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝનો ચોથો મુકાબલો માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં રમાયો હતો. આ ટેસ્ટ મેચ ભારતીય બેસ્ટમેનો કેપ્ટન શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદરની આક્રમક બેટિંગના કારણે મેચ ડ્રો રહી હતી. જો કે, આ ટેસ્ટમાં વિકેટકીપર પંત ઈજાગ્રસ્ત થયો હતો. જેથી અંતિમ ટેસ્ટમેચમાં પંત રમી શકશે નહીં. બંને ટીમ વચ્ચે હવે […]

કોઈપણ દબાણ હેઠળ ઓપરેશન સિંદૂર અટકાવવાના દાવા સંપૂર્ણપણે ખોટાઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ સંસદની કાર્યવાહી બપોરે શરૂ થતા રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર પર બોલવાનું શરૂ કર્યું હતું. રાજનાથ સિંહે કહ્યું કે ‘હું સમગ્ર દેશ વતી સેનાના સૈનિકોનો આભાર માનું છું. આજે હું ઓપરેશન સિંદૂર સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ રજૂ કરવા માટે અહીં ઉભો છું. સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા લશ્કરી કાર્યવાહી કરી હતી. તે આતંકવાદ સામે અસરકારક […]

મણિપુરમાં સુરક્ષા દળોએ મેલબુલમાંથી 40 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું

નવી દિલ્હીઃ મણિપુરમાં ડ્રગ્સની દાણચોરી સામે આસામ રાઇફલ્સે મોટી સફળતા મેળવી છે. આસામ રાઇફલ્સે એક કિલોગ્રામ હેરોઇન અને નવ કિલોગ્રામથી વધુ મેથામ્ફેટામાઇન ગોળીઓનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. જેની અંદાજિત આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે 40.05 કરોડ રૂપિયા છે. મળતી માહિતી મુજબ, આસામ રાઇફલ્સે ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે મિઝોરમના ઝોખાવથર વિસ્તારના મેલબુકમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code