1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

21મી સદીમાં સશસ્ત્ર દળો વચ્ચે કાર્યક્ષમતા અને સંકલન અનિવાર્ય આવશ્યકતા બનીઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે જણાવ્યું હતું કે 21મી સદીમાં સશસ્ત્ર દળો વચ્ચે કાર્યક્ષમતા અને સંકલન અનિવાર્ય આવશ્યકતા બની ગઈ છે. આજે નવી દિલ્હીમાં ટ્રાઇ-સર્વિસિસ સેમિનારમાં બોલતા, રાજનાથ સિંહે ભાર મૂક્યો કે જોખમો વધુ જટિલ બન્યા છે. આ પ્રસંગે તેમણે ભારતની ત્રણેય સેનાઓના સંયુક્ત કાર્યની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર […]

દક્ષિણ ભારતમાં આતંકવાદી હુમલાના કાવતરામાં ISIS ના બે આતંકીઓને 8 વર્ષની સજા

બેંગ્લોરઃ રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)ની એર્નાકુલમ વિશેષ અદાલતે આઈસીસ–કેરળ-તમિલનાડુ કેસમાં બે આરોપીઓને દોષિત જાહેર કરીને 8 વર્ષની સજા ફટકારી છે. અદાલતે આરોપી મુહંમદ અઝરુદ્દીન એચ અને શેખ હિદાયતુલ્લાહ વાયને આઈપીસી તથા યુએપીએ અધિનિયમની વિવિધ કલમો હેઠળ દોષિત ઠરાવ્યા હતા. માહિતી મુજબ, બંને આરોપીઓને યુએપીએ અધિનિયમની કલમ 120બી  હેઠળ 8 વર્ષની સજા તથા કલમ 38 અને […]

પાકિસ્તાનના ક્વેટા શહેરમાં ભયાનક વિસ્ફોટ, 6થી વધારે લોકોનાં મોત

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટામાં મંગળવારે જબરદસ્ત બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં છ લોકોની ઘટનાસ્થળે જ મોત થયા હોવાનું જાણવા મળે છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. બલૂચિસ્તાનના આરોગ્ય વિભાગના સચિવે જણાવ્યું કે, વિસ્ફોટ બાદ ક્વેટાની તમામ હોસ્પિટલોમાં ઇમર્જન્સી લાગુ કરવામાં આવી છે. તમામ ડૉક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ અને નર્સોને ફરજ પર હાજર રહેવાનો આદેશ […]

ગેમિંગ અને સટ્ટાબાજી કેસમાં ઈડીએ અભિનેત્રી ઉર્વશી રૌતેલાને સમન્સ પાઠવ્યું

નવી દિલ્હી: અભિનેત્રી અને મોડેલ ઉર્વશી રૌતેલાને મંગળવારે કેન્દ્રીય તપાસ એજન્સી એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)  સમક્ષ હાજર થવું પડ્યું. અભિનેત્રીને ‘1એક્સ બીટ’  નામના અનૌપચારિક સટ્ટાબાજી અને ગેમિંગ પ્લેટફોર્મ સાથે જોડાયેલા ધન સંશોધન (PMLA) કેસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉર્વશી રૌતેલા (ઉંમર 31) આ પ્લેટફોર્મની ભારતમાં એંબેસડર છે. આ કંપની કેરેબિયન ટાપુ […]

પૂંછ જિલ્લામાં સેનાના કેમ્પમાં ગ્રેનેડ વિસ્ફોટ : એક જવાન શહીદ

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં મોટી દુર્ઘટના બની છે. પૂંછના સુરનકોટ વિસ્તારના દ્રાબા ખાતે આવેલ 16 આરઆર (રાષ્ટ્રીય રાઈફલ્સ)ના કેમ્પની અંદર અચાનક ગ્રેનેડ વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં એક જવાન શહીદ થયા છે. મળતી માહિતી મુજબ, આ ઘટના સાંજે બની હતી. તે સમયે જવાન કેમ્પની એક ચોકી પર સંત્રી ગાર્ડની ફરજ બજાવી રહ્યા હતા. એ […]

લોનધારકોને RBIની મોટી રાહત : 1 ઓક્ટોબરથી લાગુ થશે નવા નિયમો

મુંબઈ : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ (આરબીઆઈ) લોન સંબંધિત મહત્વપૂર્ણ ફેરફારોની જાહેરાત કરી છે, જે સામાન્ય લોકોને સીધી રાહત આપશે. લોનની પ્રક્રિયા સરળ બને અને મોટી રકમની લોન માટે લાગુ નિયમોમાં લવચીકતા આવે તે માટે આ પગલાં લેવામાં આવ્યા છે. નવા સુધારામાંથી ત્રણ નિયમો 1 ઓક્ટોબરથી અમલમાં આવશે, જ્યારે બાકીના ચાર મુદ્દાઓ પર હજી વિચારણા […]

ભાજપના વરિષ્ઠ નેતા વિજય કુમાર મલ્હોત્રાનું અવસાન, પીએમ મોદી સહિત અનેક નેતાઓએ વ્યક્ત કર્યો શોક

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના (ભાજપ) વરિષ્ઠ નેતા અને દિલ્હી યુનિટના પ્રથમ અધ્યક્ષ પ્રોફેસર વિજય કુમાર મલ્હોત્રાનું મંગળવાર સવારે અવસાન થયું છે. તેઓ 93 વર્ષના હતા અને છેલ્લા કેટલાક દિવસથી અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (AIIMS)માં સારવાર હેઠળ હતા. વિજય કુમાર મલ્હોત્રા દિલ્હીમાં પાંચ વખત સાંસદ અને બે વખત વિધાનસભાના સભ્ય રહી ચુક્યાં છે. તેઓ પહેલેથી […]

પરમાણુ અને જૈવિક ખતરાઓ સામે તૈયાર રહેવું પડશેઃ  CDS જનરલ અનિલ ચૌહાણ

નવી દિલ્હીઃ CDS (ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ) જનરલ અનિલ ચૌહાણે કહ્યું છે કે ભવિષ્યમાં પરમાણુ તેમજ જૈવિક ખતરાઓનો સામનો કરવા માટે ભારતને સજ્જ થવું પડશે. તેઓ માનેક્શૉ સેન્ટરમાં મિલિટરી નર્સિંગ સર્વિસ (MNS)ના 100મા સ્થાપના દિવસ નિમિત્તે ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગ્રે જનરલ ચૌહાણે જણાવ્યું હતું કે આજના ડેટા-કેન્દ્રિત યુદ્ધમાં તબીબી ડેટાની સુરક્ષા અત્યંત મહત્વપૂર્ણ છે. […]

મોબાઇલમાંથી ખુલ્યા ‘બાબા ચૈતન્યાનંદ સરસ્વતી’ના અનેક અશ્લિલ રાજ

નવી દિલ્હીઃ અનેક યુવતીઓના યૌન શોષણના આરોપી ‘બાબા’ ચૈતન્યાનંદ સરસ્વતી અંગે નવા ખુલાસા થયા છે. દિલ્હી પોલીસે તેની ધરપકડ બાદ પૂછપરછ શરૂ કરી છે, પરંતુ આરોપી પૂછપરછમાં સહકાર આપતો નથી અને સતત ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો છે. દરમિયાન પોલીસે તેના મોબાઇલ ફોનમાંથી ઘણી યુવતીઓ સાથેની ચેટ્સ અને એરહોસ્ટેસ સાથેની તસવીરો પણ મેળવી છે. યુવતીઓને […]

પૂર્વોત્તર ભારતમાં ભૂકંપના આંચકા, આસામ-મણિપુર સુધી ધરતી ધ્રૂજી

ગૌહાટીઃ મ્યાનમારમાં મંગળવાર સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા, જેની અસર ભારતના પૂર્વોત્તર રાજ્યો મણિપુર, નાગાલેન્ડ અને આસામ સુધી નોંધાઈ હતી. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.7 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ઑફ સિસ્મોલોજી (NCS) મુજબ, આ આંચકો સવારે અંદાજે 6.10 વાગ્યે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર મણિપુરના ઉખરૂલથી દક્ષિણ-પૂર્વમાં 27 કિમી દૂર, ધરતીની અંદાજે 15 કિમી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code