1. Home
  2. લોકસભા ઈલેક્શન 2024

લોકસભા ઈલેક્શન 2024

ઓડિશામાં ભાજપ-બીજેડીનું ગઠબંધન નક્કી, જાણો સીટ શેયરિંગની કઈ ફોર્મ્યુલા પર બની છે વાત?

ભુવનેશ્વર: લોકસભા ચૂંટણી માટે ભાજપ ગઠબંધનના ગણિત હેઠળ એનડીએના સહયોગી દળો સાથે બેઠક વહેંચણી પર ચર્ચાને આખરી ઓપ આપવામાં લાગેલું છે. આ મુહિમ હેઠળ ભાજપે ઓડિશામાં પણ પોતાની તૈયારીઓને પૂર્ણ કરી લીધી છે. આ તૈયારીઓ હેઠળ ઓડિશાની સત્તામાં રહેલા મુખ્યમંત્રી નવીન પટનાયકના બીજૂ જનતાદળ સાથે ભાજપના ગઠબંધનની વાત નક્કી થઈ ચુકી છે. આગામી લોકસભા ચૂંટણી […]

ગુજરાતમાં કૉંગ્રેસના વધુ એક ધારાસભ્યે આપ્યું રાજીનામું, MLA અરવિંદ લાડાણી જોડાશે ભાજપમાં

ગાંધીનગર: ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જૂન મોઢવાડિયાના રાજીનામા બાદ વધુ એક કોંગ્રેસી ધારાસભ્યે રાજીનામું આપ્યું છે. ગુજરાતની માણાવદરની બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આજે વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીને રાજીનામું સોંપ્યું હતું. અરવિંદ લાડાણીએ આ સાથે કોંગ્રેસની પ્રાથમિક સદસ્યતા પરથી પણ ત્યાગપત્ર આપી દીધું છે. એવું કહેવામાં આવે છે કે તેઓ ભાજપમાં સામેલ થવાના […]

“મેરા પહેલા વોટ દેશ કે લિયે” યુવા મતદાર જાગૃતિ અભિયાન, NIMCJ ના વિદ્યાર્થીઓએ મતદાન કરવાની શપથ લીધી

અમદાવાદ: વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશન પ્રેરિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ, અમદાવાદ ખાતે પ્રથમવાર મતદાન કરનારા વિદ્યાર્થીઓ તથા સ્ટાફગણે લોભલાલચ વગર મતદાન કરવાની શપથ લીધી હતી. ‘મેરા પહેલા વોટ દેશ કે લિયે’ યુવા મતદાર જાગૃતિ અભિયાન હેઠળ શપથની સાથે આજે અન્ય મતદાન જાગૃતિ પ્રવૃત્તિઓ સંસ્થામાં યોજાઇ હતી. આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત અધિક કલેક્ટર અને […]

Tamil Nadu: મદ્રાસ હાઈકોર્ટે ઉદયનિધિ સ્ટાલિન અને એ. રાજાને રાહત આપી, સનાતન મામલામાં દાખલ અરજી ફગાવી

ચેન્નઈ: મદ્રાસ હાઈકોર્ટે સનાતન ધર્મને ળઈને આપેલા નિવેદન પર ઉદયનિધિ સ્ટાલિન અને એ. રાજાને રાહત આપી છે. હાઈકોર્ટે ડીએમકેના નેતાઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને નામંજૂર કરી છે. સનાતન ધર્મને લઈને ઉદયનિધિ સ્ટાલિન, પી. કે. શેખરબાબુને ધારાસભ્ય પદેથી અને ડીએમકેના સાંસદ એ. રાજાને લોકસભા સદસ્યના પદ પરથી હટાવવાની માગણી કરતી અરજી દાખલ કરવામાં આવી હતી. […]

તમિલનાડુની રાજનીતિમાં એવું તો શું છે કે હિંદુત્વનો કોઈ મુદ્દો ચાલતો નથી?

નવી દિલ્હી:  તમિલનાડુની સત્તાધારી ડીએમકેના નેતાઓ ઉદયનિધિ સ્ટાલિન હોય કે એ. રાજા હોય કે અન્ય કોઈ નેતાઓ હોય, તેઓ શ્રીરામ, સનાતન અને બ્રાહ્મણ પર વિવાદીત ટીપ્પણીઓ કરતા રહે છે. તમિલનાડુમાં ધર્માંતરણ વિરોધી કાયદો બને છે, અને તેને થોડા વખતમાં પાછો કેંચવો પડે છે. તમિલનાડુમાં રામમંદિર બનાવવું (હવે અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા થઈ ચુકી છે), આર્ટિકલ-370ને હટાવવી (હવે […]

શત્રુઘ્નસિંહાએ રામમંદિરને ગણાવ્યું ભાજપનું પબ્લિસિટી સ્ટંટ, કહ્યુ- હવે બસ 1 હજાર લોકો જઈ રહ્યા છે

નવી દિલ્હી: દેશભરમાં ચૂંટણી માહોલ ગરમ છે. 2024ની લોકસભાની ચૂંટણીની ઘોષણા થવાની છે. રાજકીય મેદાનમાં તમામ પાર્ટીઓએ પોતાના તેવર તીખા કરી દીધા છે. હવે ટીએમસીના સાંસદ શત્રુઘ્નસિંહાએ ભાજપને નિશાને લીધું છે. તેમણે પરોક્ષપણે રામમંદિરને ભાજપની ચૂંટણીલક્ષી પેંતરાબાજી ગણાવ્યું છે. શત્રુઘ્નસિંહાએ રામમંદિર દ્વારા ભાજપ પર નિશાન સાધતા કહ્યુ છે કે પહેલા દિવસે પાંચ લાખ લોકો અયોધ્યા […]

હિમાચલના 6 બાગી કોંગ્રેસી ધારાસભ્યો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, અયોગ્ય ઠેરવવાના સ્પીકરના નિર્ણયને પડકાર્યો

નવી દિલ્હી: હિમાચલ પ્રદેશના કોંગ્રેસના 6 બાગી ધારાસભ્યોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આ ધારાસભ્યોએ રાજ્યની વિધાનસભાના સ્પીકર દ્વારા તેમને અયોગ્ય ઠેરવવાના નિર્ણયને પડકાર્યો છે. સ્પીકરે વિધાનસભાના બજેટ દરમિયાન ગેરહાજર રહેવાના આધારે આ ધારાસભ્યોને અયોગ્ય ઠેરવ્યા હતા. ધારાસભ્યોએ સ્પીકરના આ નિર્ણયને અયોગ્ય ગણાવીને તેને રદ્દ કરવાની માગણી કરી છે. મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં થયેલી રાજ્યસભાની […]

એ. રાજાના ‘રામ અમારા દુશ્મન’વાળા નિવેદન પર ભડક્યું ભાજપ, રવિશંકરે પુછયું- રાહુલ ગાંધી જય મહાદેવ કહેશે કે નહીં?

નવી દિલ્હી: ભાજપના વરિષ્ઠ નેતા અને બિહારના પટનાસાહિબથી લોકસભાના સાંસદ રવિશંકર પ્રસાદે એ. રાજાના નિવેદન પર પલટવાર કર્યો છે. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ છે કે ભારતની સંસ્કૃતિ અને સનાતન ધર્મનું અપમાન કરવું વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાનો એજન્ડા બની ચુક્યો છે. આ તે છે જેઓ 2જી ગોટાળામાં સંડોવાયેલા હતા. Shri @rsprasad addresses a press conference at BJP […]

પશ્ચિમ બંગાળઃ હાઈકોર્ટના ન્યાયધીશ અભિજીત ગંગોપાધ્યાયએ રાજીનામું આપ્યું, ભાજપામાં જોડાશે

નવી દિલ્હીઃ કોલકતા હાઈકોર્ટના ન્યાયધીશ અભિજીત ગંગોપાધ્યાયએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું છે. આ ઉપરાંત રાજીનામું આપ્યાના ગણતરીના કલાકોમાં જ તેમણે ભાજપામાં સામેલ થવાની જાહેરાત કરી હતી. તેમણે પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મોકલી આપ્યું હતું. આ ઉપરાંત રાજીનામાની નકલ સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચુડ અને કોલકતા હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ટીએસ શિવજ્ઞાનમને મોકલ્યું હતું. ભાજપામાં […]

મોદી ચાહે છે તમે જય શ્રીરામ બોલો અને ભૂખ્યા મરી જાવ: રાહુલ ગાંધી

શાજાપુર: મધ્યપ્રદેશમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ચાલી રહી છે. મંગળવારે રાહુલ ગાંધીની યાત્રાનો કાફલો શાજાપુર પહોંચ્યો અને તે દરમિયાન તેમની સાથે મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહ, કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશ અને પ્રદેશ પ્રમુખ જીતુ પટવારી હાજર હતા. શાજાપુરમાં થયેલી નુક્કડ સભાને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યુ કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાહે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code