
કેન્દ્ર એ કેબલ ટેલીવિઝન નેટવર્ક નિયમોમાં કર્યા સુધારણાઃ-ફરિયાદના નિવારણ માટે કાનુની તંત્ર ઉપલબ્ધ
- કેન્દ્ર એ કેબલ ટેલીવિઝન નેટવર્ક નિયમોમાં કર્યા સુધારણા
- ફરિયાદના નિવારણ માટે કાનુની તંત્ર ઉપલબ્ધ કરાવાયું
- આ તંત્ર તમારી ફરિયાદનું લાવશે સમાધાન
દિલ્હીઃ- કેન્દ્ર સરકારે વિતેલા દિવસને ગુરુવારે કેબલ ટેલિવિઝન નેટવર્ક્સ નિયમો, વર્ષ 1994 માં સુધારો કરીને એક જાહેરનામું બહાર પાડ્યું છે. જે પ્રમાણે ટેલિવિઝન ચેનલો દ્વારા પ્રસારિત કરવામાં આવતી સામગ્રી સંબંધિત નાગરિકોની ફરિયાદો અને ફરિયાદોના નિવારણ માટે કાનૂની તંત્ર ઉપલબ્ધ કરાવામાં આવ્યું છે.
હાલમાં નિયમો અંતર્ગત પ્રોગ્રામ્સ અને જાહેરખબરોના સંહિતાના ઉલ્લંઘન સંબંધિત નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે આંતર-મંત્રાલય સમિતિના માધ્યમમ કે જે સંસ્થાકીય પદ્ધતિ છે. તેવી જ રીતે વિવિધ પ્રસારણકર્તાઓએ ફરિયાદોના નિવારણ માટે તેમની પોતાની આંતરિક સ્વ-નિયમનકારી પદ્ધતિઓ પણ વિકસિત કરી છે.
આ ઉપરાંત ફરિયાદ નિવારણ માળખાને મજબૂત કરવા માટે કાયદાકીય પદ્ધતિ મૂકવાની જરૂરિયાત અનુભવાઈ હતી, જ્યાં પ્રસારણને લઈને ફરિયાદો કરી શકાય છે અને તેનું નિવારણ થઈ શકે છે. આમાં કેટલાક બ્રોડકાસ્ટર્સે તેમના સંગઠનો, સંસ્થાઓને કાયદેસરની માન્યતા આપવા માટેની વિનંતી પણ કરી હતી.
આ મામલે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાવામાં આવેલ દાવ્માં, કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપિત નિવારણની હાલની પદ્ધતિ અંગે સંતોષ વ્યક્ત કરતી વખતે, તેના હુકમમાં ફરિયાદ નિવારણ તંત્રને ઐચારિક બનાવવા માટે યોગ્ય નિયમો બનાવવાની સલાહ આપી હતી. માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા દેશમાં નવસોથી વધુ ટેલિવિઝન ચેનલોની મંજૂરી છે, તે બધાને કેબલ ટેલિવિઝન નેટવર્ક નિયમો હેઠળ નિર્ધારિત પ્રોગ્રામ અને જાહેરાત કોડનું પાલન કરવું જરૂરી છે.