1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હીઃ ભારે વાહનો માટે લેન નિયમનો અમલ, નિયમનો ભંગ કરનાર વાહન ચાલક સામે થશે કાર્યવાહી
દિલ્હીઃ ભારે વાહનો માટે લેન નિયમનો અમલ, નિયમનો ભંગ કરનાર વાહન ચાલક સામે થશે કાર્યવાહી

દિલ્હીઃ ભારે વાહનો માટે લેન નિયમનો અમલ, નિયમનો ભંગ કરનાર વાહન ચાલક સામે થશે કાર્યવાહી

0
Social Share

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીના માર્ગો ઉપર આડેધડ દોડતી ડીટીસી, ક્લસ્ટર બસો અને વ્યાવસાયિક વાહનોને હવે નવા નિયમોનું પાલન કરવું પડખશે. આજથી ભારે વાહનો માટે લેનમાં વાહન હંકારવાનો નિયમ લાગુ કરાયો છે.  નિયમોના ભંગ બદલ આ વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. નિયમ સુનિશ્ચિત કરવા માટે, દિલ્હી ટ્રાફિક પોલીસ અને દિલ્હી પરિવહન વિભાગની ટીમો રસ્તાઓ પર તૈનાત કરાઈ છે, જે નિયમોનું ઉલ્લંઘન કરતી બસો અને વ્યવસાયિક વાહનોના ડ્રાઇવરો પર ભારે દંડ જેવા કડક પગલાં લેશે. આમાં ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે.

સુત્રોના જણાવ્યા અનુસાર આજથી દિલ્હીના રસ્તાઓ પર નિયમો લાગુ થવાથી રસ્તા પરના અન્ય વાહન ચાલકો પણ સુરક્ષિત મુસાફરી કરી શકશે. નવા નિયમ હેઠળ, પ્રથમ તબક્કામાં ઓળખવામાં આવેલા 15 મુખ્ય રસ્તાઓ પર તેનો અમલ કરવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસ અને ટ્રાન્સપોર્ટ વિભાગની ટીમો સવારે 8 થી 10 વાગ્યા સુધી આ સ્થળોએ તૈનાત રહેશે અને તેનું પાલન કરવાના નિયમો મળશે.

લેન ડ્રાઇવિંગના આ નિયમોનું ઉલ્લંઘન કરનાર ડ્રાઇવરો સામે મોટર એક્ટ અને દિલ્હી પાર્કિંગ લોટ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. નિયમો અનુસાર, કોઈપણ ડ્રાઈવર આ નિયમનું ઉલ્લંઘન કરતો જોવા મળે તો તેને 10 હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. આટલું જ નહીં, લાયસન્સ રદ કરવાથી લઈને છ મહિના સુધી જેલની સજાની જોગવાઈ કરાઈ છે.

દિલ્હીના પરિવહન વિભાગે લેન ડ્રાઇવિંગ માટે 46 રસ્તાઓની ઓળખ કરી છે. તેમની કુલ લંબાઈ 475 કિલોમીટરથી વધુ છે. માહિતી અનુસાર, ટ્રાફિક અને પરિવહન વિભાગની ટીમો તેમના અભિયાનના ભાગરૂપે 1 થી 15 એપ્રિલ સુધી કોરિડોર માટે ચિહ્નિત કરાયેલા રસ્તાઓ પરથી અતિક્રમણ દૂર કરશે. આ સાથે જ બીજા તબક્કામાં 16 થી 30 એપ્રિલ સુધી 75 કિમીના આઉટર રીંગ રોડ અને અન્ય નિયત માર્ગો પર લેનમાં ચાલવાનો નિયમ લાગુ કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code