1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાતમાં આજથી શાળાઓમાં શિક્ષણ પ્રવૃતિનો પ્રારંભ, કોરોનાનું સંકટ ઓછું થતા બાળકો લાંબા સમય પછી શાળાએ
ગુજરાતમાં આજથી શાળાઓમાં શિક્ષણ પ્રવૃતિનો પ્રારંભ, કોરોનાનું સંકટ ઓછું થતા બાળકો લાંબા સમય પછી શાળાએ

ગુજરાતમાં આજથી શાળાઓમાં શિક્ષણ પ્રવૃતિનો પ્રારંભ, કોરોનાનું સંકટ ઓછું થતા બાળકો લાંબા સમય પછી શાળાએ

0
Social Share
  • ગુજરાતમાં આજથી શિક્ષણ પ્રવૃતિનો પ્રારંભ
  • બાળકો શાળાએ પહોંચ્યા
  • કોરોના ઓછો થતા સરકાર દ્વારા લેવાયો નિર્ણય

અમદાવાદ: દેશમાં તથા ગુજરાત રાજ્યમાં કોરોનાવાયરસનું જોર ઓછું થતા સરકાર દ્વારા ફરીવાર શાળાઓને શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી રાજ્યમાં શાળાઓ શરૂ થઈ છે અને શિક્ષણ પ્રવૃતિને પણ શરૂ કરવામાં આવી છે. થોડા દિવસ પહેલા સરકાર દ્વારા આ બાબતે જાણકારી આપવામાં આવી હતી.

કોરોનાવાયરસના કેસ વધવાના કારણે શિક્ષણક્ષેત્રે કેટલાક વિદ્યાર્થીઓને નુક્સાનનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક વિદ્યાર્થીઓ આર્થિક રીતે શ્રધ્ધર ન હોવાના કારણે પણ ભણી શકતા ન હતા, પણ હવે સરકાર દ્વારા શાળાઓને શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેથી વિદ્યાર્થીઓ અને પરિવારમાં પણ ચિંતાના વાદળ ખસી ગયા છે.

ઉલ્લેખનીય છે કે શાળામાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ તે વાતનું ધ્યાન રાખવું પડશે કે બેદરકારી કોઈ વિદ્યાર્થી દ્વારા કરવામાં આવે નહી. કારણ કે કોરોનાવાયરસ માટે જે ગાઈડલાઈન સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે તેનું અત્યારે પણ પાલન કરવું પડશે. દેશમાં કોરોનાવાયરસના કેસ ઓછા આવી રહ્યા છે પણ દેશને સંપૂર્ણપણે કોરોનાવાયરસથી રાહત મળી નથી.

હાલ રાજ્યમાં કોરોનાવાયરસના કેસ ઓછા આવતા રાત્રી કર્ફ્યુમાંથી પણ કેટલાક શહેરોને મુક્તિ આપવામાં આવી છે. જે બાદ રાત્રીના સમયમાં પણ મોટાભાગના લોકો બહાર જોવા મળે છે. લોકોને લાંબા સમય પછી રાત્રીના સમયે બહાર ફરવા મળતે તેમનામાં ખુશી જોવા મળી રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code