1. Home
  2. ગુજરાતી
  3. ચોમાસામાં વાળ ખરવાની સંભાવના વધી જાય છે? તો રાખો આ વાતનું ધ્યાન
ચોમાસામાં વાળ ખરવાની સંભાવના વધી જાય છે? તો રાખો આ વાતનું ધ્યાન

ચોમાસામાં વાળ ખરવાની સંભાવના વધી જાય છે? તો રાખો આ વાતનું ધ્યાન

0
Social Share

વાળની કાળજી રાખવી તે દરેક મહિલા માટે સૌથી વધારે મહત્વનું હોય છે. મહિલાઓ પોતાની સુંદરતા, સ્વચ્છતા અને પોતાના વાળને લઈને હંમેશા વધારે કાળજી લેતી હોય છે આવામાં જ્યારે ચોમાસાની વાત આવે તો મહિલાઓ ચોમાસામાં પોતાના વાળનું વધારે ધ્યાન રાખે છે કારણ કે કેટલીક મહિલાઓને ચોમાસામાં વધારે વાળ ખરવાની સમસ્યા હોય છે.

કેટલીક સ્ત્રીઓ એવી હોય છે કે જેમને શિયાળામાં વાળ વધારે ઉતરતા હોય તો કેટલીક મહિલાઓને ઉનાળામાં વધારે વાળ ખરતા હોય છે, તો આવામાં ચોમાસામાં જે મહિલાના વાળ ખરે છે તે મહિલાએ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે પણ વરસાદ ચાલુ હોય ત્યારે માથામાં વાળ ભીંજાય નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ.

આ ઉપરાંત આયુર્વેદિક ગુણોથી ભરપૂર મેથીના દાણા માત્ર સ્વાસ્થ્ય જ નહીં પરંતુ સુંદરતાના પણ અનેક ફાયદાઓ ધરાવે છે. તેની સામગ્રી વાળ કે ત્વચા પર લગાવવાથી સારું પોષણ મળે છે. ચોમાસાની ઋતુ ટૂંક સમયમાં આવી રહી છે, આવી સ્થિતિમાં વાળ ખરતા અટકાવવા માટે તમે મેથીના દાણાનો માસ્ક લગાવી શકો છો. આ માટે મેથીના દાણાને એક કપ પાણીમાં આખી રાત પલાળી રાખો અને તેને પીસીને વાળ અને માથાની ચામડી પર લગાવો. લગભગ 30 મિનિટ પછી તેને હૂંફાળા પાણીથી સાફ કરો.

જો વાત કરવામાં આવી ગ્રીન ટી ની તો ઘણા એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઓક્સીડેન્ટ્સથી ભરપૂર ગ્રીન ટી વાળ માટે પણ ખૂબ સારી માનવામાં આવે છે. વાળની ​​સંભાળમાં શ્રેષ્ઠ ગણાતા લીલા રંગને વાળને મજબૂત બનાવવા ઉપરાંત ચમકદાર બનાવી શકાય છે. ગ્રીન લગાવવાને બદલે રોજ પીવું જોઈએ. દરરોજ સવારે ઉઠ્યા પછી ગ્રીન ટી બનાવીને હૂંફાળું પીવો. આનાથી માત્ર વાળ જ નહીં પણ ત્વચા પણ સ્વસ્થ બનશે અને તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code